- કુબેરનગરમાં સગીર દ્વારા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો, ફ્રેકચર અને ધમકીનો કેસ નોંધાયો
- કલોલ પોક્સો કોર્ટનો કડક ચુકાદો: સામૂહિક દુષ્કર્મના ૩ આરોપીને આજીવન કેદ
- જાપાનનો ઐતિહાસિક ફેરફાર: હવે વિશ્વને ઘાતક શસ્ત્રોની નિકાસ કરશે
- ડોનબાસમાં રશિયાનો 1700 કિમી વિસ્તાર કબ્જાનો દાવો, યુક્રેનનો પ્રતિકાર ચાલુ
- નિક્કી હેલીનો દાવો: ઇરાન જતાં જહાજમાં ચીનના મિસાઇલ કેમિકલ્સ મળ્યા
- અમેરિકા-ઈરાન તણાવ વધ્યો: સીઝફાયર પર મતભેદ, તેહરાન ઝૂકવા તૈયાર નહીં
- ઓગસ્ટમાં બોક્સ ઓફિસ ક્લેશ: સની દેઓલ-ઈમરાન હાશ્મી ૧૪ ઓગસ્ટે ટકરાશે
- ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’ ૧ મે રિલીઝ, મેરિલ સ્ટ્રીપે ફેશન અંગે કરી રસપ્રદ કબૂલાત
Author: Garvi Gujarat
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ. SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૯ હેઠળ રક્ષણ કે અન્ય કોઈ બંધારણીય લાભોનો દાવો કરી શકે નહીં.સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, ધર્મ પરિવર્તન કર્યા બાદ વ્યક્તિને અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જાે મળી શકશે નહીં. કોર્ટે પોતાના ર્નિણયમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ સ્વીકારે છે, તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં. અદાલતે ખાસ સ્પષ્ટતા કરી છે કે જાે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તેને SC/ST…
ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDA નો ગડકરીને પત્ર.પેટ્રોલમાં ૨૦ નહીં ૩૦ ટકા ઈથેનોલ ભેળવવું જાેઈએ.એક દાયકા પહેલા પેટ્રોલમાં માત્ર ૧-૨% એથેનોલ ભળતું હતું, જે હવે ૨૦% સુધી પહોંચી ગયું છે.દુનિયામાં વધી રહેલા તણાવ અને મોંઘા થઈ રહેલા તેલ વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષા (Energy Secu®iy) મજબૂત કરવા માટે એથેનોલ પર મોટું ફોકસ કરી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) એ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને પેટ્રોલમાં એથેનોલનું પ્રમાણ ૨૦% થી વધારીને ૩૦% (E30) કરવાની અને ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર ભાર મૂકવાની માંગ કરી છે. લોકસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત હવે ૨૭ ને…
વિશ્વમાં ચાલતા બે યુદ્ધોથી ૫૫ વર્ષની સૌથી મોટી ઓઇલ કટોકટીનું સર્જન.પશ્ચિમ એશિયાનું સંકટ ૧૯૭૦ની બે ઓઈલ કટોકટી દરમિયાન ગેસ બજારો પર પડેલી અસરથી વધુ ગંભીર અસરો સર્જી રહ્યું છે.વિશ્વમાં ચાલતા બે યુદ્ધોએ છેલ્લા ૫૫ વર્ષનું સૌથી મોટી ઓઇલ કટોકટી સર્જન કર્યુ છે. આ યુદ્ધોના કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેનો કોઈ ઉકેલ દેખાતો નથી. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના પ્રમુખ ફાતિહ બિરોલે આ વાત જણાવી હતી. પશ્ચિમ એશિયાનું સંકટ ૧૯૭૦ની બે ઓઈલ કટોકટી દરમિયાન ગેસ બજારો પર પડેલી અસરથી વધુ ગંભીર અસરો સર્જી રહ્યું છે. બિરોલે જણાવ્યું હતું કે મધ્યપૂર્વના ક્ષેત્રમાં નવ દેશોના ૪૦ ઉર્જા એકમો ગંભીર રીતે નુકસાન પામી…
વર્તમાન પરિસ્થિતિને જાેતાં લેવાયેલો ર્નિણય.નવા પીએનજી જાેડાણો માટે તાકીદે ૮૨૦ જગ્યાએ રોડ ખોદવાની મંજૂરી અપાઇ.ગેસ કંપનીને નવા જાેડાણો આપવા માટે રોડ ખોદવાની જરૂર પડતી હોય છે અને તેના માટે દરેક ઝોનમાં ઇજનેર ખાતામાં અરજી કરવી પડે છે.શહેરમાં એક તરફ રાંધણગેસ (એલપીજી)નો અને કોમર્શિયલ એકમોમાં કોમર્શિયલ એલપીજી ગેસનો કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે મ્યુનિ.એ મહત્વનો ર્નિણય લઇને રાંધણગેસની સમસ્યાથી નાગરિકોને રાહત આપવા માટે તમામ ઝોનમાં પીએનજી જાેડાણો આપવા માટે ગેસ કંપનીની ત્રણ એજન્સીઓને રોડ ખોદવાની મંજૂરી તાબડતોબ આપી દીધી છે. ઉપરાંત, રોડ ખોદવાની મંજૂરી આપ્યા બાદ રોડ રિપેરિંગની કામગીરી જે તે એજન્સીએ કરાવવાની હોય છે, પરંતુ કમિશનરે રોડ રિપેરિંગનો ખર્ચ કંપની…
