Author: garvigujrat

અમેરિકામાં શટડાઉનની માઠી અસર ન્યૂયોર્ક, લોસ એન્જેલસ સહિત ૪૦ એરપોર્ટ પર સંચાલન ઠપ થશે! એરપોર્ટ અથવા અન્ય સુવિધાઓ પર નિયંત્રકોની અછતને કારણે FAA પહેલાથી જ ઘણી વખત ફ્લાઇટ્સ મોડી પાડી ચૂક્યું છે અમેરિકામાં સરકારી શટડાઉન બીજા મહિનામાં પ્રવેશી ગયું છે, જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલર્સની અછતને કારણે એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં વિલંબ હજુ શરૂ છે. શટડાઉનના કારણે શુક્રવારથી ન્યૂ યોર્ક, લૉસ એન્જેલસ અને શિકાગો સહિત લગભગ ૪૦ અમેરિકન એરપોર્ટ પર ફ્લાઇટ્સ બંધ થઈ જશે.એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતી જાળવવા માટે તે ૪૦ મુખ્ય એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ઘટાડવામાં આવશે. હ્લછછ એ એર ટ્રાફિક…

Read More

મમદાની મેયર પદે ચૂંટાઈ આવતા ટ્રમ્પે જાહેરમાં બળાપો કાઢ્યો મમદાનીનો વિજય ન્યૂયોર્ક માટે આર્થિક-સામાજિક હોનારત: ટ્રમ્પ અમેરિકનોએ કોમનસેન્સ અને કમ્યુનિઝમ બંનેમાંથી એકની પસંદગી કરવાનો સમય આવી ગયો છે: ટ્રમ્પ અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીએ વિજય મેળવતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રીતસરનો બળાપો કાઢ્યો છે. ટ્રમ્પનો ધૂંધવાટ એટલો બધો હતો કે તે મમદાનીનું નામ બોલવા પણ માંગતો ન હતો. તેણે આક્રોશભર્યા સ્વરે જણાવ્યું હતું કે અમેરિકનોએ કોમન સેન્સ એ કમ્યુનિઝમ બંનેમાંથી એકની પસંદગી કરવાનો સમય આવી ગયો છે.અમેરિકાની ધરતી પર કમ્યુનિઝમને હું કોઈપણ રીતે ફેલાવવા નહીં દઉ. જાે કે ટ્રમ્પના આકાશપાતાળ એક કરવા છતાં ૩૪ વર્ષના મમદાની શહેરના…

Read More

ખુશી સાથે કરિશ્મા તન્ના સ્ક્રીન શેર કરશે ખુશીએ મમ્મી શ્રીદેવીની મોમ ફિલ્મની સીકવલનું શૂટિંગ શરુ કર્યું શ્રીદેવીની અંતિમ યાદગીરી સમાન છેલ્લી ફિલ્મની સીકવલમાં ખુશીની પસંદગીથી ચાહકો નાખુશ થયાં. શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘મોમ‘ની સીકવલનું શૂટિંગ શરુ થઈ ગયું છે. ફિલ્મમાં ખુશી મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કરિશ્મા તન્ના પણ તેની સાથે સ્ક્રીન શેર કરી રહી છે. જાેકે, શ્રીદેવીના ચાહકો ખુશીની પસંદગીથી નાખુશ છે. ખુશી ‘આર્ચીઝ’ કે ‘નાદાનિયાં’ જેવી ફિલ્મો દ્વારા એક્ટિંગમાં વામણી પુરવાર થઈ ચૂકી છે. ચાહકોને ડર છે કે શ્રીદેવીની અંતિમ યાદગીરી સમાન ફિલ્મની સીકવલમાં ખુશીની કંગાળ એક્ટિંગ આગલી ફિલ્મની ગુડવિલને પણ નુકસાન પહોંચાડશે. સંખ્યાબંધ ચાહકો સોશિયલ મીડિયા પર આ…

Read More

ચિરંજિવી ભગવાન પરશુરામના જીવન પર આધારીત ફિલ્મ ‘મહાવતાર’ માટે વિકી કૌશલ અને અમર કૌશિક શાકાહારી બનશે. ‘સ્ત્રી ૨’ ફિલ્મ ડિરેક્ટ કરનાર મેડોકના ડિરેક્ટર અમર કૌશિક ‘મહાવતાર’ નામની ફિલ્મ કરી રહ્યા છે દિનેશ વિજાન સાથે વિકી કૌશલની ‘છાવા’ને ઐતિહાસિક સફળતા મળ્યા પછી તે મેડોક સાથે બીજી એક ઐતિહાસિક ફિલ્મ કરવા જઈ રહ્યો છે. ‘સ્ત્રી ૨’ ફિલ્મ ડિરેક્ટ કરનાર મેડોકના ડિરેક્ટર અમર કૌશિક ‘મહાવતાર’ નામની ફિલ્મ કરી રહ્યા છે, જે ચિરંજિવી ભગવાન પરશુરામના જીવન પર આધારીત ફિલ્મ છે. હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ જાેરશોરથી ચાલી રહ્યું છે, મેડોક આ ફિલ્મ અકલ્પનીય સ્તરે મોટી બનાવવા માગે છે. હવે એવા અહેવાલો છે કે આ…

