Author: Garvi Gujarat

અક્ષયની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાના આરે અજય દેવગણ અને અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર ટકરાશે અજયની રેન્જર તથા અક્ષયની અનટાઈટલ્ડ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં એક જ તારીખે રજૂ થશે આગામી ડિસેમ્બરમાં અક્ષય કુમાર અને અજય દેવગણ બોક્સ ઓફિસ પર ટકરાય તેવી સંભાવના છે. અજય દેવગણની ‘રેન્જર’ ફિલ્મ તા. ચોથી ડિસેમ્બરે રીલિઝ થવાની છે. હવે અક્ષય કુમારની નવી ફિલ્મ પણ આ જ દિવસે રીલિઝ કરવાનું નક્કી કરાયું છે. અનીસ બાઝમીએ બનાવેલી આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી પરંતુ તેનું શૂટિંગ પૂર્ણતાને આરે છે. બહુ વહેલી તકે આ ફિલ્મનુ શીષક અને અને અન્ય બાબતો સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષય…

Read More

માત્ર ૨૨ ટિકિટ વેચાતા થિયેટરોમાંથી આઉટ ‘ધુરંધર’નો જવાબ આપવા બનેલી પાક. ફિલ્મ ‘મેરા લ્યારી’ સુપર ફ્લોપ અબુ અલીહા દિગ્દર્શિત આ ફિલ્મમાં મહિલા ફૂટબોલ અને ત્યાંના સ્થાનિક લોકોના જીવન પર ધ્યાન કેન્દ્રિત ભારતીય ફિલ્મ ‘ધુરંધર’માં લ્યારી વિસ્તારને જે રીતે દર્શાવવામાં આવ્યો હતો, એનાથી નારાજ થઈને પાકિસ્તાની મેકર્સે ‘મેરા લ્યારી’ બનાવી. ભારે ચર્ચિત બનેલી અને રાજકીય સમર્થન સાથે મેદાનમાં ઉતરેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. અહેવાલો મુજબ આ ફિલ્મની માત્ર ૨૨ ટિકિટો જ વેચાઈ હતી, જેના કારણે સિનેમાઘરોએ પહેલા જ અઠવાડિયે તેને ઉતારી લેવી પડી છે.ભારતની ફિલ્મ ‘ધુરંધર’માં કરાચીના લ્યારી વિસ્તારને ગુનાખોરી અને આતંકવાદ સાથે જાેડીને બતાવાયો હતો.…

Read More

ક્રૂડ તેલનો વાયદો રૂ.62 લપસ્યોઃ સોનાના વાયદામાં રૂ.44નો સુધારો, ચાંદીનો વાયદો રૂ.4357 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.34481.06 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.463921.72 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23754.47 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40063 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.498403.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.34481.06 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.463921.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 40063 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4222.45 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23754.47 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.161888ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.163055 અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછતને પગલે સરકારી ઓઈલ કંપનીઓના અડધો-અડધ પેટ્રોલ પંપો બંધ થઈ જતા ફરી પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાઈનો લાગતા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાઉથ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સુરત જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરાતા સુરત કલેક્ટરે પેટ્રોલિયમ કંપનીઓના અધિકારીઓને બોલાવી સમગ્ર બાબતથી જાણકાર થઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આમ પણ નાયરા જેવી ખાનગી પેટ્રોલિયમ કંપનીઓના પેટ્રોલના ભાવમાં લીટરે રૂપિયા પાંચ અને ડીઝલમાં રૂપિયા ત્રણના વધારાને કારણે ગ્રાહકોના ખિસ્સા પર પડતા ભારને લઈને ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સરકારી પેટ્રોલ પંપો પર ગ્રાહકોની ભીડ વધુ રહેતી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરના લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે ભાવિ સપનાઓ સાથે એન્જીનિયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે અથાક મહેનત કરે છે. પરંતુ જ્યારે આવી મહત્વની પરીક્ષાઓમા ગેરરીતિના અહેવાલો સામે આવે છે અથવા પેપર લીકને કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવે છે ત્યારે તેમની આશાઓ પર પાણી ફરી વળે છે. આ વર્ષે ફરી એકવાર મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 અંગે પેપર લીકના ગંભીર આરોપો સામે આવતા નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) ને 3 મે ના રોજ યોજાયેલી પરીક્ષા રદ કરવા માટે ફરજ પડી છે. વધુમાં આ બાબતની તપાસ CBIને સોંપવામાં આવી છે. અહી પ્રશ્ન એ થાય છે કે આવી અત્યંત મહત્વની…

Read More

ગુજરાતના સ્થાપના દિવસના પાવન અવસરે સુરત ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’-VGRC અને ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’-VGREના માધ્યમથી રાજ્યની વિકાસયાત્રાને નવી ઊંચાઈ મળી છે. આ એક્ઝિબિશનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલા રાજ્યના ‘ટ્રાયબલ હેરિટેજ’ એટલે કે પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. તા. ૧ થી ૫ મે, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનમાં આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના ૨૫ સ્ટોલ્સ પર પાંચ દિવસમાં રૂ. ૫.૩૧ લાખથી વધુનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેની આવક આદિવાસી હસ્તકલાકરોને કોઈપણ પ્રકારના ખર્ચ વિના સીધી પ્રાપ્ત થઈ હતી. આ સ્ટોલમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કુશળ આદિવાસી હસ્તકલાકારો…

Read More

મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ પર વિચારણા, સરકાર એક્શનમાં આ મામલે સરકાર ટૂંક સમયમાં જ અનેક ખાનગી કંપનીઓ અને એસોસિએશનો સાથે બેઠક કરશે ગુજરાત સરકાર હવે પેટ્રોલ-ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે ઓનલાઈન (વર્ચ્યુઅલ) યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ માટે પણ એક મોટા સમાચાર છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યો છે કે, મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પ્રાઇવેટ કંપનીઓમાં ફરીથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર લાવવા પર ગંભીરતાથી વિચારણા થઈ રહી…

Read More

હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી ભારતને ઈંધણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે જાે યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સરકાર ભાવ વધારાનો કેટલોક ભાગ ગ્રાહકો પર નાખશે આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જાે મિડલ ઈસ્ટમાં લાંબા સમય સુધી યુદ્ધની સ્થિતિ ચાલુ રહેશે, તો ભારતને ઈંધણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે. એક કાર્યક્રમમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, જાે યુદ્ધની પરિસ્થિતિ…

Read More

રાહુલ-પ્રિયંકા પણ હાજર સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીની સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને કારણે પોતાનો નિર્ધારિત કેરળ પ્રવાસ રદ કર્યો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. જાેકે સૂત્રો અનુસાર તેમને એક સામાન્ય સર્જરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે જ જાેવા મળ્યા હતા. અગાઉ ૨૪ માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ડૉક્ટરો તેમના પેટ અને યુરિનરી ટ્રેક્ટમાં…

Read More

કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો ર્નિણય કેન્દ્રીય મંત્રી પાટીલે પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી ર્નિણય કર્યો દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં ઇંધણનો બચાવ કરવાનો પણ સામેલ છે. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જાેવા મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી ર્નિણય કર્યો કે હવેથી તેઓ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં. કેન્દ્રીયમંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન…

Read More