- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સરકારની સાથે સાથે કુદરત પણ ખેડૂતોથી રૂઠ્યો છે. સરકારના નોર્મ્સ પ્રમાણે જો 8 તારીખ સુધી યોગ્ય વરસાદ નહીં પડે તો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. ગત વર્ષે આ જ જગ્યાએ દેવભૂમિ દ્વારકાના ગામોમાં લગભગ બધા તળાવ ભરેલા હતા પણ હાલ પાણી નથી. હું મુખ્યમંત્રીને અપીલ કરીશ કે એક વખત હેલિકોપ્ટર લઈને આ બાજુ ચક્કર મારવા આવો, અને જો તમારી પાસે સમય ન હોય તો તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. કારણ કે હાલ પાક વીમા યોજના બંધ છે. હું ખંભાળિયાના ઘણા ગામોમાં ફર્યો અને લોકો ખૂબ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવ્યું હતું કે આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 100 જેટલા ગાડીઓના માલિકોને લઈને પ્રધાનમંત્રી આવાસ ગયા હતા, આ ગાડીઓના માલિક એવા લોકો છે જેમની ગાડી E20 પેટ્રોલના કારણે ખરાબ થઈ હોય અથવા તો કોઈને કોઈ રીતે નુકસાની ભોગવી રહ્યા છે. સાથે સાથે 2 લાખ 30 હજાર પીટીશન લઈને અરવિંદ કેજરીવાલજી આ ગાડીઓના માલિક સાથે પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા હતા. પોલીસે કેજરીવાલજીને પ્રધાનમંત્રીને મળવાથી રોક્યા હતા પરંતુ કેજરીવાલજીએ પોતાની પિટિશનો પ્રધાનમંત્રીને મોકલી આપી છે. આ દેશમાં 33 કરોડ ગાડીઓ એવી છે જે 2023 પહેલાની…
આમ આદમી પાર્ટીના ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પિયુષ પરમારે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જામવાડી ગામેથી એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, અહીંયા પાંચ વર્ષ પહેલા ખેડૂતોએ પોતાના સ્વખર્ચેથી એક પુલ બનાવ્યો હતો. પરંતુ ભાજપના ગુંડાઓ દ્વારા એને તોડવાની અરજી કરવામાં આવી છે અને ધારાસભ્ય ભગવાનજી કરગથીયા પણ તેમને સહકાર આપી રહ્યા છે. આ પુલના કારણે કોઈ ખેડૂતોને એક પણ રૂપિયાની નુકસાની થઈ નથી. આ પૂલથી 29 ખેડૂતોને જવા માટેનો રસ્તો બન્યો છે. ખેડૂતોએ અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે આ પુલના કારણે જો કોઈના પણ ખેતરમાં પાણી જાય અને નુકસાની થાય તો જવાબદારી ખેડૂતોની રહેશે. આ…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ભારતના કેટલાય રાજ્યોમાં તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજસ્થાનના મેવાડ વિસ્તારમાં હજી જોઈએ એવો વરસાદ આવ્યો નથી. એવામાં મહિલાઓએ ઈન્દ્રદેવ ને રિઝવવા માટે સદીઓ જૂની અનોખી પરંપરા નિભાવી હતી. શુક્રવારે સાંજે ભોઈવાડા ના રાજ માળી સમાજની મહિલાઓએ ઘરેથી