Author: Garvi Gujarat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં છેલ્લા એક સપ્તાહ થી ગેસ ના સિલિન્ડર અંગે ચાલી રહેલી અફવાનું કેન્દ્ર સરકારે ખંડન કરતાં સ્પષ્ટતાપૂર્વક જણાવ્યુ હતું કે ગેસ સિલિન્ડરમાં રાબેતા મુજબનો એટલે કે ૧૪.૨ કિલો ગેસ જ આવશે એમાં કોઈ પણ પ્રકારની ધટ કરવામાં આવી નથી. આમ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર ભારતના ઉર્જાપુરવઠા પર પણ પડી રહી છે ત્યારે રાંધણગેસના સિલિન્ડરમાં ૧૪.૨ કિલોગ્રામ ને બદલે ૧૦ કિલો ગ્રામ ગેસ ભરવામાં આવશે એવા સમાચારોને સરકારે નકારી કાઢયા છે. આવા અહેવાલમાં એવો તર્ક આપવામાં આવતો હતો કે ઓછા વજનનું સિલિન્ડર આપવામાં આવે તો ઘણા લોકોને ગેસપુરવઠો પૂરો પાડી શકાય.પણ પેટ્રોલિયમ મંત્રાલયના પ્રેસ બ્રીફિંગમાં…

Read More

ક્રૂડ તેલના વાયદામાં રૂ.289ની વૃદ્ધિઃ સોનાનો વાયદો રૂ.426 વધ્યો, ચાંદીના વાયદામાં રૂ.1026ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.46522.66 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.521238.47 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 37155.62 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34465 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.567764.5 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.46522.66 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.521238.47 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 34465 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4579.18 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 37155.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.138411ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.140800 અને…

Read More

भारत के ऐतिहासिक प्रदेश बिहार के स्थापना दिवस की वर्षगाॅंठ के अवसर पर इंटरनेट के लोकप्रिय माध्यम यू-ट्यूब पर एक सुरुचिपूर्ण लघु फिल्म “युवा बिहार का लोकार्पण हुआ, जिसमें बिहार की युवा पीढ़ी के अद्भुत हुनर एवं बुलंद हौसलों के साथ युवाओं के जोश, जज़्बे और जुनून की असरदार अभिव्यक्ति की गई है। पिछले दिनों जारी विभिन्न लघु फिल्मों को मिली निरंतर सफलता के बाद सृजनात्मक उत्कृष्टता के एक सशक्त ब्रांड के रूप में लोकप्रिय होते जा रहे “द यश मंगलम शो” की नवीनतम कड़ी के रूप में इस लघु फिल्म ” युवा बिहार” का लोकार्पण बिहार दिवस के अवसर…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ સચિવાલય,ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-૧૦૨૦૧૦-૧૧૮-ઝ.૧, તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગ ના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવ અંગે ના ઠરાવોથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિઓની ભરતી ઉપર રોક લાગેલ હોય જેથી ઉપરોક્ત બંને ઠરાવો રદ કરાવાની ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ રજીસ્ટર ટ્રેડ યુનિયનના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ ડી. મેવાડા, મહામંત્રી સૈયદભાઇ શેખ,મહામંત્રી કાંતિભાઇ સોલંકી,સુરત શહેર શાખા ના કાર્યકારી પ્રમુખ હસમુખભાઇ પટેલ વિગેરેએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લેખિત રજૂઆત કરી સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ અનુસાર ડ્રાઈવર તેમજ વર્ગ-૪ ની પટાવાળા, પટાવાળા -કર્મ-ડ્રાયવર, પ્યુન કમ એટેન્ડન્ટ, માળી, ધોબી, ચોકીદાર, પ્યુન…

Read More

અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર.અમદાવાદમાં પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા લોકોની લાંબી લાઇન.પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી .શહેરમાં ફરી એકવાર ઇંધણના પુરવઠાને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. સતત રજાઓના દિવસોને કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જાેવા મળી રહી છે, જ્યારે કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા કે પેટ્રોલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે, લોકોમાં ગભરાટ જાેવા મળ્યો હતો. પરિણામે, અમદાવાદના માનવ મંદિર વિસ્તારમાં પેટ્રોલ પંપ…

