
- સુપ્રીમ કોર્ટે ૧૮ મે સુધી જેલ ક્ષમતા, કેદી, મહિલા સુવિધા અંગે અપડેટ ડેટા માંગ્યો
- ડેઈલી માર્કેટ રિપોર્ટ
- વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જુનાગઢ જિલ્લા સંકલન બેઠકમાં ખેડૂતો અને સ્થાનિક મુદ્દા ઉઠાવ્યા
- અમદાવાદ ઠક્કરબાપા નગર: 200+ મહિલા કાર્યકરો BJP છોડીને AAPમાં જોડાયા
- AAP વિજય વિશ્વાસ સભા: દાહોદમાં કેજરીવાલ-ભાગવંત માનના વચનો અને આદિવાસી હકો માટે સંદેશ
- એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ અમદાવાદમાં ૨૯ માર્ચથી ટર્મિનલ-૨ પરથી જ ઓપરેટ થશે
- સુરત મ્યુનિ. કમિશનર BRTS કોરિડોરમાં ગેરકાયદેસર વાહનચાલકોને પાઠ ભણાવ્યા, ઝીરો ટોલરન્સ ઘોષિત
- ખેતરોમાં સૂતેલા ખેડૂતો પર કાન કાપી લૂંટ ગેંગ પકડાઇ, સોનાના દાગીના રિકવર
Author: Garvi Gujarat
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે પાર્ટી કાર્યકરો સાથે ઉમંગભેર હોળી ઉજવી. ‘આપ’ના પંજાબ પ્રભારી અને દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાના નિવાસસ્થાને હોળી મિલન સમારોહ યોજાયો હતો. કથિત દારૂ કૌભાંડ કેસમાં આરોપમુક્ત થવાની ખુશી તમામ નેતાઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. સૌએ એકબીજાને અબીલ- ગુલાલ અને ગળે મળી હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી, સાથે જ કોર્ટમાં “કટ્ટર ઈમાનદાર” સાબિત થવા બદલ અભિનંદન આપ્યા. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે મનીષ સિસોદિયાના નિવાસસ્થાને પાર્ટીના તમામ સાથીઓ અને કાર્યકરો સાથે “કટ્ટર ઈમાનદાર” હોળી ઉજવી. સત્ય અને સંઘર્ષના રંગો સાથે અમે આવનારા સમયમાં પણ આ રીતે જ આગળ વધતા…
રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર મૂળ રાજકોટના અનેક લોકો દુબઈમાં કામ કે ફરવા ગયા હોય તેમના પરિવારજનોએ સંપર્ક કર્યો હતો ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસને કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કલેક્ટર કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના હેલ્પલાઈન નંબર ૦૨૮૧ ૨૪૭૧૫૭૩, ૦૨૮૧ ૨૪૧૦૧૦૦ પણ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ૧૫ જેટલા પરિવારોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. મૂળ રાજકોટના અનેક લોકો દુબઈમાં કામ કે ફરવા ગયા હોય તેમના પરિવારજનોએ સંપર્ક કર્યો હતો. મોટા ભાગના લોકો દુબઈમાં…
ગૌ-હત્યા સામે સરકારની કડક કાર્યવાહી દુધરેજ ધામમાં હોળી મહોત્સવની ભવ્ય ઉજવણી આ મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે વડવાળા મંદિરના આંગણે ભવ્ય ‘હોળી મહોત્સવ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા પૂજ્ય કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસથી જ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો છે. તેમણે ગૌરવભેર ઉમેર્યું કે, “રાજ્ય સરકાર…
શાંતિ માટે કરી ચર્ચા PM મોદીની ઓમાન-કુવૈતના નેતાઓ સાથે વાતચીત કરી પીએમ મોદીએ આ દેશો પર થઈ રહેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, ખાસ કરીને ત્યાં વસતા લાખો ભારતીયોની સલામતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને પગલે પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટના પ્રમુખ દેશોના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ ટેલિફોનિક વાતચીત કરીને શાંતિ અને ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ચર્ચા કરી છે.વડાપ્રધાન મોદીએ આજે (૩ માર્ચે) ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા અલ-ખાલિદ સાથે અલગ-અલગ વાતચીત કરી…
બિહારથી આવ્યા મોટા સમાચાર નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે નિશાંત કુમારને રાજ્યસભા મોકલવાની તૈયારી ચાલી રહી છે. જ્યારે વિધાનસભા ચૂંટણી આવી ત્યારે તે રસ્તો, જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે વિધાન પરિષદના રસ્તે જવાની વાત આવી. હવે રાજ્યસભા ચૂંટણીનો સમય આવ્યો છે, ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકીય એન્ટ્રીનો રસ્તો પાકો માનવામાં આવી રહ્યો છે. અગાઉની જેમ જ જનતા દળ યુનાઈટેડ ના મંત્રીઓએ જ આ જાણકારી આપી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે નીતિશ કુમારે સહમતી આપી દીધી છે. તેમને નીતિશ કુમાર બાદ JDU…
બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી‘ની રસપ્રદ યાત્રા ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કરીને રૂહોલ્લાહ ખોમેનીએ ઈરાનની રાજકીય વ્યવસ્થાને જડમૂળથી બદલી નાખી હતી મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના શરૂઆતના તબક્કામાં જ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું. ઈરાનના સર્વોચ્ચ સત્તા પાસે રાજકીય, ધાર્મિક અને સૈન્યના સંપૂર્ણ અધિકાર હોય છે. ‘સુપ્રીમ લીડર’નું જે પદ ખામેનેઈ ભોગવતા હતા, તેની શરૂઆત આયતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ કરી હતી. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કરીને રૂહોલ્લાહ ખોમેનીએ ઈરાનની રાજકીય વ્યવસ્થાને જડમૂળથી બદલી નાખી હતી. રસપ્રદ વાત એ છે કે ખોમેનીના પારિવારિક મૂળિયાં ભારતમાં છે. હા, ખોમેનીના પરદાદા ઉત્તર પ્રદેશમાં જન્મ્યા…
હુમલાખોરે અંધાધૂધ ગોળીબાર કરી અમેરિકાના ટેક્સાસમાં એક ભયાનક ગોળીબારની ઘટના બની ૨૧ વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થિની સવિતા શાન અને અન્ય એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અમેરિકાના ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં રવિવારે વહેલી સવારે એક ભયાનક ગોળીબારની ઘટના બની, જેમાં ૨૧ વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થિની સવિતા શાન અને અન્ય એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં ૧૪ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાએ સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓમાં ફાળ પાડી દીધી છે. પોલીસ અહેવાલ અનુસાર, હુમલાખોરની ઓળખ ૫૩ વર્ષીય સેનેગાલીઝ ઇમિગ્રન્ટ ન્ડિયાગા ડાયગ્ને તરીકે થઈ છે. તેણે શહેરના એક વ્યસ્ત બીયર ગાર્ડન પાસે પોતાની…
ખામેનેઈના મોત પછી ઈરાનના વળતા પ્રહાર ઈરાનના રાષ્ટ્રપતિ ભવન પર ઈઝરાયલનો ભીષણ હુમલો ઈઝરાયલ દ્વારા ૧૩૧થી વધુ શહેરોમાં થયેલા હુમલામાં અત્યાર સુધી ૭૮૭ લોકોના મોત થયા છે, ઈરાને ‘ઝાયોનિસ્ટ-અમેરિકન આતંકવાદી હુમલો‘ ગણાવ્યો છે ઈઝરાયલે ઈરાન સામે કરેલું યુદ્ધ ભીષણ તબક્કામાં પહોંચી ચૂક્યું છે. ઈઝરાયલના સુરક્ષા દળોઅ (IDF) ૩ માર્ચે કબૂલ્યું હતું કે, ‘અમે ઈરાનના રાષ્ટ્રપતિ ભવન સહિતના મુખ્ય મથકો પર એર સ્ટ્રાઈક કરી છે.’ ઈઝરાયલે આ સ્થળને ઈરાની શાસનનું ‘સૌથી મહત્ત્વનું અને કેન્દ્રીય મુખ્યાલય‘ ગણાવ્યું હતું. બીજી તરફ ઈરાનની સરકારી મીડિયાના દાવા મુજબ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ૧૩૧થી વધુ શહેરોમાં થયેલા હુમલામાં અત્યાર સુધી ૭૮૭ લોકોના મોત થયા છે. ઈરાને…
સમય અને જરૂરિયાત મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે : ટ્રમ્પ ઈરાન ઓપરેશનમાં હથિયારોના ખાત્મો નક્કી, લોકશાહી સ્થાપવાની લડાઈ નથી: યુએસ અમેરિકા માત્ર વિજય માટે લડે છે અને તેમાં સમય કે માનવજીવન બરબાદ કરવામાં નહીં આવે ઈરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીને અમેરિકાએ અસિમિત સમયનું યુદ્ધ કહેવાના બદલે ઓપરેશન તરીકે ઓળખાવી છે. ઈરાનની મિસાઈલ, નેવી તથા અન્ય સિક્યુરિટી ઈન્ળાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાના ઉદ્દેશથી કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેઠે કહ્યું હતું. પીટનાજણાવ્યા મુજબ, ઓપરેશન અંતર્ગત સ્પષ્ટતા સાથે નિર્ણાયક અને વિનાશક મિશન હાથ ધરાયું છે. ઈરાનની મિસાઈલ ધમકી, પરમાણુ જાેખમ અને નૌકાદળનો ખાત્મો એક માત્ર લક્ષ્ય છે. રેજિમ ચેન્જ કરવાનો…
વિદેશ નીતિ અને વ્યૂહનીતિ પર પ્રહાર ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારત સરકારે ન તો આ હત્યાની નિંદા કરી છે અને ન તો ઈરાનની સંપ્રભુતાના ઉલ્લંઘન પર કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈરાનના સર્વાેચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની ટાર્ગેટેડ હત્યાના મામલે મોદી સરકારની ચુપકીદી સામે આકરા પ્રહારો કર્યા છે. એક અખબારમાં લખેલા લેખમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકારનું આ મૌન કોઈ તટસ્થતા નથી, પરંતુ જવાબદારીમાંથી પીછેહઠ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ઘટનાથી ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



