- લિવ-ઇન સંબંધો પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, ક્રૂરતા સામે મળશે કાનૂની રક્ષણ
- બિહારની બાંકીપુર હારને લઈ AAPનો ભાજપ પર પ્રહાર, મનોજ સોરઠીયાએ કહ્યું- ‘વિસાવદરવાળી થઈ’
- સગીર બાળકીના માફી વીડિયો મુદ્દે કેજરીવાલનો પ્રહાર, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ
- ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર પ્રહાર, કહ્યું- બિહારથી શરૂ થયું ‘ભાજપના વળતા પાણી’નું ટ્રેલર
- શશાંક સિંહે છત્તીસગઢ છોડ્યું, પુડુચેરી સાથે જોડાયા; ઘરેલુ ક્રિકેટમાં અવગણનાના લગાવ્યા આરોપ
- ભારતની મોટી સિદ્ધિ: DRDOએ બનાવ્યું સ્વદેશી ટર્બોજેટ એન્જિન, મિસાઇલ-ડ્રોનને મળશે નવી તાકાત
- દિલ્હી લક્ષ્મી યોજનાની શરતો પર કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, તમામ મહિલાઓને લાભની કરી માંગ
- ઈરાનનો ટ્રમ્પ પર પલટવાર, હુમલા સ્થગિત કરવાના દાવા બાદ મીડિયાએ ઉડાવી મજાક
Author: garvigujrat
આજે ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા તથા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાનાર આગેવાનોમાં પ્રકાશભાઈ વસાવા (પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ ન્યાય સમિતી અધ્યક્ષ, કોંગ્રેસ નર્મદા), રાકેશભાઈ પટેલ (ધાનપુર તાલુકા મહામંત્રી, કોંગ્રેસ), જિગ્નેશભાઈ વસાવા (નાંદોદ તાલુકા મંત્રી), તેમજ સુરસિંહભાઈ વસાવા ( મહામંત્રી) સહિત અન્ય કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીની જનહિતની નીતિઓ, પારદર્શક શાસન અને જનસેવાના કાર્યોને પ્રેરણા માની પક્ષમાં જોડાયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોના…
આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જનકલ્યાણ શિબિર તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર, નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. દયારામ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતભાઈ વસાવા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રિયંકાબેન વસાવા, ખોપી જિલ્લા પંચાયતના સભ્ય ગિરધનભાઈ વસાવા, સાગબારા જિલ્લા પંચાયતના સભ્ય હેતલબેન ચેતનભાઈ તડવી, પાંચપીપરી તાલુકા પંચાયતના…
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે ઘણી જગ્યાએ હોર્ડિંગ્સમાં અને જાહેરાતોમાં જોયું કે “ભાર વગરનું ભણતર” આપવાની વાત થઈ રહી છે અને આજે ગુજરાત સરકારે સાચે જ સાબિત કરી આપ્યું કે ગુજરાતની સરકારી સ્કૂલમાં “ચોપડા વગરનું ભણતર” થવા જઈ રહ્યું છે. સરકારી શાળાનું વેકેશન પૂરું થયું અને તેને દસ દિવસથી પણ વધારે સમય થઈ ગયો છે છતાં પણ આજ દિન સુધી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને તેમના પુસ્તકો મળ્યા નથી. અમને એ પણ શંકા છે કે હજુ સુધી પુસ્તકો છાપવાની શરૂઆત…
બેંક ઓફ બરોડા ‘બોબ લિજેન્ડ એફસીએનઆર(બી) ડિપોઝિટ સ્કીમ’ સાથે એનઆરઆઈને વાર્ષિક 6.25% સુધીના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે. મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૬: ભારતની આંતરરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા, ‘બોબ લિજેન્ડ એફસીએનઆર(બી) ડિપોઝિટ સ્કીમ’ હેઠળ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ને વાર્ષિક ૬.૨૫% સુધીના ઊંચા વ્યાજ દર ઓફર કરી રહી છે. નવી ‘બોબ લિજેન્ડ FCNR(B) ડિપોઝિટ સ્કીમ’ હેઠળ, બેંક યુએસ ડોલર (USD) ડિપોઝિટ પર 6.25% વાર્ષિક, બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) અને ઓસ્ટ્રેલિયન ડોલર (AUD) ડિપોઝિટ પર 4.75% વાર્ષિક, કેનેડિયન ડોલર (CAD) ડિપોઝિટ પર 5.15% વાર્ષિક અને યુરો (EUR) ડિપોઝિટ પર 3.75% વાર્ષિક વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંક ઓફ…
