Author: Garvi Gujarat

રાજકુમાર રાવ, સાન્યાની.રાજકુમાર રાવ, સાન્યાની.ફિલ્મમાં અર્ચના પુરણ સિંહ, અભિષેક બેનર્જી, ફરાહ ખાન, ઉપેન્દ્ર લિમયે, વિનોદ રાવત અને સીમા પાહવા હશે.નેટફ્લિક્સે તેની આવનારી ડાર્ક કોમેડી ફિલ્મ ‘ટોસ્ટર’ની જાહેરાત કરી છે, જે એક સામાન્ય વસ્તુને કેન્દ્રમાં રાખીને સર્જાતી અણધારી અને હાસ્યાસ્પદ ઘટનાઓની ચેઇન દર્શાવે છે. ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સ્ટ્રીમ થનાર આ ફિલ્મની વાર્તા એક નાની લાગતી પરિસ્થિતિથી શરૂ થાય છે — એક લગ્ન ભેટ, જે લગ્ન તૂટી ગયા પછી પણ ભૂલાઈ નથી. ફિલ્મનું ડિરેક્શન વિવેક દાસ ચૌધરીએ કર્યું છે અને આ પત્રલેખા માટે પણ પ્રોડ્યુસર તરીકે આ ફિલ્મ મહત્વની છે, જેણે પોતાની કંપની કામ્પા ફિલમ્સ સાથે આ પ્રોજેક્ટ શરૂ કર્યાે છે.…

Read More

તમને મજાક સુઝે છે ?.બોમન ઈરાનીના ટ્રમ્પની મજાકનાં વીડિયોથી અભિનેત્રી ભડકી.ઈરાનમાં વર્ષાેથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ફાંસી, ધરપકડ ચાલી રહી છે : મંદાના કરીમી.ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બોલિવૂડ અભિનેતા બોમન ઈરાની પોતાના પોસ્ટ કરેલા એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ‘ઈરાનીઓ’ના સાથે સંપર્કમાં છે અને શાંતિ વાટાઘાટો ચાલી રહી છે. આ નિવેદન પછી ટ્રમ્પને ટ્રોલનો સામનો કરવો પડ્યો.આ બધા વચ્ચે એક વાઈરલ પોસ્ટ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પ કદાચ અણા ઈરાની, સ્મૃતિ ઈરાની અને બોમન ઈરાની જેવી ભારતીય હસ્તીઓનો ઉલ્લેખ કરી રહ્યા હશે! હવે,…

Read More

સાંપ્રત સમયમાં કોઈ પણ મિડિયા પર અત્યારે‌ સંભવિત યુદ્ધનાં સમાચારો અને એની સાથે જોડાયેલી અફવાનું બજાર ગરમ છે! અને એટલે આવી ખોટી અફવા ફેલાય નહીં, એટલે સરકારે સોશિયલ મીડિયા પર યુદ્ધને લગતાં કોઈપણ પ્રકારનાં સમાચાર પર પ્રતિબંધ મુકી દીધો છે!; સરકારે તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારે નહીં, અને આમ જનતાના ફાયદા માટે પેટ્રોલ ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટી ઘટાડી દીધી! જ્યારે અન્ય દેશોમાં ભાવ વધારો ઝીંકાયો છે! રાંધણ ગેસ એટલે કે એલપીજીનાં વિકલ્પ તરીકે પીએનજી કનેક્શન વધારવા માટેની જોગવાઇ પણ શરૂ કરાઈ છે. જોકે આપણે એમાં પણ જવું નથી, પરંતુ મૂળમાં આ પરિસ્થિતિનું કારણ શું છે? એ જોઈએ તો! ઈરાન…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) દેશભરની જેલોમાં જેલની ક્ષમતા કરતાં વધુ કેદીઓની સંખ્યા અને અમાનવીય સ્થિતિ અંગે કડક વલણ અપનાવી ને સુપ્રીમ કોર્ટે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૮ મે,૨૦૨૬ સુધી જેલો અંગેની સર્વગ્રાહી તાજી માહિતી સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે મહિલા જેલોની સંખ્યા અને તેમના માટે ઉપલબ્ધ સુવિધા અંગેની પણ માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટે જેલોમાં અમાનવીય સ્થિતિ અંગે સુઓ-મોટો કેસની સુનાવણી કરતાં આ આદેશ જારી કર્યો હતો. આ કેસમાં એમિકલ ક્યુરી( ભાવનાત્મક ઉપચાર, ભાવનાત્મક તણાવ, ચિંતા અથવા ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે થાય છે.) તરીકે કોર્ટને મદદ કરી રહેલા સિનિયર એડવોકેટ ગૌરવ અગ્રવાલે ધ્યાન દોર્યું હતું કે…

