Author: Garvi Gujarat

વેપારીઓને મોટું નુકસાન શિપમેન્ટ અટકતા ભારતના ચોખા નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે જેથી ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અવરજવર અટકી પડી છે. ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધ કારણે મધ્ય-પૂર્વમાં ટેન્શન હાઇ થઈ ગયું છે. જેની અસર ભારતના ચોખાના નિકાસકારો પર દેખાઈ રહી છે. મજબૂરીમાં શિપમેન્ટ અટકી જવાને કારણે, ચૂકવણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. મહત્વનું છે કે અમેરિકા અને ઈઝરાયલે ૨૮ ફેબ્રુઆરીના શનિવાર રોજ ઈરાન પર મોટો હુમલો કર્યો છે જેથી ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અવરજવર અટકી પડી છે. રિપોર્ટ પ્રમાણે, હરિયાણામાં ચોખાના નિકાસકારો ઈરાન અને અફઘાનિસ્તાન જનારા શિપમેન્ટ તેમજ પેમેન્ટમાં વિલંબનો સામનો કરી…

Read More

બોર્ડની પરીક્ષામાં કેમેસ્ટ્રીનું પેપર ખરાબ ગયું હતું પેપર ખરાબ જતાં ધો. ૧૨ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં આ વિદ્યાર્થીનીએ પોતાના ઘરે બેડરૂમમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષામાં પેપર સારું ન જતાં એક ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના બારડોલી ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી રહી છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં ગઈકાલે સાયન્સ વિભાગમાં કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં આ વિદ્યાર્થીનીએ પોતાના ઘરે બેડરૂમમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે, ત્યારે આ ઘટનાને કારણે મૃતક વિદ્યાર્થિનીનો પરિવાર શોકાતુર બન્યો છે. ઘટનાની મળતી માહિતી મુજબ,…

Read More

કોચ પદ છોડવાના સંકેત આપ્યા T20 વર્લ્ડ કપથી બહાર ફેંકાતા જ શ્રીલંકન દિગ્ગજ જયસૂર્યા દુ:ખી જયસૂર્યાના નિવેદનથી એ સંકેત મળે છે કે હેડ કોચ તરીકેનો તેમનો કાર્યકાળ હવે નિર્ણાયક મોડ પર પહોંચી ગયો છે. ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં શ્રીલંકન ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ સનથ જયસૂર્યાએ પોતાના ભવિષ્ય અંગે એક મોટો સંકેત આપ્યો છે. શ્રીલંકાના હેડ કોચ જયસૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે, હું હાલમાં પદ નથી છોડી રહ્યો, પરંતુ જાે શ્રીલંકા ક્રિકેટ (SLC)ને યોગ્ય વિકલ્પ મળે તો હું જવાબદારી સોંપવા માટે તૈયાર છું. જયસૂર્યાના નિવેદનથી એ સંકેત મળે છે કે હેડ કોચ તરીકેનો તેમનો કાર્યકાળ હવે નિર્ણાયક મોડ પર પહોંચી…

Read More

ઈરાનમાં યુદ્ધ મુદ્દે અમેરિકા ફજી રશિયા-ચીન! ખામેનેઈની હત્યા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન : પુતિન મિલિટ્રી ઓપરેશન રોકી દેવામાં આવે : ચીન અમેરિકા અને ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. મિડલ ઈસ્ટ હાલ બોમ્બ-ધડાકાથી ગુંજી રહ્યું છે. તેવામાં રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ખામેનેઈના મોતને હત્યા ગણાવી કહ્યું છે કે, માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ઉલ્લંઘન થયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ખામેનેઈના મોતને હત્યા કરાર આપતા કહ્યું છે કે, ઈરાનના સુપ્રીમ લીડર પર હુમલો અને તેમની હત્યા ઈરાનની સંપ્રભુતા અને સુરક્ષાનું ઘોર ઉલ્લંઘન છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમો અને આંતર રાષ્ટ્રીય સંબંધોના…