પાણી ભરેલા માટલા લઈને રસ્તામાં સરઘસ કાઢયુ હતું. માટલા લઈને ગણગૌર ઘાટ પહોંચેલી મહિલાઓએ પહેલા ત્યાં આવેલા સરોવરની પૂજા અર્ચના કરી અને ઘૂઘરી નામની વાનગી નો ભોગ ધરાવ્યો. એ પછીથી ઘરે પાછા ફરતી વખતે એ માટલા મંદિરો અને દુકાનોની ચોખઠ પર ફેંકીને ફોડ્યા હતા. આ પરંપરા પાછળ માન્યતા છે કે દુકાનદારો આ માટલા…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. સુરતના પરવત પાટિયા, પુણા કુંભારિયા રોડ ઉપર શિવશક્તિ માર્કેટનો આજથી ૯ થી ૧૦ વર્ષ પહેલા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલ એની રજા ચિઠ્ઠી (પ્લાન મંજૂરી) જેતે સમયે મેળવેલી હોવા છતાં આજ દિન સુધી એ પ્રોજેક્ટ આજે પણ ખંડેર હાલતમાં છે. આશરે ૦૯ થી ૧૦ વર્ષ પહેલા બિલ્ડર દામોદર કચ્છીએ ભુપત પોપટ ઠક્કર,પિનલ ઠક્કર સાથે મળીને આ લોકોએ શિવશક્તિ માર્કેટના નામે પ્રોજેક્ટ ચાલુ કરેલો અને શિવ શક્તિ માર્કેટના બુકિંગ પેટે જરૂરિયાત મંદો પાસેથી 35% થી 40% નાણાં એડવાન્સ લીધેલા અને બ્રોકરોના માધ્યમથી ડાયરીઓ બનાવેલી. જેમાં આજદિન સુધી રકમ પાછી આપવામાં આવી નથી એટલે કે છેલ્લા દસ…
ભારતીયોને ઈબી-૨ વિઝા માટે વધારે રાહ જાેવી પડશે અમેરિકામાં ભારતીયોને રોજગાર આધારિત ગ્રીનકાર્ડ હાલ મળશે નહીં મલ્ટિનેશનલ કંપનીઓમાં કાર્યરત ભારતીયો સહિત વિદેશી નાગરિકોના વિઝા માટે કેનેડાએ કડક નિયમો બનાવ્યાં ઈબી-૨ કેટેગરીના વિઝા મેળવીને અમેરિકા જતાં ઉચ્ચ ડિગ્રીધારક ભારતીયો સહિત તમામ વિદેશી નાગરિકોને હવે વધુ એક વર્ષની રાહ જાેવી પડશે. અમેરિકન સરકારે આ વર્ષે આ કેટેગરીના વિઝા અવેલેબલ ન હોવાની જાહેરાત કરી દીધી છે. કેનેડાએ પણ અમેરિકાની જેમ અમુક કેટેગરી વિઝાના નિયમો કડક બનાવી દેતાં હજારો ભારતીયો માટે કેનેડાના વિઝા મેળવવાનું મુશ્કેલ બનશે.અમેરિકન સરકારના કહેવા પ્રમાણે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીનકાર્ડ મેળવવા માટેની ઈબી-૨ કેટેગરી છે તેમાં આ વર્ષે જગ્યા નથી એટલે હવે…
રોડની બાજુમાં ચાલવા જગ્યા ફાળવવા કેન્દ્રને આદેશ દેશભરમાં તમામ રોડની બાજુમાં ફૂટપાથ દબાણ મૂક્ત કરો : સુપ્રીમ લોકો ફૂટપાથ પર ભયથી મૂક્ત રહીને ચાલી શકે તેવી વ્યવસ્થા કરો, સુપ્રીમે કેન્દ્રને યોગ્ય પગલાં માટે બે સપ્તાહનો સમય આપ્યો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે દેશમાં તમામ મહત્વના રોડ દબાણ મૂક્ત હોવા જાેઇએ, નાગરિકોને ચાલવા માટે રોડની બાજુમાં જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાં પણ કોઇ પણ પ્રકારનું દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં પણ રોડ હોય ચાલવા માટે અલગથી જગ્યા ફાળવવી પણ જરૂરી છે. પગપાળા ચાલનારાઓ ભયમૂક્ત બનીને ચાલી શકે તેવી વ્યવસ્થા…
