Author: Garvi Gujarat

તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા.માર્ચની શરૂઆત સાથે જ હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે.૮ માર્ચ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે, રાજ્યમાં ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતા નથી.હાલમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક અપર એર સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ ભારતમાં સબટ્રોપિકલ વેસ્ટર્ન જેટ સ્ટ્રીમની અસર જાેવા મળી રહી છે, જે તાપમાનમાં ઝડપી વધારો કરી રહી છે. ૮ માર્ચ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે. રાજ્યમાં ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આગામી ૪૮ કલાક લઘુત્તમ તાપમાનમાં ૨…

Read More

કોચે કહ્યું- બસ હવે ઘરે જવું છે.યુદ્ધની અસર ક્રિકેટ પર: ભારતમાં ફસાઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમ.વેસ્ટ ઈન્ડિઝ ટીમના હેડ કોચ ડેરેન સૈમીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ શેર કરી નારાજગી વ્યક્ત કરી હતી.યુદ્ધની અસર હવે ક્રિકેટ પર દેખાઈ છે. જેમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬થી બહાર થયા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં ફસાઈ છે. સુપર-૮માં વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઈન્ડિયા વચ્ચે કોલકાતામાં મેચ રમાઈ હતી. જેમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝને તરત સ્વદેશ પરત જવાનુ હતું, પરંતુ પશ્ચિમ એશિયામાં ભારી સૈન્ય તણાવની અસર પડી હતી. આ મામલે વેસ્ટ ઈન્ડિઝ ટીમના કોચે કહ્યું કે, બસ હવે ઘરે જવું છે… વેસ્ટ ઈન્ડિઝ…

Read More

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ.ભારતમાં ૧૮૦ ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં.બેંગલુરુ અને કોલકાતામાં અનુક્રમે ૩૪ અને ૫ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જાેવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે ૪ માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે ૧૮૦ ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી. મુંબઈ એરપોર્ટ: સૌથી વધુ ૯૩ ફ્લાઈટ્સ રદ્દ…

Read More

ભારતની ૪૦% તેલની જરૂરિયાત પૂરી કરવા રશિયા તૈયાર.તેલ સંકટના સમયે રશિયાએ ભારતને સપ્લાયની આપી ખાતરી.હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર અટકી જતાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ સંકટની આશંકા સેવાઈ રહી છે.ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની સીધી અસર હવે તેલના પુરવઠા પર જાેવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર અટકી જતાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ સંકટની આશંકા સેવાઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ ૪૦% ક્રૂડ ઓઇલ આ જ રૂટ પરથી મેળવે છે, જે હવે બંધ જેવી સ્થિતિમાં છે. જાે આ યુદ્ધ લાંબુ ખેંચાય તો મુશ્કેલી વધી શકે તેમ છે. આ મુશ્કેલ સમયમાં રશિયા ફરી…

Read More

ઈરાનના વિદેશ મંત્રીએ આપી ધમકી.અમેરિકાએ પછતાવું પડશે, ચેતવણી વગર યુદ્ધ જહાજ પર કર્યો હુમલો.અમેરિકાએ ઈરાનના કિનારાથી ૨,૦૦૦ માઈલ દૂર સમુદ્રમાં એક જઘન્ય અપરાધ કર્યો છે : ઈરાનના વિદેશમંત્રી.અમેરિકન પરમાણુ સબમરીનના હુમલામાં ઈરાન યુદ્ધ જહાજ IRIS Dena ને હિંદ મહાસાગરમાં ડુબાડી દેવાની ઘટનાને લઈને ઈરાનના વિદેશ મંત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ગુરુવારે ચેતવણી આપી કે ઈરાનના યુદ્ધ જહાજ હુમલા માટે અમેરિકાએ પછતાવું પડશે. ઈરાનના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખતા કહ્યું કે, “અમેરિકાએ ઈરાનના કિનારાથી ૨,૦૦૦ માઈલ દૂર સમુદ્રમાં એક જઘન્ય અપરાધ કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ કહ્યું કે,…

