- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
અભિનેત્રી અમીષા પટેલનો ખુલાસો.મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું.હું હંમેશા અનાથ બાળકો વિશે વિચારું છું : અમીષા.બોલિવૂડની જાણીતિ અભિનેત્રી અમીષા પટેલ હાલમાં ૫૦ વર્ષની થઈ ગઈ છે. પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. હાલમાં જ તેણે ખૂલાસો કરતાં કહ્યું તેણે કેટલાક બાળકોને દત્તક લીધા હતા અને તેમના અભ્યાસનો સમગ્ર ખર્ચ ઉઠાવે છે. અમીષા પટેલે એક યૂટ્યૂબર સાથે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને બાળકો ખૂબ જ પસંદ છે. હું મારા ભત્રીજા, ભાઈઓ, કાકાના ભાઈ બહેનોના ડાયપર બદલતી હતી. તેઓને જમાડતી હતી, તેમને સુવડાવતી હતી, અને કહેતી હતી કે, હું આખી ક્રિકેટ ટીમને જન્મ આપીશ. ત્યારે મારી માતા…
સિંગાપુરમાં સ્કૂબા ડાઈવિંગ કરતા હતા ત્યારે દુર્ઘટના.બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું ૫૨ વર્ષની વયે દુ:ખદ નિધનઝુબિન ગર્ગે બોલિવૂડમાં ઘણા ગીતો ગાયા, જેમાં ગેંગસ્ટર ફિલ્મનું ગીત યા અલી પ્રખ્યાત ગીતો પૈકીનું એક ગીત છ.બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું ૫૨ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. તેઓ સિંગાપુરમાં હતા અને ત્યાં તેઓ સ્કૂબા ડ્રાઈવિંગ કરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો અને તેઓ કાયમ માટે આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે. ઝુબિન ગર્ગે બોલિવૂડમાં ઘણા ગીતો ગાયા હતા. જેમાં ગેંગસ્ટર ફિલ્મનું ગીત યા અલી તેમના પ્રખ્યાત ગીતો પૈકીનું એક ગીત છે. તેમના નિધનને લઈને આજે બોલિવૂડને મોટી ખોટ પડી છે…
દીકરા માટે માંગી ન્યાયની ભીખ.અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ૯૧ વર્ષીય પિતાનું દર્દ છલકાયું!.કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ તપાસની માંગ કરી હતી, અને કહ્યું હતું કે તેનાથી તેમના પુત્રની છબી ખરાબ થઈ છે.ગુજરાતના અમદાવાદમાં થયેલા દેશના સૌથી મોટા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલ પર વિવાદ ઉભો થયો છે. છૈં ૧૭૧ના મુખ્ય પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ નવેસરથી તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, લીક થવાની ઘટનાને કારણે તેમના પુત્રની છબી ખરાબ થઈ છે. ૧૨ જૂને ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો. હવે, આ અકસ્માતની તપાસ અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. ફ્લાઇટના પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના…
મહારાષ્ટ્ર સૌથી આગળ, દિલ્હી બીજા નંબર પર.ભારતમાં ૮ લાખથી વધુ છે કરોડપતિ પરિવાર, મહારાષ્ટ્ર સૌથી આગળ.૨૦૨૧માં દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા ૪.૫૮ લાખ હતી, જ્યારે હવે વધીને ૮.૭૧ લાખ થઈ ગઈ છે.દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા ૪.૫૮ લાખ હતી, જ્યારે હવે વધીને ૮.૭૧ લાખ થઈ ગઈ છે. હુરુન ઇન્ડિયા રિપોર્ટ ૨૦૨૫ અનુસાર, ભારતમાં કુલ સંપત્તિ ૮.૫ કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની નેટવર્થ ધરાવતા પરિવારોની સંખ્યા હવે ૮૭૧,૭૦૦ છે. જાે કે, હજુ પણ ભારતમાં કરોડપતિઓની સંખ્યા ચીન કે અમેરિકા જેવા દેશો કરતા ઓછી છે, પરંતુ અહીંની વધતી…
સોનાના વાયદામાં રૂ.338 અને ચાંદીના વાયદામાં રૂ.1,166નો ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.36ની નરમાઇ એલચીના વાયદામાં રૂ.27ની વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદામાં સીમિત ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16841.29 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105675.72 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14307.43 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.122517.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16841.29 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105675.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.830.26 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14307.43 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.109254ના ભાવે…
