
- મુંદ્રા અને મેંગલોર પોર્ટ પર સાઉદી LPG ૪૮,૦૦૦ ટન ખાલી, રાંધણ ગેસ સપ્લાય મજબૂત
- નવસારીથી સુરત ડાયમંડ બુર્સ માટે નવી બસ સેવા શરૂ, હીરા કારીગરોને રોજિંદા મુસાફરીમાં રાહત
- બહેરીનમાં ૬૦% શિયા નારાજ, અમેરિકાના ફિફ્થ ફ્લીટ મથક પર યુદ્ધ પ્રભાવથી તણાવ વધ્યો
- ગુજરાતમાં લોકડાઉનની અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી, પુરતી ગેસ-ખાતર-ઇંધણ સ્ટોકની વ્યવસ્થા – હર્ષ સંઘવી
- કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં ગાયબ – બે વાર ડોક્યુમેન્ટ સબમિટ છતાં નોંધાયો નહીં
- સોનાના ભાવમાં ૫.૭૭% વધારો, ગોલ્ડ ફ્યુચર્સ ૧,૪૪,૫૦૦ રૂ. અને સિલ્વર ૨,૨૭,૭૫૦ રૂ.
- રશિયાએ પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ લાદ્યો: સ્થાનિક પુરવઠો માટે ૧ એપ્રિલથી ચાર મહિના માટે રોકાણ
- નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન: વડાપ્રધાન મોદીએ કહ્યું – યુદ્ધથી વિશ્વ પરેશાન, અફવાઓથી દૂર રહો
Author: Garvi Gujarat
૨૦૨૮માં દોડશે પ્રથમ ટ્રેન ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું ૪૦% કામ પૂર્ણ આ પ્રોજેક્ટ શરુ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે તારંગા-અંબાજી-આબુ રોડ રેલવેનો ૨,૭૯૮.૧૬ કરોડના પ્રોજેક્ટમાં ગુજરાતની સૌથી મોટી ૧,૮૩૦ મીટરની ટનલની ૪૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી ૨૪ કલાક યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીની મદદથી ૧૧.૫ મહિનામાં ૬૮૩ મીટર ટનલ તૈયાર કરાઈ છે. જ્યારે ૬૦ ટકા ટનલ પૂર્ણ કરતાં એક વર્ષનો સમય લાગશે. આ પ્રોજેક્ટ શરુ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે. તારંગા-અંબાજી-આબુ રોડ સુધીના ૧૧.૬૫ કિલોમીટરના નવો રેલવે લાઇન પ્રોજેક્ટ અંતર્ગત પોશીના તાલુકાના ધ્રોવફળો પાસે ગુજરાતની સૌથી લાંબી…
માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી હવે ટોલ પ્લાઝા ઉપર રોકડ વ્યવહારને બંધ કરવાની તૈયારી ૧ એપ્રિલ ૨૦૨૬થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે દેશના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હવે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે મુસાફરોએ ટોલ ટેક્સ ભરવા માટે માત્ર FASTag અથવા UPI જેવા ડિજિટલ વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે. ૧ એપ્રિલ ૨૦૨૬થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં FASTag નો ઉપયોગ ૯૮ ટકાથી વધુ વધી ગયો છે, જેના કારણે ટોલ…
સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.1458 અને ચાંદીનો વાયદો રૂ.7909 ઊછળ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.6 ઢીલોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.23564.28 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.149568.79 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17619.13 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38630 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.173134.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23564.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.149568.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38630 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2289.55 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17619.13 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155105ના…
ધોળકા વિધાનસભા વિસ્તારમાં રાજકીય હલચલ વચ્ચે આમ આદમી પાર્ટીને વધુ મજબૂતી મળી છે. કામની રાજનીતિ અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી પાર્ટીમાં દિવસેને દિવસે વિવિધ વર્ગોના લોકો જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ જેવા પરંપરાગત પક્ષો ઉપરાંત હવે સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન સાગર રબારીની આગેવાનીમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનેક જાણીતા સામાજિક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા. સામાજિક કાર્યકરોમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ અને જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન…
