Author: Garvi Gujarat

ઇમરજન્સી વોર્ડમાં હાલાકીની પરાકાષ્ઠા.નવસારી: સિવિલમાં ફરી વળ્યા ગટરના પાણી.હોસ્પિટલની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સીધા ઇમરજન્સી વોર્ડમાં ફરી વળ્યા છે.દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સીધા ઇમરજન્સી વોર્ડમાં ફરી વળ્યા છે. નવસારી સિવિલના જે ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે, ત્યાં અત્યારે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંદુ પાણી વોર્ડની અંદર…

Read More

૬૫૦થી વધુ ખેલાડીઓ લેશે ભાગમાધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે.આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, નાળીયેર ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ‘નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે ૨૭ માર્ચથી ૩૦ માર્ચ…

Read More

મધ્ય પૂર્વ યુદ્ધ અંગે પુતિનની ભવિષ્યવાણી.શું થશે તે કોઈને ખબર નથી, કોરોના જેવું ગંભીર પરિણામ આવશે.પુતિને કહ્યું કે આ યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને સપ્લાય ચેઈન પહેલેથી જ ખોરવાઈ ગઈ છે.રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને કહ્યું કે મધ્ય પૂર્વના યુદ્ધમાં આગળ શું થશે તે કોઈ કહી શકતું નથી. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધના પરિણામો કોવિડ-૧૯ મહામારી જેટલા જ ગંભીર હોઈ શકે છે. મોસ્કોમાં બિઝનેસ ફોરમને સંબોધતા પુતિને કહ્યું કે આ યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને સપ્લાય ચેઈન પહેલેથી જ ખોરવાઈ ગઈ છે. આ સાથે હાઈડ્રોકાર્બન, મેટલ અને ફર્ટિલાઈઝર સેક્ટર પર પણ દબાણ વધ્યું છે. પુતિને કહ્યું કે, યુદ્ધમાં સામેલ…

Read More

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જામનગરના…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજના હળહળતા કળિયુગમાં સગા સંતાનો પ્રોપર્ટી, પૈસા અને દાગીના માટે સગા મા-બાપને ત્રાસ આપવાનું છોડતા નથી તો કેટલાક કિસ્સાઓમાં તો મોતને ઘાટ ઉતારવાના બનાવો પણ ન્યૂઝ ચેનલો અને અખબારોમાં ચમક્યા છે અને ચમકતા રહે છે. ત્યારે લીમડામાં એક ડાળ મીઠી જેવો કિસ્સો રાજસ્થાનના ખેરવા ગામમાં બન્યો છે. આ વાત છે રાજસ્થાનના પાલી જિલ્લામાં ખેરવા ગામમાં અનાજના એક વેપારીએ ઈમાનદારીની મિસાલ રજૂ કરી હતી.તેણે ઘઉંની બોરીમાંથી માટે મળેલા ૧૫ લાખ રૂપિયાના ઘરેણા ખેડૂતને પાછા આપ્યા હતા. વાત એમ હતી કે ધીસારામ નામના ખેડૂતે ઘરમાં ઘઉંનો પાક લણીને એની ગૂણીઓ ભરી રાખી હતી. ઘરમાં કામ ચાલતું હોય ત્યારે…

Read More

મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર થયા ખફા યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોવાના અહેવાલો પર થરૂર ખફા ભારતે પોતાના રાજદ્વારી સબંધોનો ઉપયોગ કરવાની જરૂર હતી મોદી સરકારની પ્રશંસા કરનારા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોવાના અહેવાલો પર નારાજગી વ્યક્ત કરી છે. થરૂરે કહ્યું કે, આ મામલે ભારતે શાંતિ સ્થાપિત કરવામાં આગળ રહેવું જાેઈતું હતું, પરંતુ તેવું ન થઈ શક્યું. તમને જણાવી દઈએ કે, શશી થરૂર એ અહેવાલો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાકિસ્તાન, તુર્કીયે અને ઈજિપ્ત જેવા દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાટાઘાટો કરાવવામાં નેતૃત્વ કરી રહ્યા છે.…

Read More

કેરલમની નર્સના કર્યા વખાણ સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક મુશ્કેલ પળમાં મને કેરલમની એક નર્સે જે રીતે સાથ આપ્યો તેનાથી ઘણું આશ્વાસન મળ્યું : રાહુલ ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે પેટમાં ઈન્ફેક્શન અને તાવની ફરિયાદ બાદ તેમને દાખલ કરાયા હતા. માતાની સેવા માટે રાહુલ ગાંધી પણ હોસ્પિટલમાં જ રોકાયા હતા અને આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ હોસ્પિટલમાંથી જ કેરલમની જનતાને વર્ચ્યુઅલી સંબોધિત કરતા પોતાના મનની વાત કહી. તેમણે જણાવ્યું કે, ગઈ રાત્રે…

Read More

૭૫% સુધીનું ડિસ્કાઉન્ટ અને કોને મળશે મફત ટિકિટ જવાનો અને તેમના પરિવાર કરી શકે છે આજીવન ફ્રી મુસાફરી રેલવેએ વીરતા પુરસ્કાર વિજેતા આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને તેમની વિધવાઓને આજીવન મફત ટ્રેન મુસાફરીનો વિશેષાધિકાર આપ્યો બે દિવસ પહેલા જ રેલવેએ ટિકિટ કેન્સલેશન પર એક મોટો ર્નિણય લેતા રિફંડના નવા નિયમો લાગુ કર્યા છે. રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાના નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે વધુ એક ર્નિણય લેતા રેલવેએ લાઈફ ટાઈમ મફત મુસાફરીની ભેટ આપી છે. રેલવેએ વીરતા પુરસ્કાર વિજેતા આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને તેમની વિધવાઓને આજીવન મફત ટ્રેન મુસાફરીનો વિશેષાધિકાર આપ્યો છે. ભારત…

Read More

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા ભારત પાસે ૬૦ દિવસનો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક, ગભરાશો નહીં દેશમાં પેટ્રોલિયમ અને એલપીજીની સપ્લાય સંપૂર્ણ સુરક્ષિત અને નિયંત્રણમાં છે, ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે એલપીજી પુરવઠામાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. દેશના તમામ રિટેલ ફ્યુઅલ આઉટલેટ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ક્યાંય પણ અછત નથી. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેક વીડિયો અને અફવાઓ પર ધ્યાન ન આપે. મંત્રાલયે આને “સંકલિત અને ઇરાદાપૂર્વકની મિસઇન્ફોર્મેશન કેમ્પેઈન” ગણાવ્યું છે, જે…

Read More

૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા ફેરફાર થઈ શકે ગુજરાતમાં ૫૦ ટકા જેટલી વધી જશે વિધાનસભાની બેઠકો કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશના રાજકીય નક્શામાં મોટા ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે. એટલે કે રાજ્ય વિધાનસભાથી લઈને લોકસભા સુધી યોજાનારી ચૂંટણીમાં મહિલાઓને ૧/૩ અનામત મળશે. આ પહેલાં પરિસીમન થશે અને દેશભરમાં દરેક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની સીટો વધી જશે. તેવામાં ગુજરાતમાં પણ ધારાસભ્યોની સંખ્યા વર્તમાન ૧૮૨થી વધીને ૨૭૩ થઈ શકે છે. કેન્દ્ર સરકાર મહિલા અનામત લાગૂ કરશે તો તેની…

Read More