ઇઝરાયેલનો સ્પષ્ટ ઇનકાર: ટ્રમ્પે કરેલા નિ:શસ્ત્રીકરણ કરાર સામે વાંધો હમાસ શસ્ત્રો હેઠાં મૂકે તે પછી જ ગાઝામાંથી સૈન્ય પાછું ખેંચાશે ટ્રમ્પની ૨૦ મુદ્દાની યુદ્ધવિરામ યોજના મુજબ હમાસ પોતાના હથિયારો હેઠા મૂકશે અને તેની વિશાળ સુરંગ વ્યવસ્થાને નાશ કરશે અને ઇઝરાયેલી મિલિટરી ગાઝામાં પીછેહટ કરશે હમાસ સાથે સૂચિત નિ:શસ્ત્રીકરણ કરાર અંગે અમેરિકા સમક્ષ ગંભીર સુરક્ષા ચિંતા વ્યક્ત કરતાં ઇઝરાયેલે જણાવ્યું છે કે ગુપ્તચર માહિતી મુજબ હમાસ નિ:શસ્ત્રીકરણ કરવાને બદલે પોતાની મિલિટરી તાકાત ફરીથી ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. હમાસનું સંપૂર્ણપણે નિ:શસ્ત્ર નહીં થાય ત્યાં સુધી ઇઝરાયેલી આર્મી ગાઝામાંથી પીછેહઠ નહીં કરે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ સપ્તાહની શરૂઆતમાં આ કરારની જાહેરાત કર્યા…
વર્ષ ૨૦૧૧માં અરૂણાનું કરિયર એકદમ પીક પર હતું વિવેક ઓબેરોયની હિરોઈને ગ્લેમર છોડી કેમ અપનાવ્યો અધ્યાત્મનો માર્ગ? અરૂણા એક અત્યંત પ્રાચીન સિદ્ધ પરંપરા સાથે જાેડાયેલી છે, જેનો ઇતિહાસ ઈ.સ. પૂર્વે ૩૧૪૩ જેટલો જૂનો માનવામાં આવે છે ૨૦૧૦માં આવેલી બોલીવૂડ ફિલ્મ ‘પ્રિન્સ’નું સુપરહિત ગીત ‘તેરે લિયે’ અને એક્ટર વિવેક ઓબેરોય સાથે પોતાની બોલ્ડનેસ અને કિલર અદાઓથી દર્શકોના દિલ પર રાજ કરનાર એક્ટ્રેસ અરૂણા શીલ્ડ્સ આજે ગ્લેમરની દુનિયાથી તદ્દન દૂર એક અલગ જ જીવન જીવી રહી છે. પોતાની પહેલી જ ફિલ્મથી દેશભરમાં ચર્ચામાં આવેલી અરૂણા જ્યારે કરિયરના પીક પર હતી, ત્યારે જ તેણે અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. આજે તે…
ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે આર ડી બર્મનની બાયોપિકમાં અક્ષય કુમારનો કેમિયો કરશે ફિલ્મમાં ફરહાન અખ્તર આરડી બર્મન ઉપરાંત એક ઓર દિગ્ગજ સંગીતકાર પંડિત રવિશંકરની પણ ભૂમિકા હશે ફરહાન અખ્તરની મુખ્ય ભૂમિકા ધરાવતી આર ડી બર્મનની બાયોપિકમાં હવે અક્ષય કુમાર પણ એક ખાસ કેમિયો કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. નીરજ પાંડે અને અક્ષય કુમાર અગાઉ પાંચ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા હોવા છતાં એક દાયકા બાદ તેઓ આ ફિલ્મમાં ફરી સાથે કામ કરશે.અક્ષય કુમારની ભૂમિકા નાની છે પણ તે સ્ટોરી માટે ખૂબ મહત્વની છે. નીરજ પાંડેએ આ રોલ નેેરેટ કર્યાે તે સાથે જ અક્ષયકુમાર તે ભજવવા માટે તૈયાર થઇ ગયો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


