- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
જામખંભાળિયામાં જીએસપીએલની કામગીરી વિરુદ્ધ ધરણા પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં આવીને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હું આજે જામખંભાળિયાની મુલાકાતે આવ્યો છું અને અહીંયા જે ખેડૂતો જીએસપીએલની પાઇપલાઇનની કામગીરીના વિરોધમાં અનશન અને ધરણા પર બેઠા છે, એ ખેડૂતોની મેં મુલાકાત લીધી. ખેડૂતોને અહીંયા માત્ર વીઘે સવા લાખનું વળતર આપવામાં આવી રહ્યું છે, ગેસની લાઈન ઓખા સુધી જઈ રહી છે જેના કારણે 32 જેટલા ગામોને અસર થવાની છે. ભાજપે કેટલાક ગામમાં ઠરાવ ન હતા તો સરપંચો ઉપર દબાણ પણ કરાવ્યું છે અને લોકોને ડરાવવાની પણ કોશિશ કરવામાં આવી છે, અધિકારીઓ વાત સાંભળતા…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક રસપ્રદ બાબત સામે લાવતા જણાવ્યું હતું કે, નર્મદામાં વન વિભાગના કર્મચારીઓની દાદાગીરી અને ઉદ્ધત વર્તન ખુલ્લું પડી ગયું છે. ભાજપના જ સાંસદ મનસુખ વસાવા સાથેની વાતચીત દરમિયાન વનકર્મીઓએ જે ગાળાગાળી કરી છે, તે એ વાતની સાબિતી છે કે તેમની હિંમત કેટલી વધી ગઈ છે. આ ઘટના પરથી ચોક્કસ સાબિત થાય છે કે આદિવાસી વિસ્તારોમાં આ વનકર્મીઓનું સામાન્ય જનતા સાથેનું વર્તન કેટલું ખરાબ અને દાદાગીરી ભર્યું હશે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હિત માટે વન વિભાગ અને વનકર્મીઓ સામે અનેક લડાઈઓ લડી છે. આ ઘટનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ચૈતર વસાવા…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ભાજપના વધુ એક નેતાની પુત્રી CJP ના આંદોલનના સમર્થનમાં આવતા ભાજપ નેતાઓમાં હડકંપ મચી ગયો છે. યજસ્વીની રાજ સિંહે દિલ્હીના જંતર મંતર ખાતે cjp ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો અને આંદોલનને ટેકો આપ્યો તેમણે પોતાના રાજીનામાના પત્રમાં પ્રદર્શનકારીઓ પ્રત્યે વાપરેલી ભાષા માટે ધર્મેન્દ્ર પ્રધાનની ટીકા કરી. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવી રહેલા વિશાળ વિરોધ પ્રદર્શનને ભાજપના અનેક નેતાઓની પુત્રીઓ તરફથી સમર્થન મળી રહ્યું છે. જેમાં હવે વધુ એક નામ યશસ્વીની રાજસિંહનું ઉમેરાયુ છે. ઉત્તર પ્રદેશની ફતેહપુર સદર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા વિક્રમસિંહની પુત્રી તથા કન્ટેન્ટ ક્રિએટર યશસ્વીનીએ દિલ્હીના જંતર…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત સુરતમાં છેલ્લા 15 દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે આવેલા ખાડીપૂરથી ખાડીની આજુબાજુના વિસ્તારના લોકો અને માર્કેટના વેપારીઓને જે કરોડોનું નુકસાન થયું છે ત્યારે એવી જ પરિસ્થિતિ જેવી ભારે વરસાદના કારણે સુરત શહેરની તમામ ગલીઓ,શેરીઓ અને ચોક બજાર થી લઈને શહેરના તમામ રોડ-રસ્તાઓ ભ્રષ્ટાચારીઓ ના પાપે તકલાદી સાબિત થઈ તૂટી ગયા છે. જેનો ભોગ રસ્તે ચાલનારાથી લઈને વાહન ચાલકો બની રહ્યા છે. છતાં સત્તાના મદમાં રહેલા SMC ના અધિકારીઓ અને પદાધિકારીઓ કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે. જે રીતે વર્ષો વર્ષના વરસાદથી ખાડી પૂર આવે છે અને લોકોને નુકસાન થાય છે છતાં…
ભારત-અફઘાન સંબંધો અંગે પાક.નો ઉકળાટ મુસલમાનોએ કાફીરો સાથે મૈત્રી ન કરવી જાેઇએ ભારત અફઘાનિસ્તાન સ્થિત તાલિબાનોની સાથે મળીને પાકિસ્તાનનાં અશાંતિ ફેલાવી રહ્યું છે પાકિસ્તાને ભારત વિરૂદ્ધ તેના પ્રોપેગેન્ડા યુદ્ધ શરૂ કર્યું છે : રાવલપિંડી પાસેનાં મુખ્ય સેના મથકે સૈનિકોને કરેલાં સંબોધનમાં પાકિસ્તાન આર્મીના પ્રવક્તા પદે રહેલા (ડીજીઆઈ એસપીઆર) લેફ્ટેનન્ટ જનરલ અહમદ ચૌધરીએ ઘણું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેઓએ કહ્યું કે મુસલમાનોએ કાફીરો સાથે મૈત્રી કરવી ન જાેઇએ. આ માટે તેઓએ કુર્રાન-એ-શરીફની આયાત પણ ટાંકી હતી.આ ઉપરાંત, રાવલપિંડીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેઓને, ભારત-અફઘાનિસ્તાનના ડીએનએ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેઓે કુર્રાનની તે આયાતનો તર્ક આપતાં કહ્યું કે જે લોકો ભારત…
