- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
ઇ૨૦ પેટ્રોલ વાહનો માટે સલામત હોવાનો દાવો ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્ર સરકારે ફગાવ્યો ભારત કુલ ઉર્જા જરૂરિયાતના ૮૮ ટકાની આયાત કરે છે ત્યારે સ્વચ્છ ઉર્જા અને જૈવિક ઇંધણનો ઉપયોગ જરૂરી ઓઇલ મંત્રી હરદીપસિંઘ પુરીએ મંગળવારે જૈવિક ઇંધણ ના કારણે ઓટોમોબાઇલ એન્જિનને નુકસાન થતું હોવાના દાવાને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવો તે પર્યાવરણની રીતે સલામત છે. પુરીએ સેમિનારમાં જણાવ્યું હતું કે જૈવિક ઇંધણ વાહનો માટે નુકસાનકારક હોવાની ફરતી વાતો તદ્દન ખોટી અને વાહિયાત છે. પેટ્રોલમાં મિશ્રિત કરવામાં આવતું ૨૦ ટકા ઇથેનોલ શેરડી કે ખાદ્ય પદાર્થમાંથી મેળવવામાં આવે છે,…
રશિયન પ્રમુખ પુતિને અચાનક મુલાકાત લીધી રશિયા અને બેલારૂસના એક લાખથી વધુ સૈનિકોનો સંયુક્ત સૈન્ય અભ્યાસ આ કવાયત ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન બેલારુસ અને રશિયામાં નાટો સરહદો નજીક યોજાઈ હતી રશિયા અને બેલારૂસના એક લાખથી વધુ સૈનિકોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ “ઝાપડ ૨૦૨૫”માં ભાગ લીધો હતો. જેની રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનએ અચાનક મુલાકાત લીધી હતી. આ કવાયત ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન બેલારુસ અને રશિયામાં નાટો સરહદો નજીક યોજાઈ હતી. આ કવાયતમાં એક લાખથી વધુ સૈનિકો સામેલ હતા. આટલા મોટાપાયે હાથ ધરવામાં આવેલી આ કવાયતે નાટો દેશોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે, ખાસ કરીને પોલેન્ડમાં રશિયન ડ્રોન તોડી પાડ્યા બાદ હાથ…
પાકિસ્તાન-સાઉદી વચ્ચે ડીલ અંગે ભારતની પ્રતિક્રિયા ભારતે સ્પષ્ટતા કરી છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તૈયાર છે ભારત સરકાર આ કરાર સંબંધિત સમાચારોથી વાકેફ છે અને તેને ગંભીરતાથી લઈ રહી છે : વિદેશ મંત્રાલયના પ્રવક્તા પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના તાજેતરના સંરક્ષણ કરાર પર ભારતે પ્રતિક્રિયા આપી છે. આ સમજૂતી મુજબ, જાે બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બીજા દેશ પર પણ હુમલો ગણવામાં આવશે. આ અંગે ભારતે સ્પષ્ટતા કરી છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તૈયાર છે, અને આ કરારની અસરોનો અભ્યાસ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાને જણાવ્યું કે…
વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી કંગના રણૌત આવે તો થપ્પડ જ મારી દેજાે કંગના રણૌતને લઈને તમિલનાડુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.એસ.અલગિરિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતને લઈને તમિલનાડુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.એસ.અલગિરિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અલગિરિએ કહ્યું કે જાે કંગના તમિલનાડુની મુલાકાત લે, તો તેમને થપ્પડ મારી દેજાે. કોંગ્રેસના આ ભૂતપૂર્વ પ્રમુખે કંગના પર આરોપ મૂક્યો છે કે તેઓ અહંકારી છે અને બેજવાબદાર નિવેદનો આપે છે. તેમણે ચંદીગઢ એરપોર્ટ પર બનેલી થપ્પડની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ટિપ્પણી કંગનાના એક જૂના નિવેદનના સંદર્ભમાં કરવામાં આવી હતી, જેમાં કંગનાએ આરોપ લગાવ્યો હતો…
ચૂંટણી પંચે મત ચોરીના મુદ્દા પર જવાબ આપ્યો કોઈપણ સામાન્ય નાગરિક ઓનલાઈન મત ડિલીટ ન કરી શકે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવાર (૧૮ સપ્ટેમ્બર) એ પત્રકાર પરિષદ દરમિયાન ચૂંટણી પંચ પર વોટ ચોરીને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે ચૂંટણી પંચનો જવાબ આવ્યો છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રાહુલે કહ્યુ હતુ કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહ્યાં છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીની પત્રકાર પૂર્ણ થયા બાદ તેનો જવાબ આપ્યો…
