- ટ્રમ્પની કડક ચેતવણી બાદ ઈરાનનો જવાબ, અમેરિકા કાર્યવાહી બંધ કરે ત્યાં સુધી વાતચીત નહીં
- મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું; પોલીસ એલર્ટ
- સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિરોધી ખેડૂત આંદોલન નવમા દિવસે, AAPએ લેખિત બાંહેધરીની માંગ કરી
- ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળાનો ભય, 7,000 સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાની માંગ
- સુરતમાં ખાડીઓ પરના ગેરકાયદે દબાણો અને ભ્રષ્ટાચારથી પૂર સમસ્યા વકરી, કાર્યવાહી કરવાની માંગ
- કપાસ ક્રાંતિ મિશન ખેડૂતો નહીં, ભાજપના મળતિયાઓને ફાયદો પહોંચાડવાની યોજના: AAPનો આક્ષેપ
- मुंबई के वरिष्ठ साहित्यकार डॉ. दिनेश प्रताप सिंह को लखनऊ में कृष्ण प्रताप सिंह स्मृति राष्ट्रीय सम्मान
- અમિત શાહના હસ્તે અમદાવાદમાં 1.25 કરોડ વૃક્ષારોપણ, ₹405 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Author: Garvi Gujarat
મુખ્યમંત્રી મુસાફરી કરી સુરત પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ સામાન્ય મુસાફરો સાથે વંદે ભારતમાં મુસાફરી કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુસાફરી દરમિયાન સામાન્ય મુસાફરોમાં પણ ઉત્સુકતા જાેવા મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદગીપૂર્ણ જીવનશૈલી અને સામાન્ય લોકો સાથે જાેડાયેલા રહેવાના કારણે ચર્ચામાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર મુખ્યમંત્રીની સાદગીભરી જીવનશૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પેટ્રોલ અને ડીઝલ બચત અંગે વડાપ્રધાને કરેલી અપીલ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્તિગત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વંદે ભારત ટ્રેન મારફતે ગાંધીનગરથી સુરતની મુસાફરી કરી હતી. સાંજે તેઓ તેજસ એક્સપ્રેસ મારફતે પરત ગાંધીનગર ફરવાના હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન મોટો સરકારી કાફલો અને સુરક્ષા વ્યવસ્થા…
ઉત્સાહમાં સ્ટેજ પરથી જ બે વખત જીભ લપસી એકટર રામ ચરણે જસપ્રીત બુમરાહથી માફી માંગી! રામ ચરણે જસપ્રીત બુમરાહને ક્રિકેટના બદલે ભૂલથી ફૂટબોલ રમત સાથે જાેડી દીધા હતા : વીડિયો વાયરલ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ પોતાની આગામી ફિલ્મ પેદ્દીના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ માટે મધ્યપ્રદેશના ભોપાલ પહોંચ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન પણ હાજર રહ્યા હતા. ઇવેન્ટ દરમિયાન વાતચીત કરતી વખતે રામ ચરણે ભારતીય ક્રિકેટરોના જાેરદાર વખાણ કર્યા હતા, પરંતુ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ઉલ્લેખ કરતી વખતે તેમનાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી. રામ ચરણે જસપ્રીત…
રંગભેદની ટિપ્પણીઓ પર માર્કો રુબિયોનો જવાબ મૂર્ખ લોકો અમેરિકામાં પણ છે અને ભારતમાં પણ હશે તેઓ આ અમેરિકામાં રંગભેદના મુદ્દાને ગંભીરતાથી લે છે ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે નવી દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજાઈ. આ દરમિયાન અમેરિકામાં ભારતીયો વિરૂદ્ધ થઈ રહેલી રંગભેદી ટિપ્પણીઓ અંગે પૂછવામાં આવેલા સવાલ પર અમેરિકાના વિદેશ મંત્રીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. અમેરિકામાં ભારતીય સમુદાય વિરૂદ્ધ વધી રહેલી રંગભેદી ટિપ્પણીઓ પર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ રવિવારે સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રૂબિયોએ જણાવ્યું…
મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી બિલ્ડિંગના માલિકે પાર્ટી નેતૃત્વને આ જગ્યા ખાલી કરી દેવા માટે કહી દીધું છે, જેના માટે બે મહિનાની નોટીસ આપી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોલકાતામાં પોતાના વર્તમાન મુખ્ય મથક (હેડક્વાર્ટર)ને લઈને પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જે બિલ્ડિંગમાં અત્યારે TMC ની મુખ્ય ઓફિસ ચાલી રહી છે, તેના માલિકે પાર્ટી નેતૃત્વને આ જગ્યા ખાલી કરી દેવા માટે કહી દીધું છે. ચૂંટણીના પરિણામો બાદ આવેલી આ સમસ્યાએ મમતા બેનરજીની પાર્ટીની ચિંતાઓમાં વધારો કર્યો છે.…
