Author: garvigujrat

રામ મંદિર દાન ચોરી મામલે એલાન અયોધ્યા જઈને કેસ કરીશ, દિગ્વિજય સિંહનું એલાન મહિલા કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિરના દાનમાં ચોરીનો આરોપ લગાવ્યો મહિલા કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં સામેલ થયેલા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિર આંદોલન અને દાન મુદ્દે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “હનુમાન ગઢી અને ગોરખનાથ મઠે રામ મંદિરની લડાઈ લડી હતી. ન તો ત્યારે ત્યાં RSS હતું અને ન તો ત્યારે ત્યાં BJP પાર્ટી હતી. ભગવાન રામ પ્રત્યે તેમનો પ્રેમ ત્યારે જાગ્યો જ્યારે તેમના માત્ર ૨ સાંસદો બચ્યા હતા.” તેમણે આગળ કહ્યું કે, “આ લોકો ધર્મને વેચીને પોતાની કમાણી કરે…

Read More

ધ્રુવ રાઠીના ફૈંડ્ઢઈર્ં અંગે દિલ્હી હાઇકોર્ટનું કડક વલણ લાગણી દુભાવતા કન્ટેન્ટ નહીં ચલાવી લેવાય…‘ વિવાદાસ્પદ વીડિયો મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની ગ્રીવન્સ એપેલેટ કમિટી ને ૧૫ દિવસમાં ર્નિણય લેવા આદેશ આપ્યો યુટ્યુબર ધ્રુવ રાઠીના એક વિવાદાસ્પદ વીડિયોને લઈને દિલ્હી હાઇકોર્ટે મોટો આદેશ જાહેર કર્યો છે. અદાલતે કેન્દ્ર સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી(GAC – ફરિયાદ અપીલીય સમિતિ)ને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરતી અપીલ પર આગામી ૧૫ દિવસની અંદર પોતાનો આખરી ર્નિણય સંભળાવે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે કોર્ટના આ આદેશની કોઈપણ પ્રકારની અવગણનાને ગંભીરતાથી લેવામાં આવશે. આ સમગ્ર વિવાદ ધ્રુવ રાઠી…

Read More

ગુજરાતમાં આતંકી નેટવર્કની કોશિશ નિષ્ફળ ATS ના હાથે જૈશ-એ-મોહમ્મદના આઠ આતંકવાદીઓ ઝડપાઈ ગયા ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓ ઝડપાયા : આરોપીઓ પોતાનું સક્રિય નેટવર્ક ઊભું કરવાનું કામ કરી રહ્યા હતા ગુજરાત ATS ને એક સૌથી મોટી સફળતા મેળવી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા ૮ ખતરનાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકવાદીઓ કામગીરી કરી રહ્યા હતાં. ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે…

Read More

સેમસનની ફ્લોપ ઈનિંગ્સ બાદ વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી પર દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન ‘વૈભવ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને ભવિષ્યમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સારું રમશે : દિનેશ કાર્તિક ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં સંજૂ સેમસન ફરી સસ્તામાં આઉટ થતાં તેની નબળી ફોર્મ પર સવાલો ઊભા થયા છે. તે સતત ત્રણ ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હોવાથી, હવે ૧૫ વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવાની માંગ તેજ બની છે. જાેકે, પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકનું માનવું છે કે, ટીમ ઈન્ડિયાએ ઉતાવળ ન કરવી જાેઈએ.દિનેશ કાર્તિકે ‘ક્રિકબઝ’ પર જણાવ્યું કે, ‘સંજૂ સેમસન સતત ત્રણ મેચમાં નિષ્ફળ ગયો હોવાથી વૈભવ સૂર્યવંશીને રમાડવાની માંગ યોગ્ય…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત          સુરતના જાણીતા લોકપ્રિય જ્યોતિષાચાર્ય રાજુ મહારાજને દેશના પાટનગર નવી દિલ્હી ખાતે બેસ્ટ જ્યોતિષાચાર્યનો એવોર્ડ આપવામાં આવેલ છે. સુરત અને ગુજરાત અને મહારાષ્ટ્ર અને જુદા જુદા શહેરોમાં અનેક શિષ્યો ધરાવતા રાજુ મહારાજ જ્યોતિષશાસ્ત્રમાં નિપૂણ છે. તેઓની સલાહ અને માર્ગદર્શનથી અનેક પરિવારો સુખભેર જિંદગી જીવી રહ્યા છે.            શાંત અને સરળ સ્વભાવ વાળા રાજુ મહારાજને મળતા લોકોમાં આનંદ અને ઉત્સાહ વધી જાય છે. તેઓના માર્ગદર્શન અને જ્યોતિષશાસ્ત્રના પ્રતાપે લોકોના દુઃખ દર્દ મટી જાય છે. તેઓને બેસ્ટ જ્યોતિષાચાર્ય તરીકેનો એવોર્ડ મળતા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રમુખ જાણીતા સામાજિક કાર્યકર ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ મેવાડા, મહામંત્રી સઈદુદ્દીન શેખ, મહામંત્રી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા)          પોલીસ બંદોબસ્ત માટેની અરજી પોલીસ કમિશનર સુધી મંજૂરી માટે જાય છે ત્યારે નાસીર નગર ડિમોલિશનની બંદોબસ્તની ફાઈલ પોલીસ કમિશનર સુધી પહોંચી કે નહીં?   સામાન્ય રીતે ડિમોલિશનના જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. તો નાસીર નગર માટે SOG નો સ્પેશિયલ બંદોબસ્ત કેમ?        ખરેખર મહાનગરપાલિકા કમિશનર અજાણ હતા તો પછી ખોટા નિવેદનો કેમ આપ્યા? સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરની કે ઝોન ચીફની મંજૂરી વગર દોડી જાય એ એટલા મૂર્ખ તો નથી જ.

