Author: Garvi Gujarat

૧૫ લાખનું નુકસાન કવર કરવા જતાં બીજા ૫૧ લાખ ગયા! શેરબજારમાં રોકાણના નામે ૧૫ લાખનો થયો ફ્રોડ સારી નોકરી કરતા સમજદાર યુવકને એક નહીં બે-બે વખત શેરબજારમાં કમાણીની લાલચ આપીને લૂંટવામાં આવ્યો છે શેરબજારમાં કમાણીની લાલચ કોઈને પણ અંધ બનાવી શકે છે. તેનું જીવતું-જાગતુ ઉદાહરણ પુણેથી સામે આવ્યું છે. પુણેના યુવક સાથે જે બનાવ બન્યો તેના વિશે જાણીને તમે પણ રીતસરના ચોંકી જશો. સારામાં સારી નોકરી કરતા સમજદાર યુવકને એક નહીં બે-બે વખત શેરબજારમાં કમાણીની લાલચ આપીને લૂંટવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે એક વખત છેતરપિંડી થાય, તો કોઈ વ્યક્તિ એટલો તો અડીખમ થઈ જ જાય કે તે…

Read More

વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો સમાજવાદી પાર્ટી વિકાસ વિરોધી તેમજ મહિલા વિરોધી પણ છે ઉત્તર પ્રદેશનાના માફિયાઓ પર ફિલ્મો બનતી હતી પરંતુ હવે યુપીની કાનૂન વ્યવસ્થાનું દેશભરમાં ઉદાહરણ આપવામાં આવે છે : વડાપ્રધાન મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવા ઉત્તર પ્રદેશના હરદોઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ગંગા એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ધાટન કર્યા બાદ એક સભાને સંબોધતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૭માં યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણી માટે લક્ષ્ય પણ નક્કી કરી દીધું. પીએમ મોદીએ કહ્યું કે, આપણું ઉત્તર પ્રદેશ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ છે,…

Read More

મે મહિનામાં કુદરતનો અલગ જ મિજાજ જાેવા મળશે.ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મે મહિનામાં હવામાનમાં મોટો પલટો આવશ.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનમાં પલટાની આગાહી કરી – કેટલાક વિસ્તારોમાં જાેરદાર પવન, તોફાન અને કરા પડવાની શક્યતા.ગુજરાતમાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આકરી ગરમી અને લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે તાપમાન, પવન અને વાવાઝોડા અંગે અત્યંત મહત્ત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ, હજી થોડા દિવસો ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, પરંતુ મે મહિનામાં કુદરતનો અલગ જ મિજાજ જાેવા મળી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતમાં ગરમીનું મોજું તીવ્ર બનશે. વડોદરા, આણંદ…

Read More

ચૂંટણીલક્ષી રાહત પૂરી, ૨૯મી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે: રાહુલ ગાંધી.ATF ના ભાવ ઘટાડો નહીં તો અમારા વિમાનો ઉડતા બંધ થઇ જશે : એરલાઈન્સ.પશ્ચિમ એશિયાની તંગદીલી અને ખનિજતેલના વધેલા ભાવોના પગલે એરલાઇન ઉદ્યોગ પર સંકટ.એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઈસજેટ જેવી દેશના મહત્વની એરલાઇન્સ કંપનીઓએ સરકારને જણાવ્યું છે કે દેશનો એરલાઇન ઉદ્યોગ ભારે દબાણ હેઠળ પસાર થઇ રહ્યો છે અને “અમે અમારા વિમાનો ઉડાડવાનું બંધ પણ કરી શકીએ તેમ છીએ કેમ કે અમારા તમામ ઓપરેશન્સ બંધ થવાના” આરે આવીને ઉભા છે. તેઓએ ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં ઘટાડો કરવાની અને આર્થિક સહાયની કરવાની માંગ કરી છે.પશ્ચિમ એશિયામાં તંગદિલી વધવાથી ખનિજતેલના ભાવ વધી…

Read More

ડિજિટલ ફ્રોડ સામેના પગલાં અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો સ્ટેટસ રીપોર્ટ.ડિજિટલ એરેસ્ટમાં સંડોવાયેલા ૯,૪૦૦ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરાયા.વોટ્સએપ આગામી સમયગાળામાં લોગો ડિટેક્શન અને યુઝર્સ એલર્ટ જેવી સિસ્ટમ અમલી બનાવી રહી છ.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ સ્કેમના વધતા જાેખમનો સામનો કરવા માટે ટેલિકોમ નિયમનકારી સંસ્થાઓ, ટેલિકોમ કંપનીઓ, આરબીઆઇ, ટેકનોલોજી કંપનીઓ અને સીબીઆઇ સાથે મળીને પગલાં લઈ રહી છે અને ચાલુ વર્ષે અત્યાર સુધી ૯,૪૦૦ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત વોટ્સએપ આગામી સમયગાળામાં લોગો ડિટેક્શન અને યુઝર્સ એલર્ટ જેવી સિસ્ટમ અમલી બનાવી રહી છે.દેશમાં ડિજિટલ એરેસ્ટના વધતા જતાં કેસોને ડામવા માટે ૯ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના આદેશને…

