Author: Garvi Gujarat

કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો ૬ કિ.મી.નો રૂટ અમદાવાદ મેટ્રોના ફેઝ-2A ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ૬.૦૩૨ કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને તેમાં ૫ નવા સ્ટેશનોનો સમાવેશ થશે અમદાવાદવાસીઓ અને સમગ્ર ગુજરાત માટે આજે એક ખુબ જ મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતના હિતમાં અને વિકાસને વેગ આપતા ત્રણ મોટા ર્નિણયો લીધા છે. આ ર્નિણયોથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની કાયાપલટ થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્વનો ર્નિણય અમદાવાદ મેટ્રોના વિસ્તારને લઈને લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં કોઈ અદ્રશ્ય શક્તિના ઇશારે માત્ર “હાથો” બનીને નાસિર નગરના મકાનોના ડિમોલિશનની કામગીરી કરવા ગયેલા સુરત મહાનગરપાલિકા અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના ઉચ્ચ અધિકારીઓ આ મામલે બરાબરના ભેરવાયા છે. અને આ ડિમોલેશનનો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચતા જ રાજ્ય સરકારે મામલાની ગંભીરતા જોઈને અત્યંત ગુપ્ત રાહે આખી ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. તેમજ મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત સુરત પોલીસના જ અધિકારીઓ આ શંકાના દાયરામાં હોવાથી સુરત પોલીસને આ સમગ્ર તપાસ પ્રક્રિયાથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડની સત્ય હકીકત બહાર લાવવા માટે સુરત ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને ખાસ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં ઇંધણમાં વધી રહેલા ભાવોને લઈને ઘરેલુ LPG ના ભાવમાં વધારા બાદ, મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના (PMUY) હેઠળ પૂરા પાડવામાં આવતા સબસીડીવાળા સિલિન્ડરનો વાર્ષિક ક્વોટા નવથી ઘટાડીને ચાર કર્યો છે. સરકારે ગરીબ પરિવારો માટે સબસીડી વાળા રસોઈ ગેસ સિલિન્ડરનો વાર્ષિક ક્વોટા માત્ર ચાર કરતા ગરીબ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવશે. રવિવારે 14.2 કિલોગ્રામ LPG સિલિન્ડરના રૂપિયા ૨૯ ના ભાવ વધારા બાદ આ નિર્ણય જાહેર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદના નિવેદનમાં આ ઘટાડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સરકારી નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ સૌથી વધુ હેરાન થશે. પરંપરાગત રસોઈ ચૂલાઓથી થતા પ્રદૂષણથી બચાવવા માટે મોદી સરકારે…

Read More

સુરત મહાનગરપાલિકાની યુનિયન ઓફિસોના રાત્રે ૧૨ વાગ્યે તાળાં સેન્ટ્રલ ઝોને ડેપ્યુ.કમિશ્નર નિધિ સિવાચના કહેવાથી તોડયા હતા. યુનિયનોનો પોલીસ ફરિયાદ અંગે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, માત્ર ફરિયાદીઓના જવાબ લેવાયા પરંતુ મધ્યરાત્રિએ તાળાં તોડનારાના પોલીસ નિવેદન ક્યારે લેશે? (છગનલાલ મેવાડા ધ્વારા) સુરત  નાસિર નગરના મકાનોના ડિમોલિશન થતાં જ કાયદો શું છે અને જાગૃત મીડિયાએ કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓને ભીંસમાં લીધા છે.યુનિયન ઓફિસના તાળાં કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર રાતોરાત તાળાં તોડયા ત્યારે કાયદો ક્યાં હતો? કાયદાની મર્યાદાની વાતો કરનાર અધિકારી કાયદાની બહાર જઈ કઈ રીતે વર્તી શકે? યુનિયન ઓફિસના તાળાં તોડવામાં પણ સેન્ટ્રલ ઝોન અધિકારીઓએ ડેપ્યુ. કમિશ્નર નિધિ સિવાચ ના હુકમથી…

Read More

૧૦ વાર ફિલ્મ જાેવાનો પ્લાન.સુપર સ્ટાર રામ ચરણનો જાદુ : ફિલ્મ જાેવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા.નવી ફિલ્મ ‘પેદ્દી’ જાેવા માટે બે જાપાની પ્રશંસકોએ ઓફિસમાંથી પાંચ દિવસની રજા લઇ ભારત આવ્યા.સાઉથ સિનેમાનાં સુપરસ્ટાર રામ ચરણનો ક્રેઝ હવે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સાત સમંદર પાર જાપાન સુધી પહોંચી ગયો છે. રામ ચરણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ’પેદ્દી’ને મોટા પડદા પર જાેવા માટે તેનાં બે જાપાનીઝ ફેન્સ સીધાં ટોક્યોથી ફ્લાઇટ પકડીને હૈદરાબાદ આવી પહોંચ્યાં છે. સોશિયલ મીડિયા પર આ બંને ફેન્સનો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.માસામી અને ક્રિસ નામનાં આ બંને જાપાનીઝ પ્રશંસકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું…