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.        સુરતના નાસીનગરમાં થયેલા ભુતિયા ડિમોલિશનનો મામલો હવે જ્યારે ટોક ઓફ ધ ટાઉન બનીને ચર્ચાસ્પદ બની રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટની આંખોમાં ધૂળ નાંખવાની મેલી મુરાદનો પર્દાફાશ થઈ રહ્યો છે. અને સૌથી મહત્વનો એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, જે ડિમોલિશન કરાયું હતું એ કોના આદેશોથી કરાયું હતું? એનો આજ દિન સુધી કોઈ યોગ્ય અને સચોટ જવાબ SMC અધિકારીઓ કે પોલીસ ખાતાના કોઈ ઉચ્ચ અધિકારીઓ આપી શક્યા નથી.           ત્યારે સૌ પ્રથમ સવાલ થાય કે લશ્કર ને ક્યાં લડવા મોકલવુ? એ સેનાપતિએ નક્કી કરવાનું હોય…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત            વિશ્વની ચોથી જાગીર ગણાતું પત્રકારત્વ જગત આજે જાણે કે ભયજનક સ્થિતિમાં આવી ગયું  હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પત્રકારત્વ જગત સાથે જોડાયેલી વ્યક્તિ એટલે પત્રકાર. જેનું કામ છે પ્રજાની સમસ્યાઓને વાચા આપવી, પ્રજાને થતા અન્યાય સામે નિર્ભય અને નીડરતાપૂર્વક અખબારી માધ્યમથી સરકારનું ધ્યાન દોરવું. જે દુષણો છે તેમાં દારૂ અને જુગાર તેમજ અનૈતિક ધંધા, ડ્રગ્સ, ગાંજો, ચરસ, એમ.ડી ડ્રગ્સ વિગેરે ધંધાઓ એ માનવ જગતમાં બરબાદી નોતરી છે. આવા કૃત્યોને બહાર પાડવા એ સાચા પ્રમાણિત અને નિષ્ઠાવાન પત્રકારની ફરજ છે.               સમાજમાં ચાલતા અનૈતિક ધંધાઓને ઉજાગર કરી પોલીસને જાગૃત કરવી વિગેરે  કામ પત્રકારોનું છે. પત્રકાર એટલે…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા વીજપોલ સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આગામી 5 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ નેતૃત્વ, ખેડૂતો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ખેડૂતોના હકો માટે અવાજ ઉઠાવશે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય છે, હાલ ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર રીતે જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, તેની સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. જેતપરમાં ઘણા દિવસથી ખેડૂતો ઉપવાસ પર છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લોકશાહી ઢબે લડત લડી રહ્યા છે.…

Read More

હવે વાલીઓએ આપવો પડશે સાથ ! CBSE નો નવો નિયમ, ૨૦૨૬-૨૭ માટે નવું પેરેન્ટિંગ કેલેન્ડર લોન્ચ નવા કેલેન્ડરમાં એવી ઘણી બધી એક્ટિવિટી સામેલ કરવામાં આવી છે, જેમાં વાલીઓએ પોતે ઉત્સાહપૂર્વક ભાગ લેવો પડશે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ‘પેરેન્ટિંગ કેલેન્ડર’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી પહેલનો મુખ્ય હેતુ બાળકોને માત્ર ભણતર પૂરતા સીમિત રાખવાનો નથી, પરંતુ તેમનો માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ પણ મજબૂત કરવાનો છે. બોર્ડનું માનવું છે કે જ્યારે શાળા અને પરિવાર બંને સાથે મળીને બાળકો માટે કામ કરશે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધશે અને શીખવાની ક્ષમતા પણ વધુ સારી બનશે.સીબીએસઈના જણાવ્યા મુજબ,…

Read More