Author: Garvi Gujarat

‘નૌટંકી બંધ કરો’ કહીને સંભળાવ્યું અમિતાભ બચ્ચનની રહસ્યમય ટ્વિટ પર ભડક્યા યુઝર્સ અમિતાભ બચ્ચન હાલમાં પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ના સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પરની અજીબોગરીબ પોસ્ટ માટે પણ જાણીતા છે. જાેકે, હાલમાં જ તેમણે કરેલી એક ટૂંકી ટ્વિટને કારણે નેટિઝન્સનો પિત્તો ગયો છે. 83 વર્ષીય બિગ બી અવારનવાર ‘નંબર ગેમ‘ અને કોયડા જેવી વાતો લખતા હોય છે, પરંતુ આ વખતે યુઝર્સની ધીરજ ખૂટી હોવાની વાત કહી અભિનેતાને આડે હાથ લીધા હતા. સોશિયલ મીડિયા પર લોકો આ ટ્વિટને વર્તમાન વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ સાથે જાેડીને અલગ-અલગ અર્થ કાઢી રહ્યા છે.આજે…

Read More

આમ આદમી પાર્ટી ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જસદણમાં ખેડૂતો સાથે કંઈક અલગ રીતે હોળી મનાવી હતી.AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે અત્યારે જે “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે, સોમનાથથી શરૂ થઈ યાત્રા આજે રાજકોટ જિલ્લાના જસદણ ગામના આંબડી ગામે પહોંચી છે. આજે હોળીનો તહેવાર છે. આ ગામમાં અમારી એક ચૌપાલ બેઠક હતી. આ ચૌપાલ બેઠકની અંદર ગામના અમુક ખેડૂતોએ અમારી સામે એવી ઇચ્છા વ્યક્ત કરી કે, ગમે તે પાક વાવીએ પરંતુ કંઇ વળતર મળતું નથી. આ સરકારમાં ભાવ વધતા નથી. ગમે તે કરીએ, અંતે સરવાળે બધું હતું ત્યાં જ રહે છે. એક-બે…

Read More

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી તેમજ આપ નેતા જીગીશાબેન પટેલ દ્વારા જસદણમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પત્રકાર પરિષદને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે આજે મને આનંદ છે કે સોમનાથથી શરૂ કરેલી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”, આજે ઘેલા સોમનાથમાં દર્શન કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે હોળી- ધૂળેટીને સૌને શુભકામના પાઠવું છું. પરંતુ દુ:ખની વાત એ છે કે ભાજપના ઘરે દિવાળી છે અને ખેડૂતોના ઘરે હોળી છે. ભાજપના લોકોના કેટલાકના ઘરમાં ભ્રષ્ટાચારથી પૈસાના ખિસ્સા ભરેલા છે, જ્યારે મારા ખેડૂતના…

Read More

AAP ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવિણ રામના ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસના જેલવાસ બાદ શરૂ થયેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” આજે રાજકોટ અને ગોંડલ ખાતે પહોંચી હતી. ત્યાં રાજકોટ અને ગોંડલમાં સ્થાનિકોની ઉપસ્થિતિમાં વિશાળ સભાઓ યોજાઈ હતી. આ સભામાં રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, AAP નેતા રાહુલ ભુવા અને મહિલા નેતા જિગીષા પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ગોંડલ ખાતે સભામાં આમ આદમી પાર્ટીના યુવા અને કિસાન નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે સોમનાથની ધરતી પરથી શરૂ કરીને આજે અમે ખેડૂતોની યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છીએ. અમે ખેડૂતો માટે લડત લડતા હતા, આંદોલન ચલાવતા હતા અને એના…