ટાયર અને સ્પેરપાર્ટ્સના ભાવમાં પણ ૩થી ૪ ટકાનો વધારો થયો.ડીઝલની અછત અને વધતા ભાવને કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશને ૨૪ માર્ચથી નવા દર અમલી બનાવ્યા.મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે ઉભી થયેલી કટોકટીની સીધી અસર હવે કચ્છના પરિવહન ક્ષેત્ર પર જાેવા મળી રહી છે. કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન દ્વારા એક સત્તાવાર ‘ટ્રેડ નોટિસ’ જાહેર કરીને ટ્રાન્સપોર્ટેશનના દરોમાં ૨૦%નો ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ર્નિણય પાછળ ડીઝલની અછત અને સતત વધી રહેલા ભાવ મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે.એસોસિએશનના પ્રમુખ ભગીરથસિંહ જી. જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે રિટેલ પંપો પર ડીઝલનો…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર બિનઆદિવાસી લોકોને બોગસ રીતે બનાવીને આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને એ બોગસ આદિવાસીઓ શિક્ષણમાં, નોકરીમાં અને કેટલાક તો રાજકીય રીતે પણ લાભ લઇ રહ્યા છે, તો આ મુદ્દો અમે વિધાનસભામાં દાખલ કર્યો અને એની ચર્ચા થઈ. ગુજરાત સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર બરડા આલેછના નેસમાં રહેતા 21913 જેટલા રબારી ભરવાડ ચારણને વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવા પાત્ર છે,તે સિવાય બાકીના 56000 બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા…
સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. તે મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે કાલે શહીદ ભગતસિંહના શહાદત દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના યુથ વિભાગ દ્વારા અને બ્રિજરાજભાઈ સોલંકીની આગેવાનીમાં સુરતમાં વારંવાર પકડાતા ડ્રગ્સના વિરોધમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના યુવાનોને બચાવવા માટે આમ આદમી પાર્ટીની આ એક પહેલ હતી. પરંતુ સરકારે હકીકતમાં ડ્રગ્સ માફિયાઓને પકડવાના બદલે ડ્રગ્સના વિરોધમાં અવાજ ઉઠાવતા લોકો સામે કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસ દ્વારા બ્રિજરાજભાઈ સોલંકી અને અન્ય 36 જેટલા આમ આદમી પાર્ટીના યુવાનોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ સામાન્ય રીતે…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સરકાર યુસીસી બિલ લાવી રહી છે અને એનો જશ લેવા માટે તેઓ થનગની રહ્યા છે. આઝાદી બાદ બંધારણ સભામાં 23/11/1948ના રોજ UCC બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં તેની કલમ 44 અસ્તિત્વમાં આવી અને રાજ્યને વિચારણા હેઠળ એ કલમ મુકવામાં આવી. દેશનું બંધારણ આપણને સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય રીતે સ્વતંત્રતા આપે છે. કેટલાક સમુદાયોના વ્યક્તિગત અને કેટલાક સમુદાયોના સામાજિક કાયદાઓ છે અને એ અંતર્ગત લગ્ન-છૂટાછેડા, વારસાઈ, ભરણપોષણ, દત્તક પ્રથા જેવા કામો થાય છે. મારો કહેવાનો મતલબ એ છે કે ફોજદારી…
ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે 24 માર્ચ 2026ના વિધાનસભા સત્રનો મહત્વનો દિવસ હતો. આજે મેં તારાંકિત પ્રશ્નના સ્વરૂપમાં વિધાનસભાના માધ્યમથી મંત્રીને એક મહત્વનો મુદ્દો પૂછ્યો હતો. ગુજરાતભરના ગામડાઓમાં ખેતર સુધી જવાના રસ્તાઓ અંગેના વિવાદો સતત વધી રહ્યા છે. ભાઈઓ વચ્ચે ભાગબટાવો થાય, જમીન સંપાદન થાય અથવા કેટલાક લોકો દાદાગીરી કરે તેના કારણે અનેક ખેડૂતોને પોતાના ખેતર સુધી જવાનો રસ્તો મળતો નથી. પરિણામે ઘણા ખેડૂતોના ખેતરો બિનખેતી રહે છે અથવા ડરતા ડરતા ખેતી કરવી પડે છે. કચેરીઓના ધક્કા ખાવા પડે છે, કાગળ ઉપર કાગળ અને તારીખ ઉપર તારીખ મળતી રહે છે,…
ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે રાજ્યના નાણામંત્રીએ વિનિયોગ વિધેયક રજૂ કર્યો, ગુજરાત સરકારના બજેટનું વિધેયક. એ વિધેયક ઉપર મેં મારો મુદ્દો રજૂ કરતાં ગુજરાતની સેવા, સુરક્ષા, સલામતી, કાયદો અને વ્યવસ્થાની બાબતો સંભાળતા આપણા ગુજરાતના હોમગાર્ડ અને જીઆરડીના જવાનો અંગે મેં સરકારનું ધ્યાન દોર્યું. આપણા રાજ્યમાં હોમગાર્ડ જવાનો પોલીસ સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે અને જીઆરડીના જવાનો પણ લગભગ પોલીસ જેટલું જ કામ કરે છે. કુદરતી આફતો, આંદોલનો, ધરણા, રેલીઓ, ઉલ્લંઘનો, અન્ય દુર્ઘટનાઓ અને તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં હોમગાર્ડ અને જીઆરડીના જવાનો કાયદો વ્યવસ્થા અને સલામતી સંભાળે છે. પરંતુ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



