Author: Garvi Gujarat

૨૦૨૬માં ૭ ફિલ્મોમાં મચાવશે ધમાલ.દિગ્ગજ અભિનેત્રીને ટક્કર આપશે એક્ટ્રસ વામિકા ગબ્બી.બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીને ટક્કર આપીને વામિકા ગબ્બી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવવા મહેનત કરી રહી છે.વામીકા ગબ્બી એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે પંજાબી અને હિન્દી ફિલ્મો અને સિરિઝમાં કામ કરે છે. જે પંજાબી અને હિન્દી સિનેમાની સાથે-સાથે OTT પ્લેટફોર્મ (જેમ કે જ્યુબિલી, ખુફિયા)માં તેમના દમદાર અભિનય માટે જાણીતી છે. તેણીએ હિન્દી ફિલ્મ જબ વી મેટ (૨૦૦૭)માં ટૂંકી ભૂમિકા સાથે બાળપણમાં તેની સ્ક્રીન ડેબ્યૂ કરી હતી, હવે ૨૦૨૬માં એક પછી એક ઘણી મોટી ફિલ્મોમાં જાેવા મળશે. વામિકા ગબ્બી માટે વર્ષ ૨૦૨૬ કોઈ મોટા બ્રેકથી ઓછું નહીં હોય. અભિનેત્રી આ વર્ષે…

Read More

યુનિયન ટેરિટરી લેવલ બેન્કર્સ’ કમિટી (UTLBC) ની 24મી બેઠક 25 માર્ચ 2026ના રોજ દમણ ખાતે મિરાસોલ રિસોર્ટમાં યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન Lalit Tyagi, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, Bank of Baroda દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે Ankur Garg, માનનીય એડમિનિસ્ટ્રેટરના સલાહકાર પણ હાજર રહ્યા હતા। બેઠકમાં નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા: •Amresh Ranjan, રીજનલ ડિરેક્ટર, Reserve Bank of India •Vivek Kumar, સ્પેશિયલ સેક્રેટરી (ફાઈનાન્સ) •K. K. Singh, જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા •Devendra D. Bonde, ડેપ્યુટી જનરલ મેનેજર, RBI •Devesh Parmar, ડેપ્યુટી જનરલ મેનેજર, NABARD •Lalit Bardia, ડેપ્યુટી જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા વિવિધ બેંકોના કન્ટ્રોલિંગ હેડ્સ અને યુનિયન ટેરિટરી એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓ…

Read More

આજે ચૈત્રી નવરાત્રીનો આઠમો દિવસ છે, પણ રામ નવમી કાલે બપોરે બાર પહેલાં પૂરી થતી હોય ને આજે રામનવમી ઉજવવાની રહેશે! પણ આપણે નવ દુર્ગાનાં આઠમાં સ્વરૂપ મહાગૌરીની મહત્તાનું મહિમા ગાન કરીશું. મહાગૌરીનું સ્વરૂપ એકદમ સૌમ્ય અને શાંત છે, ઉપરાંત કોઈ શસ્ત્ર પણ નથી! એટલે સિદ્ધિ મેળવવાં માટે અહિંસા જરૂરી છે, અથવા તો અહિંસા જ સૌથી મોટી સિદ્ધિ છે! કુંડલીની જાગરણ એ મારા અનુભવનું ક્ષેત્ર નથી, પણ કળીના પ્રભાવને કારણે સ્વભાવમાં જે પશુતા કે હિંસકતા આવી ગઈ છે, મનનાં દર્પણમાં જે મલિનતા આવી ગઈ છે, એ દૂર થાય માટે, સદગુરુ કૃપા થકી અનૂભૂતિનાં આકાશમાં તત્વતઃ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવો…

Read More

વધતી માગને કારણે કારીગરોને અત્યારે સારો ધંધો મળી રહ્યો છે.કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ધંધાર્થીઓ કોલસાની સગડી તરફ વળ્યા.શહેરમાં વેલ્ડિંગ સહિતનું કામ કરતાં કારીગરો પાસે સગડી બનાવડાવવા માટે ધંધાર્થીઓની લાઈનો લાગી રહી છે.ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિને કારણે ભુજમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતાં શહેરના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ અને ચાની કેબિનો ચલાવતા વેપારીઓ માટે રસોઈ ગેસ વિના વ્યવસાય ચલાવવો કઠિન બની રહ્યો છે. અનેક સ્થળોએ ગેસ સિલિન્ડર સમયસર ન મળતાં શટર ડાઉન કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે રોજગારમાં પણ તેની સીધી અસર જાેવા મળી રહી છે. ત્યારે ગેસની અછત વચ્ચે વેપારીઓએ હવે વિકલ્પ તરીકે…