ભારતને મળ્યો પોતાનો ઉસૈન બોલ્ટ! પંજાબના ગુરિન્દરવીર સિંહે ૪૮ કલાકમાં બે વાર તોડ્યો નેશનલ રેકોર્ડ પંજાબના સ્ટાર દોડવીર ગુરિન્દરવીર સિંહે પુરુષોની ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં બે વાર નેશનલ રેકોર્ડ કર્યો રાંચીમાં આયોજિત ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન ભારતીય દોડવીરો (સ્પ્રિન્ટિંગ) વચ્ચે બે દિવસ સુધી એક ઐતિહાસિક મુકાબલો જાેવા મળ્યો છે. પંજાબના સ્ટાર દોડવીર ગુરિન્દરવીર સિંહે પુરુષોની ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં બે વાર નેશનલ રેકોર્ડ પોતાના નામે કરીને નવો ઇતિહાસ રચી દીધો છે. શનિવારે ૨૩ મે, ૨૦૨૬ના રોજ યોજાયેલા ફાઇનલ મુકાબલામાં તેમણે માત્ર ૧૦.૦૯ સેકન્ડની શાનદાર દોડ લગાવીને ૧૦.૧૦ સેકન્ડની મર્યાદા પાર કરનારા પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ…
અમારું નિશાન ભારત નથી : અમેરિકા જયશંકરે રૂબિયો સામે ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા છે : રુબિયો ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદેશ મંત્રી એસ.જયશંકરે યુએસ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો છે. તો રુબિયોએ પણ અમેરિકન અર્થવ્યવસ્થામાં ભારતીયોનું મોટું યોગદાન હોવાનો સ્વીકાર કર્યો છે અને અમેરિકામાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા હોવાનું નિવેદન આપ્યા બાદ તેમણે કહ્યું છે કે, અમારું નિશાન ભારત નથી. વાતચીત દરમિયાન જયશંકરે ભારતના માન્ય પ્રવાસીઓને અમેરિકન વિઝા મળવામાં મુશ્કેલી આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેના જવાબમાં રુબિયોએ કહ્યું કે, ‘સૌથી પહેલા હું અમેરિકાની…
રાહુલ ગાંધીએ કેન્દ્ર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહારો કર્યા સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા બનાવી રાખવામાં નિષ્ફળ કોંગ્રેસ ત્યાં સુધી શાંત નહીં બેસે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, અને પરીક્ષાની પદ્ધતિને પારદર્શક અને સુરક્ષિત નહીં બનાવે : રાહુલ નીટ પેપર લીક મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યાં સુધી મજબૂત વ્યવસ્થા નહીં બને ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહારો કર્યા, અને કહ્યું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અમેરિકા-ઇરાન યુધ્ધને કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ,ડીઝલ,ગેસના ભાવ વધ્યા છે અને મોદી સરકારે છેક હમણાં ચારેક રૂપિયા વધારીને પેટ્રોલને ૧૦૦ રૂપિયા સુધી પહોંચાડયું છે. પણ તર્ક વાહિયાત એટલા માટે છે કે જ્યારે આખી દુનિયામાં ભાવ ઓછો હતો ત્યારે એટલે કે યુદ્ધ પહેલાના પાંચેક વર્ષથી આપણી સરકાર યુધ્ધ જેટલો તનતોડ ભાવ લઈ રહી હતી. પરંતુ આવી સાચી હકીકત જાણીને સરકારને સવાલ પૂછવાની હામ કે તર્કશક્તિ અંધભક્તોમાં રહી જ ક્યાં છે? તેમને તો બસ એમના શાસકો ધર્મરૂપી ઘેનના ઇન્જેક્શન માર્યે રાખે છે. અને ભક્તો ઝૂમી ઝૂમીને તાળીઓ પાડે છે. જેથી ભક્તોનું ધ્યાન ભટકે છે અને સરકારના કોઈ ગુણદોષ દેખાતા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે. એના દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વડોદરા ના સેવાસી વિસ્તારમાં આવેલા “પ્રિયા ક્રોસ રોડેસ” પ્રોજેક્ટના બિલ્ડરે સમયસર ફ્લેટ નો કબજનો ન આપતા રેરાએ ગ્રાહકના પક્ષમાં નિર્ણય આપ્યો છે. રેરા ઓથોરીટીના સભ્ય ડો.એમ.ડી.મોડિયાની કોરમ સમક્ષ ચાલેલી સુનાવણીમાં પ્રોજેક્ટના પ્રમોટર મેસર્સ શિરીન ઇન્ફ્રાસ્ટ્રકચરને ગ્રાહકને રૂપિયા ૪૦ લાખની સંપૂર્ણ રકમ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની વિગત મુજબ ફરિયાદી રેશમા કનૈયાલાલ અશનાની એ સેવાસી ગામના ટી.પી સ્કીમ નંબર-૩ ખાતે આવેલી “પ્રિયા ક્રોસ રોડેસ” સ્કીમમાં…
અમદાવાદમાં પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ પરથી રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કરતા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની સાથે સામુદાયિક ભાગીદારી અને રમતગમતની ભાવનાના જીવંત પ્રદર્શનમાં 5,000 સાયકલ સવારો, એથ્લેટ્સ, યુવા સ્વયંસેવકો અને ફિટનેસ ઉત્સાહીઓ સાથે જોડાયા હતા. અમદાવાદ આવૃત્તિ, જેની થીમ “એ ન્યૂ આઇકોન ફોર અ ફિટર ઇન્ડિયા – પેડલિંગ ટુ 2030” હતી, તેમાં યોગ અને ઝુમ્બા નિદર્શનો સાથે ભવ્ય 5-કિલોમીટરની સાયકલ રેલી યોજવામાં આવી હતી, જેણે સાબરમતી રિવરફ્રન્ટને ફિટનેસ, સંસ્કૃતિ અને ભારતના રમતગમતના વિકાસની ઉજવણીમાં ફેરવી દીધું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડૉ. માંડવિયા દ્વારા એક વિશેષ કોમનવેલ્થ ગેમ્સ-થીમ આધારિત પ્રદર્શનનું ઉદ્ઘાટન હતું, જેમાં ભારતની રમતગમતની સિદ્ધિઓ, ખેલો ઈન્ડિયા મિશન હેઠળ રમતગમતના માળખાકીય સુવિધાઓનો વિકાસ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



