- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
મહિલા શ્રમ યોગીઓના હિતમાં તેમની સલામતી-સ્વાસ્થ્ય સંબંધી શરતોને આધીન રાત્રિપાળીમાં કામે રાખી શકાશે : શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સુધારા વિધાયકની મહત્વની જોગવાઈઓ • આ સુધારાથી રાત્રિપાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે • મહિલા શ્રમ યોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપારજન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય • રાત્રિ પાળીમાં સ્વેચ્છાએ કામ કરવાથી મહિલાઓ તેમના ઘર-પરિવાર માટે દિવસે વધુ સમય આપી શકશે • નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના ૧૨ કલાક પરંતુ સપ્તાહના માત્ર ૪૮ કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકશે • શ્રમયોગીને ૦૬ કલાક પછી ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ…
કુલ ૭૮૮ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો.હાલારના બંને જિલ્લાઓમાં PGVCL ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ૧ કરોડ ૯૩ લાખનું નુકસાન.બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ૩૨૧૮ ફીડરોમાં નુકસાની થઈ હતી. હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસાના સમયગાળા દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુલ ૧.૯૩ લાખનું નુકસાન થયું છે. ચાલુ વરસાદી સિઝન દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે જામનગર જિલ્લાના અને દેવભૂમિ-દ્વારકા જિલ્લાના કુલ ૭૮૮ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જાે કે અત્યાર સુધીમાં તમામ ગામોમાં વિજ પુરવઠો ફરીથી કાર્યરત બનાવી દેવાયો છે. હાલારના બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ૩૨૧૮ ફીડરોમાં નુકસાની થઈ હતી, જે પૈકીના…
ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું.સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું.ગત વર્ષે સુરતે આ સ્પર્ધામાં દેશમાં પહેલું સ્થાન મેળવ્યું હતું આ વર્ષે સુરતનો રેન્ક બે નંબર પાછળ ગયો છ.ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે આજે દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં સુરત સતત બીજા વર્ષે ટોપ થ્રીમાં આવ્યું છે. જાેકે, ગત વર્ષે સુરતે આ સ્પર્ધામાં દેશમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. આ વર્ષે સુરતનો રેન્ક બે નંબર પાછળ ગયો છે અને તે આગ્રા સાથે ત્રીજા નંબર પર આવ્યું છે. સુરત પાલિકાના ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ…
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નરોડા દક્ષિણ વોર્ડ, ઉત્તર ઝોનના જાહે૨ માહિતી અધિકારી અને ટાઉન ડેવલપમેન્ટ ઈન્સ્પેક્ટરે અરજદાર જીતેન્દ્રકુમાર લાભશંકર રવિયાને માંગ્યા મુજબની માહિતી આપવામાં અને આયોગને યોગ્ય સંતોષકારક ખુલાસો કરવામાં બેદરકારી દાખવતા ગુજરાત માહિતી આયોગે તેમને બે હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડની રકમ જમા ન કરે તો ૧૫મી ઓગસ્ટ સુધીમાં તેમના પગારમાંથી કાપી લઈ આયોગમાં જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે. ફરિયાદી જીતેન્દ્રકુમાર લાભશંકર રવિયા દ્વારા ગુજરાત માહિતી આયોગમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. નરોડા દક્ષિણ વોર્ડ, ઉત્તર ઝોનના કચેરીના માહિતી અધિકારીએ અરજદારે જે મિલકતની માહિતી માંગી હતી તે અધુરી અને અપુરતી માહિતી આપવામાં આવી હતી. તેમજ ફરી ચકાસણી…
અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરાઈ.રાજુલાના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ.જકાત નાકા નજીક ૧૦૦થી વધુ સફાઈ કામદારોએ એકત્રિત થઈ રાજુલા–અમરેલી રોડ ચક્કાજામ કર્યો હતો.અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા આઠ દિવસથી સફાઈ કામદારો પોતાની વિવિધ માગણીઓને લઈને ધરણા પર બેઠા છે. નગરપાલિકામાં સફાઈ કામદારોને ૧૫-૧૫ દિવસની શિફ્ટ પર રાખવામાં આવે છે, જેને બંધ કરી લાંબા સમયથી કામ કરતા કર્મચારીને કાયમી નોકરી આપવામાં આવે તેવી માગ છે. રાજુલાના સફાઈ કામદારો પોતાની માગને લઈને અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સફાઈ કામદારો છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠા…
બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા; ૪૫૨ મત મળ્યા.સી.પી રાધાકૃષ્ણન બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ.તેમણે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને હરાવી દીધા છે.ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણને શાનદાર વિજય મેળવ્યો છે. NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન કુલ ૪૫૨ મતો સાથે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને હરાવી દીધા છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૭૬૭ સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી દરમિયાન ૭૫૨ મતો માન્ય ગણાયા હતા, જ્યારે ૧૫…
સોનાનો વાયદો રૂ.1,09,500ની નવી ટોચેઃ ચાંદીના વાયદામાં રૂ.246 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.48ની તેજી કોમોડિટી વાયદાઓમાં રૂ.22119 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.100405 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18622 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25444 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.122526.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22119.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.100405.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25444 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1338.74 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18622.96 કરોડનાં કામકાજ થયાં…
યુક્રેન યુદ્ધ પૂર્વે ભારત રશિયા પાસેથી બહું ઓઈલ ખરીદતું નહીં હોવાનો દાવા. રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદે છે તે બ્લડ મની છે: નવારોનો વધુ એક લવારા.યુ.એસ.ના કરદાતાઓ વધુ ખર્ચ કરી રહ્યા છે. ભારત સત્ય સહન કરી શકતું નથી અને ગેરમાર્ગે દોરી રહ્યું છે.ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવતા ઓઈલથી અમેરિકાના પેટમાં ઉપડેલો દુ:ખાવો મટવાનું નામ નથી લઈ રહ્યો. રશિયન ઓઈલની ખરીદી બદલ ભારત પર ૫૦ ટકાનો જંગી ટેરિફ લાદ્યા પછી પણ અમેરિકાની પીડા ઓછી નથી થઈ રહી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વેપાર સલાહકાર પીટર નવારો વારંવાર આ મામલે એલફેલ નિવેદનો કરી રહ્યાં છે. નવારોએ આ મામલે કરેલાં વધુ…
ચીન-જાપાન સાથે ભારતની ધરી જાેઇ યુક્રેનના પ્રમુખે ચાલ બદલી.ભારત પર ટેરિફ લાદીને અમેરિકાએ બરોબર કર્યું છે: ઝેલેન્સ્કીનો યુ-ટર્ન.ભારત વિરોધી નિવેદનથી બંને દેશોના સંબધોમાં કડવાશ આવશે: અમેરિકાની ટેરિફ નીતિનું સમર્થન કર્યુ.યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં સૌ કોઈ શાંતિ ઝંખી રહ્યું છે, પરંતુ યુદ્ધવિરામના કોઈ સંકેત સાંપડી રહ્યા છે. આ મામલામાં પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરતા હતા. પરંતુ, શાંઘાઇ સહયોગ સંગઠન(એસસીઓ)ની સમિટમાં રશિયા, ચીન અને ભારતની ત્રિપુટી જાેયા પછી ઝેલેન્સ્કી ખુલીને હવે અમેરિકાના સમર્થનમાં આવી ગયા છે. ઝેલેન્સ્કીએ પહેલીવાર ભારત અંગે એવુ નિવેદન આપ્યું છે કે જેનાથી બંને દેશોના કૂટનીતિક સંબંધોમાં કડવાશ લાવી દેશે. ઝેલેન્સ્કીએ અમેરિકાના…
સોશિયલ મીડિયા ફરી શરૂ થયા.૧૯ના મોત બાદ GEN-Zના વિરોધ સામે ઝૂકી નેપાળ સરકાર.નેપાળના સંચાર, સૂચના અને પ્રસારણ પ્રધાન પૃથ્વી સુબ્બા ગુરુંગે જાહેરાત કરી હતી કે સરકારની કેબિનેટ બેઠક બાદ સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો ર્નિણય પાછો ખેંચ્યો છે.ભારતના પાડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારે લગાવેલા પ્રતિબંધના વિરોધમાં હિંસક પ્રદર્શનોને કારણે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. હજારોની સંખ્યામાં GEN-Z યુવાનો રાજધાની કાઠમંડુના માર્ગાે પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓ છેક નેપાળના સંસદ ભવનના પરિસરમાં પહોંચી ગયા હતા અને ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે આંસુ ગેસના ગોળા ફેંક્યા હતા.વિરોધ પ્રદર્શનમાં લગભગ ૧૯ યુવાનોના મોત બાદ હવે સરકાર ઝૂકી છે અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



