Author: Garvi Gujarat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત હાઈકોર્ટે બેન્ક હરાજી ધ્વારા ખરીદાયેલી મિલકતોના કિસ્સામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. આ બાબતે હાઈકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યુ છે કે જો કોઈ વ્યક્તિએ બેન્કની કાયદેસરની હરાજી પ્રક્રિયા ધ્વારા મિલકત ખરીદી હોય તો સંબંધિત સરકારી સત્તાવાળાઓ કે નોંધણી અધિકારીઓ તેના વેચાણ દસ્તાવેજ અથવા વેચાણ પ્રમાણપત્રની નોંધણી કરવાનો ઇન્કાર કરી શકે નહીં. આ બાબતે નામદાર અદાલતે વધુમાં સ્પષ્ટતા કરી છે કે ભલે આવી મિલકત પર વેટ વિભાગ કે અન્ય કોઈ સરકારી લેણાંનો બોજો બોલતો હોય તેમ છતાં બેન્ક ધ્વારા જારી કરાયેલા વેચાણ પ્રમાણપત્રની નોંધણી કરવી સત્તાવાળાઓ માટે બંધનકર્તા છે. જસ્ટીસ હેમંત એમ.પ્રચ્છકની અદાલતે ભાવનગરની…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મ.ન.પા ધ્વારા વર્ષ ૨૦૧૮,૨૦૧૯,૨૦૨૧,૨૦૨૩ માં જુદી જુદી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. એનાથી અનેક ઉમેદવારોએ અરજી કરી નોકરી મેળવવા માટે સ્વપ્ના જોઈ રહ્યા હતા. ત્યારે સુરત મ.ન.પામાં આઠ વર્ષ સુધી ભરતીનું મુર્હત આવ્યું ન હતું. અને અનેક યુવાનોએ નોકરીની આશા છોડી દીધી હતી ત્યારે અચાનક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સુરત મ.ન.પા ના ચૂંટાયેલા કોર્પોરેટરો ઘેર બેઠા કે તુરંત જ ઉમેદવારના ઇન્ટરવ્યુની જાહેરત કરી દીધી. પરંતુ મ.ન.પા ના અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરો ઘરે જાય તેની જ રાહ જોઈ રહ્યા હતા? ઇન્ટરવ્યુ (લેખિત પરીક્ષા) માટે કોઈપણ પત્ર આપવામાં આવેલ નથી. અને વોટ્સએપ ઉપર ઉમેદવારોને જાણ કરવામાં…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સરકારે ૨૦૦૨ના વર્ષમાં અનેક ફાયનાન્સ કંપનીઓ, બેન્કો વિગેરે એ ધીરાણ કરેલ નાણાંની વસુલાત માટે સિકયોરિટી ઈન્ટરેસ્ટ એકટ ( એન્ફોર્સ મેન્ટ સરફેસાઈ ના કાયદા૨૦૦૨) મંજૂરી આપેલ છે. અને આવી મંજૂરીના આધારે સંપત્તિઓનું બેન્કો કે ફાયનાન્સ કંપનીઓ ધ્વારા ક્યારેક ખૂબ જ ખોટા નિર્ણયો લેવામાં આવે છે. જે લોન લેનાર વ્યક્તિને નુકશાન કર્તા છે. પરંતુ કેટલાક કેસોમાં લોન લેનારને ફાયદા થાય છે. આવા ફાયદા એ રીતે કે કોઈ પ્રાઈવેટ બિલ્ડર ધ્વારા કોઈ જમીન માલિકો પાસેથી ખાનગી જગ્યાને તેઓને થોડા ઘણા નાણાં ચુકવી તેની પાસેથી લખાણ લઈ લેવામાં આવે છે. અને તેઓ પાસે પ્રોજેકટ શરૂ કરવામાં આવે તો વાંધો નથી…

Read More

સોનાના વાયદામાં રૂ.5883 અને ચાંદીના વાયદામાં રૂ.12487નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.521 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.34217.57 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.198120.31 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25329.71 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35360 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.232338.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.34217.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.198120.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 35360 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2940.41 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25329.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.143079ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.144799 અને નીચામાં રૂ.143079ના સ્તરને સ્પર્શી, રૂ.138912ના આગલા બંધ સામે રૂ.5883ના ઉછાળા સાથે રૂ.144795ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.3741 વધી રૂ.117297 થયો હતો. ગોલ્ડ-પેટલ…

