- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
ફરહાનના સ્થાને સિદ્ધાંત ગુપ્તા ગોઠવાઈ ગયો ફરહાને લાલા અમરનાથની બાયોપિક લલકાર છોડી દીધી આમિરખાન આ ફિલ્મમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ક્રિકેટ કેપ્ટન લાલા અમરનાથની ભૂમિકા ભજવવાનો છે ફરહાન અખ્તરે આમિરખાન અને આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘લલકાર’ છોડી દેતાં તેના સ્થાને ‘જ્યુબિલિ’ સીરિઝ ફેમ સિદ્ધાંત ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે.આર.ડી. બર્મનની બાયોપિકમાં ડેટ્સ આપી દીધી હોઇ ફરહાન માટે આ ફિલ્મની તૈયારીઓ માટે પૂરતો સમય કાઢવાનું મુશ્કેલ હોઇ તેણે લાલા અમરનાથની કહાની કહેતી સ્પોર્ટસ ફિલ્મ ‘લલકાર’ છોડી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જાે કે ફરહાન સહનિર્માતા તરીકે તો આ ફિલ્મ સાથે સંકળાયેલો રહેશે.આમિરખાનની આ ફિલ્મનું શૂટિંગ પહેલી ઓક્ટોબરથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે. સિદ્ધાંત ગુપ્તા…
‘સ્થિતિ ખૂબ ખરાબ હતી’ ભાઈ સોહેલને સપોર્ટ કરવા પહોંચેલા સલમાને યાદ કર્યા જેલના દિવસો ૧૯૯૮ના કાળિયાર શિકાર અને ચિંકારા શિકાર કેસમાં સલમાન ખાનને કુલ ચાર વખત જેલ અથવા કસ્ટડીમાં રહેવું પડ્યું હતું સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન હાલમાં રિયાલિટી શો ‘એલાયન્સ’નો કન્ટેસ્ટન્ટ્સ છે. એક મુશ્કેલ સપ્તાહ બાદ તેને સપોર્ટ કરવા માટે સલમાન ખાન શોમાં એન્ટ્રી કરે છે. તાજેતરના એપિસોડના સામે આવેલા એક વીડિયોમાં સલમાને જેલમાં વિતાવેલા સમયને યાદ કરીને કેટલીક વાતો શેર કરી.સલમાન ખાને જેલના દિવસો યાદ કર્યાસલમાન ખાને કહ્યું કે, ‘ઘણા વર્ષાે પહેલા જ્યારે હું જેલમાં ગયો હતો, ત્યારે અમારી સામે લોખંડના સળિયા હતા. એક નાના રૂમમાં ૫૦-૬૦-૭૦ લોકો…
ક્રૂરતા સામે કાનૂની રક્ષણનો અધિકાર માન્ય લિવ-ઇન સંબંધોને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ર્નિણય બદલાતા સામાજિક સંજાેગોને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતની નોંધ; લિવ-ઇન સંબંધોમાં પણ કાનૂની સુરક્ષા પર ભાર લિવ-ઇન સંબંધોમાં રહેતા લોકોના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયથી સાથે રહેતા સંબંધોમાં જાે કોઈ વ્યક્તિને પોતાના સાથી અથવા તેના પરિવારજનો તરફથી ક્રૂરતા કે ઉત્પીડનનો સામનો કરવો પડે, તો તેને કાનૂની રક્ષણથી વંચિત રાખી શકાય નહીં. અદાલતે બદલાતા સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને કાયદાની વ્યાખ્યા સમયાનુકૂળ હોવી જાેઈએ તેવી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ર્નિણયમાં જણાવ્યું કે કાયદાનો હેતુ માત્ર ઔપચારિક લગ્નસંબંધો…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ વાત કરતા જણાવ્યું હતું કે, આજે બિહારમાં પણ વિસાવદરવાળી થઈ છે. બિહારમાં એક વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી હતી. આ બાંકીપુર વિધાનસભા સીટ 30 વર્ષથી ભાજપનો ગઢ કહેવાતી હતી, ત્યાં ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટાઈને આવતી હતી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નવીનની સાથે સાથે બીજા દિગ્ગજ નેતાઓ પણ એ વિધાનસભા બાજુથી આવે છે, ત્યાં ભાજપની હાર થઈ છે. તો આપણા ગુજરાતના લોકો માટે પણ ખૂબ જ ખુશીની બાબત છે કે બિહારની આ પેટા ચૂંટણીમાં પણ વિસાવાદરવાળી થઈ છે. ગુજરાતની વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જંતર-મંતર પર થયેલા સીજેપીના પ્રદર્શનમાં સામેલ એક સગીર બાળકી પાસે માફી મંગાવવાનો વીડિયો જાહેર કરાવવા બદલ પ્રધાનમંત્રી પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જંતર-મંતર પર વીડિયો બનાવનારી બાળકીઓને પોલીસના દમ પર ડરાવવાનું બંધ કરે. એક તરફ પ્રધાનમંત્રી બાળકોને માફ કરવાની વાત કરે છે અને બીજી તરફ 15 વર્ષની બાળકી પાસે માફી મંગાવી રહ્યા છે. આ પ્રધાનમંત્રીને શોભતું નથી. આજે ઘણી બધી બાળકીઓ મોદીજી વિરુદ્ધ વીડિયો પોસ્ટ કરી રહી છે. મોદીજી કોને કોને ડરાવશે અને ઝુકાવશે? અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે રીતે તે બિચારી હાથ જોડીને, આંખો નીચી કરીને આખા