રજનીકાંતે ૪૬ વર્ષે કમલ હસન સાથે ફિલ્મ કરવા પર સ્પષ્ટતા કરી.રજનીકાંત અને કમલ હસનને એક સાથે લેવા મામલે ડિરેક્ટર હજુ અવઢવમાં.અમે રાજ કમલ અને રેડ જાયન્ટ્સ સાથે મળીને એક ફિલ્મ કરવાનું વિચારી રહ્યા છીએ : રજનીકાંત. સુપર સ્ટાર રજનીકાંત અને કમલ હસન ૪૬ વર્ષે એકસાથે ફિલ્મ કરશે, તે બાબતે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે થોડાં વખત પહેલાં કમલ હસને સાથે કામ કરશે એવી વાત કરી હતી, પછી રજનીકાંતે પણ આ વાતને ટેકો આપ્યો હતો. પરંતુ હવે એવું લાગે છે કે ડિરેક્ટરે હવે આ બંનેને સાથે લઇને કોઈ વાર્તા ફાઇનલ કરી નથી.થોડાં વખત પહેલાં રજનીકાંતે એરપોર્ટ પરની એક…
દીપિકાએ માત્ર ૭ કલાક જ કામ કરવાની શરત પણ મુકી હતી.‘કલ્કિ’ની સિક્વલમાં દીપિકાની બાદબાકીનું કારણ જાહેર કરાયું.દીપિકા પાદુકોણમાં કમિટમેન્ટનો અભાવ, વધુ ફી ઉપરાંત ૨૫ લોકોની ટીમ માટે ૫ સ્ટાર સુવિધા માગી હોવાની ચચા.બોલિવૂડ એરક્ટ્રેસ દીપિકા પાદુકોણને પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ‘કલકી ૨૮૯૮ એડી’માંથી ઓફિશીયલી દૂર કરવામાં આવી છે અને તેની સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી છે. આની પાછળ ફિલ્મના પ્રોડ્યુસર્સ સામે તેણે મુકેલી ગેરવ્યાજબી માગણીઓને જવાબદાર માનવામાં આવે છે. ૧૮ સપ્ટેમ્બરે ફિલ્મના મેકર્સ દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કમિટમેન્ટ ઇશ્યુને જવાબદાર ગણાવીને આ પ્રકારની મોટા ગજાની ફિલ્મ માટે સંપુર્ણ જાેડાણની જરૂર પડે છે છે, જેની…
અમે જુના થઈ જઈએ છીએ પણ હિરો નહીં :શાન.મને અને સોનુ નિગમને લોકો ૯૦ના દાયકાના ગણે, પણ શાહરુખને નહીં.સિંગર શાન ખુશ છે કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના કેટલાંક જુના ગીતો નવી પેઢીને આજે પણ પસંદ પડી રહ્યા છે.સામાન્ય રીતે જુના કલાકારો નવા રીક્રિએશનથી ખુશ હોતા નથી પરંતુ બોલિવૂડ સિંગર શાન ખુશ છે કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના કેટલાંક જુના ગીતો નવી પેઢીને આજે પણ પસંદ પડી રહ્યા છે. શાનના જુના ગીતો આજે પણ રીલ્સ અને સોશિયલ મીડિયાથી પોતાનું નવું ઓડિયન્સ શોધી રહ્યા છે, જેના માટે શાન બધાનો આભારી છે. છતાં તેને એક ફરિયાદ છે, તેને અને તેના સમયના…
ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાશે નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે નવરાત્રિ દરમિયાન મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. નોંધનીય છે કે, આસો માસની નવરાત્રિનો પાવન પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભક્તો આરતી અને માતાના દર્શનનો લ્હાવો લઈ શકે તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ આયોજન કર્યું છે. નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ૨૦મી અને ૨૧મી સપ્ટેમ્બર (અમાસ) તેમજ ૨૩મી સપ્ટેમ્બર પહેલા નોરતે સવારે ૫ વાગ્યે મંદિરના દ્વાર ખુલશે…
નવરાત્રિ પર્વને લઇ આયોજકો માટે મોટા સમાચાર ગરબાની મંજૂરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવશે પાર્ટી પ્લોટ અને કલબો માટેના રાસ-ગરબાના કાર્યક્રમો માટે કાર્યક્રમની મંજુરી મામલતદાર તરફથી આપી શકાશે નહી. અમદાવાદમાં આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા ગરબાના આયોજન માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું મુખ્યત્વે શાંતિ અને સુરક્ષા જાળવવાના હેતુથી બહાર પાડવામાં આવ્યું છે, જેનો અમલ પાર્ટી પ્લોટ અને ક્લબમાં થતા ગરબાના કાર્યક્રમોને લાગુ પડશે. આ જાહેરનામા મુજબ, ટિકિટ અથવા પાસવાળા પાર્ટી પ્લોટ અને ક્લબમાં યોજાતા રાસ-ગરબાના કાર્યક્રમોની મંજૂરી હવેથી મામલતદાર દ્વારા આપવામાં આવશે નહીં. આ મંજૂરી સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



