Author: Garvi Gujarat

૨૫૦ કિમીની હિમાલય પર્વતમાળા પર સતત પ્રેશર.ઉત્તરાખંડમાં ખૂબ જ મોટો ભૂકંપ આવવાનો ભય.તનકપુરથી દેહરાદૂન સુધીના હિમાલયની પર્વતમાળાની તળીયામાં ખૂબ જ ચહલપહલ જાેવા મળી રહી છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ઉત્તરાખંડમાં ખૂબ જ મોટો ભૂકંપ આવવાનો ભય રહેલો છે. તનકપુરથી દેહરાદૂન સુધીના ૨૫૦ કિલોમીટરની હિમાલયની પર્વતમાળાની તળીયામાં ખૂબ જ ચહલપહલ થઈ રહી છે. તેમના કહેવા પ્રમાણે, આ વિસ્તાર ખૂબ જ મોટા સ્ટ્રેસમાં છે. ઇન્ડિયન પ્લેટ હાલમાં યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. એના કારણે પ્રેશર સર્જાઈ રહ્યું છે અને આ પ્રેશર જ્યારે બહાર આવશે ત્યારે ભૂકંપ આવશે. આ ભૂકંપ ૭ અથવા તો ૮ની તીવ્રતાનો હશે. પૃથ્વીના પાતાળમાં ખૂબ જ મોટા પથ્થર…

Read More

ધો.૬થી ૧૨ના વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી જ શિક્ષણ મેળવે છે. સેવન્થ ડે સ્કૂલમાં ઘટનાના ૩ સપ્તાહ બાદ પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું નથી.સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતા.મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ત્રણ સપ્તાહ પછી પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું નથી. સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ક્યારથી શરૂ થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. આમ, વિદ્યાર્થીઓને હજુ કેટલાક દિવસ ઓનલાઈન શિક્ષણ મેળવવું પડે તેમ છે. હત્યાની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ સ્કૂલ પર તૈનાત કરવામાં આવી હતી. જેમની સમક્ષ અનેક વાલીઓ દ્વારા પ્રવેશ રદ કરવવા માટે અરજી કરી…

Read More

આગચંપી બાદ સૈન્યની કડકાઈ.નેપાળ હિંસાની અસર ભારતમાં દેખાઈ, કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ.ઝુલાઘાટ આંતરરાષ્ટ્રીય પુલથી લગભગ ૨૫ કિમી દૂર બૈતાડીના સાહિલેક બજારમાં સન્નાટો છવાઈ ગયો હતા.નેપાળ હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળી વિસ્તારો દાર્ચુલા અને બૈતાડીમાં પણ દેખાવ થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને એમાલેના કાર્યાલયોમાં તોડફોડ કરી. આ દરમિયાન આગચંપી પણ કરવામાં આવી હતી જેના લીધે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધની ચિંગારી સાથે મંગળવારે બીજા દિવસે પણ નેપાળ સળગતું રહ્યું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે દેખાવકારોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ ચાંપી…

Read More

નથી. અમેરિકા સાથે વેપાર ના કરે તો બ્રિક્સનું કોઈ રાષ્ટ્ર ટકી શકે નહીં. બ્રિક્સ રાષ્ટ્રો અમેરિકા સાથે વેમ્પાયર જેવું વર્તન કરે છે: નવારો.બ્રિક્સ રાષ્ટ્રો એકબીજાને ધિક્કારે છે અને એકબીજાને મારી રહ્યા છે. આ સ્થિતિમાં બ્રિક્સ સંગઠન ટકી શકે તેમ લાગતું : ટ્રમ્પના સલાહકાર.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સાથી પીટર નવારોએ બ્રિક્સ રાષ્ટ્રોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, બ્રિક્સના સભ્ય રાષ્ટ્રો એકબીજાને ધિક્કારે છે, જ્યારે વેપાર મામલે વેમ્પાયરની જેમ અમેરિકાનું શોષણ કરે છે. વ્હાઈટ હાઉસના ટ્રેડ એડવાઈઝર નવારોના મતે બ્રિક્સ સંગઠન ટકી શકે તેમ નથી. બ્રિક્સ સંગઠનમાં મળે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આળિકા હતા. ૨૦૨૪માં ઈજિપ્ત, ઈથોપિયા,…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.264 અને ચાંદીના વાયદામાં રૂ.958ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.37નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.16695.93 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88364.35 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13676.96 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25430 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.105061.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16695.93 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88364.35 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25430 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1167.47 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13676.96 કરોડનાં કામકાજ થયાં…

Read More

પેન્શન મેળવવા લોકો લાઇનમાં ઊભા હતાં ત્યારે ભયાનક વિસ્ફોટ.યુક્રેનમાં રશિયાના ગ્લાઇડ બોમ્બ હુમલામાં ૨૧નાં મોત, બે ડઝનથી વધુ લોકો ઘાયલ. આ હુમલાને ક્રુરતાનું કૃત્ય ગણાવીને ઝેલેન્સકીએ રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી હતી.રશિયાએ યુક્રેનના એક ગામડા પર કરેલા ગ્લાઇડ બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા હતાં અને બે ડઝન લોકો ઘાયલ થયાં હતાં. ડોનેત્સ્ક પ્રાંતના યારોવા ગામમાં પેન્શન મેળવવા માટે લોકો લાઇનમાં ઊભા હતાં ત્યારે તેમના પર ભયાનક વિસ્ફોટ થયો હતો, એમ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી અને એક પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું. આ હુમલાને ક્રુરતાનું કૃત્ય ગણાવીને ઝેલેન્સકીએ રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની આંતરરાષ્ટ્રીય સમુદાયને…

