Author: garvigujrat

પૂનમ પાંડે ‘લવકુશ રામલીલા’માંથી આઉટ.અભિનેતા પૂનમ પાંડે મંદોદરીની ભૂમિકા હવે ભજવશે નહીં.સોમવારે, પૂનમે એક વીડિયો રિલીઝ કર્યો જેમાં ભૂમિકા ભજવવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતા. દેશભરમાં નવરાત્રીની ઉજવણી થઈ રહી છે, અને દુર્ગા પૂજાની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન, મોટા સમાચાર આવ્યા છે કે દિલ્હીમાં યોજાનારી ભવ્ય લવ કુશ રામલીલામાં મંદોદરીની ભૂમિકા ભજવનાર પૂનમ પાંડેને ભૂમિકામાંથી દૂર કરવામાં આવી છે. તેમનું નામ નક્કી થયા પછીથી જ ભારે વિરોધ થયો હતો. આને ધ્યાનમાં રાખીને, લવ કુશ રામલીલા સમિતિએ આખરે તેમને દૂર કરવાનું યોગ્ય માન્યું. તે હવે મંદોદરીની ભૂમિકા ભજવશે નહીં.સોમવારે, પૂનમે એક વીડિયો રિલીઝ કર્યાે જેમાં ભૂમિકા ભજવવા…

Read More

જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશ.ઇમરાન હાશ્મી અને દિશા પટાણીએ બેંગકોકમાં ‘આવારાપન ૨’ શરૂ કર્યું.ઇમરાન હાશ્મી પણ શિવમ તરીકે પાછો ફરતા ઉત્સુક છે. જ્યારે દિશા એક નવી રોમેન્ટિક દુનિયામાં પ્રવેશ કરશ.છેલ્લાં થોડાં વખતથી એવા અહેવાલો ફરતા હતા કે વિશેશ ભટ્ટ અને નિતિન કક્કડ, દિશા પટાણી અને ઇમરાન હાશ્મી સાથે ‘આવારાપન ૨’ શરૂ કરૂ રહ્યા છે. ત્યારથી આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થવાની પણ ચર્ચા હતી અને ૨૦૨૬ના ઉનાળામાં રિલીઝ થશે. હવે એવા અહેવાલો છે કે આ અઠવાડિયે બેંગકોકમાં શૂટ કર્યું છે.એક સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “આ અઠવાડિયે બેંગકોકમાં આવારાપન ૨નું શૂટ શરૂ થશે, જેમાં ઇમરામન હાશ્મી અને…

Read More

માતા-પિતાએ સબાને કહ્યું, અમારી કોઈ અપેક્ષાઓ નથી.સબાને લગ્ન બાબતે માતા-પિતા ક્યારેય દબાણ કરતા નથી.હું એક કલાકાર તરીકે લાલચુ છું. મારે જ્યાં મહેનત કરવાની હોય એ મને ગમે છે : સબા આઝાદ.સબા આઝાદ આજકાલ રિતિક રોશન સાથેના સંબંધોને કારણે વારંવાર સ્પોટલાઇટમાં આવતી રહે છે. તાજેતરમાં તેણે પોતાના અંગત જીવન અને પરિવાર વિશે વિગતે વાત કરી હતી. તેણે લગ્ન, જટિલ રોલ માટેનો પ્રેમ અને બોલિવૂડમાં સ્ટિરીયોટાઇપ્સ અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે તેના પરિવારમાંથી લગ્ન માટે ક્યારેય દબાણ કરવામાં આવતું નથી. “હું છ વર્ષની હતી ત્યારે મારા માતાપિતાએ મને બેસાડીને શાંતિથી સમજાવ્યું હતું, “બેટા, જાે તારે લગ્ન ન કરવા હોય તો…

Read More

સરકારે પ્રતિબંધ લંબાવ્યો ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેનું એરસ્પેસ ૨૪મી ઓક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. પડોશી દેશના લશ્કરી તથા નાગરિક વિમાનો ૨૪મી ઓક્ટોબર સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેનું એરસ્પેસ ૨૪મી ઓક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે. ભારત અને પાકિસ્તાને એરમેનને અલગ-અલગ નોટિસ ટુ એર મિશન જાહેર કર્યું છે, જેમાં એરસ્પેસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત દ્વારા મંગળવારે (૨૩મી સપ્ટેમ્બર) જાહેર કરાયેલા આદેશ અનુસાર, કોઈપણ પાકિસ્તાની-રજિસ્ટર્ડ…

Read More

દેશનું ડિફેન્સ સેક્ટર બનશે વધુ મજબૂત ભારત-મોરોક્કો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે થયો કરાર આ MoU ભારત અને મોરોક્કો વચ્ચે વધતી ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મજબૂત માળખું પૂરું પાડે છે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને મોરોક્કોના સંરક્ષણ પ્રધાન અબ્દેલલતીફ લૌધીએ સોમવારે રબાતમાં દ્વિપક્ષીય બેઠક યોજી, જેમાં સંરક્ષણ સહયોગ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ MoU ભારત અને મોરોક્કો વચ્ચે વધતી ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મજબૂત માળખું પૂરું પાડે છે. તે સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ, સંયુક્ત કવાયત, લશ્કરી તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે માર્ગ મોકળો કરે છે. આ સોદો ભવિષ્યમાં ભારતના સંરક્ષણ…

