- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
દેશની રાજધાની નવી દિલ્હીમાં જંતર-મંતર પર થયેલા આંદોલન મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં એકઠા થયેલા લાખો ‘GenZ’ (આજની પેઢીના) યુવાનોને ન તો પોલીસ ડરાવી શકી છે, ન કોઈ તાનાશાહ ડરાવી શક્યા છે. દેશના યુવાનોએ ૨૦ જુલાઈના દિવસને એક ઐતિહાસિક દિવસ બનાવી દીધો છે. પેપર લીકની આ ગંભીર સમસ્યાથી આજે દેશના કરોડો લોકો પીડિત બન્યા છે. ઓફિશિયલી ૨૨ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય, તો મમ્મી-પપ્પા અને ભાઈ-બહેન સહિત પરિવારના સભ્યોને ગણીએ તો એક કરોડથી વધુ લોકોના ઘરમાં પેપર લીકનો આતમછાયો આઘાત પ્રસરી ગયો છે. ભાજપે ગુજરાત અને દેશમાં સતત પરીક્ષાઓના…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વીડિયો દ્વારા પોતાની વાત મૂકતા જણાવ્યું કે, હાલમાં હું પંજાબમાં છું અને સોશિયલ મીડિયા દ્વારા મેં જોયું કે આખું કનોટ પ્લેસ, જનપથ, જંતર-મંતર બધું ભરાઈ ગયું છે, સમગ્ર દેશમાંથી હજારો-લાખોની સંખ્યામાં યુવાનો આવ્યા છે. અને બીજી તરફ સરકાર તેમના પર દમન કરી રહી છે, તેમના પર લાઠીચાર્જ કરી રહી છે અને ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે તથા આ યુવાનોને સંસદમાં જવાથી રોકવામાં આવી રહ્યા છે. આ ખોટું છે, યુવાનો જાય તો જાય ક્યાં? પહેલા તમે તેમના પેપર લીક કરી દો છો, પછી જ્યારે ફરીથી પરીક્ષા થાય…
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા જંતર મંતરથી શરૂ થયેલ સંસદ કુચમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી આમ આદમી પાર્ટીના યુવા નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે નીટનું જે પેપર લીક થયું હતું ત્યારબાદ GenZનું આંદોલન શરૂ થયું હતું, તે સ્થળ પર જંતર મંતર પર આજે અમે પહોંચ્યા છીએ. અમે દેશની આઝાદી માટેની લડાઈમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા પરંતુ આજે અમને ગર્વ છે કે આજે અમે આ GenZની લડાઈમાં ઉપસ્થિત છીએ. મને ગર્વ છે કે આજે દેશભરના GenZ યુવાનો દિલ્હીમાં એકત્રિત થયા છે. આજે જંતર મંતરની અંદર અને જંતર મંતરની બહાર પણ હજારોની…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ લાઈવ માધ્યમથી જણાવ્યું હતું કે, શિક્ષણ વ્યવસ્થા બચાવવા માટે આંદોલન કરી રહેલા સોનમ વાંગચુકના સમર્થનમાં અમે ૩ કલાકના મૌન ધરણાંનું આયોજન કર્યું છે. સોનમ વાંગચુકના પોતાના સંતાનો નીટ (NEET) ની પરીક્ષા નથી આપી રહ્યા, છતાં તે આપણા બાળકોના ભવિષ્ય અને દેશની શિક્ષણ પ્રણાલી માટે ૧૫ દિવસથી ભૂખ્યા રહીને સંઘર્ષ કરી રહ્યા છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય પણ બગડ્યું છે. જે માણસે શિક્ષણ પદ્ધતિ બદલીને વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું, તેની વાત સાંભળવાને બદલે સરકાર અહંકારમાં આવીને આ અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. વારંવાર થતા પેપર લીકથી કંટાળીને ૩૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દિલ્હીના જંતર-મંતર ખાતે પર્યાવરણવાદી કાર્યકર સોનમ વાંગચૂકને તેમની ભૂખ હડતાળના સ્થળેથી બળજબરીથી દૂર કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાના એક દિવસ પછી, રવિવારે અગ્રણી અખબારોએ માત્ર પોલીસના એવા દાવાઓને પ્રકાશિત કર્યા છે કે તેઓએ હાઇકોર્ટના આદેશનું પાલન કર્યું છે. મોટાભાગના અખબારોએ તેમના પહેલા પાના પર આ વાર્તાને આવરી લીધી હતી. ત્યારે હિંદુસ્તાન ટાઈમ્સે આ વાર્તાને પાનાંના નીચેના ભાગમાં મૂકી દીધી અને તેને માત્ર વિરોધી પક્ષોની ટિપ્પણીઓ સુધી મર્યાદિત કરી હતી. હિન્દી દૈનિક અમર ઉજાલાએ તેના પહેલા પાનાં પર આ વાર્તાનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે આ વાતને પહેલા પાનાં પર મુખ્ય સ્થાન ન આપતા…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. “સોરી પપ્પા, મે પ્રયત્ન કર્યા હતા છતાં સરકારી નોકરી મેળવવા માટે મને ૫૦ વખત નિષ્ફળતાઓ મળતા હવે હું જીવનને અલવિદા