Author: Garvi Gujarat

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં મહિલાઓની સુરક્ષા આપવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. કહેવાતું મેટ્રો સિટી અમદાવાદ હોય કે રાજ્યના અન્ય શહેરો, મા-બેન-દીકરીઓ પર દુષ્કર્મ, છેડતી અને અપહરણ જેવા ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તો માત્ર તે કેસોની વાત છે જે પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. અનેક દીકરીઓ એવી પણ હશે કે જે પરિવાર કે સમાજના ડરથી પોલીસ સુધી પહોંચી શકતી નથી. છતાં નોંધાયેલા આંકડાઓમાં પણ વધારો થતો જ રહ્યો છે. પ્રશ્ન એ છે કે આવા ગુનાઓ અટકતા કેમ નથી? ગૃહમંત્રી પોતાના નિવેદનોમાં કહે…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની પ્રશ્નોતરી મામલે મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે મારા મતવિસ્તાર વિસાવદર–ભેસાણ–જૂનાગઢ તેમજ સમગ્ર ગુજરાતને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રશ્ન ક્રમાંક 17 હેઠળ તેમણે ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે સરપંચ તથા વોર્ડ સભ્યોની કેટલી જગ્યાઓ ખાલી છે તે અંગે માહિતી માગી હતી. સરકારે આપેલા જવાબ મુજબ જૂનાગઢ જિલ્લામાં જુનાગઢ તાલુકામાં એક, માળિયા હાટીનામાં બે, વંથલીમાં એક, જ્યારે ભાવનગર જિલ્લાના જેસર અને શિહોર તાલુકામાં એક-એક સરપંચની જગ્યા ખાલી છે. આ રીતે બંને જિલ્લામાં મળીને ચાર સરપંચોની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. અનેક વખત ચૂંટણી અને પેટાચૂંટણી જાહેર કરવામાં…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના જે જંગલ વિસ્તાર છે, ત્યાં ખેતીવાડીની વીજળી પહોંચી નથી શકતી. તો પીએમ કુસુમ યોજના અંતર્ગત સિંચાઈ માટે જે સોલાર પંપ આપવામાં આવે છે એને લઈને ચર્ચાઓ થઈ હતી. અમે સરકારના મંત્રીને જણાવ્યું કે યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ (USPC) દ્વારા જે સિંચાઈ સિવાયના સમયમાં ઉર્જાનો સંગ્રહ કરી શકે છે, તેનો ઉપયોગ ઘરવપરાશ, પશુપાલન અને કૃષિના સાધનો ચલાવવા માટે થાય, તેના માટે સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા માટેની માંગ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ’મનકી બાત’ પ્રોગ્રામમાં…

Read More

વર્ષ ૨૦૦૦માં જંગ ફિલ્મમાં સાથે જાેવા મળ્યા હતા.શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ ૨૫ વર્ષ પછી ફરી સાથે કામ કરશે.સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને પ્રોડકશન ટીમ મુંબઇ અને પુણેમાં લોકેશનની પસંદગી કરી રહી છે.શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ અમેઝોન પ્રાઇમ વીડિયો સીરીઝમાં મુખ્ય ભૂમિકા માટે વાતચીત કરી રહ્યા છે. સૂત્રોના અનુસાર,આ પ્રોજેક્ટ આઠ એપિસોડનો એક લાઇફ ડ્રામા હશે. સૂત્રના જણાવ્યા અનુસાર, સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને પ્રોડકશન ટીમ મુંબઇ અને પુણેમાં લોકેશનની પસંદગી કરી રહી છે. યૂનિટ માર્ચ મહિનામાં શૂટિંગ કરવે તેવી તૈયારી થઇ રહી છે. આંતિરક સૂત્રોના અનુસાર, મુખ્ય શૂટિંગ માટે ૬૦ દિવસનો સમય નિર્ધાતિત કરવામાં આવ્યો છે.…

Read More

મેટ્રો કરતાં ‘માટી’ની લોકપ્રિયતા વધારે.ભારતીય ઓટીટી પર હાર્ટલૅન્ડ કથાઓ વધુ સફળ થઈ.પંજાબના ધુમ્મસભર્યા ખેતરો હોય કે બિહારની ધૂળભરી ગલીઓ, માટીની સુગંધ ધરાવતી કથાઓ સ્ટ્રીમિંગ ચાર્ટ્સ પર ટોચ પર રહી છે.ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર વિવિધ પ્રકારનું ભારતીય અને વિદેશી કન્ટેન્ટ આવતું હોય છે, પરંતુ તેમાં નાના શહેરોની વાર્તાઓ જ સૌથી વધુ લોકપ્રિય થઈ છે. હાર્ટલૅન્ડ સાગા સૌથી વધુ ટ્રેન્ડમાં રહેતું જાેનર બની ગયું છે. પંજાબના ધુમ્મસભર્યા ખેતરો હોય કે બિહારની ધૂળભરી ગલીઓ, માટીની સુગંધ ધરાવતી કથાઓ સ્ટ્રીમિંગ ચાર્ટ્સ પર ટોચ પર રહી છે. તાજેતરમાં નેટફ્લિક્સની પંજાબી ક્રાઇમ ડ્રામા કોહરા (સીઝન ૨) તેનું ઉત્તમ ઉદાહરણ છે – નાનાં શહેરોનાં રહસ્યો અને ઉંડી…