Read More

અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવાનું પ્રમાણ.ગુજરાતમાં દારૂનો દરિયો, એક જ વર્ષમાં ૨૩૧ કરોડનો વિદેશી દારૂ પકડાયો.ગુજરાતમાં કહેવાતી નશાબંધી વચ્ચે દારૂ અને ડ્રગ્સની હેરાફેરીના જે આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં કહેવાતી નશાબંધી વચ્ચે દારૂ અને ડ્રગ્સની હેરાફેરીના જે આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે, તે ચોંકાવનારા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સંકલિત માહિતી મુજબ, રાજ્યમાં માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ, બિયર અને ઘાતક ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આ આંકડા સાબિત કરે છે કે બુટલેગરો અને ડ્રગ માફિયાઓ પોલીસના ડર વગર રાજ્યમાં નશાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતો અનુસાર, છેલ્લા એક…

Read More

ટૂંક સમયમાં દોડશે નવી ટ્રેન.ખેડબ્રહ્મા-અસારવા રેલવે લાઈન પર ટ્રાયલ રન સફળ.તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ રૂટ પર ઈન્સ્પેક્શન ટ્રેન એન્જિન સાથેનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું છે.ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો અને લાખો શ્રદ્ધાળુઓ માટે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માથી અમદાવાદના અસારવા સુધી વાયા હિંમતનગર નવી ઈલેક્ટ્રિક રેલવે સેવા શરૂ થવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ રૂટ પર ઈન્સ્પેક્શન ટ્રેન એન્જિન સાથેનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના મીટરગેજ ટ્રેકને ઈલેક્ટ્રિક બ્રોડગેજમાં રૂપાંતરિત કર્યા બાદ, હવે ટ્રેન દોડાવવા માટેનું પરીક્ષણ તેજ કરવામાં આવ્યું છે.…

Read More

૧૯ વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકાર.આ બોર્ડે વર્ષ ૨૦૦૬-૦૭ થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી.રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા ૧૯ વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે. ઝ્રછય્ ના અહેવાલો મુજબ, આ બોર્ડે વર્ષ ૨૦૦૬-૦૭ થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી. સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કુલ ૧૯ વાર્ષિક અહેવાલો બાકી બોલે છે. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીની સ્થિતિએ, આ સંસ્થાએ…

Read More

દહેજ અને અત્યાચારના કિસ્સાઓમાં વધારો!.રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના ચિંતાજનક આંકડા જાહેર.વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૪ કેસ, ૨૦૨૧-૨૨માં ૭૨ કેસ અને ૨૦૨૨-૨૩માં ૫૨ કેસ નોંધાયા હતા.ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે આજે ગૃહમાં અતરાંકિત પ્રશ્નો ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અંગેના અધિકૃત આંકડાઓ સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં દહેજને કારણે થતા આપઘાત અને અનુસૂચિત જાતિની મહિલાઓ પર થતા અત્યાચારોની ઘટનાઓમાં નોંધપાત્ર સંખ્યા જાેવા મળી છે. જે મુજબ દહેજ પ્રથાનો ભોગ બનતી મહિલાઓ આંકડા સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન દહેજને કારણે મહિલાઓના આપઘાતના અનેક કિસ્સાઓ નોંધાયા છે. વર્ષ…

Read More

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો.જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર ર્નિભર નથી.અદાલતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી.સુપ્રીમ કોર્ટે જમીન સંપાદનના કેસમાં ખેડૂતો અને જમીન માલિકોના હિતમાં મહત્વનો ર્નિણય સંભળાવતા સ્પષ્ટ કહ્યું છે કે, વળતરની બંધારણીય ગેરંટી સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં. અદાલતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે, વળતર અને વ્યાજની રકમ કેટલી મોટી છે અથવા તેનાથી કેટલો નાણાકીય બોજ પડશે તેના આધારે ન્યાયના સિદ્ધાંતો બદલાઈ શકે નહીં. આ સમગ્ર વિવાદ એનએચએઆઈ દ્વારા ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આપવામાં…

Read More

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કંપનીઓને તેમના પ્લાનમાં ૩૦-દિવસની વેલિડિટી વિકલ્પ ઓફર કરવાની જરૂર રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં આ મુદ્દો જાેરદાર રીતે ઉઠાવ્યો હતો ભારતમાં મોબાઇલ રિચાર્જ પ્લાન પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા હવે સરકારી સ્તરે પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ટેલિકોમ કંપનીઓને ૩૦-દિવસની વેલિડિટીવાળા પ્લાન વધુ સ્પષ્ટ રીતે ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ૨૮-દિવસના પ્લાનમાં સમસ્યા અનુભવી રહેલા વપરાશકર્તાઓ તરફથી વધતી ફરિયાદોને પગલે આ પગલું લેવામાં આવી રહ્યું છે. રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં રાજ્યસભામાં આ મુદ્દો જાેરદાર રીતે ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પ્લાન હેઠળ, જાે વપરાશકર્તાઓને પૂરા પાડવામાં આવતા દૈનિક ડેટાનો સંપૂર્ણ…

Read More