Author: Garvi Gujarat

એસસીઓમાં વિદેશ મંત્રીએ મજબૂત રજૂઆત કરીત્રાસવાદ સામે ઝીરો ટોલેરન્સની આવશ્યકતા: વિદેશ મંત્રી જયશંકર. SCOની સ્થાપના આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના ત્રણ દૂષણોનો સામનો કરવા માટે કરવામાં આવી છે : જયશંકરઆતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે વિશ્વના દેશોને ઝીરો ટોલેરન્સની હાંકલ કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ત્રાસવાસને ક્યારેય ન્યાયી ઠેરવી શકાય નહીં, તેના તરફથી નજર પણ ફેરવી શકાય નહીં અથવા ઢાંકપિછોડો કરી શકાય નહીં. મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે દર્શાવ્યું છે કે આપણને આતંકવાદ સામે આપણા લોકોનો બચાવ કરવાનો અધિકાર છે અને અમે તેનો ઉપયોગ…

Read More

ભારતીય તીરંદાજી ટીમ એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગઈ હતીઢાકામાં આંતરિક હિંસાને પગલે ભારતીય તીરંદાજાે એરપોર્ટ પર દસ કલાક ફસાયાભારતની તિરંદાજાેની આ ટીમમાં સાત મહિલા ખેલાડીઓ પણ હતી. તમામ મહિલા ખેલાડીઓને એક જ રૂમમાં રાખવામાં આવી હતીબાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી એશિયન તીરંદાજી (આર્ચરી) ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા ભારતના તીરંદાજાે આ ઇવેન્ટ બાદ વતન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં ઢાકામાં થયેલી હિંસાને પગલે ભારતીય તીરંદાજાેને લગભગ દસ કલાક સુધી એરપોર્ટ પર જ ફસાયેલા રહેવું પડ્યું હતું. આ ઉપરાંત બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કોઇ પણ સુરક્ષા વિના તેમને સ્થાનિક બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય…

Read More

સરકારના રાહત પેકેજ પર નજરજાપાનનો ચલણી યેન યૂરોની સરખામણીમાં ૧૮૦ સુધી ઘટયોરોકાણકારો તાકાઇચિના આર્થિક ઉપાયો અને આર્થિક પોષણ આપવાની યોજના પર નજર રાખી રહયા છેજાપાનની આર્થિક સ્થિતિને લઇને એક મુદ્રા વેપારીઓની ચિંતાને લઇને યેન યૂરોની સરખામણીમાં ન્યૂનતમ સ્તરે પહોંચાડી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯૯૯માં યુરો મુદ્રાનું અસ્તિત્વ આવ્યા પછી જાપાનના યેન સાથે પ્રથમવાર બન્યું છે. જાપાનના મહિલા વડાપ્રધાન તાકાઇચિ સાનાઇએ આર્થિક પેકેજ ખૂબ ઝડપથી આવતા સપ્તાહમાં બહાર પાડી શકે છે.જાપાનના અર્થતંત્ર અને કરન્સીને મજબૂત બનાવવા માટે પેકેજ મોટું હોવાનું માનવામાં આવે છે.ન્યૂયોર્કમાં જાપાની મુદ્વા યેન નબળી પડતા અને કેટલાક સમય માટે યૂરોની સરખામણીમાં ૧૮૦ યેનના સ્તર પર પહોંચી હતી.…

Read More

સિંગરની માતાએ મેનેજર પર લગાવ્યા આરોપજાણીતા ગાયક હ્યુમન સાગરનું ૩૪ વર્ષની વયે નિધન થયું‘હ્યૂમનની તબિયત ખરાબ હોવા છતાં તેને સ્ટેજ પર પરફોર્મ કરવા માટે મજબૂર કરાયો હતો : સિંગરની માતાછેલ્લા ઘણા સમયથી જીવન-મરણ સામે ઝઝૂમી રહેલા ઓડિયા સિંગર હ્યૂમન સાગરનું નિધન થઈ ગયું છે. સોમવારે સાંજે ૩૪ વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ઓડિયા ફિલ્મ અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ. જેનો અવાજ લાખો લોકોના દિલને સ્પર્શતો હતો તે હવે હંમેશા માટે ખામોશ થઈ ગયો છે. ડોક્ટરોના મતે હ્યૂમન સાગરનું મૃત્યુ મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમને કારણે થયું છે. તેમની ખરાબ તબિયતના કારણે તેમની છેલ્લા ત્રણ દિવસથી…

Read More

પહેલા ભાગ પછી પ્રીકવલ રજૂ કરાશેપ્રભાસની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશેઆ ફિલ્મ એક સૈનિકની વીરતા પર આધારિત હશે અને તેમાં અનેક સેનાનીઓની ગાથા દર્શાવવામાં આવશમૈથી મૂવી મેકર્સે પોતાની આગામી ફિલ્મ ‘ફૌજી’ને બે ભાગમાં રીલિઝ કરવાની ઘોષણા કરી છે. જેનું દિગ્દર્શન હનુ રાઘવપુડીનું છે અને મુખ્ય રોલમાં પ્રભાસ જાેવા મળવાનો છે. આ ફિલ્મના બે ભાગની ઘોષણા કરવાની સાથેસાથે જણાવામાં આવ્યું છે કે, ફિલ્મનો બીજાે ભાગ પ્રીકવલ હશે. આ ફિલ્મમાં પ્રભાસ એક સૈનિકના રોલમાં જાેવા મળશે. એક રીતે ‘ફૌજી’માં ‘કાંતારા’ની નકલ કરવામાં આવી છે. ‘કાંતારા’માં પણ પહેલા ભાગ પછી સીકવલ રજૂ થઈ હતી જેમાં પહેલા ભાગના આગળના સમયની કથા કહેવાઈ…