Read More

હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું : નીતિશ કુમાર.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આપશે રાજીનામું.બે દાયકાથી મેં પૂર્ણ નિષ્ઠાથી તમારી સેવા કરી : નીતિશ કુમાર.બિહારના મુખ્યમંત્રી તથા JDU ના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે હું રાજ્યસભાનો સદસ્ય બનવા માંગુ છું. રાજ્યની નવી સરકારને મારું સમર્થન અને માર્ગદર્શન રહેશે. નોંધનીય છે કે થોડા મહિના અગાઉ જ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડના ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી હતી. જે બાદ નીતિશ કુમાર જ ફરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જાેકે છેલ્લા ૨…

Read More

૧૦૦૦ કિમી દૂર દુશ્મનના કાળજું ચીરી નાખશે ‘શેષનાગ’ભારતે બનાવ્યું દુનિયાનું સૌથી ‘સ્માર્ટ’ આત્મઘાતી ડ્રોન.ભારેત બનાવેલ આ ડ્રોન સતત ૫ કલાક સુધી ઉડી શકે છે અને ૪૦ કિલોગ્રામ વિસ્ફોટકો લઈ જઈ શકે છે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે, ભારતે પણ આધુનિક ડ્રોન યુદ્ધના મેદાનમાં પોતાની સૌથી ઘાતક ચાલ ચાલી છે. બેંગલુરુના ડિફેન્સ સ્ટાર્ટઅપ ન્યૂસ્પેસ રિસર્ચ ટેકનોલોજીસ ((NRT))એ ‘શેષનાગ-૧૫૦’ ડ્રોન વિકસાવ્યું છે, જે દુશ્મનના એર ડિફેન્સને પળવારમાં ભંગાર બનાવી શકે છે. આ માત્ર એક મશીન નથી, પરંતુ ભારતનું એવું સ્વદેશી સુદર્શન ચક્ર છે જે ૧૦૦૦ કિમીની રેન્જમાં સચોટ હુમલો કરવા સક્ષમ છે. આ ડ્રોન સતત ૫ કલાક સુધી ઉડી શકે છે…

Read More

યુદ્ધથી ઉકેલ નહીં આવે : વડાપ્રધાન મોદી.મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે મોદીની શાંતિ અને સંવાદની અપીલ .નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર સ્ટબ વચ્ચે બેઠક યોજાઈ : વેપાર, ટેકનોલોજી અને વૈશ્વિક સહકાર અંગે ચર્ચા કરી.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ Alexander Stubb વચ્ચે નવી દિલ્હીમાં સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સહકાર વધારવા માટે અનેક મહત્વપૂર્ણ સમજુતી કરારોનું આપલે કરવામાં આવ્યું હતું. બેઠક પૂર્ણ થયા બાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં વિશ્વ પરિસ્થિતિ, દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક સહકાર અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સંયુક્ત સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું…

Read More

ખામેનેઈના મોત પછી કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શનો કાશ્મીરમાં ૭મી સુધી શાળા-કોલેજાે બંધ: સુરક્ષા દળો હાઈ એલર્ટ પર ઈરાન પ્રત્યે સંગઠનનું વલણ શરમજનક છે અને તે પરોક્ષ રીતે હુમલાખોરોને સમર્થન આપવા જેવું છે : મુફ્તી ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ કાશ્મીરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને રાજ્યના વહીવટીતંત્રે મોટો ર્નિણય લીધો છે. સમગ્ર કાશ્મીર ખીણમાં ૭ માર્ચ સુધી તમામ શાળાઓ અને કોલેજાે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. કાશ્મીરના શિયા બહુલ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે દેખાવોના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે. પરિસ્થિતિની ગંભીરતાને જાેતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર…

Read More

આજે આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા” અંતર્ગત ચરાડવા, સુરેન્દ્રનગર અને ચોટીલા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી તથા AAP નેતા રમેશ મેર સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિત તમામ જાતિ-ધર્મ અને વર્ગના લોકો જોડાયા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવીને અને તેમના…

Read More