Read More

દેશના વાતાવરણમાં આવશે પલટો.વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ.૨૪ માર્ચથી ૨૬ માર્ચ દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ, જાેરદાર પવન અને વાવાઝોડાની ચેતવણી જારી. દેશભરમાં પ્રી-મોન્સૂનની અસર જાેવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૨૪ માર્ચથી ૨૬ માર્ચ દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ, જાેરદાર પવન અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ખાસ કરીને રાજસ્થાનમાં અનુભવાશે, જેમાં બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન બદલાવાની ધારણા છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ રાજસ્થાનમાં હવામાન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. જેસલમેર, બિકાનેર અને જાેધપુર જેવા પશ્ચિમી જિલ્લાઓ સહિત અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે (સોમવાર)…

Read More

વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું: પ્રિયંકા ગાંધી.આ મામલે વધુ ચર્ચા થવાથી સરકાર અને વિપક્ષ બંને પક્ષો પોતપોતાના વિચારો રાખી શકશે : પ્રિયંકા ગાંધી.મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આજે સોમવારે(૨૩ માર્ચ) સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ અને ભારતીયોની સુરક્ષાને લઈને નિવેદન આપ્યું હતું. પીએમ મોદીના મિડલ ઈસ્ટના નિવેદનને લઈને પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે, વડાપ્રધાને કાંઈ નવું નથી કહ્યું… આમ, પ્રિયંકાએ સંસદમાં મિડલ ઈસ્ટ પર વિસ્તૃતમાં ચર્ચા કરવાની માંગ કરી છે. પ્રિયંકાએ સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાને જે નિવેદન આપ્યું છે, તેમાં કોઈ નવી વાત નથી. દેશને માત્ર જાણકારી આપી, પરંતુ આ ગંભીર…

Read More

ગુજરાત સરકારનું અનોખું પગલું.૨૦ સેવાઓને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે હવે તેને ઓનલાઇન કરવામાં આવી.આવક-જ્ઞાતિના દાખલા અને રાશનકાર્ડમાં નામ ઉમેરવા જેવી ૨૦ સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ.ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની ૨૦ જેટલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે. GARC ના અહેવાલ મુજબ, ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ હેઠળ ઉપલબ્ધ સેવાઓમાંની આશરે ૪% સેવાઓ માટે સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ડિલિવરી પહેલેથી જ સક્રિય કરવામાં આવી છે. હાલ મોટી સંખ્યામાં સેવાઓ જન સેવા કેન્દ્રો અને ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે સફળતાપૂર્વક પ્રદાન કરવામાં આવી રહી છે, જે રાજ્યની મજબૂત સેવા વ્યવસ્થા અને વ્યાપક ઉપલબ્ધતાને દર્શાવે…

Read More

સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ પર સંકટના વાદળો.શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલના કારખાના થયા ઠપશહેરના હજારો કારખાનાઓમાં ઉત્પાદન ઘટીને માત્ર ૫૦ ટકા સુધી આવી ગયું છે, જેના કારણે ઉદ્યોગકારો અને શ્રમિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે.મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ હવે ભારતના ઉદ્યોગો પર પણ જાેવા મળી રહ્યા છે. ખાસ કરીને સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ LPG ગેસની અછતને કારણે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. શહેરના હજારો કારખાનાઓમાં ઉત્પાદન ઘટીને માત્ર ૫૦ ટકા સુધી આવી ગયું છે, જેના કારણે ઉદ્યોગકારો અને શ્રમિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. સુરત, જેને દેશનું ટેક્સટાઈલ હબ માનવામાં આવે છે, ત્યાં રોજના લગભગ ૬ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે.…

Read More

બાળ તસ્કરી કરાતી હોવાનો મામલો સામે આવ્યો.બાળ તસ્કરીનો પર્દાફાશ: નવજાત બાળકને અમદાવાદમાં બે લાખમાં વેચ્યું!.આ ટોળકીમાં અમદાવાદના મોટેરાની ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતો પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય એજન્ટની ભૂમિકા નિભાવતો હતો.સાબરકાંઠા જિલ્લામાંથી બાળ તસ્કરી કરાતી હોવાનો મામલો સામે આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને આ અંગે વિગતો મળતા તપાસ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાંથી નવજાત બાળકોની તસ્કરી કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સરહદી વિસ્તારના મેડી ગામના નવજાત બાળકને અમદાવાદમાં પંદરેક દિવસ અગાઉ વેચાણ કરવામાં આવ્યું હતું. બાળકના વેચાણ થયાની વિગતોને લઈ તપાસ કરતા બાળકને બે લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું અને આ માટે…

Read More