Read More

માન્યા આનંદ તમિલ ટીવી એક્ટ્રેસ છેધનુષના મેનેજર પર કાસ્ટિંગ કાઉચના પ્રયાસનો આરોપટીવી એક્ટ્રેસ માન્યા આનંદે કહ્યું- ‘સાઉથસ્ટાર સાથે ફિલ્મની ઓફર આપી વાંધાજનક માગણી કરી’ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. તેવામાં સાઉથ સુપરસ્ટારના મેનેજર પર ગંભીર આરોપ લાગ્યા છે. તમિલ એક્ટ્રેસ માન્યા આનંદે દાવો કર્યાે છે કે, શ્રેયસ નામનો એક વ્યક્તિ, જે પોતાને સાઉથ સુપરસ્ટાર ધનુષનો મેનેજર હોવાનો દાવો કરે છે, તેણે તેની સાથે કાસ્ટિંગ કાઉચ કરવાનો પ્રયાસ કર્યાે હતો. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં માન્યાએ કહ્યું હતું કે, શ્રેયસ તેની સાથે લાંબા સમયથી એડજસ્ટમેન્ટ અંગે વાટાઘાટો કરી રહ્યો હતો અને કામ આપવાના નામે અયોગ્ય માંગણીઓ પણ કરી રહ્યો…

Read More

સીબીઆઈ ઓફિસરના સ્વાંગમાં ટ્રાન્ઝેક્શન્સ કર્યાં બેંગ્લુરુની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને ૩૨ કરોડની છેતરપિંડીમહિલાને છ માસ સુધી વીડિયો કોલથી ડરાવી, ધમકાવીને સંપત્તિની બધી વિગતો મેળવી લીધીબેંગ્લુરુમાં ૫૭ વર્ષની એક સોફ્ટવેર એન્જિનિયર મહિલાને ૬ માસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સાઈબર ગુનેગારોના એક ગુ્રપે ૩૨ કરોડ રૂપિયા તફડાવી લીધા હતા. સાઈબર ગુનેગારોએ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારીઓના રૂપમાં આપી હતી. બેંગ્લુરુની ૫૭ વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત વર્ષે મહિલા સાથે ૩૨ કરોડનો સાઈબર ફ્રોડ થયો હતો. સોફ્ટવેર એન્જિનિયર મહિલાને સીબીઆઈ અધિકારીઓના રૂપમાં પોતાની ઓળખ આપીને સાઈબર ગુનેગારોએ વિવિધ ધમકી આપી હતી. મહિલાને છ-છ મહિના સુધી વીડિયો કોલના માધ્યમથી ડિજિટલ અરેસ્ટ રાખી હતી.મહિલાને સતત…

Read More

સવારે અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા ED દ્વારા અલફલાહ યુનિવર્સિટી ખાતે દરોડા પાડવામાં આવ્યાઅલ-ફલાહ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય, યુનિવર્સિટી કેમ્પસ અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓના ખાનગી ઘરોનો સમાવેશ થાય છેએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે સવારે (૧૮ નવેમ્બર) દિલ્હીના ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જાેડાયેલા ૨૪ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા મની લોન્ડરિંગ (PMLA) કેસ હેઠળ પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીને શંકા છે કે યુનિવર્સિટી અને તેના સંકળાયેલા માલિકો અને મેનેજમેન્ટે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ કરી છે. તેથી ટીમ તે સ્થળોએ દસ્તાવેજાે અને ડિજિટલ પુરાવા શોધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ED એ મંગળવારે સવારે અનેક સ્થળોએ…

Read More

સંરક્ષણ રાજ્યમંત્રી અનેક કંપનીઓ સાથે બેઠકો યોજાશેદુબઈ એર શોમાં IAF વિમાનો ધૂમ મચાવશેનર્મદેશ્વર તિવારીએ સોમવારે આશા વ્યક્ત કરી હતી કે વિદેશી ખરીદદારો દુબઈ એર શો ૨૦૨૫માં તેજસ હળવા લડાયક વિમાનમાં મજબૂત રસ દાખવશવાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ દુબઈ એર શો ૨૦૨૫માં તેજસ વિમાનમાં વિદેશી ખરીદદારો તરફથી મજબૂત રસની આશા વ્યક્ત કરી. તેણે કહ્યું કે તેજસ અને સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ ેંછઈની વિનંતી પર મોકલવામાં આવી હતી. ભારતીય વાયુસેના આશરે ૨૦૦ તેજસ વિમાનો ખરીદી રહી છે, વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ સોમવારે આશા વ્યક્ત કરી હતી કે વિદેશી ખરીદદારો દુબઈ એર શો ૨૦૨૫માં તેજસ હળવા લડાયક વિમાનમાં મજબૂત…

Read More

રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યું વિમાનકોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક સરકારી મંત્રીનું વિમાન લેન્ડ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયુંવિમાને કિંશાસા-એન‘ડિજીલીથી ઉડાન ભરી હતી અને તે કોલવેઝી હવાઈ અડ્ડા પર લેન્ડ થયું હતું. રનવે ૨૯ પર ઉતર્યા પછી તરત જ વિમાન રનવેની બહાર નીકળી ગયુકોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક સરકારી મંત્રીનું વિમાન લેન્ડ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુ:ખદ ઘટનાનો વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં વિમાન રનવે પર ઉતરતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ જતું દેખાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ અકસ્માત સમયે વિમાનમાં દેશના ખનન મંત્રી લુઈસ વાટમ કાબામ્બા તેમજ ટોચના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ સવાર હતું.…

Read More