Read More

ઊંચા હોદ્દા સંભાળશે; અમદાવાદ સાથે પણ કનેક્શન વિઝા વિવાદ વચ્ચે અમેરિકામાં બે ભારતીયોનું પ્રમોશન અમેરિકન સરકાર દ્વારા H-1B વિઝા નિયમો કડક બનાવવામાં આવ્યા છે, આ દરમિયાન કંપનીએ તેમને પ્રમોશન આપ્યું છે અમેરિકન વહીવટી તંત્રએ H-1B વિઝા અરજી માટે ૮૮ લાખ રૂપિયાની ફી લગાવી દીધી છે. ટ્રમ્પના આ પગલાંને અમેરિકામાં રોજગાર શોધતા વ્યવસાયિકો માટે આંચકા તરીકે જાેવામાં આવી રહ્યું છે. જાેકે, અમેરિકન કંપનીઓએ બે ભારતીય મૂળના વ્યક્તિઓને CEO તરીકે નિયુક્ત કરીને મેસેજ આપ્યો છે કે, તે ટેલેન્ટ સાથે બાંધછોડ નહીં કરે. ૫૫ વર્ષીય ભારતીય મૂળના શ્રીનિવાસ ગોપાલન પહેલી નવેમ્બરથી યુએસ ટેલિકોમ જાયન્ટ ટી-મોબાઇલના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે. અમેરિકન સરકાર દ્વારા H-1B…

Read More

ભારત અને રશિયાની મિત્રતા સમયની સાથે સાથે વધુ મજબૂત બની ગઇ રશિયાએ ભારતને આપી SU-૫૭ લડાકૂ વિમાનની ઓફર રશિયાએ ભારતને પોતાની પાંચમી પેઢીના SU-૫૭ સ્ટીલ્થ ફાઇટર જેટની સપ્લાઇ અને લોકલ પ્રોડક્શનની ઓફર આપી છે ભારત અને રશિયાની મિત્રતા સમયની સાથે સાથે વધુ મજબૂત બની ગઇ છે. આ વચ્ચે ભારતની વાયુ શક્તિને વધુ શક્તિશાળી બનાવવા અંગે એક મહત્વનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ભારત પહેલેથી જ જી-૪૦૦ના સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યુ છે. અને આ ક્ષેત્રમાં સહયોગને આગળ વધારવાની સંભાવના છે. રશિયા પાસેથી મળેલા જી-૪૦૦ ટ્રાયંફ એક ડિફેન્સ સિસ્ટમે હાલમાં જ ઓપરેશન સિંદૂર દરમિયન મોટી ભૂમિકા નિભાવી હતી. અને હવે રશિયાએ ભારતને પોતાની…

Read More

ટ્રમ્પની સુરક્ષાને પ્રાધાન્ય આપી ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ૮૦મા સેશનમાં મેક્રોનના ભાષણ બાદ તુરંત જ આ કિસ્સો બન્યો હતો ન્યૂયોર્કના મધ્યમાં સોમવારે સર્જાયેલો ટ્રાફિક જામ એક અસામાન્ય રાજકીય ક્ષણમાં ફેરવાઈ ગયો હતો. ફ્રેન્ચના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટર કાફલાએ રોક્યા હતા. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાઈરલ થયો છે, જેમાં ફ્રેન્ચ નેતા મેનહટનના રસ્તાઓ પર ટ્રાફિકમાં ફસાયેલા જાેવા મળે છે. જેની પાછળનું કારણ પોલીસે અમેરિકન પ્રમુખના કાફલાને રસ્તો આપવા વાહન રોક્યા હોવાનું હતું. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ૮૦મા સેશનમાં મેક્રોનના ભાષણ બાદ તુરંત જ આ કિસ્સો બન્યો હતો.…

Read More

અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગૂ કરવામાં આવ્યો તાલિબાને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા સુનબુલામાં ૨૨ ઓગષ્ટથી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાબુક ખાનારી મહિલાઓની સંખ્યા બે ગણી વધી ગઇ છે તાલિબાન શાસનના કાબુલમાં કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. કેટલાક માનવીય અધિકાર સંગઠનો અને ેંદ્ગના વિરોધ બાદ પણ અફઘાનિસ્તાનમાં એવી સજાઓ આપવામાં આવે છે. જે માનવાતાની વિરુદ્ધ છે. એક રિપોર્ટ અનુસાર ગયા મહિને તાલિબાને જાહેરમાં જ ૧૧૪ લોકોને ચાબુક માર્યા હતા. જેમાં ૨૦ મહિલાઓ હતી. સુનબુલામાં ૨૨ ઓગષ્ટથી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાબુક ખાનારી મહિલાઓની સંખ્યા બે ગણી વધી ગઇ છે. અગાઉ ૧૦ લોકોને ચાબુક મારવામાં આવ્યા હતા.…

Read More

ભારતીય સિનેમા જગતનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર શાહરૂખ ખાનને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ ‘વશ‘ને પણ નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ૭૧માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયા છે, શાહરૂખ ખાન, રાની મુખર્જીથી લઈને મોહનલાલ સહિતના અનેક દિગ્ગજાે પોતાનો પુરસ્કાર લેવા દિલ્હીં પહોંચ્યા હતા. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ભારતીય સિનેમા જગતનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારમાંથી એક ગણાય છે. ભારત સરકારના સૂચના પ્રસારણ મંત્રાલય તરફથી આયોજિત કરાતા આ પુરસ્કાર સમારોહમાં દર વર્ષે ભારતીય ફિલ્મ કલાકારોને તેમના અદ્વિતીય કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આજે (૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫)ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ૭૧માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત…

Read More