Author: Garvi Gujarat

અમદાવાદના મુખ્યાલય ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલના કાર્યાલયના સહાયક નિયામક (પોસ્ટલ સર્વિસીસ) શ્રી અલ્પેશ આર. શાહે પ્રથમ ઓલ ઈન્ડિયા પોસ્ટલ પેરા સ્પોર્ટ્સ મીટમાં ગુજરાત પોસ્ટલ સર્કલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધા પોસ્ટ વિભાગ દ્વારા 27-28 ફેબ્રુઆરી, 2026 ના રોજ દુર્ગમાં છત્તીસગઢ પોસ્ટલ સર્કલના સહયોગથી યોજાઈ હતી. ઉત્તમ રમતગમત અને નિશ્ચય દર્શાવતા, શ્રી શાહે આ કાર્યક્રમમાં ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. દેશભરના વિવિધ પોસ્ટલ સર્કલનું પ્રતિનિધિત્વ કરતા પોસ્ટલ કર્મચારીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગુજરાત સર્કલના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ અને અમદાવાદના મુખ્યાલય ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલે શ્રી શાહને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાત પોસ્ટલ સર્કલને ગૌરવ અપાવવા માટેના તેમના સમર્પણ અને પ્રયાસોની…

Read More

ક્રિકેટ ફિવરમાં રેલવે વિભાગનો માસ્ટર પ્લાન T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન દોડશે રેલવે વિભાગ દ્વારા ૭થી૯ માર્ચ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આ મેચ જાેવા માટે સમગ્ર દેશમાંથી દર્શકો અમદાવાદ આવી પહોંચશે. ત્યારે દર્શકોને અમદાવાદ આવવા માટે ટ્રાન્સપોર્ટેશન અંગે કોઈ તકલીફ ના રહે તે માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.રેલવે વિભાગ દ્વારા ૭થી૯ માર્ચ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. તેજસ અને AC સુપરફાસ્ટ ટ્રેનોની સુવિધા…

Read More

સરકારે ઇંધણની અછતનો કર્યો ઇન્કાર જૂનાગઢના અજાબ ગામે પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાની અફવા ફેલાઇ સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી પાયાવિહોણી વાતોને સાચી માનીને લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા જૂનાગઢના અજાબ ગામે આજે અચાનક પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાની અફવા ફેલાતા ગભરાટભર્યો માહોલ જાેવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી પાયાવિહોણી વાતોને સાચી માનીને લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે પેટ્રોલ પંપ પર એક કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી ગઈ હતી, જેમાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને અને રિક્ષાચાલકો પોતાના વાહનોમાં ડીઝલ ભરાવવા માટે કલાકો…

Read More

યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન ઈરાન સાથે બિનશરતી શરણાગતિ સિવાય કોઈપણ ડીલ નહીં થાય ટ્રમ્પે કહ્યું કે, સહયોગ દ્વારા ઈરાનને આર્થિક રીતે પહેલા કરતા વધુ મોટું, સારું અને મજબૂત બનાવવામાં આવશે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન સાથે બિનશરતી શરણાગતિ સિવાય અન્ય કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ઈરાન સાથે બિનશરતી શરણાગતિ સિવાય કોઈ ડીલ નહીં થાય. એકવાર ઈરાન આ શરત સ્વીકારે અને ત્યાં એક મહાન અને સ્વીકાર્ય નેતૃત્વની પસંદગી થાય, ત્યારબાદ અમેરિકા તેના સાથી દેશો સાથે મળીને ઈરાનને…

Read More

આંધ્ર પ્રદેશમાં NDA ની સરકાર લાવી બેબી પોલિસી એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ પોલિસી હેઠળ બીજું કે ત્રીજું બાળક પેદા કરનાર પરિવારોને સરકાર આર્થિક પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપશે. ભારતભરમાં દાયકાઓથી હમ દો, હમારે દોનો નારો ગુંજતો રહ્યો છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં હવે ચિત્ર બદલાવા જઈ રહ્યું છે. રાજ્યની ઘટતી જતી યુવા વસ્તી અને પ્રજનન દરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકાર એક બેબી પોલિસી લાવી રહી છે. આ પોલિસી હેઠળ બીજું કે ત્રીજું બાળક પેદા કરનાર પરિવારોને સરકાર આર્થિક પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપશે. માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં આ પોલિસીને અંતિમ ઓપ આપી પહેલી એપ્રિલથી…

