Author: Garvi Gujarat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.          આપણે ઘણીવાર કહીએ છીએ કે નામ મેં ક્યાં રખ્ખા હૈ લેકીન  નામ મેં બહુત કુછ રખા હૈ. અને એવું જ કંઈક રાજસ્થાન સરકારે કરી બતાવ્યું છે.           જે રીતે દેશના અન્ય રાજ્યમાં નામ બદલવાનો પવન ફૂંકાઈ ને નામો બદલવામાં આવ્યા છે એ જ રીતે હવે રાજસ્થાન સરકાર પણ ચાલી રહી હોય એમ તાજેતરમાં જ  રાજસ્થાન સરકારે ત્રણ શહેરો ના નામ બદલ્યા છે.  માઉન્ટ આબુ હવે આબુરાજ, કામાં હવે કામવન અને જહાજપુર હવે યજ્ઞપુર તરીકે ઓળખાશે.             મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરી હતી. સરકારે આ પ્રદેશની સંસ્કૃતિ અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં આ મોટું પગલું ગણાવ્યુ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આ વાત છે સ્પેનની જયાં એક કર્મચારી ઓફિસમાં કામ કરવા આવે એ પછી બિયર પીતો હોય એવી શંકા હોવાથી કંપનીએ પોતાની પોલીસી મુજબ ઓફિસના સમયમાં અને ઓફિસની અંદર દારૂ કે દારૂ હોય એવું કોઈ પણ પીણું પીવા પર પ્રતિબંધ હતો. જોકે આ માણસ બિયર પીતા હોવાની શંકા જતાં તેના ઉપરીએ આ માટે તેની પાછળ ડિટેક્ટિવ ગોઠવ્યા. ઓફિસમાં માટે તે કોઈની નજરે ચડે એ રીતે તો દારૂ નહોતો પીતો, પરંતુ એ પછી બિયર કયાંકથી પી ને આવતો હતો એવું લાગતું હતું.આ ફરિયાદ પર કંપનીએ કર્મચારીની પાછળ જાસૂસ બેસાડયા અને કંપનીનો શક સાચો પડયો. લંચ-બ્રેક દરમ્યાન તે પાર્કિંગમાં…

Read More

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરેન્સ ૨૦૨૬ના શુભારંભ બાદ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ઝડપથી પરિવર્તિત થઈ રહ્યું છે. ગુજરાતમાં રેલવેના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને પરિણામે રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટીના એક નવા યુગની શરૂઆત થઈ છે. વધુમાં શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ના યુપીએના શાસન દરમિયાન ગુજરાતને રેલવે બજેટમાં માત્ર રૂ.૫૮૯ કરોડ ફાળવવામાં આવતા હતા. તેની સરખામણીએ, વર્તમાન સરકારે આ વર્ષે ગુજરાત માટે રૂ.૧૭,૩૬૬ કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવ્યું છે. આમ, બજેટમાં અનેકગણો વધારો…

Read More

NITI આયોગના પૂર્વ CEO નું મોટું નિવેદન ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ યુરોપ બાદ હવે મિડલ ઈસ્ટમાં નવો મોરચો ખુલતા ચિંતા. નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતે મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે વિશ્વમાં તેલનું ઉત્પાદન ઠપ થઈ શકે છે. તેમના મતે, જાે આ યુદ્ધ લાંબુ ચાલશે તો ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ જશે અને તેલના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળી શકે છે, જેની સીધી અસર ઊર્જા પર ર્નિભર દેશો પર પડશે. અમિતાભ કાંતે વધુમાં જણાવ્યું કે અમેરિકા આ ક્ષેત્રમાં એક એવી…

