Author: garvigujrat

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક અને પવિત્ર યાત્રાધામ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરોએ પ્રવેશ કરી મોટી દાનપેટીની ચોરી કરી છે. આ પૌરાણિક ધામમાં આખા વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને સ્વયંભૂ લાખો રૂપિયાનું દાન અર્પણ કરે છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સ્થળ પરથી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આટલા મોટા યાત્રાધામમાં સુરક્ષા વ્યવસ્થા સાવ નહિવત છે. મંદિરમાં રાત્રિના સમયે માત્ર એક જ ચોકીદાર હોય છે, અને બહારના ભાગે સીસીટીવી કેમેરા કે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો નથી. મંદિરની આસપાસના જૂના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, છતાં તંત્ર કે મંદિરના હોદ્દેદારો દ્વારા…

Read More

આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અને ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી દેશમાં ચાલી રહેલા ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે “અચ્છે દિન”નું સપનું બતાવીને લોકશાહીનો સૌથી કાળો દિવસ બતાવી દીધો. આજે જ્યારે દેશનો યુવા સારી શિક્ષણ વ્યવસ્થાની માંગ સાથે રસ્તા પર ઉતર્યો છે, તો તેનું સ્વાગત સંવાદથી કરવાનું હતું, લાઠીથી નહીં. આજે જ્યારે દેશનો યુવાન પોતાના સારા ભવિષ્ય માટેની વાત કરી રહ્યો છે, તો એવા સમયમાં તેના પર લાઠીઓ ન વરસાવી જોઈએ. આજે દેશની દીકરીઓ સારી શિક્ષણ વ્યવસ્થા અને પોતાના અધિકાર માટે જ્યારે લડી રહી છે તો એ…

Read More

દિલ્હીના જંતર-મંતર ખાતેથી શરૂ થયેલી સંસદ કૂચમાં આજે બીજા દિવસે પણ ભાગ લેવા પહોંચેલા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ સ્થળ પરથી વીડિયોમાં સંબોધતા જણાવ્યું હતું કે, ‘કોકરોચ જનતા પાર્ટી’ અને ‘GenZ’ (નવી પેઢીના) યુવાનોનું આંદોલન આજે બીજા દિવસે પણ સતત ચાલુ છે. સરકાર દ્વારા આ વિરોધ પ્રદર્શનને દબાવવા માટે જંતર-મંતર પર પોલીસ અને આર્મીનો ખૂબ મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. જો આટલી જ કડક સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત નીટ પરીક્ષા વખતે ગોઠવવામાં આવ્યો હોત, તો દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું ન હોત. આજે દેશનો યુવા વર્ગ સંપૂર્ણપણે જાગૃત થઈ ગયો છે અને…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે મોદી સરકારે આપણા દેશના માસૂમ બાળકો અને યુવાનો પર જે નિર્દયતાથી હુમલો કર્યો છે તે અત્યંત શરમજનક છે, જેનાથી અંગ્રેજો પણ શરમાઈ જાય. સોશિયલ મીડિયા પર યુવાનો પર થયેલા લાઠીચાર્જ, ટીયર ગેસના ગોળા અને ખોટા કેસ દાખલ થવાના વિડીયો જોઈને કાળજું કંપી ઉઠે છે. જે વાલીઓના બાળકો ગુમ છે અથવા જેમના પર ખોટી એફઆઈઆર (FIR) થઈ છે, તેમની મદદ માટે આમ આદમી પાર્ટીએ સ્પેશિયલ લીગલ અને મેડિકલ ટીમ તૈયાર કરી છે. કોઈ પણ પ્રકારની કાનૂની મદદ માટે 85888-33548 નંબર…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી સત્તાધીશો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દિલ્હીના જંતર-મંતર ખાતે આખા દેશમાંથી એકઠા થયેલા એક લાખથી વધુ ‘GenZ’ (નવી પેઢીના) યુવાનો નીટ (NEET) પેપર લીક મુદ્દે વ્યાજબી માંગણી કરી રહ્યા છે. પેપર લીક થયું હોવાની હકીકત સરકારે પોતે સ્વીકારીને ફરીથી પરીક્ષા લેવી પડી છે, જે દર્શાવે છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાની જવાબદારીમાં સંપૂર્ણપણે નાકામ અને નિષ્ફળ નીવડ્યા છે. આ આંદોલનને જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુક તેમજ ‘કોકરોચ જનતા પાર્ટી’ના અભિજીત દીપકેએ પણ સમર્થન આપ્યું છે. માત્ર એક શિક્ષણ મંત્રીનું રાજીનામું ન આપવું પડે તે માટે સરકારે હજારો પોલીસ જવાનો ખડકી…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ નવી દિલ્હીના માનનીય સદસ્ય કરમસિંહ કર્માના પ્રમુખ સ્થાને કલેક્ટર કચેરી સુરતના સભાખંડમાં સવારે ૧૧:૩૦ કલાકે સુરત મ.ન.પા સફાઈ કામદાર યુનિયનોના પ્રતિનિધિઓ, મંડળીઓ, આઉટસોર્સ એજન્સીઓ, કોન્ટ્રાકટરો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર, નાયબ નિયામક વી.એમ પટેલ સમાજ કલ્યાણ ખાતું અને સુરત મ.ન.પાના આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગર અને મોટી સંખ્યામાં યુનિયન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં કરમાજીએ The Prohibrion of employment as manual Scavnger and their Rehabilitation Act 2013 અંગે સમજ આપી હતી. સુરત શહેરમાં હાલમાં ડ્રેનેજમાં કામગીરી કરતાં ચાર કર્મચારીઓના અવસાન…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. સંસદમાં સોમવારે ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ હતો. ત્યારે બીજી બાજુ દિલ્હીના જંતર-મંતર પર કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગણી સાથે હજારો ઝેન-ઝી (યુવાનો)એ ભેગા થઈને દિલ્હીના આંદોલન સ્થળ જંતર-મંતરે થી સંસદ સુધી માર્ચ કરી હતી. અને સવારથી શરૂ થયેલી આ માર્ચને રોકવા માટે જંતર-મંતરેથી જ પોલીસ ધ્વારા લાઠીચાર્જ કરવાની શરૂઆત કરવામાં આવતા ભાગાભાગી સાથે અફરાતરફી મચી જતાં હંગામો શરૂ થઈ ગયો હતો. સાથે સાથે ટીયરગેસના સેલ પણ છોડવામાં આવતા અનેક યુવાનો ઘાયલ થયા હોવા છતાં યુવાનોએ હાર માની ન હતી. ઉપરાંત આટલી મોટી સંખ્યામાં યુવાનોને આવતા જોઈને સંસદના કેટલાક એન્ટ્રી ગેટ બંધ…

