Author: garvigujrat

આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિતના અગ્રણી નેતાઓ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. આ તકે મીડિયા સાથે વાતચીત કરતા ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરના ખેડૂતોની વિવિધ માંગણીઓના સમર્થનમાં અને હાલનો જે સૌથી સળગતો મુદ્દો છે, ખેતરોમાં વીજળીના થાંભલા (ટાવર) નાંખવાનો, તે મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા પ્રદેશના સૌ આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ અને પક્ષના કાર્યકરો મોટી…

Read More

ભારતની મોટી કાર્યવાહી ભારતે લશ્કર-જૈશના ૨૩ આતંકીને જાહેર કર્યા ટેરરિસ્ટ કેન્દ્ર સરકારે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા UAPA હેઠળ ૨૩ આતંકીઓને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા આતંકવાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા ૨૩ આતંકીઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (અટકાવ) અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં આ તમામના નામ UAPA ની ચોથી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ તમામ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે અને તેમાંથી મોટાભાગના પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં છુપાયેલા છે. ગૃહ મંત્રાલયની યાદીમાં મસૂદ ઇલિયાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક, મુફ્તી…

Read More

TMC માં મોટી મહાભારત બળવાખોર નેતાઓએ પાર્ટી કાર્યાલય પર કબજાે કર્યો વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથે કોલકાતામાં પાર્ટીના હેડક્વાર્ટર પર કબજાે કરી લીધો તૃણમૂલ કોંગ્રેસ પર કંટ્રોલ કરવાને લઈ ચાલી રહેલી લડાઈ શુક્રવારે ત્યારે એક નવા પડાવ પર પહોંચી ગઈ, જ્યારે વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથે કોલકાતામાં પાર્ટીના હેડક્વાર્ટર પર કબજાે કરી લીધો. તેના એક દિવસ પહેલા જ તેમણે ચૂંટણી પંચ સામે પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર પોતાનો દાવો ઠોક્યો હતો. મેટ્રોપોલિટન વિસ્તારમાં આવેલું આ કાર્યાલય વર્ષ ૨૦૨૨માં પાર્ટીનું અસ્થાયી મુખ્યાલય રહ્યું છે. ઈએમ બાઈપાસ પર આવેલા પાર્ટીના જૂના કાર્યાલયમાં નવીનીકરણનું કામ થતું હોવાના કારણે…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે પહોંચીને ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમની વેદના તથા સળગતી સમસ્યાઓ જાણી હતી. છેલ્લા સાત દિવસથી આંદોલન ચલાવી રહેલા સ્થાનિક ખેડૂતોની સહમતિ વગર અને એક પણ રૂપિયાનું વળતર આપ્યા વિના, તેમની કિંમતી જમીનોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ લાઇન પસાર કરવાના આક્ષેપ સાથે સમગ્ર ૧૦ ગામના ખેડૂતો ત્યાં એકઠા થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોની સાથે બ્રિજરાજ સોલંકી પણ ઉપવાસ પર બેઠા હતા અને નારો લગાવ્યો હતો કે, “ખેડૂતોના ખેતરમાં ગેસ પાઇપ લાઇન નાખવાનું બંધ કરો.” આક્રોશ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોએ કોઈનાથી પણ ડરવાની કે ગભરાવાની…

Read More

પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાને ૪-૨થી હરાવ્યું ફિફા વર્લ્ડ કપ-ઇજિપ્તે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને રચ્યો ઇતિહાસ પેનલ્ટી શૂટઆઉટમાં મહમૂદ સાબર, રામી રાબિયા અને ભૂતપૂર્વ લિવરપૂલ સ્ટાર મોહમ્મદ સલાહે ઇજિપ્ત માટે પ્રથમ ત્રણ ગોલ કર્યા ઇજિપ્તે વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પોતાની પહેલી જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો.તેમણે પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાને ૪-૨થી હરાવ્યું.બંને ટીમો રેગ્યુલેશન અને એક્સ્ટ્રા ટાઇમ દરમિયાન ૧-૧થી બરાબર રહી, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટ થયો.આ ઐતિહાસિક વિજય બાદ, ઇજિપ્ત હવે રાઉન્ડ ઓફ ૧૬માં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો કરશે. તે વર્લ્ડ કપમાં ઇજિપ્તનો પહેલો નોકઆઉટ મેચ પણ હતો.ઇજિપ્તની ભૂલને કારણે ઇજિપ્તને મેચની ૧૩મી મિનિટે શાનદાર હેડરથી ૧-૦ની લીડ અપાવી.ત્યારબાદ ઓમર માર્મુશ પાસે બીજા હાફની…

Read More

ખચ્ચર ચાલકો તેમજ કુલીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી કેદારનાથમાં ખચ્ચર ચાલકોના શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન બાદ વહીવટીતંત્ર એક્શનમાં ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેવા સમયે ઉત્તરાખંડના કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ઘોડા અને ખચ્ચર ચાલકોના ગેરવર્તન બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉત્તરાખંડમાં યાત્રાળુઓ સાથે દુર્વ્યવહારની અનેક ઘટનાઓના અહેવાલો આવ્યા હતા. તેની બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે કેદારનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓ સાથે દુર્વ્યવહાર કરનારા ઘોડા અને ખચ્ચર ચાલકો તેમજ કુલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ…

