- લિવ-ઇન સંબંધો પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, ક્રૂરતા સામે મળશે કાનૂની રક્ષણ
- બિહારની બાંકીપુર હારને લઈ AAPનો ભાજપ પર પ્રહાર, મનોજ સોરઠીયાએ કહ્યું- ‘વિસાવદરવાળી થઈ’
- સગીર બાળકીના માફી વીડિયો મુદ્દે કેજરીવાલનો પ્રહાર, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ
- ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર પ્રહાર, કહ્યું- બિહારથી શરૂ થયું ‘ભાજપના વળતા પાણી’નું ટ્રેલર
- શશાંક સિંહે છત્તીસગઢ છોડ્યું, પુડુચેરી સાથે જોડાયા; ઘરેલુ ક્રિકેટમાં અવગણનાના લગાવ્યા આરોપ
- ભારતની મોટી સિદ્ધિ: DRDOએ બનાવ્યું સ્વદેશી ટર્બોજેટ એન્જિન, મિસાઇલ-ડ્રોનને મળશે નવી તાકાત
- દિલ્હી લક્ષ્મી યોજનાની શરતો પર કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, તમામ મહિલાઓને લાભની કરી માંગ
- ઈરાનનો ટ્રમ્પ પર પલટવાર, હુમલા સ્થગિત કરવાના દાવા બાદ મીડિયાએ ઉડાવી મજાક
Author: garvigujrat
શૂટિંગમાં ભાગ લીધાનો વીડિયો વાયરલ.આલિયાની ‘કલ્કી ૨૮૯૮’માં એન્ટ્રીની અફવા યથાવત.૨૦૨૫માં સીક્વલમાંથી દીપિકા પાદુકોણેની છુટ્ટી કરાઈ હોવાની પુષ્ટી પછી અનિશ્ચિતતા પ્રવર્તતી રહી છે.‘કલ્કી ૨૮૯૮ એડી’ની સીક્વલમાં આલિયા ભટ્ટે ફિલ્મની કાસ્ટ સાથે જાેડાઈને હૈદરાબાદમાં કેટલાક દ્રશ્યોનું શૂટિંગ કર્યાનો દાવો સોશિયલ મીડિયામાં કરાયા પછી ફિલ્મમાં તેના કાસ્ટિંગની અફવા વધુ તીવ્ર બની હતી. કેટલીક અફવાઓમાં એવું જણાવાયું હતું કે તે સુમથી તરીકે દીપિકાનું સ્થાન લશે જ્યારે અન્ય અફવાઓ અનુસાર આલિયા માટે નવું જ પાત્ર રચાયું છે. ખાસ કરીને સાઈ પલ્લવી સાથે આલિયાને પડદા પર સાથે જાેવાની બાબતે ચાહકોએ ઓનલાઈન ઉત્સુક્ત વ્યક્ત કરી હતી. જાે કે પ્રોજેક્ટના પ્રવક્તાએ ફિલ્મમાં આલિયાએ શૂટિંગ શરૂ કર્યું હોવાના અહેવાલ…
નર્મદા જિલ્લા ચીકદા તાલુકાના પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોને ધ્યાનમાં રાખીને માધ્યમિક શાળા ઉમરાણ ખાતે “જનકલ્યાણ શિબિર” અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે સાથે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિવિધ ચૂંટાયેલા પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે. તેમણે જણાવ્યું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના મેયરના ઇ-મેઈલ ઉપર સવારે 11 વાગ્યે અજાણ્યા દ્વારા ઈ-મેઈલ મોકલીને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેઈલ થી SMC દ્વારા તરત જ લાલગેટ પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવી SMCની તમામ ઓફિસો ખાલી કરાવીને તમામ સ્ટાફને SMC કમ્પાઉન્ડની બહાર મોકલી સમગ્ર SMC બિલ્ડીંગ પોલીસે પોતાના કબજામાં લઈ લીધુ હતું. ત્યારબાદ શહેરની પોલીસ મશીનરીની વિવિધ પાંખો જેવી કે ડી.સી.બી, પી.સી.બી, એસ.ઓ.જી ,ડોગ સ્કોવડ વિગેરે ના અધિકારીઓ SMC ખાતે આવી ઘનિષ્ટ તપાસ આદરતા ઈ-મેઈલ માત્ર ડરાવવા જ કરાયો હોવાનું જણાતા પોલીસે હાશ કારો અનુભવ્યો હતો. જેમાં તપાસ કરતાં કોઈ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં વેચાતી દવાઓની ગુણવત્તા અને દર્દીની સલામતીની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ સહિતના સીરપના વેચાણ પર પ્રતિબંધ મુકવા માટે નિયમોમાં સુધારો કર્યો છે. આ પગલાનો હેતુ કફ સીરપ સહિત સીરપ આધારિત ફોર્મ્યુલેશનને કારણે નિયમનકારી દેખરેખ હેઠળ લાવવાનો છે. આ સુધારાને સત્તાવાર ગેઝેટ માં પ્રકાશિત ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો 2026 દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે. આ સુધારો તેના પ્રકાશનની તારીખથી તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર ડ્રગ્સ રૂલ્સ,1945 ના શેડયૂલ K ના “ક્લાસ ઓફ ડ્રગ્સ” કોલમમાં આઈટમ ૭ માંથી “સીરપ” શબ્દને બાકાત રાખવામાં…
અમરેલી જિલ્લાના વડીયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ આત્મહત્યા કરી હતી અને ગતરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ’આપ’ પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયા સહિત આગેવાનોએ મૃતક મનસુખભાઈના પરિવારની મુલાકાત લીધી અને તેમને સાંત્વના પાઠવી. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના વડીયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ બે દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને વીડિયોમાં એમણે એવું કહ્યું હતું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે તેઓ આત્મહત્યા કરે છે. આ રીતની વાત કરીને તેમણે આત્મહત્યા કરી અને તેઓ આજે આપણી વચ્ચે નથી. ત્યારબાદ સમાજના અને મનસુખભાઈના પરિવારના આગેવાનો વડીયા પોલીસ સ્ટેશને…
