- ગુજરાતમાં આકરી હીટવેવનો કહેર, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ સાથે 45 ડિગ્રીની આગાહી
- શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય: બંગાળ બોર્ડર BSFને સોંપાશે, અનેક કેન્દ્રીય યોજનાઓને મંજૂરી
- સોનું ન ખરીદવાની અપીલ બાદ જ્વેલરી બજારમાં ચિંતા, કારીગરોની નોકરી પર સંકટનો ભય
- પીએમ મોદીના સોમનાથ રોડ શોમાં જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલનું અનોખું આકર્ષણ છવાયું
- ભાજપ સામે લડવા તમામ વિપક્ષોને એક થવા મમતાની હાકલ, વિદ્યાર્થી સંઘોને પણ અપીલ
- સુપર અલ-નિનોની ચેતવણી: 2026માં દેશભરમાં રેકોર્ડ તોડ ગરમી અને હીટવેવનો ખતરો
- ‘ધી રોયલ્સ 2’માંથી ભૂમિ પેડનેકર બહાર, સ્ટોરીમાં ફેરફાર વચ્ચે મોટો નિર્ણય
- અવિકા ગૌર પતિ સાથે બેંગકોક શિફ્ટ, પરંતુ ભારતીય પ્રોજેક્ટ્સમાં કામ ચાલુ રાખશે
Author: Garvi Gujarat
‘રાહુલ દ્રવિડને જાણીજાેઈને હટાવાયો’.રાહુલ દ્રવિડને લઈને એબી ડિવિલિયર્સે કર્યો ખુલાસો.ટીમ ઈન્ડિયાએ ૨૦૨૪ ટી૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી રાહુલ દ્રવિડે પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો. ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રાહુલ દ્રવિડે અચાનક જ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ સાઉથ આળિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે દ્રવિડે ભલે નવી જવાબદારી લેવાની ના પાડી હતી, પણ એવુ લાગે છે કે તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. સાઉથ આળિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે તેની યૂટ્યૂબ ચેનલના લાઇવ સેશન દરમિયાન કહ્યું, ‘ફૂટબોલ લીગમાં પણ એવું થાય છે કે જ્યારે ટીમ જીતી નથી શકતી ત્યારે કોચ…
સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છતાં સાગઠિયાને જેલમાંથી મુકિત નહી મળ.રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સાગઠિયાને સુપ્રીમની રાહત : જામીન મંજૂર,અપ્રમાણસર મિલકત અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે.રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. પરંતુ અપ્રમાણસર મિલકત અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે.રાજકોટમાં કાલાવડ રોડ ઉપર…
‘ધ બંગાળ ફાઇલ્સ’ની રિલીઝ પહેલા.વિવેક અગ્નિહોત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ખાસ અપીલ કરી.વિવેકનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં ઘણા ડિસ્ટ્રિબ્યૂટર રાજકીય દબાણને કારણે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવાથી ડરી રહ્યા છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ જેવી ફિલ્મો આપનાર દિગ્દર્શક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રી હવે તેની નવી ફિલ્મ ‘ધી બંગાલ ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં પલ્લવી જાેશી, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. જણાવી દઈએકે આ ફિલ્મ રિલીઝ થાય તેની પહેલા જ ફિલ્મ ખૂબ જ વિવાદમાં રહી છે. હાલમાં જ દિગ્દર્શકે પશ્ચિમ બંગાળના…
બિપાશા બાદ બીજી હીરોઈન પર નિશાન.નામ લીધા વગર મૃણાલ ઠાકુરે અનુષ્કા શર્માને ટોણો માર્યો.અન્ય અભિનેત્રીને લઈને કરેલી ટિપ્પણીને લઈને યુઝર્સે મૃણાલ ઠાકુરને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ.સાઉથની ફિલ્મો બાદ અભિનેત્રી મૃણાલ ઠાકુરે બોલીવુડમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. તાજેતરમાં તે સન ઓફ સરદાર ૨માં જાેવા મળી હતી. જાેકે, આજકાલ તે અન્ય અભિનેત્રીઓને લઈને વિવાદિત નિવેદન આપીને ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ગયા મહિને મૃણાલ ઠાકુરે બિપાશા બાસુ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. બિપાશા બાદ હવે મૃણાલે અનુષ્કા શર્મા તરફ પોતાનું નિશાન સાધ્યું છે.રેડિટ પર મૃણાલ ઠાકુરના એક ઇન્ટરવ્યૂનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મૃણાલને પૂછવામાં આવ્યું કે, એવી…
ચાહકોને શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મો ખૂબ ગમતી હતી.પ્રિયંકાએ શાહરૂખની અટકી પડેલી ફિલ્મ સ્ટોરી પરથી દસ્તાવેજી ફિલ્મ બનાવી નાખી.‘ધ સાયકલ ઓફ લવ’ નામની ડોક્યુમેન્ટરી દિલ્હીના એક સ્ટ્રીટ આર્ટિસ્ટ પીકે મહાનંદિયાની રોમેન્ટિક સફર પર આધારિત છ.ચાહકોને શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મો ખૂબ ગમતી હતી. બંને સ્ટાર્સ વિશે ઘણી વાર્તાઓ પણ ઉદ્યોગના ગલિયારાઓમાં વાયરલ થઈ રહી છે. પરંતુ બંને હવે અલગ અલગ રસ્તા પર છે. શાહરૂખ પોતાના બાળકોની કારકિર્દી તેમજ ફિલ્મ ‘કિંગ’માં વ્યસ્ત છે, તો બીજી તરફ પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ દરમિયાન, પ્રિયંકા ચોપરાએ કિંગ ખાનની અટકી પડેલી ફિલ્મની વાર્તા પર મોટો જુગાર રમ્યો છે.અભિનેત્રી…
ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ-૨’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી.૮ કરોડના ખર્ચે બનેલી ‘વશ લેવલ-૨’ એ ૬ દિવસમાં ૭.૫૯ કરોડ કમાઈ લીધા. કોઈ મોટી સ્ટાર કાસ્ટ વગર, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છ.ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ-૨’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ એ જ ફિલ્મ છે જેનો પહેલા ભાગ અજય દેવગન અને આર. માધવનની ફિલ્મ ‘શૈતાન’ બનાવવામાં આવી હતી. ‘વશ’નો પહેલો ભાગ ફક્ત ગુજરાતીમાં રિલીઝ થયો હતો, પરંતુ તેનો બીજાે ભાગ નિર્માતાઓ દ્વારા હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યો છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મને ૮.૧ રેટિંગ મળ્યું છે અને જાે તમે ‘શૈતાન’ જાેઈ હોય…
કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોને ત્યાં દરોડા.વાપીની પેપર મિલોમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાય.મુંબઈ, પુણેમાં ૧૦થી ૧૨ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.વાપીની પેપર મિલોમા IT સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગજાનંદ પેપર મિલમાં IT સર્ચ ઓપરેશન કરાયું છે. શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, એન.આર.અગ્રવાલ પેપર મિલમાં સર્ચ ઓપરેશનમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. વાપી સહિત મુંબઈ અને પુણેમાં પણ IT સર્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ સાથે સંકળાયેલાના ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. વાપીમાં ૨૫થી વધુ સ્થળોએ ૈં્ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. મુંબઈ, પુણેમાં ૧૦થી ૧૨ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. વાપીની…
અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઓફર.૧૦ પ્લાસ્ટિકની બોટલ આપો અને એક સ્ટીલની બોટલ લઇ જાવ.આ માટે વિવિધ ઉદ્યોગો દ્વારા ૧૦,૦૦૦ સ્ટીલ બોટલનું દાન કરવામાં આવ્યું છ.લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જાેડાયેલી ‘અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા‘ બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા ૧૩ વર્ષથી ય્ઁઝ્રમ્ દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે. અંબાજી પદયાત્રા માર્ગ પર ગત વર્ષે ૭૬૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ અંબાજી પદયાત્રા માર્ગ પર જાેવા મળતા વિવિધ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦…
ટ્રોલી બેગના પૈડામાં છુપાવ્યું હતું સોનું.અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ.દુબઈથી ફ્લાઇટ FZ ૪૩૭ દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા૧૬ લાખની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી ફ્લાઇટ FZ ૪૩૭ દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા૧૬ લાખની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેને તેણે પોતાની ટ્રોલી બેગના વ્હીલના પોલા ભાગમાં છુપાવ્યું હતું.કસ્ટમ્સ અધિકારીઓને પેસેન્જરની હિલચાલ પર શંકા જતા તેને અટકાવવામાં આવ્યો હતો. તેની બેગની તપાસ કરતા, અધિકારીઓને વ્હીલની રચનામાં કંઈક અસામાન્યતા જાેવા મળી હતી. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં વ્હીલની…
એમ.એસ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર પ્રો.ભનાગેએ તેમનો ચાર્જ સંભાળ્યા.તેઓનું રિસર્ચ વર્ક આગળ વધે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશ.એમ.એસ યુનિવર્સિટીના ૧૮મા વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના પ્રોફેસર બી.એમ.ભનાગેએ આજે તેમનો ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું હતું કે હું મૂળભૂતપણે રિસર્ચર છું, એટલે સારા અને ગુણવત્તાયુક્ત રિસર્ચ અને તેને પ્રોત્સાહન આપવા તરફ મારું વિશેષ ધ્યાન રહેશે. યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતા વધે અને ખાસ તો અહીંના અધ્યાપકો કે જે સારું કામ કરે છે તેઓનું રિસર્ચ વર્ક આગળ વધે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અહીંના રિસર્ચ સારામાં સારા જર્નલમાં પ્રસિદ્ધ થાય અને સમાજ ઉપયોગી બને તે વધુ જરૂરી છે. રિસર્ચ વર્ક સમાજમાં જવું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