કરું છું.” આ શબ્દો છે મૂળ બિહારના બક્સરના વતની અને લોહીયા પ્રાઈવેટ લિમિટેડના નિવૃત કર્મચારી રાજકુમારના તેજસ્વી પુત્ર આનંદના સુસાઇડ નોટમાં લખાયેલા નિરાશાભર્યા લાગણીશિલ શબ્દો મોતને વહાલું કરનાર આનંદે વર્ષ૨૦૨૪ માં કાનપુરની એક પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં B.TECH પૂર્ણ કર્યું હતું. રાજયમાં ત્રીજો ક્રમ મેળવવા બદલ ૧૩ ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ કોલેજના એક સમારોહમાં રાજયપાલ આનંદીબેન પટેલના હસ્તે તેને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ડિગ્રી પૂર્ણ કર્યાબાદ આનંદ ખાનગી ક્ષેત્રમાં…
કિમી કે૩ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી એઆઈ મોડલ ચેટજીપીટીને ટક્કર આપવા ચીને Kimi K3 AI મોડલ લોન્ચ કર્યું કિમી કે-૩ માત્ર સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા પૂરતું સીમિત નથી. તે લાંબા દસ્તાવેજાે વાંચી અને તેનો સારાંશ તૈયાર કરી શકે છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં ચીની સ્ટાર્ટઅપે મૂનશોટ એઆઈ સાથે અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી એઆઈ મોડલ કિમી કે૩ લોન્ચ કર્યું છે.કંપનીનો દાવો છે કે, આ વિશ્વનું સૌથી મોટું ઓપન-વેઈટ એઆઈ મોડલ છે. તેને ડેવલપર્સ અને રિસર્ચર્સ પોતાની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરી શકે છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારની એઆઈ એપ્સ બનાવવા માટે પણ થઈ શકે છે.કિમી કે૩માં અંદાજે ૨.૮ ટ્રિલિયન પેરામીટર્સ છે. તેમાં એક…
સ્પેન ફૂટબોલનું નવું બાદશાહ મેસીની આર્જેન્ટિનાને હરાવી ૧૬ વર્ષ બાદ સ્પેને જીત્યો ફીફા વર્લ્ડ કપ નિર્ધારિત ૯૦ મિનિટના સમય સુધી બંનેમાંથી એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી અને સ્કોર ૦-૦ ની બરાબરી પર રહ્યો હતો ન્યુ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને ૧-૦થી હરાવીને ફૂટબોલ જગત પર પોતાનો કબજાે જમાવ્યો છે. આ જીત સાથે સ્પેને ૧૬ વર્ષ લાંબો વર્લ્ડ કપનો દુકાળ ખતમ કર્યાે છે. અગાઉ સ્પેનિશ ટીમ ૨૦૧૦માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ, લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હતી…
આઠ લાખની રોયલ્ટીની ન મળી સૈયારા માટે હજુ રોયલ્ટી બાકી હોવાનો તનિષ્ક બાગચીનો આરોપ મોહિત સુરી દિગ્દર્શિત ‘સૈયારા’ બ્લોકબસ્ટર બની હતી અને તેના પ્રસિદ્ધ સાઉન્ડ ટ્રેક તેમજ શીર્ષક ગીતે ફિલ્મની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી સંગીતકાર તનિષ્ક બાગચીએ યશરાજ ફિલ્મ્સ પર જાહેરમાં બ્લોક-બસ્ટર ‘સૈયારા’ના ટાઈટલ ટ્રેક માટે અપૂરતી રોયલ્ટી ચૂકવણીનો આરોપ લગાવતા દાવો કર્યાે છે કે તે હજી પણ ગીતની ભારે સફળતા છતાં રૂા. આઠ લાખની રોયલ્ટીની રાહ જાેઈ રહ્યો છે. બીજી તરફ વાયઆરએફએ કંઈપણ ખોટું થયાનું સ્પષ્ટપણે નકારી દીધું છે અને જણાવ્યું છે કે તમામ પક્ષોને કરાર મુજબ જ ચૂકવણી કરવામાં આવી છે.રદ કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ…
અભિનય દ્વારા સેલિના પોતાના જીવનને ફરી ઊભુ કરવા તૈયાર સેલિના જેટલી સિસ્ટર નિવેદિતાની બાયોપિક સાથે વાપસી કરશે એક હૃદયસ્પર્શી સંદેશમાં સેલિનાએ પોતાના મુશ્કેલ સમયમાં ટેકો આપનારા પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરી સેલિના જેટલીએ આગામી ફિલ્મ ‘સિસ્ટર નિવેદિતા’ સાથે પોતાની બોલીવૂડ વાપસીની જાહેરાત કરી છે જે તેના જીવનમાં અનેક અંગત સંઘર્ષાે પછી એક નવો અધ્યાય બનશે. સેલિનાએ જણાવ્યું કે સિનેમા તેની શક્તિ છે અને તેણે પ્રોજેક્ટને કમબેક નહિ પણ ઘરવાપસી તરીકે ગણાવ્યો તેમજ શુભેચ્છકો પાસેથી સમર્થનની વિનંતી કરી હતી.એક હૃદયસ્પર્શી સંદેશમાં સેલિનાએ પોતાના મુશ્કેલ સમયમાં ટેકો આપનારા પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરી.તેણે જણાવ્યું કે રામ કમલ મુખરજી દ્વારા દિગ્દર્શિત ‘સિસ્ટર નિવેદિતા’ ભારતમાં શિક્ષણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



