- કુબેરનગરમાં સગીર દ્વારા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો, ફ્રેકચર અને ધમકીનો કેસ નોંધાયો
- કલોલ પોક્સો કોર્ટનો કડક ચુકાદો: સામૂહિક દુષ્કર્મના ૩ આરોપીને આજીવન કેદ
- જાપાનનો ઐતિહાસિક ફેરફાર: હવે વિશ્વને ઘાતક શસ્ત્રોની નિકાસ કરશે
- ડોનબાસમાં રશિયાનો 1700 કિમી વિસ્તાર કબ્જાનો દાવો, યુક્રેનનો પ્રતિકાર ચાલુ
- નિક્કી હેલીનો દાવો: ઇરાન જતાં જહાજમાં ચીનના મિસાઇલ કેમિકલ્સ મળ્યા
- અમેરિકા-ઈરાન તણાવ વધ્યો: સીઝફાયર પર મતભેદ, તેહરાન ઝૂકવા તૈયાર નહીં
- ઓગસ્ટમાં બોક્સ ઓફિસ ક્લેશ: સની દેઓલ-ઈમરાન હાશ્મી ૧૪ ઓગસ્ટે ટકરાશે
- ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’ ૧ મે રિલીઝ, મેરિલ સ્ટ્રીપે ફેશન અંગે કરી રસપ્રદ કબૂલાત
Author: Garvi Gujarat
આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઇ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી…
ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે યુસીસી બિલ ઉપર મેં વિધાનસભાના ગૃહમાં મારા વિચારો રજૂ કરતાં કહ્યું કે એક સમય એવો હતો જ્યારે ન તો જમીન જેવી વ્યવસ્થાઓ હતી અને ન તો આજ જેવી સંવિધાનિક પ્રણાલીઓ હતી. તે સમયમાં સમાજ નાના-નાના જૂથોમાં વહેંચાયેલો હતો, જેમ કે કબીલા, અને દરેક કબીલાની પોતાની પરંપરાઓ, પદ્ધતિઓ અને રૂઢિઓ હતી. લોકો પોતાના નિયમો મુજબ લગ્ન, છૂટાછેડા અને પરિવાર વ્યવસ્થા ચલાવતા હતા. સમય જતાં સમાજ વિકાસ પામ્યો અને છેલ્લા હજારો વર્ષોમાં પ્રગતિ કરીને આજના આધુનિક સંવિધાન સુધી પહોંચ્યો. ત્યારબાદ રાજ્ય અને સરકાર દ્વારા કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા…
ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે એક અત્યંત ગંભીર માહિતી સામે આવી છે. વિધાનસભાના માધ્યમથી મેં ગુજરાતના ગૃહમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો, જે કાયદો-વ્યવસ્થા અને ગુપ્ત બાબતો સાથે સંકળાયેલો મહત્વનો મુદ્દો છે. પોલીસને 112 નંબર ઉપર આવતા તમામ ફોન અત્યંત મહત્વના હોય છે, જેમાં ક્રાઇમ, સાઇબર ક્રાઇમ, આંતરરાષ્ટ્રીય ધમકીઓ તેમજ સરહદી વિસ્તારો સાથે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. આવા તમામ સંવેદનશીલ અને રાજ્યની સુરક્ષા સાથે જોડાયેલા કોલ ગુપ્ત રહેવા જરૂરી છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે સમગ્ર સિસ્ટમ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવી છે. 112…
આજે વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થા મુદ્દે ગૃહમંત્રી માટે એક સવાલ હતો. પરંતુ મારો પ્રશ્ન પ્રાથમિકતામાં આવરી લેવામાં આવ્યો નહીં, જેના કારણે ગૃહમાં આ પ્રશ્ન મુદ્દે ચર્ચા થઈ નથી પરંતુ સરકારનો જે જવાબ મળ્યો છે તે જવાબનું વિશ્લેષણ કરીને તેની માહિતી જનતા સુધી પહોંચાડવી જરૂરી છે. સરકાર સલામતીના બમણા ફૂંકતી હોય છે પરંતુ જે આંકડા સામે આવ્યા છે તેનાથી આંખો ફાટી જાય એવી સ્થિતિ છે. મારો સવાલ હતો કે અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા લોકો પાસે હથિયારના લાયસન્સ…
ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના છેલ્લા દિવસે મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે મને એનો જવાબ આપ્યો છે. જેમાં બહુ જ ગંભીર ઘટના સામે આવી છે. મેં એવું પૂછ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સસ્તા અનાજની દુકાનેથી રેશન કાર્ડ ધારકોને ઘઉં આપવા માટે કયા ભાવે, કઈ એજન્સી પાસેથી કેટલા ઘઉં સરકારે ખરીદ્યા. આ જે ઘઉં સરકારે ખરીદ્યા અની હેરફેર કરવી પડે. માનો કે રાજ્ય કક્ષાએ ખરીદી કરી હોય તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મોકલવા પડે, તો એની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છીએ. આજે ગુજરાતમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાત બદલાવ માંગી રહ્યું છે, આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે. થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે, એમાં પણ આમ આદમી પાર્ટીનું ખૂબ જ…
