
- મુંદ્રા અને મેંગલોર પોર્ટ પર સાઉદી LPG ૪૮,૦૦૦ ટન ખાલી, રાંધણ ગેસ સપ્લાય મજબૂત
- નવસારીથી સુરત ડાયમંડ બુર્સ માટે નવી બસ સેવા શરૂ, હીરા કારીગરોને રોજિંદા મુસાફરીમાં રાહત
- બહેરીનમાં ૬૦% શિયા નારાજ, અમેરિકાના ફિફ્થ ફ્લીટ મથક પર યુદ્ધ પ્રભાવથી તણાવ વધ્યો
- ગુજરાતમાં લોકડાઉનની અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી, પુરતી ગેસ-ખાતર-ઇંધણ સ્ટોકની વ્યવસ્થા – હર્ષ સંઘવી
- કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં ગાયબ – બે વાર ડોક્યુમેન્ટ સબમિટ છતાં નોંધાયો નહીં
- સોનાના ભાવમાં ૫.૭૭% વધારો, ગોલ્ડ ફ્યુચર્સ ૧,૪૪,૫૦૦ રૂ. અને સિલ્વર ૨,૨૭,૭૫૦ રૂ.
- રશિયાએ પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ લાદ્યો: સ્થાનિક પુરવઠો માટે ૧ એપ્રિલથી ચાર મહિના માટે રોકાણ
- નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન: વડાપ્રધાન મોદીએ કહ્યું – યુદ્ધથી વિશ્વ પરેશાન, અફવાઓથી દૂર રહો
Author: Garvi Gujarat
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જામનગર સ્થિત બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કરીને દાદાને પ્રાર્થના કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલજી તથા પાર્ટીના દરેક કાર્યકરને અધર્મ સામેની લડાઈમાં શક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી છે. સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ છે કે આગામી ત્રણ તારીખે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો પોતાના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરશે, આસપાસના લોકોને જોડશે અને અસત્ય સામે સત્યના વિજય માટે પ્રાર્થના કરશે. માનનીય અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત તમામ નેતાઓને ન્યાયાલયે નિર્દોષ જાહેર કર્યા છે અને આ સત્ય તથા ધર્મની જીત છે. અરવિંદ કેજરીવાલજીએ ઈમાનદારીનું મોડલ રજૂ કર્યું…
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જામનગર ખાતે બાલા હનુમાનજી મંદિરે દર્શન કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હાલમાં ચાલી રહેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રાનો આ પાંચમો દિવસ છે. આ યાત્રા સોમનાથ મંદિરથી પ્રારંભ થઈ હતી અને સતત ગુજરાતભરમાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડુતો, યુવાનો અને ભાજપના શાસનથી પીડિત લોકો તરફથી આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા આઠમી તારીખે ગાંધીનગર પહોંચશે, જ્યાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનું છે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે દારૂ કૌભાંડના નામે ખોટા કેસ કરીને અરવિંદ કેજરીવાલને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સરકારની તપાસ એજન્સીઓમાની એક એજન્સી એટલે કે CBI, ED પાસે મની લોન્ડરીંગ જેવા આર્થિક ગુનાઓની તપાસ કરવાની સત્તા છે. એવા સરકારના અમુક ખાતઓ કે તપાસ એજન્સીઓએ સરકાર જ નહીં પરંતુ દેશ કે રાજય માટે પ્રતિષ્ઠા સમાન હોય છે. જેમ કે સીબીઆઇ, ED કે ચૂંટણી પંચ વગેરે જેવા સંસ્થાઓનો ભૂતકાળમાં એક અલગ રુઆબ હતો. એક વિશિષ્ટ પ્રતિષ્ઠા હતી. પરંતુ હવે આવી સંસ્થાઓ જે રીતે પક્ષપાતી વલણ અપનાવીને સરકારના ઇશારે કામ કરી રહી છે તેનાથી આવી સંસ્થાઓની આબરૂ ના પ્રજામાં ધજાગરા ઉડવા સાથે ધૂળધાણી થઈ ગઈ છે. અહીં નોંધવું જરૂરી છે કે એક કેસની સુનાવણી દરમ્યાન મદ્રાસ હાઈકોર્ટે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સમસ્ત કોળી સમાજ ના લોકપ્રિય પીઢ ગાંધીવાદી આગેવાન માનનીય ચંદ્રવદનભાઈ પીઠાવાલા સાહેબ ની સુરત ખાતેની ઓફિસે વાલ્મિકી સમાજ ના આગેવાનો શ્યામભાઈ ટેનિયા મહામંત્રી, રવિકુમાર સુરતી મહામંત્રી અને ગાયક કલાકાર , મનીષભાઈ રજવાડી સંગીત કલાકાર, અશ્વિન બી. વૈષ્ણવ એડવોકેટ નોટરી, ચી વંશ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ અને સમાજ ના ગુજરાત ના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવે તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી. અને સમાજ ની પ્રગતિ માટે માર્ગદર્શન મેળવ્યું પીઠાવાલા સાહેબે કોઈ પણ સમાજ ની પ્રગતિ માટે સમાજ ની એકતા અને મજબૂત સંગઠન જરૂરી હોવાનું જણાવ્યું. સમાજ માં રાજકારણ નહીં લાવવું જોઈએ.