Author: Garvi Gujarat

સૂતેલા લોકો પર હુમલો કરી કાન કાપી લેતા.ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ.આ પ્રકારની ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જાેવા મળતો હતો.અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા આઠ મહિનાથી રાત્રિના સમયે ખેતરોમાં રખેવાળી કરતા શ્રમિકો અને ખેડૂતો માટે કાળ સમાન બનેલી ગેંગને ઝડપી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય પંથકમાં મોટી સફળતા મળી છે. ઊંઘતા લોકોના કાન કાપીને સોનાના દાગીનાની લૂંટ ચલાવતી ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. મળતી માહિતી અનુસાર, સાણંદ, ચાંગોદર અને કેરાળા GIDC, જેવા વિસ્તારોમાં ખેતરોમાં પાકની રખેવાળી કરવા સૂતેલા ખેડૂતો અને મહિલાઓ પર આ ગેંગ ત્રાટકતી હતી. લૂંટારુઓ એટલા…

Read More

શિખરને સ્થાને ત્રિશૂળ બનશે નવી ઓળખ.સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો ૭૭ વર્ષે બદલાયો.ટ્રસ્ટનો નવો લોગો ૧ એપ્રિલથી અમલમાં આવશ.પ્રથમ જ્યોતિર્લિંગ અને વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલવામાં આવ્યો છે. ટ્રસ્ટે સ્થાપનાને ૭૭ વર્ષ બાદ લોગો બદલવાનો ર્નિણય કર્યો છે. નવા લોગોમાં ત્રિશૂળને પ્રતિત કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે સ્થાપના આટલાં વર્ષો બાદ પ્રથમ વખત લોકો બદલ્યો છે. ટ્રસ્ટનો નવો લોગો આગામી ૧ એપ્રિલથી સત્તાવાર રીતે અમલમાં આવશે. અગાઉના લોગોમાં મંદિરનું શિખર દર્શાવવાની સાથે તેમાં જય સોમનાથ લખેલુ હતું. જ્યારે હવે નવા લોગોમાં વાદળી કલરના બેકગ્રાઉન્ડ પર ત્રિશૂળ દર્શાવવામાં આવ્યું છે અને તેની નીચે સોમનાથ લખ્યું છે. ટ્રસ્ટના વિવિધ…

Read More

DAC એ આપી મંજૂરી.ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ.રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી ડિફેન્સ સિસ્ટમની વધારાની બેટરી ખરીદવાની મંજૂરી આપી.ભારત તેના સંરક્ષણ સાધનોનું મોટા પાયે અપગ્રેડ કરી રહ્યું છે. ૨૭ માર્ચ, ૨૦૨૬ ના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આશરે રૂ.૨.૩૮ લાખ કરોડના અંદાજિત ખર્ચ સાથે વિવિધ દરખાસ્તો માટે સ્વીકૃતિની આવશ્યકતા (AoN) મંજૂર કરવામાં આવી. રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની વધારાની બેટરી ખરીદવાની મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલયની ડિફેન્સ એક્યુજેશન કાઉન્સિલ (DAC) એ આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં આ પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત:- સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરત મહાનગરપાલિકાની બિલ્ડીંગ માંથી અડધી રાતે મહાનગરપાલિકાના અધિકારીઓએ યુનિયન ઓફિસોના તાળાતોડી કબ્જા લઇ લેવામાં આવેલ છે.જેની સામે જુદા-જુદા યુનિયનો દ્વરા તા:-૨૦/૧૧/૨૦૨૫ નારોજ લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ આપવામાં આવેલ.તેફરિયાદની તપાસ સુરત શહેરના લાલગેટ પોલીસ વિસ્તારમાં મદદનીશ પોલીસ ક્મીશનરશ્રીને તપાસ સોંપવામાં આવેલ. પરંતુ ચાર મહિના જેવો લાંબો સમય થવા છતાં તપાસ આગળ વધી નથી.જે સુરત શહેર પોલીસની નિષ્ક્રિયતા સાબિત કરે છે.સામાન્યરીતે-સામાન્ય ગુનેગારને પકડી વરઘોડા કાઢી વાહ-વાહ લૂંટતી હોઈ છે, પરંતુ આ કેસમાં કઈ બન્યું જ ના હોઈ તેમ પોલીસ કોઈપણ પ્રકારની તપાસ કરી નથી. પ્રાપ્ત માહિતી મુજબ…

Read More

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં આપ કાઠું કાઢશે રાજકીય નિરિક્ષકોનુ માનવું છે કે ગત ચુંટણીઓ કરતા ૭થી ૧૦ ટકા મત વધુ મળે તો આપ સર્વત્ર દેખાશે રાજ્કોટ સહિતની પાલિકાઓમાં આપનો દબદબો ચોક્કસ વધશે- કોંગ્રેસ દ્વિતીય ક્રમે – આપના નેતાઓના વધેલા આંટાફેરા ચિત્ર બદલવા માટે પૂરતા છે . ગુજરાતમાં આગામી દિવસોમાં વિવિધ જીલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ચુંટણીના બ્યુગલ ફૂંકવાની ઘડીઓ હવે ગણાઈ રહી છે. એકાદ બે દિવસમાં જ સ્થાનિક સ્વરાજ્યની આ ચુંટણીઓની તારીખો જાહેર થવાની છે વિવધ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં આવી ચુક્યા છે. જો કે આ વખતની ચુંટણી છેલ્લા વર્ષોમાં રહી છે તેટલી આસાન ભાજપ માટે રહે તેવી કોઈ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતલક્ષી ર્નિણય વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત રૂપિયા ૩૦૦ના ટોકન પર સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જાેગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજાહિતકારી ર્નિણય કર્યો છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી…