Read More

બ્રિટનમાં હિન્દુઓને મોટો ઝટકો ચર્ચ-મસ્જિદને જમીન ફાળવાઈ પણ મંદિરને કંઈ ના મળ્યું હિન્દુ સમાજ નોર્થસ્ટોના પ્રમુખે આ ર્નિણય સામે ભારે નિરાશા વ્યક્ત કરી છે અને સમગ્ર પસંદગી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા છે બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં વસતા હિન્દુ સમુદાયને મોટો આંચકો લાગ્યો છે, કારણ કે આ વિસ્તારમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવાનું તેમનું વર્ષાે જૂનું સપનું હાલ પૂરતું અધૂરું રહી ગયું છે. સ્થાનિક કાઉન્સિલે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનામત રાખેલી જમીન હિન્દુ સંગઠનને આપવાને બદલે એક ચર્ચ નેટવર્કને ૯૯૯ વર્ષની લાંબી લીઝ પર સોંપવાનો ર્નિણય કર્યાે છે. આ પ્રોજેક્ટમાં એક મુસ્લિમ સંગઠન પણ ભાગીદાર બનશે, જેને નમાજ પઢવા તેમજ ધાર્મિક શિક્ષણ આપવા માટે…

Read More

વિદેશ મંત્રાલયના વાંધાથી મંજૂરી અટકી સલમાનની માતૃભૂમિ સેન્સરમાં અટવાઈ, ચીનમાં પણ વિરોધવંટોળ ફિલ્મ હવે આગામી ઓગસ્ટની રીલિઝ ડેડલાઈન પણ સાચવી શકશે કે કેમ તે અંગે અટકળો સલમાનખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ‘ સેન્સર બોર્ડમાં અટવાઇ હોવાથી તેની રીલિઝ સતત પાછળ ઠેલાઈ રહી છે. હવે આ ફિલ્મ આગામી ઓગસ્ટમાં પણ રીલિઝ થઈ શકશે કે કેમ તે અંગે શંકા સેવાય છે. અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ નામ ધરાવતી ફિલ્મમાં ચીન અંગેના ઉલ્લેખોથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર અસર પડશે તેમ જણાવી ફિલ્મનું ટાઈટલ તથા અનેક સંવાદો અને દ્રશ્યો બદલવાની ફરજ બદલવાની ફરજ પાડવામાં આવી હોવાનું કહેવાય છે. હવે ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ‘ કરવામાં આવ્યું…

Read More

હવે શૂટિંગ શરુ કરવાની તૈયારીઓ મીના કુમારીની બાયોપિકની પટકથા ચાર વર્ષ બાદ આખરે તૈયાર બાદમાં કોઇ કાનુની દાવપેચનો સામનો ન કરવો પડે તે માટે નિર્માતાએ ટ્રેડમાર્કની નોટિસ આપી મીના કુમારીની બાયોપિકની પટકથા તૈયાર થઈ ગઈ છે અને હવે શૂટિંગ માટે તૈયારીઓ શરુ કરાઈ છે. તે પહેલાં નિર્માતાએ મીનાકુમારીના નામ તથા સિનેમેટિક તથા ઓડિયોવિઝ્યુલ ટ્રેડમાર્ક પર પોતાના હક્કો અબાધિત હોવાની નોટિસ પણ આપી છે.નિર્માતાએ જણાવ્યું છે કે મીનાકુમારીના નામ સહિતના ઓડિયોવિઝ્યુલ ઉપયોગ માટે ખાસ ટ્રેડમાર્ક અધિકારો અમારી પાસે છે અને તેંમની પરવાનગી વિના તેનો કોઇ રીતે ઉપયોગ કરવામાં આવશે તો તે ગેરકાયદે ગણાશે અને તેની સામે કાનુની પગલાં ભરવામાં આવી શકે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.             અમેરિકા-ઇઝરાયેલે ઈરાન સાથે કરેલા યુદ્ધને કારણે છેલ્લા ઘણા સમયથી આપણા દેશની અર્થવ્યવસ્થા સુસ્ત થઈ ગઈ છે. અને એમાં વધુ મંદ પડી ગઈ છે ત્યારે તાકીદે આનો ઈલાજ કરવામાં નહીં આવે તો હાલ જે રીતે મોંઘવારીએ તો ફાટીને ધુમાડે ગઈ જ છે પરંતુ બીજી પણ અનેક સમસ્યાઓ સર્જાશે.             બીજું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લગતી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર ફરીથી ગતિ પકડે તેવી હાલ કોઈ તાત્કાલિક શક્યતા દેખાતી નથી. મુખ્ય ઉદ્યોગોના વિકાસ દરમાં ઘટાડો અને આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવા સાથે દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિની ગતિ પણ ધીમી પડી છે.             વધુમાં નવા બિઝનેસ ઓર્ડર અને આંતરરાષ્ટ્રીય વેચાણમાં…

Read More