Read More

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઇ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી…

Read More

ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે યુસીસી બિલ ઉપર મેં વિધાનસભાના ગૃહમાં મારા વિચારો રજૂ કરતાં કહ્યું કે એક સમય એવો હતો જ્યારે ન તો જમીન જેવી વ્યવસ્થાઓ હતી અને ન તો આજ જેવી સંવિધાનિક પ્રણાલીઓ હતી. તે સમયમાં સમાજ નાના-નાના જૂથોમાં વહેંચાયેલો હતો, જેમ કે કબીલા, અને દરેક કબીલાની પોતાની પરંપરાઓ, પદ્ધતિઓ અને રૂઢિઓ હતી. લોકો પોતાના નિયમો મુજબ લગ્ન, છૂટાછેડા અને પરિવાર વ્યવસ્થા ચલાવતા હતા. સમય જતાં સમાજ વિકાસ પામ્યો અને છેલ્લા હજારો વર્ષોમાં પ્રગતિ કરીને આજના આધુનિક સંવિધાન સુધી પહોંચ્યો. ત્યારબાદ રાજ્ય અને સરકાર દ્વારા કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા…

Read More

ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે એક અત્યંત ગંભીર માહિતી સામે આવી છે. વિધાનસભાના માધ્યમથી મેં ગુજરાતના ગૃહમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો, જે કાયદો-વ્યવસ્થા અને ગુપ્ત બાબતો સાથે સંકળાયેલો મહત્વનો મુદ્દો છે. પોલીસને 112 નંબર ઉપર આવતા તમામ ફોન અત્યંત મહત્વના હોય છે, જેમાં ક્રાઇમ, સાઇબર ક્રાઇમ, આંતરરાષ્ટ્રીય ધમકીઓ તેમજ સરહદી વિસ્તારો સાથે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. આવા તમામ સંવેદનશીલ અને રાજ્યની સુરક્ષા સાથે જોડાયેલા કોલ ગુપ્ત રહેવા જરૂરી છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે સમગ્ર સિસ્ટમ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવી છે. 112…

Read More

આજે વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થા મુદ્દે ગૃહમંત્રી માટે એક સવાલ હતો. પરંતુ મારો પ્રશ્ન પ્રાથમિકતામાં આવરી લેવામાં આવ્યો નહીં, જેના કારણે ગૃહમાં આ પ્રશ્ન મુદ્દે ચર્ચા થઈ નથી પરંતુ સરકારનો જે જવાબ મળ્યો છે તે જવાબનું વિશ્લેષણ કરીને તેની માહિતી જનતા સુધી પહોંચાડવી જરૂરી છે. સરકાર સલામતીના બમણા ફૂંકતી હોય છે પરંતુ જે આંકડા સામે આવ્યા છે તેનાથી આંખો ફાટી જાય એવી સ્થિતિ છે. મારો સવાલ હતો કે અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા લોકો પાસે હથિયારના લાયસન્સ…

Read More

ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના છેલ્લા દિવસે મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે મને એનો જવાબ આપ્યો છે. જેમાં બહુ જ ગંભીર ઘટના સામે આવી છે. મેં એવું પૂછ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સસ્તા અનાજની દુકાનેથી રેશન કાર્ડ ધારકોને ઘઉં આપવા માટે કયા ભાવે, કઈ એજન્સી પાસેથી કેટલા ઘઉં સરકારે ખરીદ્યા. આ જે ઘઉં સરકારે ખરીદ્યા અની હેરફેર કરવી પડે. માનો કે રાજ્ય કક્ષાએ ખરીદી કરી હોય તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મોકલવા પડે, તો એની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છીએ. આજે ગુજરાતમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાત બદલાવ માંગી રહ્યું છે, આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે. થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે, એમાં પણ આમ આદમી પાર્ટીનું ખૂબ જ…

Read More