બેંક ઓફ બરોડાએ ‘બોબ ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ’ રજૂ કરી, જે ૫૫૫ દિવસની મુદત માટે વાર્ષિક ૭.૪૦% સુધીના વ્યાજ દર ઓફર કરે છે. બોબ ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ સામાન્ય નાગરિકો માટે 6.75% વાર્ષિક વ્યાજ દર; નિવાસી વરિષ્ઠ નાગરિકો માટે 7.25% વાર્ષિક વ્યાજ દર; નિવાસી સુપર વરિષ્ઠ નાગરિકો માટે 7.35% વાર્ષિક વ્યાજ દર અને નોન-કોલેબલ ડિપોઝિટ પર 7.40% વાર્ષિક વ્યાજ દર ઓફર કરે છે. મુંબઈ, ૧૫ જૂન, ૨૦૨૬: ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક, બેંક ઓફ બરોડા (બેંક) એ એક નવી રિટેલ ટર્મ ડિપોઝિટ યોજના – ‘બોબ ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. ૫૫૫ દિવસની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મોડાસા સ્થિત પતંજલિ સ્ટોર દ્વારા એક જાગૃત ગ્રાહકને બિલ આપ્યા વિના એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવા છતાં ખાદ્ય સામગ્રી પધરાવી દેવાના મામલે કોર્ટે પતંજલિ સ્ટોર્સ અને કંપની સામે કડક વલણ અપનાવી રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ વડાગામના રહીશ અને જાગૃત ગ્રાહક રાહુલભાઈ પ્રજાપતિએ તા.૨૩/૦૪/૨૦૨૪ ના રોજ મોડાસા ખાતે આવેલા “સર્વોદય ચિકિત્સાલય પતંજલિ સ્ટોર્સ” પરથી પતંજલિ કંપનીનું “હિમાલય ચેરી પેપર પીકલ (અથાણું)” જરૂરી રકમ ચૂકવીને ખરીદ્યું હતું. ખરીદી કર્યા બાદ રાહુલભાઈએ નિયમ મુજબ દુકાનદાર પાસે પાકુ બિલ માંગ્યું હતું. પરંતુ સ્ટોર દ્વારા બિલ આપવાનો સાફ ઇનકાર કરી દેવાયો હતો. ગ્રાહકે જ્યારે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાન,ઉત્તરાખંડ અને દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીઓએ NEET પુનઃ પરીક્ષા પહેલા આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. NEET-UG પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપો બાદ NTA તપાસ અને ટીકાનો સામનો કરી રહ્યું છે. ૩ મે ના રોજ યોજાનારી NEET ૨૦૨૬ ની પરીક્ષા, પેપર લીકના દાવાઓને પગલે રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા હવે ૨૧ જૂનના રોજ ફરીથી શેડયૂલ કરવામાં આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજસ્થાનના મૃતકની ઓળખ ૨૨ વર્ષીય ઉમેશ માલી તરીકે થઈ છે. જે ઝુન ઝુન જિલ્લાના કારી ગામનો રહેવાસી છે. સીકર પોલીસના જણાવ્યા અનુસાર મે 2026 ની પરીક્ષા (જે હવે રદ કરવામાં આવી છે) ઉમેશ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત: સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલ ૬૦ વર્ષો જૂની 'નાસિરનગર' ઝૂંપડપટ્ટીને કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના, કાયદેસરની નોટિસ વગર એકાએક પોલીસનો દૂર ઉપયોગ કરી તોડી પાડી ૧૨૫ પરિવારોને બેઘર કરી દેવાની ઘટનાએ સુરત શહેરની પ્રતિષ્ઠાને દેશ-વિદેશમાં ગંભીર આઘાત પહોંચાડ્યો છે. આ અમાનવીય અને ગેરબંધારણીય કૃત્ય બદલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સુજલ પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર, જયાંગ જીવન રામજીવાલા કાર્યપાલક ઇજનેર, અર્પણ પરમાર ડે.ઈજનેર ને તાત્કાલિક ફરજ મુકત કરવા સુરત મ.ન.પા ના કર્મચારી મહામંડળએ માંગણી કરી છે. આ અધિકારીઓએ અગાઉ સુરત મ.ન.પામાં કાર્યરત યુનિયનોની ઓફિસોને ગત નવેમ્બર ૨૦૨૫માં અડધી રાત્રે તાળાં તોડી યુનિયનોની ઓફિસોના સામાન બહાર ફેંકી દઈ ગંભીર ફરજ…
ભારતીય કેપ્ટનની ધરપકડથી ભડક્યું રશિયા રશિયાએ ઇંગ્લિશ ચેનલમાં બ્રિટિશ ધ્વજવાળા યોટ પર કર્યું ફાયરિંગ ટક્કર ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું : રશિયા ઇંગ્લિશ ચેનલમાં રશિયા અને બ્રિટન વચ્ચે તણાવ વધુ વધતો જાેવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા બ્રિટને રશિયાના કથિત શેડો ફ્લીટ સાથે જાેડાયેલા એક તેલ ટેન્કર પર કાર્યવાહી કરીને તેના ભારતીય કેપ્ટન અજય પંતની ધરપકડ કરી હતી. હવે આના જવાબમાં રશિયાએ પોતાનું યુદ્ધ જહાજ ઇંગ્લિશ ચેનલમાં ઉતારી દીધું છે. રશિયન નૌસેનાના ફ્રિગેટ એડમિરલ ગ્રિગોરોવિચએ બ્રિટિશ ધ્વજ ધરાવતા એક યોટની સામે ચેતવણી તરીકે ફાયરિંગ કર્યું હતું. જાે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા…
સુનાવણી દરમિયાન કહ્યું – તમે પરજીવી છો… કોકરોચ બાદ CJI ની વધુ એક ટિપ્પણી વિવાદોમાં આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું કે, આ પ્રકારના લોકો પરજીવી જેવા હોય છે અને તેથી જ તેમનું જેલમાં રહેવું વધુ યોગ્ય દેશનાચીફ જસ્ટિસ સૂર્યકાંતની કોકરોચ વાળી ટિપ્પણીને લઈને દેશભરમાં થયેલા વિવાદ બાદ હવે ફરી એકવાર તેમણે આવી જ એક ટિપ્પણી કરી છે. CJI સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું કે, આ પ્રકારના લોકો પરજીવી જેવા હોય છે અને તેથી જ તેમનું જેલમાં રહેવું વધુ યોગ્ય છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં સાયબર ફ્રોડના એક કેસ પર સુનાવણી ચાલી રહી હતી. આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