Read More

ગુસ્સામાં ટ્રમ્પની પ્રચંડ હુમલા કરવાની ધમકી ઈરાનના હુમલાઓમાં વધુ ૩ અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ઈરાનના ચાબહાર અને તબરીઝ સહિતના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. ઉત્તરી ઈરાકમાં ઈરાની ડ્રોનના અવિસ્ફોટિત બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં એક અમેરિકન સૈનિકનું મોત નીપજ્યું છે અને એક જવાન ગંભીર રીતે ઘવાયો છે. આ ઘટનાથી ક્રોધે ભરાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ યુએસ સેનાએ ઈરાનના અનેક મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણા પર ભીષણ હવાઈ હુમલા ઝીંકી દીધા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ રવિવારે સત્તાવાર માહિતી…

Read More

સરકાર બાળકોની વાત સાંભળતી નથી : અખિલેશ સંસદ માર્ચમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થતાં ભડક્યું આખું વિપક્ષ શશી થરૂર, અરવિંદ કેજરીવાલ અને મહુઆ મોઈત્રા સહિતના નેતાઓએ સરકાર પર પ્રહારો કર્યા છે આજે સંસદમાં ચોમાસા સત્રનો પહેલો જ દિવસ છે, ત્યારે જંતર-મંતરથી લઈને સંસદ સુધી ભારે હોબાળો ચાલી રહ્યો છે. નીટ પરીક્ષામાં ધાધલી મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સમર્થકોએ સંસદ તરફ માર્ચ શરૂ કરતા જ મામલે ગંભીર બની ગયો છે. દિલ્હી પોલીસે સંસદ તરફ આવી રહેલા દેખાવકારો પર લાઠીઓ વરસાવી છે, જેને લઈને આખો વિપક્ષ ગુસ્સે થયો છે. દેખાવકારો પર લાઠીચાર્જ મામલે સમાજવાદી પાર્ટી,…

Read More

આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી મોટી સંખ્યામાં પોતાની ટીમ સાથે દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે નીટનું પેપર લીક થયું અને 20 કરતાં વધારે યુવાનોએ આત્મહત્યા કરી અને ત્યારબાદ કોક્રોજ જનતા પાર્ટીનું દિલ્હી ખાતે આંદોલન શરૂ થયું, જેમાં આજે ગુજરાતથી હજારો અને દેશભરના લાખો યુવાનો દિલ્હીના જંતર મંતર ખાતે એકત્રિત થયા છે અને આજે આમ આદમી પાર્ટીની પણ ખૂબ જ મોટી ટીમ આ આંદોલનમાં ઉપસ્થિત છે. આમ આદમી પાર્ટીની યુથ વિંગ અને મહિલા વિંગના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ…

Read More