Read More

અવારનવાર આગ લગાડવામાં આવતી હોવાની આશંકા ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં ૧૦૦ જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન વેરાવળ અને ચોરવાડના ફાયરફાઈટરે જઈ વૃક્ષમાં લાગેલી આગ બૂઝાવી : લાકડાં કાપનારાઓનું કૃત્ય હોવાની ચર્ચા. ચોરવાડના ત્રિવેણી નજીક આવેલા જંગલ વિસ્તારમાં આજે બપોરે આગ ભભૂકી હતી. જેમાં ૧૦૦ જેટલા શરૂના વૃક્ષમાં નુકસાન થયું હતું. આ અંગે જાણ થતા ચોરવાડ અને વેરાવળના ફાયર ફાઈટરે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ અકસ્માતે નહી પરંતુ લાકડા માટે લગાડવામાં આવી હોવાની આશંકા છે. આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં એવી માંગ ઉઠી છે. ચોરવાડના ત્રિવેણી ઘાટ નજીક નાગાગુરૂ મંદિર આવેલું છે. આ મંદિરની પાછળના…

Read More

પોલીસે એન્ટ્રી કરી ગઠિયાઓ પાસેથી છીનવ્યા ૧૫ લાખ સેટેલાઈટમાં દ્ગઇૈં દંપતીને ૩૬ કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા રાજેન્દ્રભાઈને શંકા જતા તેમણે પોતાના વકીલ મિત્રને જાણ કરી અને મામલો સેટેલાઈટ પોલીસ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પરંતુ આ વખતે સેટેલાઈટ પોલીસે સમયસૂચકતા વાપરીને એક વૃદ્ધ NRI દંપતીને બરબાદ થતા બચાવી લીધા છે. મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ કરીને ૩૬ કલાક સુધી દંપતીને ઘરમાં જ કેદ રાખનારા સાયબર માફિયાઓના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું છે. વૃદ્ધ દ્ગઇૈં નું નામ રાજેન્દ્ર શેઠ છે. રાજેન્દ્રભાઈ છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં રહે છે અને હાલ બીમારીના કારણે અમદાવાદમાં…

Read More

મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઈટ સસ્પેન્ડ ફ્લાઈટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી. મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલે ઈરાન વિરૂદ્ધ ઓપરેશન રોઅરિંગ લાયન શરૂ કર્યું અને અમેરિકા સાથે મળીને હુમલા કરી રહ્યું છે. ત્યારે ઈરાન પણ જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE, કતાર, જાેર્ડન, બહેરીન સહિતના દેશોમાં આવેલા ેંજી મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અને ફ્લાઈટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર, ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ…

Read More

જાણો ક્યારે થશે અને ભારતમાં દેખાશે કે નહીં? સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, ૬ મિનિટ ૨૨ સેકન્ડ છવાશે અંધકાર! બીજું સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થશે, ૧૨ ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ વર્ષે હોળીના તહેવારને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. સામાન્ય રીતે હોલિકા દહન પછીના દિવસે રંગોત્ત્સવની ઉજવણી કરવામાં આવે છે.પરંતુ વર્ષ ૨૦૨૬માં ખગોળીય ઘટનાઓને કારણે આ પરંપરામાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. તેનું કારણ છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હોલિકા દહન ૨ માર્ચ, ૨૦૨૬ના રોજ થશે, પરંતુ બીજા જ દિવસે ૩ માર્ચે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ગ્રહણને કારણે સૂતક કાળ હોવાથી આ દિવસે પૂજા અને રંગોત્ત્સવની ઉજવણી…

Read More

તમારે દર્શન કર્યા વિના પાછા ફરવું પડી શકે છે ત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશેત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે ચંદ્રગ્રહણને કારણે અયોધ્યા રામ મંદિરના દરવાજા બંધ રહેશે : હોળીની સાંજે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. જાે તમે રામનગરી અયોધ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ૩ માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે. આ દિવસે મંદિરના દરવાજા બંધ રહેશે, તેથી અયોધ્યા જનારાઓને દર્શન વિના પાછા ફરવું પડી શકે છે. અયોધ્યા રામ મંદિર ઉપરાંત, બધા મંદિરો અને મઠોમાં દર્શન પ્રતિબંધિત રહેશે. ૩ માર્ચ, હોળીના દિવસે મંદિરના દરવાજા બંધ રહેશે. ચંદ્રગ્રહણને કારણે અયોધ્યા…

Read More

હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કર્યા. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે, ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં જાહેરાત કરી છે કે, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનના આતંકવાદી શાસન…

Read More