Read More

ક્રૂડ તેલના વાયદામાં રૂ.510નો ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.1.69 લાખ અને ચાંદીનો વાયદો રૂ.3.02 લાખના સ્તરને પાર કોમોડિટી વાયદાઓમાં રૂ.49235.86 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.139662.27 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 39241.49 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 41670 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.188898.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.49235.86 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.139662.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 41670 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5030.82 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 39241.49 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.165501ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.169679 અને નીચામાં રૂ.165217ના મથાળે અથડાઈ, રૂ.162104ના આગલા બંધ સામે રૂ.6914 વધી રૂ.169018ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.6497 વધી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત જિલ્લા હરીજન સેવા મંડળના ઉપપ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના ઉપપ્રમુખ અને સેવાભાવી વાલ્મિકી સમાજના આગેવાન અમૃતભાઈ સોલંકી ના પુત્ર શશીકાંત સોલંકી નું તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. શશીકાંત સોલંકી D.E સિવિલ થયો હતો અને બાંધકામ ક્ષેત્રે સારી કામગીરી કરી રહેલ હતા. તેઓ તા.૦૯/૦૨/૨૦૨૬ ના રોજ થી કમળાની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓના પિતા અમૃતભાઈ સોલંકીએ સુરત શહેરની મોટી મોટી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. પરંતુ શશીકાંત ને બચાવી શક્યા નથી. શશીકાંત સોલંકીની બેસણાની વિધિ ૦૬/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના ૪:૦૦ કલાકે ઓરણા મુકામે રાખવામા આવેલ છે. ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજના આધુનિક યુગમાં પરણવા જનારા પોત પોતાની હેસિયત મુજબ જાન લઈને જતાં હોય છે. જેમાં સ્પેશિયલ હેલિકોપ્ટર થી લઈને પ્લેનમાં પણ જાન ગઈ હોવાના સમાચારો અખબારોમાં ચમકી ચૂકયા છે. ત્યારે આજે આ મોર્ડન યુગમાં પણ પ્રાચીન પરંપરા જેવી જૂની યાદોને તાજી કરનારા વિરલાઓ પડયા છે. અને આવો જ વિરલો છે ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના ગુડા ગામનો. જેનું નામ છે મોહિત ધ્વિવેદી આ ગુડા ગામનો રહેવાસી તેના લગ્નમાં બળદ ગાડામાં જાન લઈ જવાની જૂની પરંપરાને અનુસરીને તેણે જ્યાં તેના લગ્ન થવાના હતા એ જલાલપુર ગામની મોહિની પાઠક સાથે થવાના હતા. એટલે આ દુલ્હાએ અને કન્યાએ આધુનિકીકરણ ને કારણે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સુપ્રીમકોર્ટ જેવી સર્વોચ્ચ અદાલતે પણ જે રીતે તપાસ એજન્સીઓ CBI, ED, IT વિગેરે સંસ્થાઓની સમયાંતરે ઝાટકણી કાઢી છે તે ખરેખર સદર સંસ્થાઓ માટે ઢાંકણીમાં પાણી લઈ ને ડૂબી મરવા જેવી બાબત છે. પરંતુ કોને ખબર કેમ આવી ટોચની એજન્સીઓ સુધરવાનું નામ નથી લઈ રહી. પોતાની કામગીરી સુધારવાને બદલે ઉલ્ટાની વધારે બગાડી રહી હોવાનો વધુ એક ઘટનાક્રમ છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ તેમના વરિષ્ઠ નેતાઓનો એકસાઇઝ કેસમાં જે રીતે નિર્દોષ છુટકારો થયો છે. એ જોતાં જ તપાસનિશ એજન્સીઓ શંકાના ઘેરામાં આવી જાય છે. એવા દેશના રાજકારણમાં ભારે હલચલ મચાવી દેનારા…

Read More

જ્યાં રોકાય છે દુનિયાભરના અમીરો દુબઈની વર્લ્ડ ફેમસ બુર્જ અલ અરબ હોટલ પર ઈરાને કર્યો હુમલો ઈરાનના હુમલાએ આ સ્થળને દહેશતમાં મૂકી દીધું છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં મધ્ય પૂર્વના દેશો પર વળતા પ્રહાર કર્યા છે. આ હુમલાઓમાં મુખ્યત્વે અમેરિકી સૈન્ય મથકો નિશાને રહ્યા હતા, પરંતુ કેટલાક હુમલા રહેણાંક વિસ્તારોમાં પણ થયા છે. ઈઝરાયેલે ખાડીના ૮ દેશો પર હુમલો કર્યો હોવા છતાં, ઈરાનના નિશાને સૌથી વધુ ેંછઈ જાેવા મળી રહ્યું છે. દુબઈ અને અબુ ધાબી પર ઈરાનની મિસાઈલો અને ડ્રોન દ્વારા ભારે તબાહી મચાવી રહ્યા છે. દુબઈ પર થયેલા હુમલાઓમાં એક હુમલો અહીંની સૌથી પ્રખ્યાત હોટલ બુર્જ અલ…

Read More

વેપારીઓને મોટું નુકસાન શિપમેન્ટ અટકતા ભારતના ચોખા નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે જેથી ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અવરજવર અટકી પડી છે. ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધ કારણે મધ્ય-પૂર્વમાં ટેન્શન હાઇ થઈ ગયું છે. જેની અસર ભારતના ચોખાના નિકાસકારો પર દેખાઈ રહી છે. મજબૂરીમાં શિપમેન્ટ અટકી જવાને કારણે, ચૂકવણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. મહત્વનું છે કે અમેરિકા અને ઈઝરાયલે ૨૮ ફેબ્રુઆરીના શનિવાર રોજ ઈરાન પર મોટો હુમલો કર્યો છે જેથી ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અવરજવર અટકી પડી છે. રિપોર્ટ પ્રમાણે, હરિયાણામાં ચોખાના નિકાસકારો ઈરાન અને અફઘાનિસ્તાન જનારા શિપમેન્ટ તેમજ પેમેન્ટમાં વિલંબનો સામનો કરી…

Read More