- અમિત શાહના હસ્તે અમદાવાદમાં 1.25 કરોડ વૃક્ષારોપણ, ₹405 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
- દેવભૂમિ દ્વારકામાં AAPનું સંગઠન સંકલ્પ અભિયાન, કોંગ્રેસના આગેવાનોનો પક્ષપ્રવેશ, 2027ની ચૂંટણી પર ફોકસ
- અફઘાન મંત્રીનો ભારત સાથે મજબૂત સંબંધોનો સંદેશ, કહ્યું- ‘અમારો અને ભારતનો DNA એક છે’
- હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી ફટકારનારી પ્રથમ ભારતીય
- નીતિ આયોગના અહેવાલમાં દાવો: 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ, શિક્ષણ પર ગંભીર ચિંતા
- રશિયન ઓઈલ ખરીદતા ભારત પર અમેરિકાના નવા બિલથી ભારે ટેરિફ અને પ્રતિબંધોનું જોખમ
- ન્યુઝીલેન્ડમાં મોદીએ 25-30 વર્ષ જૂનું ભેટમાં મળેલું મફલર યાદ કરી ભારતીયોને ભાવુક કર્યા
- E20 પેટ્રોલ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, E10 વિકલ્પ, વીમા અને સ્પષ્ટ લેબલિંગની માંગ
Author: Garvi Gujarat
સુનામીનો ડર અને ભૂસ્ખલનથી મોટી જાનહાનિ ફિલિપાઇન્સમાં છેલ્લા ૫૦ વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ કાટમાળ નીચે હજુ પણ લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે બચાવકર્મીઓ મંગળવારે પણ ધરાશાયી થયેલી ઇમારતોમાં સઘન શોધખોળ ચલાવી રહ્યા છે દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૭ લોકોના મોત થયા છે અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આપત્તિના કારણે ૨૦,૦૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે, જેમને ઈમરજન્સી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી રેકોર્ડ મુજબ હાલમાં માત્ર ૪ લોકો જ ગુમ છે, પરંતુ કાટમાળ નીચે હજુ પણ…
દીપક મોદી બિનહરીફ ચૂંટાયા હતા વિસનગરના વોર્ડ નં.૧ના નગરસેવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈકાલ સવારે સાતેક વાગ્યે ચા-નાસ્તો કરીને તેઓ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ આ દુ:ખદ ઘટના બની હતી વિસનગર પાલિકાના વોર્ડ નં.૧માં બિનહરીફ ચૂંટાયેલા અને ભાજપે પક્ષના નેતા તરીકે નિયુક્ત કરેલા દીપકકુમાર મોદીએ સોમવારે સવારે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં ગણેશનગર સોસાયટીમાં રહેતા ભાજપના સેવાભાવી કાર્યકર તરીકેની છાપ ધરાવતા દીપકકુમાર ડાહ્યાલાલ મોદી (ઉં.વ.૫૪) તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧માંથી બિનહરીફ ચૂંટાયા હતા. ભાજપ…
સુપ્રીમ કોર્ટે સહમતિથી બનાવેલા સંબંધો પર અપરિણીત યુગલોને રાહત આપી લગ્ન પૂર્વે સંમતિથી બંધાયેલા સંબંધો ખરાબ કેરેક્ટર નથી સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ભરતી બોર્ડનો ર્નિણય મનસ્વી હતો, કારણ કે લોક અદાલતમાં થયેલું સમાધાન ગુનો કબૂલવા સમાન નથી ભારતમાં ઘણીવાર લગ્ન પહેલાના શારીરિક સંબંધોને ‘ચારિર્ત્યહીનતા’ સાથે જાેડવામાં આવે છે. સામાજિક બદલાવ અને વ્યક્તિગત સ્વતંત્રતાના યુગમાં નૈતિકતાના માપદંડો અંગે સુપ્રીમ કોર્ટે એક અત્યંત પ્રગતિશીલ અને મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વયની વ્યક્તિઓ દ્વારા પરસ્પર સહમતિથી રાખવામાં આવેલા સંબંધોને તેના ચારિર્ત્યના આંકલનનો આધાર બનાવી શકાય નહીં. આવા સંબંધો કોઈ વ્યક્તિના ખરાબ ચારિર્ત્યનું પ્રમાણપત્ર નથી. જસ્ટિસ મનોજ મિશ્રા અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક અઠવાડિયા પહેલા વેડ દરવાજા જીલાની બ્રિજ પાસે વહેલી સવારથી જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં નાસિનગરના મકાનોના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની નોટિસ વિના અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફરી વળવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ૫૦ વર્ષો ઉપરાંત થી વસવાટ કરતા પરિવારો રાતોરાત બેઘર બની જતા નાસિરનગરના મકાનોના રહેવાસીઓ માં પણ આક્રોશ ફેલાયો હતો. આખરે ડિમોલિશનની આ ઘટનામાં ભારે વિવાદ સર્જાતા મહાનગરપાલિકાના અધિકારીઓ ભેખડે ભેરવાયા હતા. અને આ ડિમોલિશન મામલે હાથ ઊંચા કરી દેતા સમગ્ર વિવાદ હાઇકોર્ટમાં પહોંચતા હવે બહાર આવશે કયો મોરલો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના વિવિધ શહેરોના વર્ષોથી વસતા અને જેમનો તો જન્મ જ ગુજરાતમાં થયો છે એવા રાજસ્થાની સમાજના પરિવારો વિવિધ વ્યવસાયોમાં આજે વ્યસ્ત થઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા સાથે બાળકોને સારું શિક્ષણ આપવા તનતોડ મહેનત કરી રહ્યા છે. એવો રાજસ્થાની સમાજ ધંધામાં જેમાં મુખ્યત્વે ટેક્ષટાઇલ્સ, અનાજ કરિયાણાની દુકાનો, આઇસક્રીમ, ઠંડા પીણા, ભોજનલાય, ચાની હોટેલ થી લઈને મીઠાઇની બ્રાન્ડેડ આઇટમોમાં નામ કાઢી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે નાની મોટી કરિયાણાની કે આઇસ્ક્રીમ જેવી દુકાનોમાં પરિવારના સભ્યો જ મોટાભાગે કામ કરી દુકાન ચલાવતા હોય છે. આજ નાના મોટા ધંધા માંથી પોતાના સંતાનોને પછી એ છોકરો હોય કે છોકરી…
