- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયાના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા E20 પેટ્રોલનો સખત વિરોધ દર્શાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પેટ્રોલમાં 80 ટકા સામાન્ય પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલનું મિશ્રણ ભારતના નાગરિકો પર બળજબરીપૂર્વક થોપી દેવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના લોકોએ મહેનતની કમાણીથી ખરીદેલી ગાડીઓમાં ઇથેનોલના કારણે એન્જિન ખરાબ થઈ રહ્યા છે અને વાહનોનું આયુષ્ય ઘટી રહ્યું છે, જે બાબત વાહન ઉત્પાદકો પણ સ્વીકારે છે. જો સરકારે E20 અમલી બનાવવું જ હતું તો જૂના વાહનોને ધ્યાનમાં રાખીને 10 થી 15 વર્ષનો સમય આપવાની જરૂર હતી. તેમણે જણાવ્યુ હતુ કે ખેડૂતોને ફાયદો, પ્રદૂષણ મુક્તિ અને તેલ આયાતમાં…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. સુરતના હ્રદયસમા ભાગળ જેવા ભરચક વિસ્તારમાં ચાર દિવસ પહેલા જ એક જર્જરિત મેડિકલ સ્ટોરની દુકાન તૂટી પડવાને કારણે મેડિકલ સ્ટોરના માલિકનું ઘટના સ્થળેજ મોત નીપજયું હતું. જ્યારે અન્ય એમના ભાઈ ને ગંભીર ઇજા થવા સાથે માંડ-માંડ એ બચી ગયા હતા. આમ જર્જરિત મેડિકલની દુકાન અને એની બાજુની પણ તૂટી પડેલી જર્જરિત મિલકતોને કારણે ફૂટપાથ પર ચાલનારાને કે દવા લેવા આવનાર ગ્રાહકો માટે પણ એ મેડિકલ સ્ટોર જોખમરૂપ હોવા છતાં શા માટે ઉતારી લેવામાં આવ્યો ન હતો? આવા તો અનેક સવાલો સુરતના અનેક જર્જરિત થઈ ગયેલા મકાનો માટે ઊભા થઈ રહ્યા છે. કારણકે જર્જરિત થઈને…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના રિપોર્ટના આધારે વિદ્યાર્થીઓની આત્મહત્યાના ચિંતાજનક બનેલા આંકડાઓએ દેશના યુવાધન સહિત સમગ્ર પરિવારોને વિચારતા કરી દીધા છે. NCRB ના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ સુધી એમ ત્રણ વર્ષમાં ગુજરાતમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે પેપર લીક સહિતની ઘટનાઓ રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહયા હોવાનો પણ આક્ષેપ સરકાર પર થઈ રહ્યો છે. જેથી પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓમાંથી દૂર કરવા કાઉન્સિલિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. એક બાજુ શિક્ષણનું ખાનગીકરણ, પરીક્ષાનો ડર હોવાથી નિષ્ફળ જવાના ભયમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા ની…
૨૦ વર્ષ પછી કોમેડી ફિલ્મની સીકવલ બનશે ખોસલા કા ઘોસલાની સીકવલમાં દિવ્યા ખોસલાની પણ એન્ટ્રી ફિલ્મની પટકથા રાજેશ ચાવલા, શ્રેયા શ્રીવાસ્તવ અને વૈભવ સુમન દ્વારા લખવામાં આવી છે જ્યારે ફિલ્મનું ર્નિદેશન પ્રશાંત ભાગિયા કરશે ૨૦૦૬માં રજૂ થયેલી હીટ કોમેડી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ની સીકવલમાં દિવ્યા ખોસલા પણ કામ કરી રહી હોવાની જાહેરાત કરાઈ છે. ‘ખોસલા કા ઘોસલા ટુ’ ૨૮ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.ખોસલા કા ઘોસલાની ઓરિજિનલ કાસ્ટમાંથી અનુપમ ખેર, બમન ઇરાની, રણવીર શૌરી, પરવીન ડબાસ, તારા શર્મા અને કિરણ જુનેજાને રીપિટ કરવામાં આવશે જ્યારે જે નવા ચહેરાઓને સિકવલમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાં રવિ કિશન, નિશાંત વર્મા,…
યૂઝર્સને કરી અપીલ શિલ્પા શેટ્ટીના નામે આરક્ષણ વિરોધી વાયરલ પોસ્ટથી પરેશાન શિલ્પા શેટ્ટી તાજેતરમાં કન્નડ ફિલ્મ ‘કેડી: ધ ડેવિલ”માં જાેવા મળી હતી. આ ફિલ્મમા ધ્રુવ સરજા મુખ્ય ભૂમિકામાં છે બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામે જાતિ આધારિત આરક્ષણ હટાવવાને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અભિનેત્રીએ તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યાે છે. શિલ્પા શેટ્ટીએ સ્પષ્ટતા કરી છે કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા, કાલ્પનિક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે સોશિયલ મીડિયા યુઝર્સને તેમના નામે ફેલાવવામાં આવેલી ફેક પોસ્ટ્સ પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના 38 ટોલનાકા હતા એ 66 થઈ ગયા. ગુજરાતમાંથી NHAI એ 24,814 કરોડ રૂપિયા નું ઉઘરાણું કર્યું છે. આટલા રૂપિયા ઉઘરાવ્યા છતાં પણ આ નેશનલ હાઈવે પર જનતા ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, ઠેર ઠેર ડાઈવર્ઝનો કાઢ્યા છે, ઘણી જગ્યાએ હાઈવે બન્યા નથી અને સમારકામ ચાલે છે ત્યાં પણ ટોલ ઉઘરાવવામાં આવે છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે તેમ છતાં પણ હાઇવેની પરિસ્થિતિ એટલી ખરાબ અને ભયંકર છે કે ગમે ત્યાં…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સના આધારે દેશની શિક્ષણ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પરંતુ આપણા ગુજરાતના લોકોને ખૂબ જ દુઃખ થવું જોઈએ કારણકે દેશના 784 જિલ્લાઓમાંથી 116 જિલ્લામાં ગુજરાતના એક પણ જિલ્લાનું ક્યાંય નામ નથી. હવે આની જવાબદારી કોણ લેશે? જે ત્રણ રાજ્યો મોખરે છે, એ છે દિલ્હી, પંજાબ અને કેરળ. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ક્રાંતિકારી શિક્ષણના કામો કર્યા પરંતુ ભાજપ જ્યાં 10-20 વર્ષથી વધુ સમયથી રાજ કરી રહ્યું છે તેના એક પણ જિલ્લાનું નામ નથી. ભાજપના નેતાઓ ઇચ્છતા નથી કે…
નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને ભાજપના ગઢમાં સખત ગાબડું પાડ્યું છે. મતગણતરીના અંતે AAP ના ઉમેદવાર પ્રવીણ વસાવાને 2371 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 1565 મત મળતા તેમનો 806 મતોથી કારમો પરાજય થયો છે. નોંધનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા હાજર ન હોવા છતાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકજૂથ થઈને કરેલી ભારે મહેનતના જોરે આ સીટ પર જીતનો પરચમ લહેરાવ્યો છે, જેને જનતાનો ભાજપ સરકાર સામેનો ભારે આક્રોશ માનવામાં આવી રહ્યો છે. આ ભવ્ય જીત બાદ નર્મદા જિલ્લા AAP પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ સરકાર પર આકરા…
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની અગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે એમ અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત વિભાગો અને સ્ટેક હોલ્ડર્સ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં જિલ્લા પોલીસ, પ્રાંત અધિકારીઓ, ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર, આરોગ્ય ટીમ તેમજ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત) સહિતના તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે. આ અંગેની વિગતો આપતાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે જિલ્લાના…
ફિલ્મમેકરે કર્યાે ખુલાસો અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા પછી કરિશ્મા કપૂરે શું કર્યું હતું? કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનના અલગ થવાના કારણોને લઈને વર્ષાેથી જુદી જુદી અટકળો લગાવવામાં આવી રહી છે બિગ બીના પુત્ર અભિષેક બચ્ચન ફિલ્મક્ષેત્રે પણ ચર્ચામાં રહ્યા છે, પરંતુ ફિલ્મ સાથે તેઓ અંગત જીવનમાં પણ ખૂબ ચર્ચામા રહે છે. અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા બાદ કરિશ્મા કપૂરે શું કર્યું હતું તે અંગે ફિલ્મ નિર્માતા સુનિલ દર્શને મોટો ખુલાસો કર્યાે છે. ફિલ્મમેકર સુનિલ દર્શને એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોલિવૂડના ચર્ચિત બ્રેકઅપમાંથી એક વિશે વાત કરતા જણાવ્યું હતું કે જયારે અભિષેક બચ્ચન સાથે કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ત્યારે તે કરિશ્માના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