Read More

સોનાના વાયદામાં રૂ.2095, ચાંદીના વાયદામાં રૂ.2597 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.202ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.30485.88 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67504.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22627.92 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34433 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.97992.94 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30485.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.67504.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 34433 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2684.62 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22627.92 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.140287ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.142800 અને નીચામાં…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે જુનાગઢ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં આયોજિત જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. આ બેઠકમાં ભેંસાણની સહકારી મંડળીઓ સહિતના અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવી. જે ખેડૂતોને લોન મળવા પાત્ર નથી એ ખેડૂતોના ખાતામાં મોટા રૂપિયા નાખવામાં આવ્યા તો તેની તપાસ ક્યાં સુધી પહોંચી અને FIR થઈ છે કે નહીં અને કોર્ટમાં કેસ ક્યાં સુધી પહોંચ્યો એ મુદ્દે પણ ચર્ચા થઈ. જે ખેડૂતોએ મંડળીઓમાં થાપાણો જમા કરાવી છે એ પાછી ક્યારે…

Read More

અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભામાં ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તેમજ જનરલ બોડીના મંત્રી મનીષાબેન મુરારકા અને સામાજિક આગેવાન ગોવિંદભાઈ ગોસ્વામી આજે 200થી વધુ મહિલા કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યુ હતુ. આથી પરિવર્તનની આ લહેર હવે અટકશે નહીં તેવી પ્રબળ રાજકીય સંકેત મળ્યો છે. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકો તથા કાર્યકરોના સપનાઓને તોડી નાખ્યા છે. કોઈપણ કાર્યકર જ્યારે…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ઇસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા, ઇસ્ટ ઝોન સંગઠન મંત્રી નરેશ બારીયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દાહોદ તથા આસપાસના વિસ્તારના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં તમામ જાતિ-ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા…

Read More

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર.૨૯ માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-૨ પરથી ઉડાન ભરશે.એરલાઈનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન તો અગાઉથી જ ટર્મિનલ-૨ પરથી થઈ રહ્યું છે.એર ઈન્ડિયાએ આજે(૨૭ માર્ચ) જાહેરાત કરી છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કામગીરી ૨૯ માર્ચ, ૨૦૨૬થી ટર્મિનલ-૧ પરથી ટર્મિનલ-૨ પર સ્થાનાંતરિત કરવામાં આવશે. આ ફેરફારમાં અમદાવાદથી આવતી-જતી એર ઈન્ડિયાની સાપ્તાહિક ૨૧૦ ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, એરલાઈનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન તો અગાઉથી જ ટર્મિનલ-૨ પરથી થઈ રહ્યું છે, હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ત્યાંથી જ ઓપરેટ થશે. ૨૯ માર્ચથી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન ફક્ત…

Read More

સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા.BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો.મ્યુનિ. કમિશનરે સ્થળ પર જ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત વાહનચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી પાઠ ભણાવ્યો.સુરત મ્યુનિ. કમિશનર દ્વારા વિવિધ ઝોનમાં સરપ્રાઈઝ વિઝીટ કરી સફાઈ અભિયાન કરી રહ્યાં છે તે દરમિયાન માટે પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના BRTS કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જાેવા મળ્યા હતા. મ્યુનિ. કમિશનરે સ્થળ પર જ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત વાહનચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી પાઠ ભણાવ્યો હતો. BRTS કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાથી જાહેર પરિવહન વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતની શક્યતા વધે છે. હવે પછી જાે…

Read More