Read More

દરેક ધાર્મિક સંસ્થામાં નીતિ-નિયમો હોવા જરૂરી.ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ.ધાર્મિક નિયમોમાં પણ બંધારણનું પાલન થવું જરૂરી તેમાં કોઇ પણની મનમાની ના ચલાવી લેવાય : સુપ્રીમ.સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સહિતના આવા મામલા પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એવામાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું છે કે દરેક ધાર્મિક સંસ્થાના નિયમો હોવા જાેઇએ, ધાર્મિક સંસ્થાના સંચાલનનો અર્થ અરાજકતા ના થઇ શકે. સાથે જ સુપ્રીમે કહ્યું કે ધાર્મિક કાર્યાેના નામે રોડ બ્લોક ના કરી શકાય. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચ દ્વારા મહિલાઓના અધિકારો અને ધાર્મિક રીતી રીવાજાે, પ્રવેશબંધી…

Read More

હવે ભારતને ફાયદો થવાની શક્યતા.ઓઈલ માર્કેટમાં ભંગાણ! UAEએ ૫૯ વર્ષ જૂનું OPEC છોડ્યું.ભારત લગભગ ૮૫ ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, તેથી ઓપેકમાં થતી કોઈપણ હિલચાલ સીધી જ ભારતના અર્થતંત્રને અસર કરે છે.મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂૂડ ઓઈલના સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ ઓપેક અને ઓપેક પ્લસ જૂથમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. યુએઈ મુજબ તેઓ ૧ મેના રોજ આ જૂથનું સભ્યપદ છોડી દેશે. જાેકે, યુએઈએ મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે નહીં પરંતુ સાઉદી આરબ સાથે ચાલતા વિવાદના કારણે આ ર્નિણય કર્યાે હોવાનું મનાય છે. આ બંને દેશ અનેક મોરચા પર એકબીજાની…

Read More

દીપિકા અને રણવીર દુઆ સાથે પહોંચ્યા, પરિવાર માટે ખાસ પળ.રણવીર અને દીપિકાની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો.એનએમએસીસીની ઈનસટાગ્રામ સ્ટોરી પર રણવીરે એક વીડિયો શેર કરતાં પોતાના અનુભવ વિષે વાત કરી.રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરી માતા-પિતા બનવાના છે. દીપિકાએ થોડા દિવસ પહેલાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે અરસામાં બંને પોતાની પુત્રી દુઆને પહેલી જ વાર એનએમએસીસીમાં લાઈવ શોમાં લઇ ગયા હતા. દુઆએ પહેલી જ વાર લાઇવ શોનો આનંદ લીધો હતો. રણવીર અને દીપિકા કોકોમેલન સિંગ-એ- લોંગ લાઇવ ઇવેન્ટમાં પુત્રી સાથે પહોંચ્યા હતા. રણવીરે કહ્યું કે આ અનુભવ એક ખાસ અનુભવ છે. દુઆએ પહેલી વાર લાઇવ શોનો આનંદ લીધો…

Read More

જુનેદ સાથેની ‘એકદિન’ની રિલીઝ પહેલાં થોડી નર્વસ જાેવા મળી.બોલીવુડ એન્ટ્રી પર સાઈ પલ્લવીએ તેની નબળી હિંદી માટે માફી માંગી.કાર્યક્રમમાં મારે બોલવું પડશે તે જાણતીનહોતી. મને જાણ હોત તો હિંદીમાં થોડી તૈયારી કરી લેત. તો ભૂલો બદલ મને માફ કરવામાં આવે.સાઈ પલ્લવી આમિર ખાનના પુત્ર જુનેદ ખાન સાથે ફિલ્મ “એક દિન’થી બોલીવુડ કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં એક ઈ વેન્ટનું આયોજન થયું હતું. તે ઇવેન્ટમાં આમિર ખાન સહિત ફિલ્મના કલાકારો પણ હાજર રહ્યા હતા. સાઈ પલ્લવી પણ ઈવેન્ટમાં પહોંચી હતી. ઈ વેન્ટમાં તેણે એક લાગણીસભર સ્પીચ આપી હતી. પોતાની નબળી હિંદી ભાષાને મુદ્દે માફી માંગતાં…

Read More

રામાયણ ફિલ્મનાં વીએફએક્સને નેગેટિવ કોમેન્ટ મળી રહી છે. ધુરંધર ટ્રેલર લોન્ચ બાદ ટ્રોલ થઈ હતી, હવે રામાયણ પણ ભારે ટ્રોલ.ધુરંધરને લઈને ઈન્ટરર્નેટ બે ભાગમાં વહેચાયેલું રહ્યું છે. ખુબ લોકોએ તેને બહુ પસંદ કરી છે જ્યારે કેટલાક લોકો તેને પ્રોપેગેન્ડા ફિલ્મ કહી રહ્યા છે.ધુરંધર ફિલ્મની જંગી સફળતા તેને બેસ્ટ ફિલ્મમાં મુકી રહી છે ત્યારે નોંધનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું ત્યારે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી. આ ફિલ્મના કાસ્ટિંગ ડાઈરેક્ટર મુકેશ છાબડા હતાં. ફિલ્મની સફળતા બાદ સૌથી વધારે પ્રસંશા મુકેશ છાબડાની થઈ હતી કેમ કે તેના કલાકારો અસલ જીવનના કેરેક્ટર્સ સાથે એટલા બધા મેચ થતાં હતાં કે…

Read More