- ટ્રમ્પની કડક ચેતવણી બાદ ઈરાનનો જવાબ, અમેરિકા કાર્યવાહી બંધ કરે ત્યાં સુધી વાતચીત નહીં
- મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું; પોલીસ એલર્ટ
- સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિરોધી ખેડૂત આંદોલન નવમા દિવસે, AAPએ લેખિત બાંહેધરીની માંગ કરી
- ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળાનો ભય, 7,000 સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાની માંગ
- સુરતમાં ખાડીઓ પરના ગેરકાયદે દબાણો અને ભ્રષ્ટાચારથી પૂર સમસ્યા વકરી, કાર્યવાહી કરવાની માંગ
- કપાસ ક્રાંતિ મિશન ખેડૂતો નહીં, ભાજપના મળતિયાઓને ફાયદો પહોંચાડવાની યોજના: AAPનો આક્ષેપ
- मुंबई के वरिष्ठ साहित्यकार डॉ. दिनेश प्रताप सिंह को लखनऊ में कृष्ण प्रताप सिंह स्मृति राष्ट्रीय सम्मान
- અમિત શાહના હસ્તે અમદાવાદમાં 1.25 કરોડ વૃક્ષારોપણ, ₹405 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Author: Garvi Gujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ 23 મે, 2026ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના મારફતે 19મા રોજગાર મેળા હેઠળ દેશભરમાં 51,000થી વધુ નવી નિમણૂંક મેળવનારા યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. વડાપ્રધાને નવી નિમણૂંક મેળવનારા કર્મચારીઓને સંબોધિત કરતા તેમને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની હાકલ કરી. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયામાં હવે પારદર્શિતા આવી છે તથા તમામ પસંદગી મેરિટના આધારે કરવામાં આવી રહી છે. સાથે જ નિમણૂક પ્રક્રિયા પહેલાની સરખામણીમાં વધુ ઝડપી અને સરળ બની છે. 19મો રોજગાર મેળો દેશભરના 47 સ્થળો પર આયોજિત કરવામાં આવ્યો, જેમાં વિવિધ 19 વિભાગોમાંથી પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા. રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને…
કિર્તી સુરેશે બૉડી શેમિંગ અને ફિટનેસની સફર વિશે ખુલાસો કર્યાે.“જ્યારે તમે થોડાં ભરાવદાર હો ત્યારે લોકો તમને ફિટ બનવા કહે છે” : કિર્તી સુરેશ.ફિટનેસને પોતાની “સૌથી મોટી શિક્ષક” ગણાવતાં કિર્તીએ વર્ષાે દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની સમજ કેવી રીતે બદલાઈ તે વિશે જણાવ્યું.નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કિર્તી સુરેશે બૉડી શેમિંગ અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની લાંબી અને વ્યક્તિગત ફિટનેસ સફર વિશે વાત કરી છે. તેમાં તેણે બૉડી શેમિંગ, પ્લાસ્ટિક સર્જરી અંગેની અફવાઓ અને સતત બદલાતા સુંદરતાનાં માપદંડોથી થતા દબાણ વિશે ખુલાસો કર્યાે હતો. ફૅન્સ સાથે વિગતવાર પોસ્ટ શેર કરતાં કિર્તીએ જણાવ્યું કે તેણે ક્યારેય જાહેરમાં પોતાની હેલ્થ અને વેલનેસ જર્ની વિશે…
શર્વરીએ આલિયા ભટ્ટ સાથે કામ કરવાનો અનુભવ જણાવ્યો.આલિયા મારા મહત્વનો અહેસાસ કરાવે છે અને બહુ પ્રેમ કરે છે : શર્વરી.વેદાંગ રૈનાએ પણ આલિયા ભટ્ટના બહુ વખાણ કર્યા હતા. ખાસ કરીને લોકો પ્રત્યે તે જે હુંફ દર્શાવે છે તે અંગે વખાણ કર્યા હતા.યશરાજની ઓલ વીમેન સ્પાય ફિલ્મ આલ્ફાની રિલીઝ પહેલાં શર્વરી વાઘ અને વેદાંગ રૈનાએ એક ઇન્ટરવ્યુમાં આલિયા ભટ્ટ સાથેના પોતાના જાેડાણ વિશે વાત કરી અને આલિયાના વર્તનમાં હુંફ, પ્રોત્સાહન અને સહકાર માટે દિલથી પ્રશંસા વ્યક્ત કરી.જેમ જેમ વેદાંગ અને શર્વરીની ઇમ્તિઆઝ અલીની મૈં વાપસ આઉંગા અંગે ઉત્સુકતા વધી રહી છે, તેમ શર્વરી અને વેદાંગે દિગ્દર્શક ઇમ્તિઆઝ અલીની આગામી ફિલ્મમાં પહેલી…
રાકેશ બેદીએ ડેવિડ ધવનના “ચાલ બદલ ગઈ હૈ” નિવેદન પર કહ્યું -“આની મને કોઈ ખાસ અસર નથી થતી”.એક ઇન્ટરવ્યુ દરમિયાન ડેવિડ ધવને રાકેશ બેદી સાથેની પોતાની દાયકાઓ જૂની મિત્રતા વિશે પ્રેમથી વાત કરી હતી.એક ઇન્ટરવ્યુ દરમિયાન ડેવિડ ધવને રાકેશ બેદી સાથેની પોતાની દાયકાઓ જૂની મિત્રતા વિશે પ્રેમથી વાત કરી હતી.પીઢ કલાકાર રાકેશ બેદી અત્યાર સુધી ફિલ્મો અને ટીવીમાં કેટલાક લોકપ્રિય તો કેટલાક નાના-મોટા રોલ કરતા રહ્યા છે. પરંતુ છેલ્લી બે ધુરંધર ફિલ્મોથી તે ખુબ લોકપ્રિય થયા છે અને ખાસ તો સોશિયલ મીડિયા પર તેમના મીમ્સ વાયરલ થયા હતા. તેથી ફિલ્મમેકર ડેવિડ ધવને થોડાં વખત પહેલા રાકેશ બેદી “બદલાઈ ગયા” હોવાનું…
