Author: Garvi Gujarat

મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ પર વિચારણા, સરકાર એક્શનમાં આ મામલે સરકાર ટૂંક સમયમાં જ અનેક ખાનગી કંપનીઓ અને એસોસિએશનો સાથે બેઠક કરશે ગુજરાત સરકાર હવે પેટ્રોલ-ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે ઓનલાઈન (વર્ચ્યુઅલ) યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ માટે પણ એક મોટા સમાચાર છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યો છે કે, મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પ્રાઇવેટ કંપનીઓમાં ફરીથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર લાવવા પર ગંભીરતાથી વિચારણા થઈ રહી…

Read More

હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી ભારતને ઈંધણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે જાે યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સરકાર ભાવ વધારાનો કેટલોક ભાગ ગ્રાહકો પર નાખશે આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જાે મિડલ ઈસ્ટમાં લાંબા સમય સુધી યુદ્ધની સ્થિતિ ચાલુ રહેશે, તો ભારતને ઈંધણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે. એક કાર્યક્રમમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, જાે યુદ્ધની પરિસ્થિતિ…

Read More

રાહુલ-પ્રિયંકા પણ હાજર સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીની સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને કારણે પોતાનો નિર્ધારિત કેરળ પ્રવાસ રદ કર્યો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. જાેકે સૂત્રો અનુસાર તેમને એક સામાન્ય સર્જરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે જ જાેવા મળ્યા હતા. અગાઉ ૨૪ માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ડૉક્ટરો તેમના પેટ અને યુરિનરી ટ્રેક્ટમાં…

Read More

કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો ર્નિણય કેન્દ્રીય મંત્રી પાટીલે પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી ર્નિણય કર્યો દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં ઇંધણનો બચાવ કરવાનો પણ સામેલ છે. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જાેવા મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી ર્નિણય કર્યો કે હવેથી તેઓ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં. કેન્દ્રીયમંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન…

Read More

સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથી હિન્દુત્વ એ જીવન જીવવાની એક રીત છે, શ્રદ્ધા સાબિત કરવા ઘરમાં દીવો પ્રગટાવવો પણ પૂરતો છે : સુપ્રીમ કોર્ટ સબરીમાલા મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ તેમજ ભેદભાવના મામલે સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્વની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન બુધવારે (૧૩ મે, ૨૦૨૬) દેશની સર્વોચ્ચ અદાલતે હિન્દુ ધર્મ અને આસ્થાને લઈને એક બહુ જ મોટું અને સૂચક અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે હિન્દુત્વ એ કોઈ બંધાયેલો કટ્ટર ધર્મ નથી, પરંતુ એક જીવન જીવવાની રીત (way of life) છે. સાચા…

