Author: Garvi Gujarat

અમદાવાદમાં ક્રિકેટ ફીવર સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાનો જંગ જાેવા ફેન્સ ઉમટ્યાં લોકો જુદા જુદા વેશભૂષામાં જાેવા મળ્યાં હતાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના સુપર ૮નો મુકાબલો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારે રમાયો હતો. બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી હતી. ભારત અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ગત વખત T20 વર્લ્ડ કપમાં બંનેનો આમનો-સામનો ૨૦૨૪ની ફાઈનલમાં થયો હતો. જેમાં ભારતે જીત હાંસલ કરી હતી અને ચેમ્પિયન બન્યું હતું. ત્યારે મેચને લઈને અમદાવાદવાસીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો. મેચ પહેલા સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. ભારે ભીડ જાેવા મળી…

Read More

મન કી બાતનો ૧૩૧મો એપિસોડ બ્રોડકાસ્ટ થયો AI થી બદલાઈ રહ્યું છે ભારતનું ભવિષ્ય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા સમયમાં વિશ્વ AI ની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશે તે દિશામાં આ સમિટ એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે : વડાપ્રધાન મોદી આજે રવિવારે (૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતનો ૧૩૧મો એપિસોડ બ્રોડકાસ્ટ થયો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મન કી બાત એ દેશ અને દેશવાસીઓની સિદ્ધિઓને સામે લાવવાનું એક મજબૂત પ્લેટફોર્મ છે. તેમણે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી Global AI Impact Summit નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ સમિટમાં દેશે એક અદ્ભુત ઉપલબ્ધિ હાંસલ કરી…

Read More

બચત અને લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય શરૂ PM મોદી દિલ્હી મેરઠ નમો ભારતને આપશે લીલી ઝંડી ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલ સેવા ‘નમો ભારત‘ હવે તેના સંપૂર્ણ રૂટ પર દોડવા માટે તૈયાર છે. ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલ સેવા ‘નમો ભારત‘ હવે તેના સંપૂર્ણ રૂટ પર દોડવા માટે તૈયાર છે. રવિવારનો દિવસ દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના રહેવાસીઓ માટે ઐતિહાસિક સાબિત થશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના અંતિમ તબક્કાનું અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ ૮૨.૧૫ કિલોમીટર લાંબો આખો કોરિડોર સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. તાજેતરમાં જ શુક્રવારે મેરઠના બેગમપુલથી દિલ્હીના સરાય કાલે ખાન વચ્ચે નમો…

Read More

ટ્રમ્પ ટેરિફ પર US સુપ્રીમ કોર્ટનો ર્નિણય ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લઈને યોજાનારી બેઠક ટળી! ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈનનો અમેરિકા પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા “રેસિપ્રોકલ ટેરિફ”ને અમેરિકી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. આ ર્નિણયથી આંતરરાષ્ટ્રીય વેપાર જગતમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. આ અસરને કારણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પરની વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈનનો અમેરિકા પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો છે. તેઓ સોમવારે વોશિંગ્ટન પહોંચીને કાનૂની સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાના હતા. વાણિજ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર, બંને દેશોએ નક્કી કર્યું છે કે તાજેતરની ઘટનાઓ અને તેની…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા અને તેમના સેટીંગબાજ પત્રકાર પરવાના વિરુધ્ધ એસીબી માં ફરિયાદ દાખલ થતાં રૂપિયા ચાર લાખ રોકડા લઈને નાસી છૂટેલા પરવાનાની સાથે-સાથે વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે. સદર ગણેશવાલા અંગે એમ કહેવાય છે કે એમની આગળ ફરજ બજાવી ગયેલા મહિલા કાર્યપાલક ઇજનેરે જે જે ગેરકાયદેસર બાંધકામોના ડીમોલિશન કરેલા એ બધા જ ગેરકાયદેસરના બાંધકામો વચેટીયાની ભૂમિકા ભજવનારા પત્રકાર ઈસ્માઈલ ઉર્ફે પરવાના ના સેટિંગ થી વિપુલ ગણેશવાલાએ ઉભા કરાવીને રોકડી કરવાનું પાપ કરી મકાન માલિકો પાસે લાંબી એવી રકમ પણ અંકે કરવાનું સંભળાઈ રહ્યું છે. એક…

Read More

આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા. વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી તેમજ સમગ્ર વીર માંધાતા સંગઠને આ સામૂહિક લગ્ન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અરવિંદ કેજરીવાલજી, CM ભગવંત માન સાહેબ, રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીની સાથે સાથે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને ધારાસભ્ય…

Read More

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ ફ્રન્ટલ મહામંત્રી સામત ગઢવીએ પત્રકાર પરિષદ દ્વારા મીડિયાને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામે જણાવ્યું હતું કે ઇન્ડિયા–યુએસ ટ્રેડ મામલે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ લેવલે લડી રહી છે અને તેના કારણે ખેડૂતોને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” નામે એક મહા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ મહા અભિયાન અંતર્ગત તેમજ ખેડૂતો ઉપર થયેલા દમન, ખોટા કેસો અને વર્તમાન કૃષિ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં આમ આદમી…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ખૂબ જ ગંભીર મુદ્દા પર પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજના ન્યુઝ પેપરમાં એક સમાચાર આવ્યા કે ભારતીય મૂળના નીલ કાત્યાલે અમેરિકામાં ટ્રમ્પ ટેરિફના નિર્ણયને પડકાર્યો. નીલ કાત્યાલે આ જે ટેરીફની અને ટ્રેડ ડીલના નિર્ણયોની વાતો ચાલી રહી છે તેને અમેરિકાના સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા વ્યાપક ટેરીફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો. તો અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે અને એ સિવાય અમેરિકાએ બીજા દેશો પર જે ટેરિફ લગાવ્યો છે એ અન્યાયી અને ગેરબંધારણીય છે…

Read More

પ્રિયંકા અને પીકેની ગુપ્ત મુલાકાત : શું જન સૂરજ પાર્ટી કોંગ્રેસમાં ભળી જશે ? ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધી સાથેની તેમની મુલાકાત અને જન સૂરજના કોંગ્રેસમાં વિલીનીકરણના અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા સાથે વાત કરતા , પીકેએ સોશિયલ મીડિયાના દાવાઓને ફગાવી દીધા પરંતુ પ્રિયંકા ગાંધીને મળ્યાનો સ્વીકાર કર્યો એસવીએન,ગોપાલગંજ શું જન સૂરજ કોંગ્રેસમાં ભળી જવાના છે ?પ્રશાંત કિશોરે ગોપાલગંજમાં આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો. બિહારના રાજકારણમાં, ગઠબંધન વિના સત્તાનો માર્ગ મુશ્કેલ માનવામાં આવે છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જન સૂરજને શૂન્ય બેઠકો મળ્યા બાદ, ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું પ્રશાંત કિશોર હવે કોઈ મોટી…

Read More

ભ્રષ્ટાચાર સામે લાલ આંખ.દાહોદમાં દીવાલ કૌભાંડમાં મહિલા સરપંચ સસ્પેન્ડ.આર્થિક ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારી એ કડક વલણ અપનાવી મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવાના નામે થયેલી આર્થિક ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારી એ કડક વલણ અપનાવી મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે. ફતેપુરાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માટે આવેલી સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ગેરવહીવટ થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ગામની શાળામાં કમ્પાઉન્ડ વોલ (કિનારી દીવાલ) બનાવવાના કામમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનું તપાસમાં…

Read More