દેશની…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, બિહારમાં બાંકીપુર સીટના પરિણામ સાથે ‘ભાજપ તારા વળતા પાણી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે અને આવનારા દિવસોમાં આખું પિક્ચર દેશની જનતા સમક્ષ આવવાનું છે. ૧૯૯૫થી લઈને ૨૦૨૬ સુધી સતત દોઢ-દોઢ લાખ મતોની મોટી સરસાઈથી ભાજપ જે બિહારની બાંકીપુર સીટ જીતતું આવ્યું હતું, તે સીટ પર અત્યારે વિસાવદર જેવો માહોલ સર્જાયો છે. ક્રાંતિના મહિના ગણાતા ઓગસ્ટ મહિનામાં, વિશ્વની કહેવાતી સૌથી મોટી અને ટેન્ડર-બેઝ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ (જેઓ આ સીટ પરથી છેલ્લા ૨૦ વર્ષથી ધારાસભ્ય રહ્યા હતા અને રાજ્યસભાના સાંસદ બનતા સીટ ખાલી પડી હતી), તેમની એ…
શ્રેયસ ઐયરના સાથી ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ શશાંક સિંહ પોતાની ઘરેલુ ટીમ છત્તીસગઢથી અલગ થઈ ગયો શશાંક સિંહ કહેવું છે કે તેને એવું કહીને બદનામ કરવામાં આવ્યો કે તે ફક્ત IPL રમવા માંગે છે અને ઘરેલુ ક્રિકેટમાં કોઈ રસ નથી IPL પંજાબ કિંગ્સ તરફથી રમતા સ્ટાર ઓલરાઉન્ડર શશાંક સિંહે એક મોટો ર્નિણય લીધો છે. શશાંકે તેની ઘરેલુ ટીમ છત્તીસગઢથી અલગ થઈ ગયો છે. તે હવે ૨૦૨૬-૨૭ સિઝનથી પુડુચેરી માટે રમશે. ક્રિકેટ એસોસિએશન ઓફ પુડુચેરીના ભૂતપૂર્વ પ્રમુખ પી. દામોદરને પણ શશાંકના ટીમમાં સમાવેશની પુષ્ટિ કરી છે. મુંબઈનો વિકેટકીપર-બેટ્સમેન પ્રસાદ પવાર પણ તેની સાથે પુડુચેરી ટીમમાં જાેડાયો છે. ટીમ છોડ્યા પછી શશાંકે…
ભારતે સ્વદેશી ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું મિસાઇલ અને ડ્રોન ટેક્નોલોજીમાં આર્ત્મનિભરતા તરફ ઐતિહાસિક પગલું DRDO નું ૩૫૦ કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ ટર્બોજેટ એન્જિન તૈયાર; ક્રૂઝ મિસાઇલ અને હાઈ-સ્પીડ ડ્રોનને મળશે નવી શક્તિ ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં સ્વદેશી ૩૫૦ કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવ્યું છે. આ એન્જિનના વિકાસ સાથે ભારત હવે એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જે મિસાઇલ અને ડ્રોન માટે આધુનિક જેટ એન્જિનનું ડિઝાઇન અને ઉત્પાદન સ્વદેશમાં કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિદ્ધિ દેશની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની સાથે ‘આર્ત્મનિભર ભારત’ અભિયાનને પણ નવી દિશા આપશે. આ એન્જિનનું ડિઝાઇન DRDO ની બેંગલુરુ સ્થિત ગેસ…
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીની ભાજપ સરકાર દ્વારા દિલ્હી લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓની સંખ્યા મર્યાદિત કરવા માટે લાદવામાં આવેલી કડક શરતોનો વિરોધ કર્યો હતો. પંજાબની માંવાં-ધીયાં સત્કાર યોજનાની સરખામણી કરતાં તેમણે કહ્યું કે પંજાબમાં AAP સરકારે આવી કોઈ શરતો લાદી નહોતી, જ્યારે રેખા ગુપ્તા સરકારે અરજદારો માટે 10 વર્ષના રહેઠાણની શરત અને સાંસદ અથવા ધારાસભ્યની મંજૂરી ફરજિયાત બનાવી છે.https://www.facebook.com/share/v/1Y24vpMGbG/ AAP ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે જણાવ્યું કે જો BJP સરકારની નીતિ ખરેખર સારી હોત, તો તેમણે કડક શરતો લાદવાને બદલે તમામ પાત્ર મહિલાઓને યોજનાનો લાભ આપ્યો હોત. દિલ્હી લક્ષ્મી યોજના હેઠળની મનસ્વી પાત્રતા શરતો અને સાંસદો…
ઈરાનનો આકરો પલટવાર અને દાવો ઈરાન પર હુમલા અટકાવવાના ર્નિણય બાદ મીડિયાએ ટ્રમ્પની મજાક ઉડાવી મધ્ય પૂર્વીય દેશો અને ઈરાનની વિનંતી તેમજ સોદાની શરતો પર સહમતિ સાધ્યા બાદ હુમલા રોકવાનો ર્નિણય લીધો : ટ્રમ્પનો દાવો ઈરાન સામે સંભવિત સૈન્ય હુમલાઓ સ્થગિત કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાની મીડિયાએ તેમના પર તીખા પ્રહારો કર્યા છે અને તેમની મજાક ઉડાવી છે. ટ્રમ્પે દાવો કર્યાે હતો કે મધ્ય પૂર્વીય દેશો અને ઈરાનની વિનંતી તેમજ સોદાની શરતો પર સહમતિ સાધ્યા બાદ તેમણે હુમલા રોકવાનો ર્નિણય લીધો છે.ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઈટ ‘ટ્રુથ’ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, પ્રાદેશિક દેશોની વિનંતી બાદ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


