Author: garvigujrat

પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં હશે માલામાલ વીકલી ટુમાં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી પરિણીતિએ તેની કારકિર્દીની શરૂઆત ૨૦૧૧ંમાં કોમેડી ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’થી કરી હતી બોલિવુડની લોકપ્રિય કોમેડી ફિલ્મ ‘માલામાલ વીકલી’નો બીજાે ભાગ ‘માલામાલ વીકલી ટુ ‘બની રહ્યો છે. આ ફિલ્મમાં હિરોઇનો તરીકે રવિના ટંડન અને પરિણીતિ ચોપડાને સાઇન કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા માટે પરેશ રાવલને પણ સાઇન કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.રવિના અને પરિણીતિ બંને તેમના કોમિક ટાઇમિંગ માટે જાણીતી છે. રવિનાએ તો ‘અંદાઝ અપના અપના’થી માંડી હમણાં આવેલી ‘વેલકમ ટુ જંગલ’માં પણ કોમેડી કરી છે. જ્યારે પરિણીતિએ તો તેની…

Read More

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ વડાપ્રધાન પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં Gen Z અને યુવાનો વિશે વાત કરે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ એક ખાસ વિનંતી કરી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કોકરોચ જનતા પાર્ટી નવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. CJP ની કોર ટીમની બેઠક અભિજીત દીપકેના નિવાસસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યયોજનાને લઈને ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ દીપકેએ ૧૫ ઑગસ્ટના વડાપ્રધાનના ભાષણ અંગે પોતાની માંગ વ્યક્ત કરી. અભિજીત દીપકેએ કહ્યું, “૧૫ ઑગસ્ટ આવી રહ્યો છે. દર વર્ષે આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરે છે. અમારી…

Read More

PM મોદી સાથે દિગ્ગજ નેતાની મુલાકાત શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે મોદી સાથે મુલાકાત કરી પંજાબના રાજકીય વર્તુળોમાં ભાજપ અને અકાલી દળના પુન: ગઠબંધનને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે પંજાબ વિધાનસભા ચૂંટણીના આગમન પહેલાં રાજ્યની રાજનીતિમાં ભારે હલચલ જાેવા મળી રહી છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે શુક્રવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્ત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પંજાબના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ભાજપ અને અકાલી દળના પુન: ગઠબંધનને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. ખાસ કરીને ૨૦૨૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને અત્યંત સૂચક માનવામાં આવી…

Read More

ગૃહમંત્રી અને કેન્દ્ર સરકાર પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છે : પ્રિયંકા ગાંધી કોંગ્રેસે RSS પ્રમુખ મોહન ભાગવતના જેન ઝી નિવેદન પર પણ પ્રહારો કર્યા, ૧૦ વર્ષમાં ૧ લાખ સરકારી શાળાઓ બંધ થવાનો આક્ષેપ કરાયો કોંગ્રેસ સાંસદોએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી સંસદમાં આવીને જવાબ આપવાથી બચી રહ્યા છે. આ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS ) પ્રમુખ મોહન ભાગવતના જેન ઝી (Gen Z) અંગેના નિવેદનને લઈને પણ કોંગ્રેસે સરકાર અને સંઘ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજમાં પ્રસ્તાવિત છાત્રૌં કી…

Read More

સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટીની ડાર્ક પેટર્ન બદલ કાર્યવાહી ઝેપ્ટો, ઈન્ડિગો, ફિઝિક્સવાલા, બુક માય શો જેવી ૯ એપ્સને ૨૦ લાખનો દંડ એપ્સમાં બુકિંગ વખતે જે કિંમત બતાવતી હતી તેમાં હેન્ડલિંગ ચાર્જ વગેરે ઉમેરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા કેન્દ્ર સરકારી એજન્સી સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ ડાર્ક પેટર્ન ધ્યાનમાં આવતા નવ એપ્સ સામે પગલાં ભર્યા છે. ડાર્ક પેટર્ન એટલે એવી ચાલાકી કે જેમાં ગ્રાહકને ઓરિજિનલ ભાવ કંઈક જુદો બતાવે ને પછી પેમેન્ટ કરીએ ત્યારે ખબર પણ ન પડે એ રીતે વધારાના ચાર્જ વસૂલી લેવામાં આવે છે. એપમાં ભ્રામક દાવો કરીને ગ્રાહક સાથે થતી આવી છેતરપિંડીને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે. હવે…

