- અમિત શાહના હસ્તે અમદાવાદમાં 1.25 કરોડ વૃક્ષારોપણ, ₹405 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
- દેવભૂમિ દ્વારકામાં AAPનું સંગઠન સંકલ્પ અભિયાન, કોંગ્રેસના આગેવાનોનો પક્ષપ્રવેશ, 2027ની ચૂંટણી પર ફોકસ
- અફઘાન મંત્રીનો ભારત સાથે મજબૂત સંબંધોનો સંદેશ, કહ્યું- ‘અમારો અને ભારતનો DNA એક છે’
- હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી ફટકારનારી પ્રથમ ભારતીય
- નીતિ આયોગના અહેવાલમાં દાવો: 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ, શિક્ષણ પર ગંભીર ચિંતા
- રશિયન ઓઈલ ખરીદતા ભારત પર અમેરિકાના નવા બિલથી ભારે ટેરિફ અને પ્રતિબંધોનું જોખમ
- ન્યુઝીલેન્ડમાં મોદીએ 25-30 વર્ષ જૂનું ભેટમાં મળેલું મફલર યાદ કરી ભારતીયોને ભાવુક કર્યા
- E20 પેટ્રોલ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, E10 વિકલ્પ, વીમા અને સ્પષ્ટ લેબલિંગની માંગ
Author: Garvi Gujarat
કંગનાની ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા ૧૨ જુને રિલીઝ થશે ‘દેશની જનતા જ અસલી ભારત ભાગ્યવિધાતા છે’ : કંગના રનૌત ફિલ્મ ‘ભારત ભાગ્યવિધાતા’ની રિલીઝ પહેલાં કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક નવો પ્રમોશનલ વીડિયો શેર કર્યાે ફિલ્મ ‘ભારત ભાગ્યવિધાતા’ની રિલીઝ પહેલાં કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક નવો પ્રમોશનલ વીડિયો શેર કર્યાે છે, જેમાં તેણે ફિલ્મનાં નામનો અર્થ અને તે જેમને સમર્પિત છે એવા સામાન્ય લોકો વિશે વાત કરી છે.વિડિયોમાં કંગનાએ એવા કર્મચારીઓ તરફ ધ્યાન દોર્યું છે, જેઓ દરરોજ જરૂરી સેવાઓને ચાલુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કંગનાએ કહ્યું કે જાે એક જ દિવસ માટે હોસ્પિટલ, શાળા, રેલવે, સ્વચ્છતા વિભાગ અને…
ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬થી શરૂ કરશે અહાન પાંડે અને અનીત પડ્ડા મોહિત સુરી સાથે બીજી ફિલ્મ શરૂ કરશે અહાન પાંડે અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને જુલાઈ સુધીમાં પોતાનો ભાગ પૂર્ણ કરવાની શક્યતા છે સૈયારાએ પછી મોટી સફળતા મેળવ્યા બાદ, અહાન પાંડે, અનીત પડ્ડા અને દિગ્દર્શક મોહિત સુરીની હિટ ત્રિપુટી ફરી એકવાર બીજી રોમેન્ટિક ફિલ્મ માટે સાથે આવવાની તૈયારી કરી રહી છે. એવા અહેવાલો છે કે આ બહુ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની તૈયારી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અહાન પાંડે અને અનીત પડ્ડા મોહિત સુરીની આગામી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬થી શરૂ કરશે. હાલમાં ફિલ્મ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આંદ્ર પ્રદેશમાં આવેલા વિશ્વના સૌથી ધનાઢય મંદિર તિરુમાલામાં પહેલી મેથી ૨૭ મેની વચ્ચે ૧૨,૪૩,૦૬૩ ભકતોએ મુંડન કરાવીને પ્રભુને પોતાના વાળ ચડાવ્યા હતા. આ આંકડો ગયા બે વર્ષના મે મહિનાના મુંડન કરતાં ઘણો વધારે છે. ૨૦૨૫ના મે મહિનામાં ૧૦,૧૮,૩૭૦ ભક્તોએ અને ૨૦૨૪ ના મે મહિનામાં ૧૦,૬૫,૭૨૯ ભક્તોએ મુંડન કરાવ્યુ હતું. બોલચાલમાં તિરુપતિ બાલાજી તરીકે પણ કહેવાતા ભગવાન વેન્કટેશ્વરને વાળ ચડાવવાની પરંપરા ગરમીની સિઝનમાં ખૂબ વધી ગઈ છે. ગયા મહિનાના પહેલા ૨૭ દિવસમાં જે સંખ્યામાં ભકતોએ માથું મૂંડાવ્યું એનાથી દુનિયાના સૌથી મોટા “કલ્યાણ કટ્ટા” એટલે કે મુંડન કેન્દ્રનો રેકોર્ડ બની ગયો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના અધિકારીઓએ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સામેનો સૌથી મોટો પડકાર તેનો વિશાળ દરિયાકિનારો છે. તેથી આ લાંબા કિનારા પર કાર્યરત મોટી સંખ્યામાં નોંધાયેલા નાના જહાજો અને બોટો પર દેખરેખ રાખવા માટે એક મજબૂત તંત્ર સ્થાપિત કરવું અત્યંત જરૂરી છે. વ્યાપારી અને સુરક્ષા બંને દ્રષ્ટિકોણથી આ દરિયા કિનારો એક સંવેદનશીલ ક્ષેત્ર છે. આમ સરહદ પારની દાણચોરી ધ્વારા દેશભરમાં માદક દ્રવ્યોના નશાનું નેટવર્ક ફેલાવતી સંગઠિત સિન્ડીકેટ્સની આસપાસ સકંજો સખત કરવાની તાત્કાલિક જરૂર છે. કારણ કે દેશમાં ગેરકાયદેસર માદક દ્રવ્યોનો વધતો જતો વેપલો એક ગંભીર સમસ્યા તરીકે ઊભરી આવ્યો છે. તેનો વ્યાપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દુષણ મોટા શહેરોથી દૂરના ગામડાઓ સુધી ફેલાયેલુ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. છગનભાઈ સોલંકી એ અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસના આગેવાન તરીકે વર્ષો સુધી સેવા