- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
નેવુના દાયકાની યાદો ફરી તાજી થશે અનિલ કપૂર અને મનીષા કોઇરાલાની ક્લાસિક ફિલ્મ થિયેટર્સમાં ફરી રિલીઝ થશે ફિલ્મ વર્ષ ૧૯૯૪માં આવી રિલીઝ થઈ હતી. એ સમયે આ ફિલ્મ પોતાના શાનદાર સંગીત માટે સૌથી વધારે ચર્ચામાં હતી મુંબઈ: અનિલ કપૂર અને મનિશા કોઈલારાની ફિલ્મ ‘૧૯૪૨ લવસ્ટોરી’ ફરી સિનેમાઘરમાં જાેવા મળશે. આ ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૯૦ના દાયકાની આ ફિલ્મ હજુ પણ એક આખા વર્ગની સૌથી ગમતી ફિલ્મ પૈકીની એક છે. ફિલ્મના ગીત અને સંગીત આજે પણ ઘણાય લોકોને એ ૯૦નો દાયકો યાદ અપાવી રહ્યા છે. આ ફિલ્મ હવે હાઈરિઝોલ્યુશન સાથે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. એ સમયે જ્યારે આ…
૭૦૦૦ કરોડની કમાણી કરી ૧૬ વર્ષથી દર્શકોને ડરાવતી હોરર ફિલ્મના છઠ્ઠા પાર્ટનું ટ્રેલર રિલીઝ ફિલ્મમાં ‘ઇન્સિડિયસ’ સીરીઝની સૌથી લોકપ્રિય કેરેક્ટર ‘એલિસ રેનિયર’ના રોલમાં ફરી એકવાર લિન શે જાેવા મળશે હોલિવૂડની સૌથી લોકપ્રિય અને ડરામણી હોરર ફ્રેન્ચાઇઝી ‘ઇન્સિડિયસ’ની છઠ્ઠી સિક્વલ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. સોની પિક્ચર્સે ‘ઇન્સિડિયસ: આઉટ ઓફ ધ ફર્ધર’નું ફાઇનલ ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાક્ષસો અને આત્માઓ અંધારી દુનિયામાંથી બહાર આવીને વાસ્તવિક દુનિયામાં પગ મૂકે છે. આ ફિલ્મ ૨૧ ઓગસ્ટના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે અને તેની એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂકી છે.બ્લુમહાઉસ અને એટોમિક…
અનિલ કપૂરે ઈન્સ્ટા પર સંસ્મરણો વાગોળ્યાં અનિલ કપૂરે તેલુગુ ફિલ્મ ડ્રેગનનું શૂટિંગ શરુ કર્યું ૧૯૬૦ના દાયકાની પશ્ચાદભૂ ધરાવતી આ ફિલ્મમાં જુનિયર એનટીઆર હીરો તરીકે લુગારનું પાત્ર ભજવી રહ્યો છે પ્રશાંત નીલ ર્નિદેશિત ‘ડ્રેગન’ ફિલ્મમાં નાકોટિક્સ બ્યુરોના વડા રઘુવીર રાઠોડની ભૂમિકા ભજવી રહેલાં અનિલ કપૂરે હૈદરાબાદમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. ૧૯૬૦ના દાયકાની પશ્ચાદભૂ ધરાવતી આ ફિલ્મમાં જુનિયર એનટીઆર હીરો તરીકે લુગારનું પાત્ર ભજવી રહ્યો છે.આ પ્રસંગે સોશિયલ મિડિયા પર પોતાના તેલુગુ સિનેમા સાથેના સંસ્મરણો શેર કરતાં અનિલ કપૂરે જણાવ્યું હતું કે ૧૯૮૦માં મેં બાપુની ફિલ્મ ‘વંશવૃક્ષમ‘નું શૂટિંગ અહીં કર્યું હતું. મારી આ પ્રથમ તેલુગુ ફિલ્મમાં મને હીરો તરીકે રજૂ કરવામાં…
ઇતિહાસ માત્ર ભુતકાળની ઘટનાઓનો સંગ્રહ નથી ઈતિહાસ પ્રત્યેના પ્રેમે ‘મુસાફિરી’ની પ્રેરણા આપી : અભિનેત્રી રિચા ચઢ્ઢા રિચા ચઢ્ઢા કહે છે, આ સિરીઝ લોકોને આપણા વારસાને નવી નજરથી જાેવાની પ્રેરણા આપશે અભિનેત્રી અને નિર્માતા રિચા ચઢ્ઢા પોતાના પ્રોડક્શન હાઉસ પુશિંગ બટન્સ સ્ટુડિયોઝ હેઠળ નિર્મિત નવી નોન-ફિક્શન સિરીઝ ‘મુસાફિરી’ લઈને આવી રહી છે. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને અનોખી રીતે રજૂ કરતી આ સિરીઝ માટે રિચાને પોતાનાં ઇતિહાસ વિષય પ્રત્યેના પ્રેમ અને અભ્યાસમાંથી પ્રેરણા મળી છે.રિચા માટે ઇતિહાસ માત્ર ભુતકાળની ઘટનાઓનો સંગ્રહ નથી, પરંતુ સમાજ, લોકો અને સંસ્કૃતિને સમજવાનો માર્ગ છે. ઇતિહાસના અભ્યાસ, સતત વાંચન અને દેશભરના પ્રવાસોએ ‘મુસાફિરી’ની કલ્પનાને આકાર આપ્યો…
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કરસન ઘાવરીની સલાહ જસપ્રિત બુમરાહને ૧ વર્ષ માટે આરામ આપી દો ઘાવરીનું માનવું છે કે બુમરાહને વારંવાર ઉતાવળમાં મેદાન પર ઉતારવાને બદલે તેને લાંબો બ્રેક આપવો જાેઈએ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વધુ એક વખત ઈજાના ગંભીર કારણોસર ક્રિકેટિંગ એક્શનથી દૂર થઈ ગયો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થયેલી ઈજામાંથી તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શક્યો નથી. જેના કારણે તેને શ્રીલંકા સામેની આગામી ૨ ટેસ્ટ મેચની સિરીઝમાંથી સત્તાવાર રીતે બહાર કરવામાં આવ્યા છે. બુમરાહની જગ્યાએ જમ્મુ-કાશ્મીરના યુવા ફાસ્ટ બોલર આકિબ નબીને ૧૫ ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.…