રાજકારણમાં સમાજ હોય શકે પરંતુ સમાજમાં…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં મેં મતદાર યાદીમાં નામ કમી કરવા માટેના 7 નંબરના ફોર્મ ભરવામાં આવે છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી, તેમાં કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં આવી ન જાય તેની પ્રક્રિયા ચાલે છે. 29 જાન્યુઆરીએ ચૂંટણી પંચ દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી એમાં 9,88,621 ફોર્મ નંબર છ અંતર્ગત નામ કમી કરવા મળ્યા છે તેમ એમણે જણાવ્યું. ત્યારબાદ ખૂબ જ હોબાળો થયો. 17 અને 18 જાન્યુઆરીએ જે સાત નંબરના…
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આજે મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજસ્થાન રાજ્ય સરકારે રાજસ્થાન પંચાયતી રાજ એક્ટ, 1994ની કલમ 19 તથા રાજસ્થાન મ્યુનિસિપાલટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની બે સંતાન મર્યાદા સંબંધિત અયોગ્યતા જોગવાઈ રદ્દ કરવાનો મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ નિર્ણય લીધો છે. આ હેતુસર રાજ્ય વિધાનસભામાં પંચાયતી રાજ બિલ 2026 અને રાજસ્થાન મ્યુનિસિપલ (એમેન્ડમેન્ટ) એક્ટ 2026 રજૂ કરવામાં આવશે, તેવી જાહેરાત ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણય લોકશાહીના મૂલ્યોને મજબૂત બનાવતો અને વ્યાપક જનભાગીદારીને પ્રોત્સાહન આપતો નિર્ણય છે. ગુજરાત રાજ્યમાં પણ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જામનગરમાં હનુમાનજીના દર્શન કરીને ખૂબ આધ્યાત્મિક અનુભૂતિ થઈ. આજની લડાઈ અસત્ય સામે સત્યની લડાઈ છે. અમે સામાન્ય પરિવારમાંથી ઉછરેલા યુવાનો છીએ અને ગુજરાતની તાનાશાહી સરકાર સામે બાથ ભીડીએ છીએ. અમારી ઉપર લાઠીચાર્જ થાય છે, કેસો થાય છે, લોકોને જેલમાં નાખવામાં આવે છે, છતાં અમે જનતાના હકો માટે લડવામાં કોઈ કચાશ રાખીશું નહીં. ભલે અમે કોઈ મોટા પદાધિકારીઓના દીકરા નથી અને અમારી પાસે વિશેષ સત્તા કે સંપત્તિ નથી, પરંતુ અમારું મનોબળ મજબૂત છે અને અમે તમારા હકો અને અધિકારો માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ. તેમણે ભાજપ પર…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી પર કરવામાં આવેલા ખોટા કેસ મુદ્દે ગઈકાલે કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો અને તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા. ત્યારબાદ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. આ દરમિયાન જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલજી પર ભારતીય જનતા પાર્ટીની…
આજનાં અત્યંત તનાવ ભર્યા વાતાવરણમાં જીવનને સકારાત્મક બનાવવાં માટે સદગુરુ કૃપાથી આ કલમથી કંઈ કેટલુંય લખાયું!; એટલે 2020 માર્ચ કોરોનાની મહામારી સમયથી સદગુરુ કૃપાથી ચિંતનની ક્ષણે લગભગ દરેક વિષય પર પ્રકાશ પાડી જીવનને અજવાળું પ્રદાન કરવાં મથી રહ્યું છે. આજે 1/3 2026 છે, અને આ વખતે વિમેન્સ વીક માટે આઠ મહિલા પ્રતિભા પર લખવું એવું નક્કી કર્યું! આપણે સૌ જાણીએ છીએ કે શક્તિ કહો, નારી કહો, કે મહિલા કહો એનાં વગર અસ્તિત્વ રુપે અવતરવું અને અવતર્યા બાદ જીવનને ટકાવી રાખવાં મનુષ્યને કેટલીય પ્રકારની શક્તિ જોઈએ, અને કઠિનમાં કઠિન સમયમાં સકારાત્મક શક્તિ સ્તોત્ર તરીકે મહિલાઓએ બહુ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. આમ…
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી હતી. તારીખ 27ના રોજ સવારે ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીની કોર્ટમાં જીત થઈ એ મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે પ્રેસ કોન્ફરન્સ કરી, ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી. ત્યારબાદ દ્વારકાધીશ કેમ્પની મુલાકાત લીધી અને પદયાત્રા કરનાર લોકોને જમાડ્યા. ત્યારબાદ બાદલિયા સિંહણ, ધરમપુર, આહીરસિંહણમાં ખેડૂતો સાથે બેઠક કરી અને રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે બેઠક કરી. તો આ આખા દિવસની યાત્રામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