Read More

વિશ્વમાં વધુ એક નવા યુદ્ધના ભણકારા! ચીને તાઇવાનની સરહદે તહેનાત કર્યા ઘાતક હથિયાર સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે ૨૦૦થી વધુ આવા ડ્રોન જાેવા મળ્યા હતા ચીન હવે તાઇવાન પર કબજાે મેળવવા માટે પોતાની સૈન્ય વ્યૂહનીતિને એક નવા અને અત્યંત ખતરનાક સ્તર પર લઈ જતું જાેવા મળી રહ્યું છે. મિશેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરોસ્પેસ સ્ટડીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીને તાઇવાન સ્ટ્રેટની નજીક આવેલા તેના ૬ મહત્ત્વના એરબેઝ પર જૂના થઈ ગયેલા સુપરસોનિક ફાઇટર જેટ્સને આધુનિક એટેક ડ્રોનમાં ફેરવીને તહેનાત કરી દીધા છે. સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે ૨૦૦થી વધુ આવા ડ્રોન જાેવા મળ્યા છે, જે વાસ્તવમાં ૧૯૬૦ના દાયકાના…

Read More

આનંદીબેન પટેલની માતા-પિતાને ટકોર દીકરી ફોન પર ધીમે વાત કરે શંકા કરજાે હરિદ્વાર ખાતે ભાગવત કથાનું આયોજન કરાયું : આનંદીબેને સમાજની બદલાતી સ્થિતિ અને બદલાતા સંસ્કારો મામલે ચિંતા વ્યક્ત કરી ગુજરાતના વિવિધ સમાજમાં દીકરી બચાવો મુદ્દે જંગ છેડાયો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથામાં દીકરીઓ મુદ્દે માતાપિતાને ગંભીર ચેતવણી આપી છે. તેઓએ કહ્યું હતું કે, ફોન આવતા દીકરી બાજુના રૂમમાં જઈને વાત કરે તો ચેતી જજાે, અને શંકા કરજાે. મિત્રો હોઈ શકે છે, પણ ધ્યાન રાખજાે દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ના જાય. હરિદ્વાર ખાતે પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા…

Read More

ભારતનો મોટો દાવ હોર્મુઝમાં મોટી રાહત બાદ હવે રશિયાથી આવશે LNG ખજાનો ભારત સરકારે ઘરેલૂ ઊર્જા કંપનીઓને રશિયાથી LNG ખરીદ ફરીથી શરુ કરવા માટે તૈયાર રહેવા કહી દીધું છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી જંગની આગે ભારતની રસોઈથી લઈ ફેક્ટરીને પણ પ્રભાવિત કરી છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, ભારત સરકારે ઘરેલુ ઊર્જા કંપનીઓને રશિયાથી ન્દ્ગય્ ખરીદ ફરીથી શરૂ કરવા માટે તૈયાર રહેવા કહી દીધું છે. આ પગલું યુક્રેન યુદ્ધથી અત્યાર સુધીનું સૌથી મોટું નીતિગત પગલું માનવામાં આવી રહ્યું છે. Jerusalem Post ના હવાલેથી આપેલા રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત અને રશિયાની વચ્ચે લિક્વિફાઇડ નેચરલ ગેસ એટલે કે LNG સીધી સપ્લાય ફરીથી શરૂ…

Read More

લાખો ભક્તોએ આ અલૌકિક નજારાના દર્શન કર્યા અયોધ્યા નગરીમાં ૧૨ વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું હતું અયોધ્યા રામનગરીમાં રામલલાના જન્મોત્સવને લઈને ઉત્સાહ : મોદીએ ટીવી પર રામલલાનો સૂર્ય તિલક જાેયો અયોધ્યા નગરીમાં રામલલાના જન્મોત્સવનો ઉત્સાહ ધામધૂમથી ચાલી રહ્યો છે. રામ મંદિરના આંગણથી લઈને દરેક મઠ-મંદિરમાં ભગવાન રામલલાનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે એટલે કે રામનવમી પર શુક્રવારે બપોરે અયોધ્યામાં ૧૨ વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું હતું. પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામલલાનું આ બીજું સૂર્ય તિલક હતું. બપોરે ૧૨ વાગ્યે અભિજીત મુહૂર્તમાં લલાટ પર સૂર્યના કિરણોથી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. ૯ મિનિટ સુધી લાખો ભક્તોએ રૂબરૂ અને ઓનલાઈન…

Read More