VIP પાસ સિસ્ટમ બંધ અયોધ્યાના રામ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર હવે ભક્તો સામાન્ય કતારમાંથી રામલલાના દર્શન કર્યા બાદ સીધા જ પ્રથમ માળે આવેલા રામ દરબારના દર્શન કરી શકશે અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ દરબારના દર્શનને વધુ સરળ અને સર્વસુલભ બનાવવા માટે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. હવે ભક્તોને રામ દરબારના દર્શન કરવા માટે અલગથી VIP અથવા વિશેષ પાસ લેવાની જરૂર રહેશે નહીં. નવી વ્યવસ્થા મુજબ, ભક્તો પહેલા સામાન્ય દર્શન કતારમાંથી રામલલાના દર્શન કરશે. ત્યારબાદ તેઓ સીધા મંદિરના પ્રથમ માળે આવેલા રામ દરબારના દર્શન પણ કરી શકશે. આ પ્રક્રિયા માટે કોઈ વધારાની મંજૂરી કે વિશેષ પાસની આવશ્યકતા રહેશે નહીં.…
થાઈલેન્ડમાં રમતના મેદાન પર ભયાનક દુર્ઘટના! LIVE મેચમાં વીજળી પડતા ખેલાડીનું મોત નિપજ્યું ફુટબોલર સોફ્વાન અવાઈ પર અચાનક વીજળી પડી, જેનાથી તેનું મોત થયું અને આશરે ૧૨ ખેલાડી ઈજાગ્રસ્ત રમતને મનોરંજનનું એક માધ્યમ માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર રમતના મેદાન પર એવી દર્દનાક દુર્ઘટના થાય છે, જે બધાને ઝકઝોર કરી દે છે. આવી ઘટના થાઈલેન્ડમાં એક ફુટબોલ મેચ દરમિયાન બની છે. ૨૪ વર્ષના થાઈ ફુટબોલર સોફ્વાન અવાઈ પર અચાનક વીજળી પડી, જેનાથી તેનું મોત થયું છે અને આશરે ૧૨ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધ ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ પ્રમાણે ગોલોક એફએ કપ…
સુપ્રીમ કોર્ટ તરફથી આસારામને મોટો ઝટકો ખરાબ સ્વાસ્થ્યના આધારે આસારામને વચગાળાના જામીન આપવાનો ઈનકાર આસારામના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલ તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે તેમને દાખલ કરવાની જરૂર નથી સગીર યુવતી સાથે દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે ખરાબ સ્વાસ્થ્યના આધાર પર આસારામને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે તે જરૂર કહ્યું છે કે સ્થિતિ ખરાબ થવા પર આસારામ બીજીવાર વચગાળાના જામીન માટે અપીલ કરી શકે છે, હાલ તેમણે જેલમાં જ રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે આસારામની વચગાળાની જામીન અરજીને છૈંૈંસ્જી ના રિપોર્ટને આધાર માનતા પેન્ડિંગ રાખી…
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ખડગેનો સરકાર પર પ્રહાર ગૃહમંત્રી સંસદમાં જવાબ આપે અને પીએમ મોદી માફી માંગે તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ફાયરિંગ, પેલેટ ગન અને ટીયર ગેસનો ઉપયોગ અત્યાચાર છે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જંતર-મંતર પાસે વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર વિપક્ષ એ માંગ પર અડગ છે કે ગૃહમંત્રી ખુદ સંસદમાં આવીને જવાબ આપે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે અન્યાય અને અત્યાચાર થયો છે. જે રીતે તેમના પર લાઠીચાર્જ અને ફાયરિંગ કરવામાં આવ્યું તે ખોટું હતું. આવા સાધનોનો ઉપયોગ…
સરકારે યોજનાને મંજૂરી આપી કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો ર્નિણય: ગામડે-ગામડે બનશે ગેસ સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુરુવારે ૨ મોટા ર્નિણયો લેવાયા, જેની સીધી અસર ભારતની ઈકોનોમી પર પડશે. પહેલો ર્નિણય ગોવર્ધન યોજનાને મંજૂરી, જેની અંદર ભારતમાં ગેસ બનાવવા અને વિતરણને પ્રોત્સાહન મળશે. બીજાે ર્નિણય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જાેડાયેલો છે. સરકારે આસામમાં ૪ લેન હાઈવેને મંજૂરી આપી છે. આવો બંને ર્નિણય વિશે વિસ્તારથી જાણીએ. સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ૨૦૨૬-૨૭થી ૨૦૩૫-૩૬ સુધી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


