Author: Garvi Gujarat

વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ.વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ.આ ભીષણ આગમાં જંગલની અમૂલ્ય સંપત્તિ સમાન હજારો વૃક્ષો બળી રહ્યા છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા નારધા ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં અચાનક લાગેલી આ આગને કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં નાના-મોટા વૃક્ષો અને વનસ્પતિ બળીને ખાખ થઈ રહ્યા છે.મળતી માહિતી અનુસાર, નારધા ગામની સીમમાં આવેલા ડુંગરો પર લાગેલી આગ ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પવનની ગતિને કારણે આગ જંગલના ઊંડા વિસ્તારોમાં પ્રસરી રહી છે. આ ભીષણ આગમાં જંગલની અમૂલ્ય સંપત્તિ સમાન હજારો વૃક્ષો બળી રહ્યા છે, જેના કારણે…

Read More

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની સરકારની સ્પષ્ટતા.અફવાઓથી દૂર રહેવા માટે નાગરિકોને અપીલ કરાઈ.રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી : રાજ્ય સરકાર.છેલ્લા કેટલાક કલાકોથી ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચારો વહેતા થયા છે, જેને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જાેવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. સત્તાવાર સ્પષ્ટતામાં જણાવાયું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. રાજ્યના અધિક મુખ્ય સચિવે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે…

Read More

હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે ફટકો. હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે ફટકો.આ અંગે એક બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે પસાર કરવામાં આવ્યું છે.હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે મોટો ફટકો પડ્યો છે. હાલમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૫ રૂપિયા સુધીનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. આ અંગે એક બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે પસાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે અનાથ બાળકો અને વિધવાઓ માટે નિયમિત આવકનો પ્રવાહ ઉત્પન્ન કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને ઇંધણ પર ‘અનાથ અને વિધવા સેસ‘નો પ્રસ્તાવ મૂકીને આ…

Read More

સોનાનો વાયદો રૂ.1.29 લાખ અને ચાંદીનો વાયદો રૂ.1.99 લાખના સ્તર સુધી ગબડ્યા બાદ બંને વાયદા ફરી ઊંચકાયા ક્રૂડ તેલનો વાયદો રૂ.758 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.94835.74 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.589635.46 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 76141.94 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.684471.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.94835.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.589635.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.9051.45 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 76141.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.140158ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.140525 અને નીચામાં રૂ.129595ના સ્તરને સ્પર્શી, રૂ.144492ના આગલા બંધ સામે…

Read More

આમ આદમી પાર્ટી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ વિડિયો માધ્યમ દ્વારા જણાવ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો યથાવત છે. ભલે તે જમીન માપણીની વાત હોય, ખેડૂતોએ પકવેલા અનાજના ભાવની વાત હોય કે સિંચાઈના પાણીની સમસ્યા હોય., આવી અનેક સમસ્યાઓથી ગુજરાતના ખેડૂતો ત્રસ્ત છે ત્યારે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ ગુજરાતના બેરોજગાર યુવાનોના પ્રશ્નોને રજૂ કરવા માટે અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી, આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીજી અને મારા સાથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તા. 26 મી માર્ચ, ગુરુવારના રોજ લાલપુર ખાતે સાંજે 5 વાગ્યે હાજર રહેશે. હું…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પોલીસ પણ આખરે કાળા માથાનો માનવી છે. એ પણ લાગણી, પ્રેમ, સંવેદના, દયા, ગુસ્સો વિગેરે સામાન્ય માનવીની માફક જ વ્યક્ત કરતો હોય છે. ત્યારે અહીં એવો જ એક લાગણીસભર, પ્રેમ, કરુણા અને મહિલાના આત્મ સન્માનનો આ કિસ્સો જાણવા જેવો છે. વાત છે ઉદયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ થાણામાં ૨૫ વર્ષથી ભોજન બનાવતી મીરાબાઈ નામની મહિલાના દીકરા માટે મામા બનીને જવાબદારી નિભાવી હતી. રવિવારે સાંજે પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પૂરણસિંહ રાજપુરોહિત સહિત તમામ પોલીસો ઢોલ-નગારા સાથે મીરાબાઈના ઘરે પહોંચ્યા હતા. એ વખતે તેઓ પરંપરાગત અંદાજમાં થાળીમાં મામેરું સજાવીને લઈ ગયા હતા. પોલીસો તેમની વરદી પર માથે સાફા બાંધીને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક તરફ ઈરાન બીજી તરફ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલો સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે ચેતવણીનો સંકેત છે. આ સંઘર્ષની તીવ્રતા મિસાઈલ અને ઘાતક બોમ્બના વ્યાપક ઉપયોગથી સ્પષ્ટ થાય છે. ક્રૂરતા એટલી હદે પહોંચી ગઈ છે કે યુધ્ધના કાયદાઓનું ઉલ્લંઘન કરીને નાગરિક વિસ્તારો પર પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને ઈરાનમાં એક કન્યાશાળા પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો જેના પરિણામે ઘણી વિદ્યાર્થીનીઓના મોત થયા હતા. અને ઈરાન પર ધરાર આ યુધ્ધ થોપવામાં આવ્યુ. જેનું પરિણામ આજે વિશ્વની સામે છે છતાં આજે અમેરિકા કે ઇઝરાયેલને આ અંગે પૂછવાની…

