Author: garvigujrat

રેડ એલર્ટને ધ્યાનમાં રાખી લેવાયો ર્નિણય વડોદરા શહેર જિલ્લામાં આજે પણ તમામ સ્કૂલ કોલેજમાં રજા જાહેર ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટરે ર્નિણય લીધો : ૧ ઓગસ્ટે પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. શહેરના નીચાણવાળા અને અનેક મુખ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આશંકા અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા…

Read More

કવાંટ તાલુકાના મોટી સાંકળથી રામી ડેમ તરફ જવાના માર્ગમાં આવતો પુલ ફરી ચોથા વર્ષે પણ ધોવાયો અને જેના કારણે લોકોને અવરજવરમાં ખૂબ જ પરેશાની થઈ રહી છે અને કલાક પહેલા એક પ્રસૂતાને આરોગ્ય કર્મીઓ 2 કિલોમીટર ચાલતા લઇ જવા મજબૂર બન્યા હતા. આમ આદમી પાર્ટીના છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, રામી ડેમનો ખાંડીબારા તરફ જવાના રસ્તાનો પ્રશ્ન અનેક વર્ષોથી ચાલી રહ્યો છે. અહીંયા વ્યવસ્થિત રોડ બનતા નથી. ઘણી વખત ખાલી પુરાણ કરીને તંત્ર સમસ્યાનું સમાધાન કરે છે. ગઈકાલે વાદળ ફાટ્યા અને ખૂબ જ વરસાદ થયો જેના…

Read More

આમ આદમ પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે લોકો પોતાની પેટ્રોલ ગાડીઓમાં ઈ-ટ્વેન્ટી (E-20) પેટ્રોલના લીધે ભારે પરેશાન થઈ રહ્યા છે. દેશની અંદર ધીમે ધીમે લોકોને સમજાઈ રહ્યું છે કે તેમની ગાડીઓ E-20 પેટ્રોલથી ચલાવવા માટે બની નથી. એટલા માટે હવે ગાડીઓમાં પ્રશ્નો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ઘણાં એન્જિનિયરો સાથે ચર્ચા કરવામાં આવી અને તમામ લોકોનું કહેવું છે કે જૂની પેટ્રોલ ગાડીઓમાં ઈ-ટ્વેન્ટી પેટ્રોલ વાપરી શકાય નહીં. જો આ ઈંધણ વાપરવામાં આવે તો ગાડીઓમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે, જેમ કે સ્ટાર્ટઅપના પ્રોબ્લેમ અને સ્ટાર્ટ થાય ત્યારે સ્પાર્ક પ્લગના પ્રોબ્લેમ. આવી અનેક…

Read More

આંદોલન પર રાઘવ ચઢ્ઢાની પ્રથમ પ્રતિક્રિયા વિદ્યાર્થીઓનો વિરોધ વાજબી પણ તેમાં રાજકીય રેલી ન થવી જાેઈએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન બિલને સમર્થન આપ્યું રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે સાર્વજનિક પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન બિલનું જાેરદાર સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની માંગણીઓ સંપૂર્ણપણે વ્યાજબી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સરકારના વડા તરીકે નહીં પરંતુ યુવાનોના વાલી તરીકે જવાબદારી નિભાવી છે. ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું કે પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓ માટે મીડિયા સાઉન્ડ બાઈટ્સ નહીં, પરંતુ સંસ્થાકીય ઉકેલોની જરૂર છે. કેન્સરની સારવાર ક્રોસિનથી થઈ શકે નહીં, તેમ પરીક્ષા લીકને માત્ર નિવેદનોથી દૂર…

Read More

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ PM પર ભરોસો છે પણ ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવી જાેઈએ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેના ૨૦૨૩ના કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી થઈ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના ૨૦૨૩ના કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રધાનમંત્રી, એક કેન્દ્રીય મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતાની બનેલી ૩ સભ્યોની પસંદગી સમિતિનો બચાવ કર્યો છે. કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પસંદગી પ્રક્રિયામાં પ્રધાનમંત્રીની ભૂમિકા પર “શંકા કરવાનું કોઈ કારણ નથી.” સરકારે દલીલ કરી હતી કે બંધારણીય અદાલતો એ ધારણા…

Read More

(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.        ​હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આપેલા રેડ/ઓરેન્જ એલર્ટના પગલે સુરત મહાનગરપાલિકા (SMC) અને જિલ્લા નાગરિક સંરક્ષણ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. નાગરિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સુરત તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ​મુખ્ય નિર્ણય અને વ્યવસ્થાઓ: ​૧. તંત્ર અને અધિકારીઓ એલર્ટ પર: તમામ સંબંધિત ક્ષેત્રીય અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને સ્થિતિ પર ૨૪x૭ સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. ૨. નીચાણવાળા વિસ્તારો અને શેલ્ટર હોમ: ખાડી અને તાપી નદી કિનારાના તથા નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ શરૂ કરાયું છે. જરૂર જણાતાં…