ફિલ્મના ડિજિટલ રાઈટ્સ જિયો હોટસ્ટારે ખરીદ્યા.ધુરંધર ફિલ્મની જેમ ધુરંધર ૨ ફિલ્મ નેટફ્લિક્સ પર જાેવા નહીં મળે.ઘરે બેઠા ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ જાેવી હોય તો આ વખતે ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન લેવું પડશે.આદિત્ય ધરની સ્પાઈ થ્રિલર ફિલ્મ ધુરંધરની સીક્વલ ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. ધુરંધર ધ રિવેન્જ ફિલ્મનો ક્રેઝ લોકો પર જાેવા મળી રહ્યો છે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ લોકોને શાનદાર લાગી રહી છે. આ સાથે જ ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે તે જાણવાની આતુરતા પણ વધી છે. લોકો એ જાણવા માંગે છે કે ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ ઓટીટી…
આજે કંગનાનું નામ ટોપ એક્ટ્રેસનાં લિસ્ટમાં શામેલ.પહેલી કિસ કરતી વખતે કંગનાની હાલત થઈ ગઈ હતી ખરાબ.કંગના ૪૦ વર્ષની ઉંમરમાં પણ સિંગલ લાઇફ એન્જાેય કરે છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌત સામાન્ય રીતે કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ૨૩ માર્ચના રોજ કંગના રનૌતે ૪૦મો બર્થડે સેલિબ્રેટ કર્યો. એક્ટ્રેસને અનેક ફેન્સે સોશિયલ મીડિયા દ્વારા બર્થડે વિશ કરી . આમ, આજે અમે તમને કંગનાના ફર્સ્ટ કિસના અનુભવ વિશે જણાવીશું. એક્ટ્રેસે પોતે આ વાત એક ઇન્ટવ્યૂમાં જણાવી હતી. કંગના રનૌત તેની જબરદસ્ત એક્ટિંગની સાથે તેના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે અલગ-અલગ મુદ્દાઓ પર કંગના અનેક…
રાકેશ બેદીએ તારક મહેતા…માં પણ કામ કરેલું છે.ધૂરંધર ૨માં રાકેશ બેદીએ રણવીર સિંહને પણ અભિનયમાં પાછળ પાડી દીધો.રણવીર સિંહની ધૂરંધર ૨ ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી બોક્સ ઓફિસ પર સુનામી બનીને ફરી વળી છે.આદિત્ય ધરની ફિલ્મ ધૂરંધર ૨ એટલે કે ધૂરંધર ધ રિવેન્જે બોલીવુડમાં સફળતાના નવા અધ્યાય લખી નાખ્યા છે. આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી રહી છે. બોક્સ ઓફિસ પર સુનામી બની ગઈ છે. ફિલ્મે પોતાના પહેલા સોમવારને બોલીવુડના ઈતિહાસનો સૌથી મોટો સોમવાર પણ બનાવી દીધો. સૈકનિલ્કનો ડેટા દર્શાવે છે કે ધૂરંધર ૨એ સોમવારે એટલે કે રિલીઝના પાંચમા દિવસે લગભગ ૬૫ કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જે બોલીવુડમાં સોમવાર…
વિવાદ વધતા અક્ષય કુમારે તોડ્યું મૌન.૨૬ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતા અક્ષય કુમારનો લોકોએ ઉધડો લીધો.ખેલાડી કુમારે તેના પર પોતાનું રિએક્શન આપતા કહ્યું કે, હોલીવુડ ફિલ્મોમાં આવું નથી થતું શું?.અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત બંગલા માટે કમર કસી લીધી છે. આ ફિલ્મમાં તે પોતાનાથી ૨૬ વર્ષ નાની વામિકા ગાબ્બી સાથે રોમાન્સ કરતો જાેવા મળશે. ગત મંગળવારે ફિલ્મનું એક ગીત રીલિઝ થયું જેમાં અક્ષય કુમાર અને વામિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જાેવા મળી છે. હવે સોશિયલ મીડિયા પર બંને એક્ટર્સ વચ્ચે એજ ગેપ પર સવાલ ઉઠવા લાગ્યા છે. અક્ષય કુમારને ૨૬ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરવા માટે ભારે ટ્રોલ કરવામાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