Read More

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ગૃહમાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, આ સિવાય પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સાંતલપુર તાલુકા સંબંધિત મુદ્દો પણ ઉઠ્યો. થોડા સમય પહેલા હું સાંતલપુર વિસ્તારમાં ગયો હતો, ત્યારે સ્થાનિક આગેવાનો, ખેડુતો અને વડીલો સાથે મુલાકાત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે સાંતલપુર તાલુકાની તમામ કચેરીઓ વારાહીમાં આવેલ છે. સાંતલપુરથી વારાહી જવા માટે લાંબો સમય લાગે છે અને લોકોને ભારે તકલીફ પડે છે. તાલુકાનું નામ સાંતલપુર છે પરંતુ કચેરીઓ વારાહીમાં છે. સાંતલપુરના લોકોની લાંબા સમયથી માંગ છે કે સાંતલપુરને અલગ તાલુકો બનાવવામાં આવે જેથી લોકોનો સમય અને પૈસા બંને બચે અને કામ ઝડપથી થાય. આજે…

Read More

વિધાનસભા ગૃહમાં થયેલ પ્રશ્નોતરી મામલે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે 23મી માર્ચ 2026ના વિધાનસભા સત્રના દિવસે સવારે એક કલાકના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અલગ અલગ પ્રશ્નોમાં પૂર્વ પ્રશ્ન પૂછવાની મને તક મળી. આ તકના આધારે બે અતિ મહત્વના મુદ્દાઓ પર મેં વિધાનસભાના માધ્યમથી સરકાર સમક્ષ રજૂઆત મૂકી છે. એક મુદ્દો એ છે કે અમારી વિસાવદર વિધાનસભામાં પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળાના વતન ગામ કાલાવડમાં છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયતનું કામ અધરૂ પડ્યુ છે. હું કલેક્ટરને મળ્યો, ડીઆરડીએને મળ્યો, ડીડીઓને મળ્યો અને તમામ સાથે ચર્ચા કરવા છતાં પણ પાંચ વર્ષથી કેબિનેટ મંત્રીના…

Read More

સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓને પકડીને ડરાવી-ધમકાવી રહી છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત પરિબળ તરીકે ઊભરી રહી છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં વધતા ઓછા અંશે આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ખૂબ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને કોઈ પણ સંજોગોમાં દબાણ કરીને, દંડાનું શાસન ચલાવી, પોલીસથી ડરાવી-ધમકાવી આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ થઈ રહી છે. આ સમગ્ર પ્રક્રિયા એક વ્યવસ્થિત, સંગઠિત ષડયંત્રના ભાગરૂપે ચાલી રહી…

Read More