Read More

અમીરગઢ ચેકપોસ્ટે વાહનચેકિંગ કરતી પોલીસે પકડ્યા હરિયાણાથી ચાંદીનાં ઘરેણાં ચોરીને જઇ રહેલા ભાવનગરના બે જણા ઝડપાયા ભાવનગરના બે શખ્સોને અમીરગઢ પોલીસે ઝડપી લઈ હરિયાણામાં નોંધાયેલા ગુનાની તપાસ કરી હરિયાણાથી ચોરી કરીને બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા ભાવનગરના બે શખ્સોને અમીરગઢ પોલીસે ઝડપી લઈ હરિયાણામાં નોંધાયેલા ગુનાની તપાસ કરી હરિયાણા પોલીસને જાણ કરી હતી.અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રૂટિન વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવીને ગુજરાતમાં પ્રવેશતી એક ખાનગી બસને શકના આધારે રોકાવી તેમાં બેઠેલા મુસાફરોનો સામાન તપાસવાનું શરૂ કરાયું હતું. દરમિયાન બસની એક સ્લીપર સીટમાં બેઠેલા બે શખ્સોની તપાસ આદરતાં તેઓ પાસે રહેલા થેલામાં રોકડ રકમ…

Read More

યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ દિલ્હીના જંતર-મંતર પર PM મોદી વિરુદ્ધ આપત્તિજનક નારેબાજી ગાઝિયાબાદના રહેવાસી અને સુપ્રીમ કોર્ટના મહિલા વકીલે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ અને આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલે હવે કાયદાકીય સકંજાે કસાયો છે. વાયરલ વીડિયોના આધારે યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને દિલ્હી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.દિલ્હીમાં ૨૩ જુલાઈના રોજ CJP ના નેજા હેઠળ યોજાયેલા વિદ્યાર્થી આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા. આ પ્રદર્શન દરમિયાન એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે દેશના વડાપ્રધાન વિરુદ્ધ…

Read More

યુવતીએ કોહલીની બદનામી માટે મળતી ઓફરને ફગાવી વિરાટ કોહલીના એક લાઈકે બદલી નાખી જર્મન મોડેલની જિંદગી! લિઝે ખુલાસો કર્યાે કે એક પત્રકારે તો તેને વિરાટ કોહલીની ઈમેજ ખરાબ કરવા બદલ મોટા પૈસા ઓફર કર્યા હતા સોશિયલ મીડિયાની દુનિયામાં એક નાનો ‘લાઈક’ પણ કોઈની જિંદગી કઈ રીતે બદલી શકે છે, તેનું સૌથી મોટું ઉદાહરણ સાઉથ આફ્રિકામાં જન્મેલી જર્મન મોડેલ, સિંગર અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર લિઝની સ્ટોરી છે. લિઝનું એવું કહેવું છે કે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી દ્વારા તેમની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લાઈક કરવામાં આવ્યા બાદ તેની જિંદગી બદલાઈ ગઈ. આજે તેના ઈન્સ્ટાગ્રામ પર પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે અને ક્રિકેટ જગતમાં જાણીતો…

Read More

શહેનાઝે કહ્યું હવે યોગ્ય પૈસા વગર કામ નહીં કરું ફ્રીમાં કામ કર્યું, પરંતુ તેનું માન મળ્યું નહીં : શહેનાઝ ગિલ શહનાઝ ગિલે પંજાબી મનોરંજન ઉદ્યોગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ‘બિગ બોસ ૧૩’માં પણ જાેવા મળી હતી અભિનેત્રી શહનાઝ ગિલે મનોરંજન જગતમાં પોતાના સંઘર્ષ અને અનુભવ અંગે વાત કરતાં જણાવ્યું છે કે કારકિર્દીની શરૂઆતમાં તેણે અનેક પ્રોજેક્ટ્સમાં કોઈ ફી લીધા વિના કામ કર્યું હતું, પરંતુ તેના બદલામાં તેને અપેક્ષિત સન્માન મળ્યું નહોતું. હવે તે યોગ્ય ફી વિના કોઈ પણ પ્રોજેક્ટ સ્વીકારવા તૈયાર નથી.તાજેતરમાં આપેલાં એક ઇન્ટરવ્યૂમાં શહનાઝે જણાવ્યું કે ઘણી વખત તેમને પોતાની યોગ્ય ફી મેળવવા માટે લડવું પણ…

Read More