બજાવી હતી. તેઓએ ૧૯૬૦ થી સમાજના જરૂરિયાતમંદ બાળકોને પાઠ્યપુસ્તક અને નોટબુક પૂરી પાડતા હતા. વડોદરા શહેરના વાલ્મીકિ સમાજના સામાજિક કાર્યકરો અંબાલાલ મોતીલાલ સોલંકી મોરખલા, દલપતસિંહ સોલંકી ગોત્રી, મગનભાઈ દેસાઇ વડોદરા, વડોદરા જિલ્લાના પીઢ સામાજિક કાર્યકર, સોમાભાઈ કાલીદાસ સોલંકી, રશ્મિકાંત શંકરલાલ વૈષ્ણવ,મણીલાલ સોલંકી વિગેરે સામાજિક કાર્યકરો વડોદરા શહેર અને જિલ્લાના વાલ્મીકિ સમાજના ઉત્થાન માટે અને સમાજના વિકાસ માટે સારી કામગીરી બજાવી હતી તેમ છતાં છગનભાઈ સોલંકી ખૂબ જ આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યા હતા. ૫૦ થી ૮૦ ના ગાળામાં તેઓએ વડોદરા શહેરમાં અનેક મોટા-મોટા…
પ્રવાસીઓ સાવધાન! દ્વારકાના શિવરાજપુર બીચ પર ન્હાવા-સ્વિમિંગ પર પ્રતિબંધ બીચની નિયમિત જાળવણી, સ્વચ્છતા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ ર્નિણય લીધો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને શિવરાજપુર બીચ પર ન્હાવા તથા સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ લાઇટ હાઉસ સર્વે નંબર ૫૮થી લઈને શિવરાજપુર ખાડી-૨ના છેડા સુધીના વિસ્તારમાં લાગુ રહેશે. જિલ્લા વહીવટી તંત્રએ બીચની નિયમિત જાળવણી, સ્વચ્છતા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લીધો છે. આ જાહેરનામું તા. ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં…
જીવ બચાવવા ભાગમભાગ, હિઝબુલ્લાહે પણ રોકેટ છોડ્યા ઈઝરાયલે હુમલાનો આદેશ આપતા બેરૂતમાં ભયનો માહોલ લેબનોન અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યું છે. ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર હુમલાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઈઝરાયલી શહેરો અને નાગરિકો પરના સતત હુમલાઓના જવાબમાં આ લશ્કરી કાર્યવાહીનો ર્નિણય લેવાયો છે. ઈઝરાયલની ચેતવણી બાદ, બેરૂતના દક્ષિણી ઉપનગરોમાંથી હજારો લોકો જીવ બચાવવા માટે સ્થળાંતર કરી રહ્યા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હિઝબુલ્લાહે પણ ઉત્તર ઈઝરાયલ અને…
૨૪૪ જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે કેન્દ્ર સરકાર દેશના એવા જિલ્લામાં અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ લગાવવા પર કામ કરી રહી છે, જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ જાેઈ ચૂક્યો છે કે પશ્ચિમી સરહદ પર રાજસ્થાનથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી પાકિસ્તાને તુર્કીના સસ્તા અને મામૂલી સેંકડો ડ્રોન મોકલીને કઈ રીતે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર જે અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ પ્રોજેક્ટ પર…
કાયદાના આધારે પોલીસને સુપ્રીમ કોર્ટની નસીહત સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જાેડાય છે તો તેને ગુનો ગણી શકાય નહીં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, પોલીસ સંમતિથી આ વ્યવસાય સાથે જાેડાયેલા પુખ્ત વયની વ્યક્તિને પરેશાન કે પ્રતાડિત કરી શકે નહીં સુપ્રીમ કોર્ટે પોલીસને સૂચના આપી છે કે, જાે કોઈ પુખ્ત વયની વ્યક્તિ સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જાેડાય છે તો તેને ગુનો ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, આવી મહિલાઓની ધરપકડ કરવાની કે હેરાન કરવાની કોઈ જરૂર નથી. જાે માનવ તસ્કરી દેહવ્યાપાર માટે કરવામાં આવે છે અને કોઈને છેતરવામાં આવે છે અથવા દેહવ્યાપાર માટે દબાણ કરવામાં આવે છે, તો ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ (ITPA) એક્ટ લાગુ…
ચેમ્પિયન RCB માલામાલ ફાઇનલમાં જીતેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૨૦ કરોડ રૂપિયા મળ્યા રનર-અપ ગુજરાત ટાઇટન્સને ૧૩ કરોડ મળ્યા : પ્લેઓફમાં પહોંચેલી ચારેય ટીમો અને ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ IPL 2026 નો ધમાકેદાર અંત આવી ગયો છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સતત બીજી વાર ચેમ્પિયન બની ગયું છે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં બેંગ્લોરે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. આ શાનદાર જીત સાથે જ RCB પર પૈસાનો વરસાદ થયો છે. જાેકે, માત્ર જીતનાર ટીમ જ નહીં, પણ ફાઇનલમાં હારેલી ગુજરાત ટાઇટન્સ અને પ્લેઓફમાં પહોંચેલી અન્ય ટીમોને પણ બમ્પર ઈનામી રકમ મળી છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