ઓછામાં ઓછું પેન્શન તો મળશે : રેબતી ત્રિપુરા ભાજપના પૂર્વ સાંસદ રાજકારણ છોડી શિક્ષક બની ગયા ૨૦૦૧માં અગરતલાની મહાત્મા ગાંધી મેમોરિયલ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી. વર્ષ ૨૦૧૪માં તેઓ ભાજપમાં જાેડાયા હતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ રેબતી ત્રિપુરાએ રાજકારણથી અંતર જાળવીને પોતાના જૂના વ્યવસાય શિક્ષણ ક્ષેત્રે વાપસી કરી છે. પૂર્વ સાંસદમાંથી ફરી શિક્ષક બનેલા રેબતી ત્રિપુરાનું કહેવું છે કે જૂના વ્યવસાયમાં પાછા ફરવાથી તેમને એક હેતુ મળ્યો છે અને રાજકીય જીવનમાં આવેલી નિષ્ક્રિયતા બાદ ભવિષ્યની આર્થિક સુરક્ષા પણ સુનિશ્ચિત થશે.ત્રિપુરાના ધલાઈ જિલ્લાના અંતરિયાળ ગામના નિવાસી રેબતી ત્રિપુરાએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ વર્ષ ૨૦૦૧માં અગરતલાની મહાત્મા…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ વડોદરા માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર હારવા બદલ તેઓ કોંગ્રેસના તમામ મિત્રોને હારની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના નેતાઓ સતત હાર સહન કરી કરીને મજબૂત બની ગયા છે અને તેઓ માત્ર હારવા માટે જ ચૂંટણી લડે છે, તેથી તેમને હારનું દુઃખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાર્થના કરવાની પણ જરૂર નથી. કોઈપણ ચૂંટણી કે આંદોલનમાં પોતાની નિષ્ફળતા અને પાપ છુપાવવા માટે કોંગ્રેસ હંમેશાં અન્ય પર દોષનો ટોપલો ઢોળતી આવી છે. ભૂતકાળનો ઇતિહાસ જોઈએ તો, ૨૦૦૮માં ભાજપના અસંતુષ્ટોના…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે જામ ખંભાળિયામાં સમાજ સેવા માટે ચાલતા ‘પ્રાર્થના ફાઉન્ડેશન’નું ખંભાળિયા સિવિલ હોસ્પિટલની સામે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને લોહી, તબીબી સાધનો, પલંગ (બેડ-ખાટલા) કે વ્હીલચેરની જરૂર હોય, તે તમામ દ્વારકાવાસીઓને પૂરા પાડવામાં આવશે. તમામ લોકો અહીંયા મુલાકાત લઈ શકે છે અને જ્યાં જરૂર પડે ત્યાં આ પ્રાર્થના ફાઉન્ડેશન મદદ માટે સાથે રહેશે. આ કાર્યમાં આખો દ્વારકા જિલ્લો જોડાયો છે તેનો મને ગર્વ છે. આજે ખંભાળિયામાંથી વિવિધ સમાજના અગ્રણીઓ, વડીલો અને સંતો-મહંતોએ પણ આ કાર્યને બિરદાવીને પોતાનો સહયોગ આપ્યો છે. ઇસુદાન ગઢવીએ…
પાકિસ્તાનમાં હિન્દુઓને લઘુમતી તરીકે ત્યાંના બંધારણમાં જે અધિકારો આપવામાં આવ્યા પાકિસ્તાનમાં હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે દેશવ્યાપી અભિયાન શરૂ સમાજમાં હિન્દુઓને પણ એક નાગરિક તરીકે સમાન દરજ્જાે મળે તે માટે તમામ પ્રકારના સુધારા કરવા પ્રયાસો થઇ રહ્યા છે : દયાલ પાકિસ્તાનમાં હિન્દુઓને લઘુમતી તરીકે ત્યાંના બંધારણમાં જે અધિકારો આપવામાં આવ્યા છે તેનો અમલ નથી થઇ રહ્યો માટે હવે હિન્દુ સંગઠનોએ આ મુદ્દે સરકાર સામે એક મોટંુ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. ખાસ કરીને ખૈબર પ્રાંતમાં રહેતા હિન્દુ સંગઠનો હવે પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરવા જઇ રહ્યા છે.ઓલ બાલમિક હિન્દુ કોમ્યુનિટી ખૈબરના પ્રમુખ તરીકે પસંદ કરાયેલા હારૂણ સરબ દયાલે કહ્યું…
સુરક્ષા એજન્સીઓ અને રેડ ક્રેસન્ટ એલર્ટ ઈજિપ્તમાં સવારે ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર ૫.૪ની તીવ્રતા નોંધાઈ સંસ્થાના જણાવ્યા મુજબ, પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે આર્થિક નુકસાનના સમાચાર નથી ઈજિપ્તના (મિસ્ર) અનેક વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂમધ્ય સાગર વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૪ નોંધાઈ હતી. જર્મનીના ભૂ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ભૂકંપ આવ્યા બાદ ઈજિપ્ત રેડ ક્રેસન્ટે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પ્રાંતોમાં પોતાની ઈમરજન્સી રિસ્પોન્સ યોજના સક્રિય કરી દીધી છે. સંસ્થાના જણાવ્યા મુજબ,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