રાહુલ ગાંધીએ ફરી એકવાર મત ચોરીનો મુદ્દો ઉઠાવ્યો દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોના રક્ષક બની ગયા છે દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઇજેક કરી વોટ ડિલીટ કરી દીધા છે, નવા વોટ ઉમેરાઈ રહ્યા છે : દેશની લોકશાહી હાઇજેક થઈ ગઈ છે : રાહુલ રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે કેટલાક પુરાવા રજૂ કરીને દાવો કર્યો હતો કે, ‘દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઇજેક કરી વોટ ડિલીટ કરી દીધા છે, નવા વોટ ઉમેરાઈ…
અનુરાગ કશ્યપનું ચોંકાવનારું નિવેદન.મને વિરાટ કોહલીની બાયોપિક બનાવવામાં રસ નથી’:અનુરાગ.અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘નિશાનચી’ ૧૯ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશ.ભારતીય ક્રિકેટ ટીમના ઘણા દિગ્ગજ ખેલાડીઓની બાયોપિક બનાવવામાં આવી છે, જેમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને મિતાલી રાજના નામ ટોપ પર છે. આજના યુગમાં વિરાટ કોહલીનો પણ એવો જ ક્રેઝ છે. ભારતીય ક્રિકેટમાં તેનું ખાસ સ્થાન છે. તેના લાખો ફોલોઅર્સ છે. ત્યારે હવે આ વચ્ચેબોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પોતાના ફેવરિટ ક્રિકેટર્સમાંથી એક વિરાટ કોહલીની બાયોપિક પર વાત કરી છે. અનુરાગને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, શું તમે વિરાટ કોહલીની બાયોપિક બનાવવા માગો છો? તેના જવાબમાં ડાયરેક્ટરે કહ્યું…
આજકાલ, બધા જ ચહેરા લગભગ સરખા જ લાગે છે : દિવ્યા.દિવ્યા ખોસલાએ ફિલર સર્જરી કરાવતા સ્ટાર્સની ટીકા કરી.દિવ્યાએ કહ્યું કે કેટલાંક લોકોએ એવું પણ કહેલું કે તેનો ગોળ-મટોળ ચહેરો ઇન્ડસ્ટ્રીના ધારા-ધોરણો માટે યોગ્ય નથી.એક્ટર દિવ્યા ખોસલાએ તાજેતરમાં કયલી જેનર અને કેટલીક બોલિવૂડ એક્ટ્રેસની બોટોક્સ સર્જરી તેમજ ફિલિંગ સર્જરી કરાવીને કુદરતી સોંદર્યને ખરાબ કરતા હોવાની વાત કરીને ટીકા કરી છે. તેણે કહ્યું, “બધાં જ ચહેરાં સરખાં જ લાગે છે.” દિવ્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “આજકાલ, બધા જ ચહેરા લગભગ સરખા જ લાગે છે. જે લોકો મુંબઇના ડોક્ટર પાસે જાય છે એ સરખા દેખાય છે અને જે દુબઇના ડોક્ટર પાસે જાય છે એ…
વરુણે પણ જાહન્વીના વિચારો સાથે સહમતી દર્શાવી.જાહન્વી સોશિયલ મીડિયા પર પોતાની મરજી વિરુદ્ધ ફેક તસવીરોથી ચિંતિત.વરુણ ધવને કલાકારો અને તેમની ઓળખનો દુરુપયોગ અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ ટૂલની મદદથી અનેક પ્રકારની નકલી તસવીરો બની રહી છે અને આવી અસંખ્ય તસવીરો સોશિયલ મીડિયો પર પોસ્ટ થઈ રહી છે. આ સ્થિતિમાં ઘણા લોકોની તસવીરોનો દરુપયોગ પણ ખુબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, ખાસ કરીને ફિલ્મ અને ટીવીના કલાકારોની વિવિધ પ્રકારની ફેક તસવીરો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. તાજેતરમાં જાહન્વી કપૂર અને વરુણ ધવનની ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ના ટ્રેલર લોંચની ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં વરુણ ધવન અન…
સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.178 નરમ, ચાંદીનો વાયદો રૂ.233 તેજઃ ક્રૂડ તેલમાં રૂ.1નો મામૂલી સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.28779.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.172907.85 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.24563.93 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25490 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.201687.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28779.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.172907.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25490 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1506.41 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.24563.93 કરોડનાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