Read More

સોનાના વાયદામાં રૂ.9228 અને ચાંદીના વાયદામાં રૂ.18897નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.33 સુધર્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.63275.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.349802.05 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 51316.24 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.413077.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.63275.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.349802.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4881.23 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 51316.24 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.154851ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.164497 અને નીચામાં રૂ.154851ના મથાળે અથડાઈ, રૂ.153442ના આગલા બંધ સામે રૂ.9228ના ઉછાળા સાથે રૂ.162670 થયો હતો. ગોલ્ડ-ગિની મે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પવનપુત્ર હનુમાનના જન્મસ્થળ માનવામાં આવતા પ્રખ્યાત અંજનાદ્રી હિલ મંદિરમાં આપવામાં આવેલા દાનને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. કારણકે સત્તાવાર ચકાસણી દરમિયાન ૨.૫ કરોડ રૂપિયાના સોનાના દાગીના સોનાથી ઢંકાયેલા તાંબાના દાગીના હોવાનું જાણવા મળ્યું હતું. હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ મહેશ રેડ્ડીએ ૮ મે ના રોજ મંદિરમાં સુશોભન મુગટની કમાન,ચક્ર અને ગદાનું દાન કર્યા પછી આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઉદ્યોગપતિ ગંગાવતીના ધારાસભ્ય ગલી જનાર્દન રેડ્ડી સાથે મંદિરની મુલાકાતે ગયા હતા. જેમણે જાહેરમાં જણાવ્યુ હતું કે, તેમના નજીકના સહયોગીએ દેવતાને લગભગ ૨.૫ કરોડ રૂપિયાના સોનાના આભૂષણો દાનમાં આપ્યા હતા. જોકે સરકારી તિજોરીમાં સત્તાવાર રીતે દાગીના સ્વીકારતા પહેલા…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણામાં કહેવત છે કે “ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે કે સાસરું તો સારું સાસરે જ રહેવાય” આ કહેવત આજના આ નેતાઓ કે જેમના કથની અને કરણી અલગ છે. એમને કંઈક અંશે મળતી ઝુલતી આવે છે. કારણકે એક બાજુ નેતાઓ પ્રજાના પરસેવાના પૈસા ને પાણી ની જેમ વાપરી આભાસી લોકપ્રિયતા દરબારી મીડિયાના સહારે ઊભી કરવાનો મિથ્યા પ્રયાસ કરી પ્રજાને સુફીયાણી સલાહો આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ એ જ નેતાઓ લખલૂંટ ખર્ચા કરી એ સિધ્ધ કરી બતાવે છે કે અમે કહીએ એ કરવાનું, અમે કરીએ એમ નહીં. આ હળહળતા કળીયુગમાં જ્યારે પ્રજાને બે ટંકના…

Read More

ઇરાન પાસે ૬૦ ટકા સંવર્ધિત યુરેનિયમ હોવાની સંભાવના અમેરિકાએ હુમલો કર્યાે તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી પાકિસ્તાને ઇરાનના લશ્કરી વિમાન તેના નૂરખાન બેઝ પર છૂપાવ્યા હોવાના અહેવાલથી અમેરિકા લાલઘૂમ ઇરાને ધમકી આપી છે કે જાે અમેરિકાએ હવે હુમલો કર્યાે તો તેના જવાબમાઁ ઇરાન પરમાણુ બોમ્બ બનાવશે, ઇરાનની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેજાઈએ આ ધમકી આપી છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાન ૬૦ ટકા સંવર્ધિત યુરેનિયમને ૯૦ ટકા સુધી સંવર્ધિત કરીને પરમાણુ બોમ્બ બનાવશે. હાલમાં ઇરાન પાસે ૬૦ ટકા સંવર્ધિત ૪૦૦ કિલોગ્રામ યુરેનિયમ છે, તેનું શું થયું તેની કોઈને ખબર નથી.અમેરિકન જાસૂસી એજન્સીઓની સમીક્ષા મુજબ જ્યાં સુધી અત્યંત સવર્ધિત યુરેનિયમના ભંડારને…

Read More

NCRB રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો ગુજરાતમાં તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર ચોરી થયેલી રકમ અને ચીજવસ્તુઓ પરત મેળવવાનો રિકવરી રેટ માત્ર ૨૭-૩૦ ટકા જ રહ્યો જેના ખોફથી ગુનેગારો થરથર કાંપવા જાેઈએ પણ હવે એ સ્થિતિ રહી નથી. તસ્કરો માટે તો અચ્છે દિન આવ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે, તેનુ કારણ એછેકે, ગુજરાતમાં છેલ્લા ૩૬ મહિનામાં તસ્કરોએ ૧૦૬૯ કરોડ રૂપિયાની માતબર રકમ પર હાથ સાફ કર્યાે છે. જેની સામે પોલીસ માત્ર ૨૨૧ કરોડ રૂપિયા જ પરત લાવી શકી છે. ૭૮૭ કરોડ રૂપિયાનો કોઈ અતોપત્તો નથી. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટે જ સલામત ગુજરાતનો ફુગ્ગો ફોડ્યો છે.જાે તમારા…

Read More