Read More

શિક્ષણ અતિશય મોંઘું થઈ ગયું છે : ફરાહ ખાન ૩ બાળકોને મોંધી કોલેજમાં મોકલવા માટે યૂટ્યુબનું કામ શરૂ કરવું પડ્યું ફરાહ ખાન પોતાના કૂક દીલિપ સાથે વિવિધ સેલેબ્રિટીના ઘેર જઈને અલગ અલગ વાનગીઓ બનાવે છે. ફરાહ ખાને એક કોરિયોગ્રાફર તરીકે કૅરિઅરની શરૂઆત કરી હતી, પછી તે ફિલ્મ ડિરેક્ટર બની અને હવે તે એક યૂટ્યુબર બની છે. તે પોતાના કૂક દીલિપ સાથે વિવિધ સેલેબ્રિટીના ઘેર જઈને અલગ અલગ વાનગીઓ બનાવે છે અને તેમને ત્યાં પોતે બનાવેલી વાનગીઓ પણ લઈને જાય છે. તાજેતરમાં ફરાહ ખાન કાજાેલ અને ટ્વિંકલના ઓટીટી શો પર આવી હતી. તેણે પોતાની યૂટ્યુબ સફર વિશે આ શો પર વાત…

Read More

આ ફિલ્મમાં વરુણનો નવો અવતાર જાેવા મળશે ‘બોર્ડર ૨’માં વરુણ ધવનનો પહેલો લૂક જાહેર કરાયો ‘બોર્ડર ૨’ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬એ રિલીઝ થશે. આ પહેલાં લોંચ થયેલાં સની દેઓલના ફર્સ્ટ લૂકને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો બોર્ડર ૨ની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ વિશે ઉત્સુકતા છે. હવે આ ફિલ્મમાંથી વરુણ ધવનના ફર્સ્ટ લૂકનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, આ ફિલ્મમાં વરુણનો નવો અવતાર જાેવા મળશે, તે ભારતની સૌથી મોટી વૉર ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. ‘બોર્ડર ૨’ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬એ રિલીઝ થશે. આ પહેલાં લોંચ થયેલાં સની દેઓલના ફર્સ્ટ લૂકને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. પોસ્ટરમાં, વરુણ ધવન યુદ્ધના મેદાનમાં…

Read More

સોનાના વાયદામાં રૂ.506 અને ચાંદીના વાયદામાં રૂ.1,799ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.72નો સુધારોકોટનના વાયદામાં રૂ.440ની નરમાઇઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.18787.23 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84172.86 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14687.86 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28550 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.102969.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18787.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.84172.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.1.97 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.7.26 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 28550 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો…

Read More

બ્રાઝિલની યુવતીએ પ્રતિક્રિયા આપી મારે ભારતની રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી સાચું કહું તો, હું ક્યારેય ભારત આવી પણ નથી, હું પહેલા મોડેલ હતી, હવે ડિજિટલ ઇન્ફ્લુએન્સર છું : બ્રાઝિલિયન મોડેલ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને ફરી એકવાર ચૂંટણી પંચના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણાની મતદાર યાદીમાં ૨૫ લાખ બોગસ નામ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હરિયાણામાં બ્રાઝિલની એક મોડેલે ૨૨ વખત મતદાન કર્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ મોડેલનું નામ આખરે હરિયાણાની મતદાર યાદીમાં ક્યાંથી આવ્યું.…

Read More

ભક્તિમય બન્યું વાતાવરણ પ્રેમાનંદજીના દરબારમાં કચ્છી કોયલ કંઠી ગીતા રબારીએ લલકાર્યું ભજન ગાયિકાનાં ભજનથી પ્રેમાનંદજી મહારાજ ભાવ વિભોર પોતાની આગવી ઓળખ અને સુરીલા અવાજથી ગુજરાતભરમાં લોકપ્રિય બનેલા લોક ગાયિકા ગીતા રબારી હાલમાં ધાર્મિક યાત્રા પર છે. તેઓ હાલમાં ગોકુલ, મથુરા અને વૃંદાવનની યાત્રા કરી રહ્યા છે, જે દરમિયાન તેમણે એક ખાસ જગ્યાએ હાજરી આપી અને ભજન ગાયું હતું. ગીતા રબારીએ વૃંદાવનમાં મહારાજ પ્રેમાનંદજીના દરબારમાં ખાસ ઉપસ્થિતિ આપી હતી. પ્રેમાનંદજી મહારાજની ભાવભક્તિ અને સાત્વિકતાથી પ્રભાવિત થઈને, કચ્છી કોયલ કંઠી તરીકે જાણીતા ગીતા રબારીએ તેમના દરબારમાં એક સુંદર ભજન ગાયું હતું. ગુજરાતી ગાયિકા ગીતા રબારીના કંઠે ગવાયેલું આ ભજન એટલું મધુર અને…

Read More

પ્રિયંકા ગાંધીએ કહ્યું, “ત્રણ વર્ષમાં ૨૭ પુલ પડ્યા” જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી પીએમ મોદીએ અરરિયામાં રેલી યોજી હતી, જ્યારે પ્રિયંકા ગાંધીએ મોતીહારીમાં એક સભાને સંબોધિત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે બિહારના અરરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મહાગઠબંધન પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ૧૫ વર્ષના જંગલ રાજે બિહારને બરબાદ કરી દીધું છે. એક પણ પુલ બન્યો નથી. પીએમ મોદીના હુમલાનો જવાબ આપતા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, ત્રણ વર્ષમાં બિહારમાં ૨૭ પુલ તૂટી પડ્યા છે. જણાવી દઈએ કે, પ્રિયંકાએ મોતીહારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે આ નિવેદન…

Read More