Read More

લાખો પ્રવાસી અટવાયા ભારતની ૪૪૪ ફ્લાઇટ્સ રદ્દ, ૧૧ દેશોના એરસ્પેસ બંધ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કર્યા છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના લશ્કરી હુમલા બાદ, મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે. આના કારણે વૈશ્વિક હવાઈ ટ્રાફિકમાં ભારે વિક્ષેપ પડ્યો છે અને ભારતમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર નોંધપાત્ર અસર પડી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાન અને મધ્ય પૂર્વના ભાગોમાં લાદવામાં આવેલા હવાઈ ક્ષેત્ર પ્રતિબંધોને કારણે શનિવારે ૪૧૦ ભારતીય સ્થાનિક એરલાઇન ફ્લાઇટ્સ રદ કરવામાં…

Read More

૧૮થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત નાગપુરમાં વિસ્ફોટક ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ : ૧૭નાં મોત કાટોલ તહસીલના રાઉલગાંવમાં સ્થિત વિસ્ફોટકો બનાવતી કંપની SBL એનર્જી લિમિટેડમાં મોટો વિસ્ફોટ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક ખાસ કરીને દુ:ખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. નાગપુર ગ્રામીણના કાટોલ તહસીલના રાઉલગાંવમાં સ્થિત વિસ્ફોટકો બનાવતી કંપની SBL એનર્જી લિમિટેડમાં આજે સવારે એક મોટો વિસ્ફોટ થયો. નાગપુર ગ્રામીણ પોલીસ અધિક્ષક (SP) હર્ષ પોદ્દારે પુષ્ટિ આપી કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૭ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૮ થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે, જ્યારે કંપની ખાણકામ…

Read More

ઈમરજન્સીમાં આ નંબર પર કરો ફોન મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતીયો માટે દૂતાવાસની નવી એડવાઈઝરી ઈમરજન્સીની સ્થિતિમાં મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા, જરૂર પડે તો આ નંબરો પર તાત્કાલિક સંપર્ક કરી શકાશે અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પર હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, સતત હુમલા થઈ રહ્યા છે અને ઈરાને પણ જવાબી કાર્યવાહી કરીને મિડલ ઈસ્ટના અલગ-અલગ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ તેમજ ઇઝરાયેલના અનેક શહેરો પર હુમલા કર્યા છે. જે બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને અનેક દેશોએ હાઈ અલર્ટ જાહેર કરી દીધું…

Read More

ઈરાની મીડિયાએ કરી પુષ્ટિ, ઈરાનમાં ૪૦ દિવસના શોકની જાહેરાત અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈનું મોત ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયલ સાથેના અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશનને કારણે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી મધ્ય પૂર્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદ હવે ઈરાની મીડિયા પ્રેસ ટીવીએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ આ હુમલામાં માર્યા ગયા છે. ઈરાની સેના IRGC તરફથી પણ ખામેનેઈના નિધનની પુષ્ટિ કરી દેવામાં આવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીના જંતર મંતર પર વિશાળ રેલી કરીને દેશને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે 140 કરોડ લોકો મળીને દેશમાંથી તાનાશાહ સરકાર ઉખાડી ફેંકશે. આ લોકો સત્તાની રાજનીતિ કરે અને અમે જનતા માટે કામ કરીશું. આજથી આ બદલાવની ગણતરી શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મોદીજી કહેતા રહ્યાં કે દિલ્હીવાળાઓનો ’દીકરો’ ભ્રષ્ટ છે, પરંતુ કોર્ટએ સાફ કરી દીધું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર હતો, છે અને રહેશે. કોંગ્રેસના ભ્રષ્ટાચારથી કંટાળી લોકોએ મોટી આશાઓ સાથે મોદીજીને પૂર્ણ બહુમત આપ્યો. આજે દેશના દરેક ક્ષેત્ર બરબાદ છે. આ દરમિયાન દિલ્હી, પંજાબ, ગુજરાત, ગોવા સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા…

Read More

કથિત લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ નિર્દોષ સાબીત થતા દિલ્હીના જંતર-મંતર ખાતે ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના શિર્ષ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતાઓ જંતર-મંતરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. આ તકે સભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીનો જંતર-મંતરથી શરૂ થતો કાર્યક્રમ ફરી એકવાર દર્શાવે છે કે ભારતના લોકોએ અરવિંદ કેજરીવાલજીને કટ્ટર ઈમાનદાર તરીકે માન્યતા આપી છે. આજ માટે સમગ્ર દેશની નજર જંતર-મંતર પર છે. મિત્રો, આજે આ કાર્યક્રમમાં તમે…

Read More