ટ્રમ્પનો સૌથી મોટો દાવો પરમાણુ હથિયાર છોડવા તૈયાર છે ઇરાન, અમેરિકા સાથે કરશે ડીલ ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ છોડવા અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે.સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ માટે આયોજિત એક વર્ચ્યુઅલ ટેલિ-રેલી દરમિયાન સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન, ચાલી રહેલી વાટાઘાટો અને મધ્ય-પૂર્વની સુરક્ષા…
આ અવસરે શ્રી સંઘાણીએ તાજેતરમાં પૂર્ણ થયેલા અમેરિકા પ્રવાસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ અનુભવો અને તારણોની માહિતી આપી. અમેરિકામાં કૃષિ નવીનીકરણ, સહકારી મોડલ, કૃષિ વ્યવસાય વિકાસ, ટેક્નોલોજી હસ્તાંતરણ તથા ખેડૂતકેન્દ્રિત પહેલો અંગે થયેલી ચર્ચાઓના મુખ્ય મુદ્દાઓથી મંત્રીશ્રીને જાણકારી આપેલ. બેઠક દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ, સહકારિતા, કૃષિ વ્યવસાય, ખાદ્ય સુરક્ષા, કૃષિ ટેક્નોલોજી અને ખેડૂત સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહકાર અને ભાગીદારી અંગે અર્થપૂર્ણ ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે જ્ઞાન, ટેક્નોલોજી અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાનને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. શ્રી સંઘાણીએ કૃષિ અને ગ્રામ વિકાસ…
રાકેશ રોશને બજેટ મુદ્દે તકલીફોની વાતને અફવા ગણાવી ક્રિશ ૪ મુદ્દે રિતિક અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ તકલીફ નથી છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એવા અહેવાલો આવતા રહ્યા છે કે રિતિક આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે જ્યારથી ક્રિશ ૪ મુદ્ગે રિતિક રોશન અને યશરાજ ફિલ્મ્સ ઘર્ષણના અહેવાલો આવ્યા છે, ત્યારથી આ ફિલ્મ અંગે કોઈ પણ અહેવાલ કે માહિતી બહાર ન જાય તે અંગે ઘણું ધ્યાન રાખવામાં આવે છે. એવા અહેવાલો હતા કે ક્રિશ ૪ના વધતા બજેટ મુદ્દે ફિલ્મના ડિરેક્ટર રિતિક રોશન અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ તકલીફ થઈ છે. ત્યારે હવે રાકેશ રોશને આ અફવાઓ અને અટકળો અંગે મૌન તોડ્યું છે.…
સોશિયલ મીડિયા પર ગીતનું એક ટીઝર પણ શેર કર્યું પરિણીતિ ચોપરા ટૉક શો પછી હવે આધ્યાત્મિક ગીતમાં જાેવા મળશે ફિલ્મોનાં વ્યસ્ત શીડ્યુલમાં તરત જ પાછા ફરવાને બદલે, તેણે ક્રિએટિવ ફિલ્ડમાં નવા વિકલ્પો અજમાવ્યા છે એક્ટર અને સિંગર પરિણીતિ ચોપરાએ એક નવા મ્યુઝિકલ પ્રોજેક્ટની ઝલક આપી છે અને તેમાંથી તે પોતાની વધુ એક અલગ સફર શરૂ કરવાની હોય એવો અંદાજ આવે છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બહુ જલદી તેનું એક આધ્યાત્મિક ગીત આવશે અને આ વાતથી તેનાં ફૅન્સની પણ ઉત્સુકતા વધી હતી.તેણે પોતાના સોશિયલ મીડિયા પર આ ગીતનું એક ટીઝર પણ શેર કર્યું…
‘હું જે કામ કરતો આવ્યો છું, તેનાથી થોડો દૂર જવા માગું છું’ છેલ્લા ૧૦ વર્ષથી મને અભિનય છોડી દેવાનો વિચાર આવે છે : મનોજ બાજપેયી ભારતના ૧૯૯૦ના આર્થિક સંકટની ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મ ૧૨ જૂને થિએટર્સમાં રિલીઝ થવાની છે ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી અને અનેક એવોર્ડ વિજેતા ફિલ્મો છતાં, બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીએ સ્વીકાર્યું છે કે તેણે ઘણી વાર અભિનયને સંપૂર્ણપણે અલવિદા કહેવાનો વિચાર કર્યાે છે. એક પોડકાસ્ટ દરમિયાન મનોજે જણાવ્યું કે હવે તે સિનેમાનાં હળવા પાસાને અજમાવવા માંગે છે, જેમાં કોમર્શિયલ મનોરંજક ફિલ્મો અને સ્લેપસ્ટિક કોમેડીનો સમાવેશ થાય છે. આ પ્રકારની ફિલ્મો તેને તે સામાન્ય રીતે જે પ્રકારનાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