Read More

બંને ફિલ્મ ૨૮ ઓગસ્ટે રિલીઝ થશે.શ્રદ્ધા કપૂરની ‘ઇથા’ અને સિદ્ધાર્થની ‘વિવાન’ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે.બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જાેવા મળશે અને આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનની રજાઓ દરમિયાન રિલીઝ થશે.છાવાની સફળતા પછી પ્રોડ્યુસર અને ડિરેક્ટર જાેડી દિનેજ વિજાન અને લક્ષ્મણ ઉટેકર ફરી ‘ઇથા’માં સાથે કામ કરી રહ્યા છે. આ બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જાેવા મળશે અને આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનની રજાઓ દરમિયાન રિલીઝ થશે. શ્રદ્ધા કપૂર એક મરાઠી લોકકલાકાર અને લાવણી નૃત્યાંગના વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરને જીવંત કરવાની છે એ વાતથી જ આ ફિલ્મ અંગે ઘણી ઉત્સુકતા છે અને ફિલ્મ અંગે…

Read More

રણવીર સાથે બાન્દ્રાનાં નવા ઘરમાં દીપિકાની ઝલક મળી.બૅબી બમ્પ સાથે દીપિકા પાદુકોણની ઝલકથી ફૅન્સ ખુશ.બંનેએ ૨૦૧૮માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમની પહેલી પુત્રીનો જન્મ થયો હતા.દીપિકા અને રણવીર સિંહના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં બે દિવસથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ એક ઘરની બાલ્કનીમાં ઉભેલાં જાેવા મળે છે. દીપિકા પાદુકોણ હાલ બીજી વખત પ્રેગનન્ટ છે અને પહેલી વખત તે બૅબી બમ્પ સાથે જાેવા મળી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોમવારે સાંજે બાંદ્રાનાં તેમના સી ફેસિંગ ક્વોડ્રુપ્લેક્સની બાલ્કનીમાં ઉભેલાં જાેવા મળ્યાં હતાં. જેમની ઝલકથી ફૅન્સ ખુશ થઈ ગયાં હતાં અને તેમનાં વીડિયો અને…

Read More

કેબીસીને ટક્કર આપશે.અનિલ કપૂર એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે.આ પહેલાં શાહરુખનો ગેમ શો ૨૦૦૮માં આવ્યો હતો અને તેને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી.શાહરુખે લગભગ ૧૬ વર્ષ પહેલાં એક ક્વિઝ શો હોસ્ટ કર્યાે હતો, જેનું નામ હતું, ‘ક્યા આપ પાંચવી પાસ સે તેઝ હૈ?’. એવા અહેવાલો છે કે સ્ટાર પ્લસ નેટવર્ક લાંબા સમય પછી એક એવો રિયાલિટી શો બનાવશે, જે બિગ બોસ અને લાફ્ટર શેફ્સ જેવા શોને ટક્કર આપશે. આ શોથી લાંબા સમય પછી સ્ટાર નેટવર્ક ફરી રિયાલિટી નોન ફિક્શન શોના જાેનરમાં પાછું ફરી રહ્યું છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનિલ કપૂર આ શોના સંચાલક તરીકે પહેલી…

Read More

યશસ્વી જયસ્વાલ લેશે જગ્યા ઇન્જરીના કારણે આખેઆખી વનડે સીરિઝ ગુમાવશે વિરાટ કોહલી પોતાના ૧૮ વર્ષના લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરમાં વિરાટ કોહલીએ ઇજાના કારણે ખૂબ જ ઓછી વખત મેચ મિસ કરી હશે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી ૧૩ જૂનથી શરૂ થઈ રહેલી ૩ મેચોની વનડે સીરિઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હૅમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે આ આખી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. વિરાટ કોહલીને આ ઇજા તાજેતરમાં રમાયેલી IPL ૨૦૨૬ દરમિયાન થઈ હતી. સીરિઝની પ્રથમ મેચ ૧૩ જૂને ધર્મશાલાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં હવે કોહલીના સ્થાને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં…

Read More

CM યોગીની ચેતવણી રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી સંતોએ શ્રીરામ જન્મભૂમિ આંદોલનને પોતાના જીવન-મરણનો પ્રશ્ન બનાવ્યો હતો, કારણ કે રામ આપણા આદર્શ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રભુ શ્રીરામની આલોચના કરનારાઓ અને દેશવિરોધી તત્વો પર આકરા પ્રહારો કર્યા છે. લખનૌમાં આયોજિત ૯ દિવસીય રામકથા મહોત્સવના સમાપન સમારોહમાં રામભક્તોને સંબોધિત કરતા સીએમ યોગીએ બેતૂક શબ્દોમાં કહ્યું કે, જેમના મનમાં ભારત પ્રત્યે આસ્થા અને નિષ્ઠા નથી, તેઓ માટે ભારતની ધરતી ધર્મશાળા હોઈ શકે નહીં. પ્રભુ શ્રીરામ સાથે દ્રોહ કરનારાઓને આ ધરતી પર જગ્યા નથી. પોતાના સંબોધનમાં સીએમ યોગીએ ‘લવ જિહાદ’ અને ‘લેન્ડ જિહાદ’ ના જાેખમો સામે…

Read More