Read More

રેણુકાસ્વામી હત્યા કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો.હત્યા કેસના આરોપી ફિલ્મ અભિનેતાએ જજની સામે આપ્યું ચોંકાવનારું નિવેદન. જૂન ૨૦૨૪માં ચિત્રદુર્ગના રહેવાસી રેણુકાસ્વામીના અપહરણ અને હત્યાના આરોપમાં અભિનેતા દર્શનની ધરપકડ કરવામાં આવી હતી.કર્ણાટકનો ખૂબ ચર્ચિત રેણુકાસ્વામી હત્યા કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં આરોપી નંબર ૧ કન્નડ અભિનેતા દર્શને કોર્ટમાં જજ સમક્ષ એવું નિવેદન આપ્યું કે બધાને ચોંકાવી દીધી હતી. તેણે કોર્ટમાં કહ્યું કે, ‘હું કોઈપણ સંજાેગોમાં જેલમાં રહેવા માંગતો નથી. જેલમાં મારી હાલત ખૂબ જ ખરાબ છે. આવી જિંદગી જીવવા કરતાં મને ઝેર આપી દો, હું હવે આવી રીતે જીવી શકતો નથી.’અહેવાલો અનુસાર, મંગળવારે (નવમી સપ્ટેમ્બર) મહિનાની સુનાવણી દરમિયાન…

Read More

‘કોનું કરિયર મેં બરબાદ કર્યું?’, દબંગ’ના ડિરેક્ટરના આરોપ પર સલમાન ખાનની પ્રતિક્રિયા.‘સલમાનને અભિનયમાં કોઈ રસ નથી. તે છેલ્લા ૨૫ વર્ષથી સેલિબ્રિટી હોવાનો પાવર દેખાડે છે : અભિનવ.બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની જેટલી ફેન ફોલોઈન્ગ છે તેટલા જ તેના ટ્રોલર્સ પણ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા એક્ટર કે ડિરેક્ટર છે જેણે સલમાન પર આરોપ લગાવ્યો કે તે નવા પ્રતિભાશાળી અભિનેતાઓની કારકિર્દી બરબાદ કરે છે. હાલમાં જ દબંગના ડિરેક્ટર અભિનવે સલમાન ખાન અને તેના પરિવારને લઈને મોટી વાત કરી હતી.તેણે કહ્યું, ‘સલમાનને અભિનયમાં કોઈ રસ નથી. તે છેલ્લા ૨૫ વર્ષથી સેલિબ્રિટી હોવાનો પાવર દેખાડે છે. તે સેટ પર આવીને અમારી ઉપકાર કરતો હોય…

Read More

ફાયદા માટે અભિનેત્રીના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરાયા. મારા ફોટાનો દુરુપયોગ થતો અટકાવો ઐશ્વર્યા રાયની હાઇકોર્ટમાં અપીલ.કેટલાક લોકો ફક્ત નામ અને પૈસા કમાવવા માટે તેના ચહેરાનો ઉપયોગ કરી રહ્યા હોવાનો દાવો.બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણની માંગણી સાથે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાે ખટખટાવ્યો છે. ઐશ્વર્યા રાયનું કહેવું છે કે તેમની પરવાનગી વિના તેમના ફોટાનો ઉપયોગ વ્યાપારી લાભ માટે થઈ રહ્યો છે. અભિનેત્રી વતી વરિષ્ઠ વકીલ સંદીપ સેઠી કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તેમણે ઐશ્વર્યાના પબ્લિસિટી અને વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવાની વાત કરી હતી. તેમણે એવા લોકો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી જેઓ પોતાના…

Read More

સબા આઝાદે દીકરા ઇમાદ સાથેના બ્રેક અપ અંગે ખુલાસો કર્યો.તમે કોઈને પ્રેમ કરવાનું કેવી રીતે બંધ કરી શકો? : સબા આઝાદ.બોલિવૂડમાં એક સબા આઝાદ અને રિતિક રોશન વચ્ચેનો સંબંધ એવો છે, જે જેટલો જાહેર છે એટલો જ જિજ્ઞાસા જગાડનારો પણ છે.બોલિવૂડમાં એક સબા આઝાદ અને રિતિક રોશન વચ્ચેનો સંબંધ એવો છે, જે જેટલો જાહેર છે એટલો જ જિજ્ઞાસા જગાડનારો પણ છે. જ્યારથી રિતિક તેની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાનથી અલગ થયો, ત્યારથી તેમનાં એકબીજા સાથે કે કોઈ પણ સાથે સંબંધો સતત ચર્ચામાં રહ્યાં છે. આમ રિતિકના સંબંધો તો જગજાહેર છે, પરંતુ સબાનાં ભૂતકાળના સંબંધો મોટે ભાગે લોકોની નજરથી દૂર રહ્યા છે.…

Read More