Read More

શાહિદનો ટ્રોલ્સને જવાબ.તમારામાં બોલવાની લાયકાત હોય તો જ મોઢું ખોલજાે.વખાણ અને ટ્રોલિંગ બંને વિશે વાત કરતાં શાહિદે કહ્યું કે તમારા કામની નોંધ માત્ર બહારથી મેળવવી યોગ્ય નથી.ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર બનવું જેટલું ગૌરવની વાત છે, એટલું જ પડકારરૂપ પણ છે. લાખો ચાહકોનો પ્રેમ મળે છે, તો બીજી તરફ કેટલાક લોકો કીબોર્ડ પાછળ છુપાઈને સેલિબ્રિટીઝને ટ્રોલ પણ કરે છે — ભલે તે વ્યક્તિગત અભિપ્રાય હોય, ફિલ્મ હોય, અભિનય હોય કે કપડાં. આજના સમયમાં સેલિબ્રિટીઝની દરેક બાબત પર સોશિયલ મીડિયા યુઝર્સ નજર રાખે છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં, પોતાની ફિલ્મ ‘ઓ રોમિયો’ના રિલીઝ સમયે, શાહિદ કપૂરે ટ્રોલિંગ વિશે ખુલીને વાત કરી હતી. જ્યારે…

Read More

ધ ફેમિલી મેન સીઝન-૩’માં વિલનનું પાત્ર નિમરત માટે મુશ્કેલ હતું.નિમ્રતે પોતાના પાત્રના આત્મવિશ્વાસ અને પોતાના વ્યક્તિગત જીવન વચ્ચેના તફાવતને સ્વીકાર્યાે.ધ ફેમિલી મેન સીઝન ૩ મનોજ બાજપેયીના શ્રીકાંત તિવારી સામે ઊભા રહેવા માટે પ્રતિભાશાળી કલાકારોને પસંદ કરવાની પોતાની પરંપરા યથાવત રાખે છે. સીઝન ૩માં, જયદીપ અહલાવત અને નિમ્રત કૌરે અસાધારણ અભિનય આપ્યો છે, જે દાવને વધુ ઊંચા બનાવે તેવી જટિલતા અને જાેખમને ઉજાગર કરે છે. ખાસ કરીને નિમ્રત કૌરે એક શક્તિશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર પાત્ર તરીકે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે, જે પુરુષપ્રધાન દુનિયામાં ર્નિદયતાથી કામ કરે છે|નિમ્રતનું પાત્ર ઝડપથી ચાહકોનું મનપસંદ બની ગયું છે. તેની સત્તા, બુદ્ધિમત્તા અને અડગ ઉપસ્થિતિ માટે…

Read More

ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી મનિષાબેન વકીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ અને કૌશલ્ય થકી હસ્તકલા, ખાસ કરીને ભરતકામ જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. આજે ગુજરાતની આ પરંપરાગત કળા સમગ્ર વિશ્વ માટે એક પ્રતિષ્ઠિત ‘બ્રાન્ડ’ બની ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિધાનસભાના પ્રાંગણમાં આ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. પાકને યોગ્ય ભાવ ન મળવો, ટેકાના ભાવે ખરીદી ન થવી, ખાતર અને બિયારણમાં કાળા બજારી, નકલી અને ભેળસેળ ખાતર-બીજનું વેચાણ, APMCમાં ખેડૂતોને પડતી તકલીફો અને લૂંટફાટ, પૂરતી વીજળી ન મળવી તેમજ દેવાના પ્રશ્નો યથાવત છે. તેમણે જણાવ્યું કે ભારત–અમેરિકા ટ્રેડ ડીલના કારણે ખેડૂતો, પશુપાલકો, અને શ્રમિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં સોમનાથથી રાજ્યવ્યાપી “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” યાત્રાની શરૂઆત કરી રહી છે, જે 8 માર્ચે ગાંધીનગર…

Read More

ધરમપુર બનશે વર્લ્ડ ક્લાસ રિસર્ચ સેન્ટર રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી ગુજરાતના જ ઝેરી સાપોમાંથી તૈયાર થયેલી રસી દર્દીઓને નવજીવન આપશે ગુજરાતીમાં કહેવાય છે કે ‘ઝેરનું મારણ ઝેર જ હોય છે‘, અને આ જ કહેવતને હવે ગુજરાત સરકાર હકીકતમાં બદલવા જઈ રહી છે. રાજ્યમાં સર્પદંશથી થતા મોત અટકાવવા માટે હવે બહારના રાજ્યોની નહીં, પણ ગુજરાતના જ ઝેરી સાપોમાંથી તૈયાર થયેલી રસી દર્દીઓને નવજીવન આપશે, ગુજરાતમાં સર્પદંશની સારવાર ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર હવે ગુજરાતના જ ઝેરી સાપોના ઝેરમાંથી ‘એન્ટિ વેનમ‘ (સર્પદંશ વિરોધી રસી) તૈયાર કરશે. વલસાડના ધરમપુર ખાતે કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ…

Read More