Read More

(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશના લખનઉ-કાનપુર એક્સપ્રેસવેનું હજી ૧૩ જુલાઈએ જ ઉદ્દઘાટન થયું હતું. જોકે પહેલા ૨૦ દિવસમાં જ પાંચ વાર રસ્તો ઘસી જવાની ગંભીર ઘટનાઓ ઘટતા નેશનલ હાઈવેઝ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(NHAI) એ રોડ નિર્માણ કરનારી કંપનીને તાત્કાલિક રોડ- રિપેરિંગ નું કામ કરવા નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં જ્યાં સુધી આ હાઇવે રીપેર ના થઈ જાય ત્યાં સુધી એને ટોલ-ફ્રી રાખવાની જાહેરાત પણ થઈ હતી. હવે આ રોડનું સમારકામ તડામાર ચાલી રહ્યું છે. જોકે રિપેરિંગ પછી રોડ ઝડપથી સુકાય એ માટે એ જગ્યાએ ટેબલ-ફેન ગોઠવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ તો વાઇરલ થતાં તંત્રી સામે સવાલો ઊભા…

Read More

(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશભરમાં FSSAIની છટકબારીનો દૂરુપયોગ કરીને એનલોગ પનીરના નામે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં પર હવે મહારાષ્ટ્રના પગલે સુરત મ.ન.પા ધ્વારા પણ જાગૃતિનાં ભાગરૂપે પાડવામાં આવેલા દરોડા શહેરીજનોના હિતમાં પ્રસંશાને પાત્ર છે. ત્યારે જોઈએ શું છે આ નકલી પનીર અને અસલી પનીર વચ્ચેનો ભેદ? સામાન્ય રીતે અસલી પનીર શુધ્ધ દૂધને ફાડીને બનાવવામાં આવે છે જે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. પરંતુ એનલોગ પનીર દૂધમાંથી નહીં પણ પામ ઓઇલ, સ્ટાર્ચ, દૂધનો પાઉડર અને કેમિકલ્સ મિક્ષ કરીને બનાવવામાં આવતું એક કૃત્રિમ પનીર છે. જ્યારે FDA ને તપાસમાં જે ભેળસેળયુકત પનીરમાં ફોર્મલીન, યુરિયા, ડિટર્જન્ટ જેવા જીવલેણ રસાયણો પણ…

Read More

(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા)સુરત. સુરત જિલ્લા વાલ્મીકિ સમાજ સેવા મંડળ સંચાલિત ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજ કલ્યાણ સમિતિ કૌટુંબીક તકરાર નિવારણ સમિતિ ધ્વારા તા.૦૫/૦૭/૨૦૨૬ ના રોજ નવસારી મુકામે કૌટુંબિક તકરારના પક્ષકારોને રુબરૂ બોલાવી સમાધાનના પ્રયાશો હાથ ધરવામાં આવેલ. જેમાં સારી સફળતા મળેલ છે. અને દશેક જેટલા પક્ષકારો સમિતિના કાર્યોથી સંતોષ અને પ્રભાવિત થયેલ છે. અને તેમની તકરારના નિવારણ માટે સંમત થયા છે એ કાર્યને લક્ષમાં લઈ તા.૧૫/૦૮/૨૦૨૬ ના રોજ આઝાદી પર્વના પવિત્ર દિવસે સાંજના ૪:૦૦ કલાકે ન્યુ ઓપેરા હાઉસ ન્યુ સિવિલ ચાર રસ્તા,કિરણ મોટર્સ શો રૂમની બાજુમાં સુરત ખાતે ડી.સી સોલંકી એડવોકેટના પ્રમુખ સ્થાને સમાધાન કાર્યક્રમ રાખવામા આવેલ છે. જેમાં વાલ્મીકી…

Read More

સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી અને સુરત લોકસભા ઈન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે આપના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આખા દેશની અંદર ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા લોકોની ગાડીઓમાં ભરાતા પેટ્રોલમાં તેમની ઈચ્છા વિરુદ્ધ ઈથનોલ મિશ્રિત કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે લોકોને જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા દેશવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત 1 ઓગસ્ટના રોજ દિલ્હીના ટાઉન હોલમાં આ મુદ્દે જાગૃતિ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તે જ પ્રકારનો કાર્યક્રમ હવે ગુજરાતમાં, સુરત શહેરમાં…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ સાંસદ મનસુખ વસાવાનું જુનારાજ ગામ છે. અહીંયા રોડ પર કમર સુધીના ખાડા છે. આ જુનારાજથી લઈને કરજણ ડેમ સુધીનો રોડ છે, અહીંયાથી બાઈક પણ પસાર થાય એવી પરિસ્થિતિ નથી. આ ગામની 3500થી 4000ની વસ્તી છે અને લોકોને આ ખરાબ રોડના કારણે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. સાંસદ મનસુખ વસાવા આ વિસ્તારમાં બે વખત ધારાસભ્ય પણ બની ચૂક્યા છે. તેઓ પોતાના ગામમાં પણ રસ્તો નથી બનાવી શકતા. બે-ત્રણ દિવસ અગાઉ તેઓ મુલાકાત…

Read More