હું સંપૂર્ણપણે આ દુનિયા માટે અજાણ્યો છું.જે થયું હોય તે સ્વીકારી લેવું બહુ જરૂરી છે : આમિર ખાન.આમિર ખાનની છેલ્લી થિયેટ્રિકલ રિલીઝ સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.આમિર ખાનની છેલ્લી થિયેટ્રિકલ રિલીઝ સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.આમિર ખાને તાજેતરમાં પોતાની નિષ્ફળ ફિલ્મો અને દર્શકો દ્વારા નકારવામાં આવેલા પ્રોજેક્ટ્સની નિષ્ફળતાને તે કેવી રીતે સંભાળે છે તે અંગે ખુલીને વાત કરી છે. આમિરે જણાવ્યું કે જ્યારે કોઈ ફિલ્મ અપેક્ષા મુજબ પ્રદર્શન કરતી નથી ત્યારે સૌથી પહેલું અને મહત્વનું પગલું એ હકીકતને સ્વીકારવાનું હોય છે.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આમિરે એવી ફિલ્મો વિશે ખુલાસો કર્યાે જે દર્શકો સાથે…
ગુજરાતના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતના રોડ નેટવર્કના વિકાસની ગતિ અને તેના સ્કેલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીય્ન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી હતી. તે અનુસાર રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર આ ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ થવા જઇ રહી છે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટેરિયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ…
હાઈકોર્ટનો ચુકાદો ગાયની કુરબાની ઇસ્લામમાં ફરજિયાત ધાર્મિક પ્રથા નથી જાહેરસ્થળો પર પશુવધ પર પ્રતિબંધ મૂકતા બંગાળ સરકારના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર બકરી ઇદ પહેલા જાહેર સ્થળો પર પશુવધ પર પશ્ચિમ બંગાળ સરકારના પ્રતિબંધ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરતાં કલકત્તા હાઈકોર્ટે જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મમાં ગાયનું બલિદાન આવશ્યક અને ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. કોઈપણ ખુલ્લા જાહેર સ્થળે ગાય અને ભેંસ સહિતના પ્રાણીઓની કતલ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.ન્યાયમૂર્તિ સુજાેય પોલ અને ન્યાયમૂર્તિ પાર્થ સારથી સેન બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ ગાય અને ભેંસોની કતલ પર કડક પ્રતિબંધ છે. ગાયની કુરબાની કોઈ ધાર્મિક ઉત્સવનો ભાગ નથીકોર્ટના આદેશમાં જણાવાયું હતું કે…
ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો ૭/૧૨ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો સરકારે હવે તમામ પેટ્રોલ પંપ પર ગ્રાહકોની વિગત રાખવા માટે ફરજિયાત રજીસ્ટર મેઈન્ટેન કરવાનો પણ આદેશ આપ્યો મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસરના પગલે રાજ્યમાં ઈંધણની કટોકટી ઊભી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જાેવા મળી રહી છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી રોકવાના બહાને એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ હવે ખેડૂતોને ખેતીકામ કે ટ્રેક્ટર માટે ડીઝલ…
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ૩૮૪ જીવન રક્ષક દવાઓ પર ‘ઈમરજન્સી ભાવ વધારો’ કરાશે દવાઓના પેકેજિંગ મટીરિયલ અને આંતરરાષ્ટ્રીય પરિવહન ખર્ચ (લોજિસ્ટિક્સ કોસ્ટ) પણ ખૂબ વધી ગયો મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) સંકટ અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને દૂધ બાદ હવે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો આંચકો આવવાની તૈયારીમાં છે. દેશમાં જીવન રક્ષક દવાઓ મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય ફાર્માસ્યુટિકલ (દવા) ઉદ્યોગ પર પડી રહી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ૩૮૪ આવશ્યક અને જીવન રક્ષક દવાઓની કિંમતોમાં એક વખત માટે ‘આપાતકાલીન…
ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી ‘ઈરાનના પરમાણુ ભંડાર પર કબજાે કરીને જ રહીશ’ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા દરમિયાન આ યુરેનિયમને ઈરાનના પરમાણુ ઠેકાણાઓની નીચે દબાવી દેવામાં આવ્યું હતું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના ભંડારને લઈને ફરી એકવાર અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પાસે રહેલું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ પોતાના નિયંત્રણમાં લઈને જ રહેશે.વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું કે, “અમે ઈરાન પાસે રહેલું સંવર્ધિત યુરેનિયમ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