Read More

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારની જાહેરાત ૧૩ વર્ષથી હું ધારાસભ્ય છું, હવે બીજાને તક મળવી જાેઈએવડોદરામાં ધારાસભ્ય કેતન ઈનામદારે મોટી જાહેરાત કરતા કહ્યું , હું ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણી નહીં લડું મધ્ય ગુજરાતમાં ભાજપના આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવતા ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર જૂનો રાગ આલાપ્યો છે. તેઓએ ફરી એકવાર ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પણ કેતન ઈનામદારે આ જ શબ્દો કહ્યા હતા, હવે જાેવું એ રહ્યું કે, તેઓ પોતાના કહ્યા બોલ પાળે છે કે નહિ, અને કેતન ઈનામદારની વાતમાં કેટલી ઈમાનદારી છે. બરોડા ડેરી મુદ્દે સાવલીના કેતન ફાર્મ ખાતે…

Read More

ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ રશિયા પાસેથી તેલ ખરીદવા ભારતને ૩૦ દિવસની મળી સ્પેશિયલ છૂટઆ છૂટથી સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ ટેન્કરોને રાહત ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેલનો પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આ જ કારણ છે કે, આગામી ૩૦ દિવસ સુધી, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી, ભારત ઈરાનને બદલે રશિયા પાસેથી તેલ ખરીદશે. આ છૂટ અમેરિકા દ્વારા પણ આપવામાં આવી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું હતું. આ સંઘર્ષ ધીમે ધીમે વધી રહ્યો છે. આ કારણે ઈરાને ભારત સહિત વિશ્વભરમાં તેલનો પુરવઠો…

Read More

૩૧ માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફરઅમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહતઇન્ડિગોએ મધ્ય પૂર્વ અને ઇસ્તંબુલની ફ્લાઇટ્સ પર ફ્રી વેવર અને ફ્લેક્સેબિલિટી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવી ઇન્ડિગોએ મધ્ય પૂર્વ અને ઇસ્તંબુલની ફ્લાઇટ્સ પર ફ્રી વેવર અને ફ્લેક્સેબિલિટી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવી છે. ઈરાન-યુએસ-ઇઝરાયલ યુદ્ધ અને સુરક્ષા ચિંતાઓને કારણે મધ્ય પૂર્વના હવાઈ ક્ષેત્રના સતત બંધ થવાને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. એરલાઇને જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ અને ઇસ્તંબુલ જતી ફ્લાઇટ્સ કેન્સલ થતાં ફુલ વેવર ઓને કેંન્સેલેશન આપવામાં આવ્યું છે અને ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી લાગૂ રહેશે, આ નીતિ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ…

Read More

મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છેમિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે જાેખમરૂપ : સંરક્ષણ મંત્રી મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભીષણ તણાવ પર ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. કોલકાતામાં આયોજિત મેરિટાઈમ સમિટ “સાગર સંકલ્પ”ને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત અસામાન્ય છે અને આ સંઘર્ષના પરિણામોની આગાહી કરવી હાલ મુશ્કેલ છે. ચેતવણી આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, મિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદો પૂરતો…

Read More

ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશુંરાયસીના સંવાદ ૨૦૨૬માં વક્તા તરીકે હાજર રહેલા ખતીબઝાદેહે વર્તમાન યુદ્ધની સ્થિતિ પર ટિપ્પણી કરી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઈરાનના વિદેશ બાબતોના ઉપ-મંત્રી ડૉ. સઈદ ખતીબઝાદેહ ભારતની મુલાકાતે છે. દિલ્હીમાં આયોજિત રાયસીના સંવાદ ૨૦૨૬માં વક્તા તરીકે હાજર રહેલા ખતીબઝાદેહે વર્તમાન યુદ્ધની સ્થિતિ પર ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચેની સભ્યતાના મૂળ એકબીજા સાથે જાેડાયેલા છે અને ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે. જાેકે, વર્તમાન સંઘર્ષ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકાએ ઈરાનના અસ્તિત્વને જ સમાપ્ત કરવાનો ર્નિણય કરી…

Read More