શ્વાનની ઓળખ માણસો કરતાં વધુ સરળ બનશે અમદાવાદમાં હવે માણસો સાથે શ્વાનની પણ ગણતરી થશે AMC ના જ આંકડા કહે છે કે છેલ્લા ૭ વર્ષમાં ૧ લાખ ૯૯ હજારથી વધુ શ્વાનનું ખસીકરણ અને સ્ટેરિલાઈઝેશન કરવામાં આવ્યું છે અમદાવાદમાં હવે માણસો સાથે શ્વાનની પણ ગણતરી થશે. AMC એ ૨૮ લાખ રૂપિયાના ખર્ચે ડોગ સેન્સસ શરૂ કર્યું છે.દરેક શ્વાનને યુનિક આઈડી મળશે.માઇક્રોચિપ લાગશે અને તેનો આખો બાયોડેટા એપમાં જાેવા મળશે.પરંતુ બીજી તરફ માત્ર એક જ મહિનામાં ૭ હજારથી વધુ લોકો રખડતા શ્વાનના કરડવાના શિકાર બન્યા છે.એટલે સવાલ એ છે કે શહેરમાં લોકો વધુ સુરક્ષિત બનશે કે પછી શ્વાન વધુ અપડેટેડ બનશે? અમદાવાદમાં…
ઈન્ડોનેશિયા-જાપાનમાં પણ ધરતી ધ્રુજી ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા ચીનમાં ઈમરજન્સી એલર્ટ ભૂકંપનું કેન્દ્ર પ્રાંતની રાજધાની શિયાંગથી લગભગ ૫૬૭ કિલોમીટર દૂર આવેલું હોવાનું જણાવવામાં આવ્યું છે ચીન અને જાપાન હાલ મોટી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ૪૦ મિનિટમાં ૮ વખત ધરતી ધ્રુજતા ચીનમાં હડકંપ મચી ગયો છે, તો જાપનમાં પણ ૫.૫ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ચીનમાં સૌથી શક્તિશાળી ઝટકાની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ચીનના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રશાસને તાત્કાલીક અસરગ્રસ્ત વિસ્તારમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરી દીધું છે. આ સાથે જ રાહત અને બચાવ…
શૂટિંગ જગત શોકમાં: જસપાલ રાણાના નિધન બાદ તેમની માતાનું પણ અવસાન, એક અઠવાડિયામાં પરિવાર પર દુખનો પહાડ
શૂટિંગ જગત માટે આ અઠવાડિયું અત્યંત દુ:ખદ સાબિત થયું જસપાલ રાણાના નિધનના આઘાતમાં તેમની માતાનું પણ અવસાન થયું સ્વસ્થ થવાના પ્રયાસો વચ્ચે તેમનું નિધન સમગ્ર રમત જગત માટે આઘાતજનક હતું ભારતીય શૂટિંગ જગત માટે આ અઠવાડિયું અત્યંત દુ:ખદ સાબિત થયું છે. દેશના પ્રખ્યાત શૂટર અને કોચ જસપાલ રાણાના નિધનના સમાચારની શાહી હજુ સુકાઈ પણ નહોતી ત્યાં તેમના પરિવારમાંથી વધુ એક કરુણ સમાચાર સામે આવ્યા છે. જસપાલ રાણાની માતા શ્યામા દેવી રાણાનું પણ અવસાન થયું છે. પુત્રના અકાળ અવસાનનો આઘાત આ ૭૮ વર્ષીય માતા સહન કરી શક્યા નહીં અને આખરે તેમણે પણ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.થોડા દિવસો પહેલા જ…
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના સંકેત માતોશ્રીની મહત્ત્વની બેઠક અને સાંસદોની ગેરહાજરી ઉદ્ધવ જૂથના એક સાંસદ અને એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદો પક્ષ બદલશે તેવી અટકળો વચ્ચે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ઉદ્ધવ જૂથના એક સાંસદ અને એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. અહેવાલો અનુસાર, તાજેતરમાં જ પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી‘ ખાતે સાંસદોની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે…
નૌશેરા સેક્ટરમાં Loc પાસે માઇન બ્લાસ્ટ, ૪ જવાન ઇજાગ્રસ્ત એક સેના યુનિટ સરહદ પર નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અજાણતામાં એક લેન્ડમાઇન ફાટી ગયો મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Loc) નજીક માઇન બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પેટ્રોલિંગ કરતી વખતે માઇન બ્લાસ્ટ થયો. જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત ચાર સૈનિકો ઘાયલ થયા હતા.અચાનક થયેલા વિસ્ફોટમાં સુબેદાર નૈન સિંહ, હવાલદાર સુભાષ સિંહ, અગ્નિવીર અમન સિંહ અને અગ્નિવીર ગૌરવ સિંહ ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ, ઘાયલ કર્મચારીઓને સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા; ત્યારબાદ તેમને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