બિટકોઈન કૌભાંડ મામલે જામીન મળ્યા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન મુંબઈમાં આવેલી પીએમએલએ કોર્ટ દ્વારા જામીન અપાયા બિટકોઈન સાથે સંકળાયેલું આ કૌભાંડ ૧૫૦ કરોડનું છે બિટકોઈન કૌભાંડ મામલે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન આપી દેવામાં આવ્યા છે. મુંબઈમાં આવેલી પીએમએલએ કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. બિટકોઈન સાથે સંકળાયેલું આ કૌભાંડ ૧૫૦ કરોડનું છે. એક દિવસ અગાઉ જ મુંબઈની સ્પેશિયલ કોર્ટે રાજ કુંદ્રા વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું હતું. ઈડીની ચાર્જશીટને ધ્યાનમાં લેતા કોર્ટે આ કાર્યવાહી કરી હતી. આ મામલે દુબઈ સ્થિતિ બિઝનેસમેન રાજેશ સતીજાને પણ સમન્સ મોકલાયું હતું. બંનેને કોર્ટમાં હાજર રહેવા આદેશ…
સત્તા પલટતાં જ બાંગ્લાદેશના સૂર બદલાયા! બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવા ફરી શરૂ કરી રહેમાને યુનુસનો ફરમાન રદ કરી ભારત અંગે લીધો મોટો ર્નિણય બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાને ભારતીય નાગરિકો માટે ફરીથી વિઝા સેવા શરૂ કરવાનો ર્નિણય લીધો છે. શેખ હસીના સરકારનો સત્તાપલટો થયો તે પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા પણ વધી હતી. એવામાં હવે ચૂંટણી બાદ ચૂંટાયેલી નવી સરકાર સત્તામાં આવતા જ બાંગ્લાદેશના સૂર બદલાયા છે. એવું લાગી રહ્યું છે કે બાંગ્લાદેશ હવે ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે. દિલ્હી સ્થિતિ બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે વિઝા સેવા ફરીથી શરૂ…
ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલમાં ઘૂસી ગયા રાજધાનીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ‘ દરમિયાન આજે ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. જ્યારે યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર ઘૂસી ગયા હતા. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા અને “PM is Compromised” ના નારા લગાવ્યા હતા. જે સમયે આ વિરોધ પ્રદર્શન થયું, તે સમયે સમિટમાં દેશ-વિદેશના અનેક દિગ્ગજાે અને પ્રતિનિધિઓ હાજર હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો અચાનક બેનરો અને પોસ્ટરો સાથે મુખ્ય હોલ પાસે પહોંચી ગયા…
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની ગદ્દારોને ચેતવણી આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે એવી સજા કરીશું : મનોજ સિન્હા કલમ-૩૭૦ નાબુદ થયા બાદ વિશ્વાસ ઉભો થયો : કાશ્મીરી પંડિતોને સન્માન-સુરક્ષા સાથે પરત લવાશે : પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મનોજ સિન્હા બોલ્યા જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ દેશના ગદ્દારો અને આતંકવાદીઓને ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, દેશ વિરુદ્ધ ગદ્દારી કરનારાઓ અને આતંકવાદીઓને કોઈપણ સંજાેગોમાં બક્ષવામાં નહીં આવે. તેમણે દેશની સુરક્ષા બગાડનારા તત્ત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, સુરક્ષા એજન્સીઓ આતંકવાદ સંબંધી તમામ કેસોની ગંભીરતાથી તપાસ કરી રહી છે, જાે કોઈપણ દોષિતો પકડાશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ…
ગૂગલે ૧૦ કરોડથી વધુને ડિજિટલ તાલીમ આપી.ટેકનોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ.બે દાયકા પહેલા યુટયુબનું નામ પણ સાંભળ્યું ન હતુ, આજે લાખો યુટયુબર અસ્તિત્વ ધરાવે છે: પિચાઈ.ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ડિજિટલ ડિવાઇડ એઆઈ ડિવાઇડ ન બને તે જાેવું જરુરી છે. ટેકનોલોજીના લાભ તળિયાના લોકો સુધી પહોંચે તે જરુરી છે. તેથી વર્તમાન ડિજિટલ ડિવાઇડનું એઆઇ ડિવાઇડમાં રૂપાંતર ન થવા દેવાની જવાબદારી શાસકોની, યુનિવર્સિટીઓની, કંપનીઓની અને શૈક્ષણિક સંસ્થાઓની છે. તેમણે જણાવ્યું હતું કે એઆઈ પ્લેટફોર્મ્સ આપણા જીવનમાં મળેલી મહામૂલી તક છે. તેના કારણે માનવ જાતની પ્રગતિ હાઈપર સ્કેલ પર થશે. અત્યાર સુધી…
હરિયાણા સરકાર હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો.લોકશાહી વ્યવસ્થા માટે સગાવાદ અને આત્મશ્લાઘા અભિશાપ: સુપ્રીમ કોર્ટ.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી.દેશમાં વધી રહેલા લાગવગ અને સગાવાદના પ્રભાવની સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે. નીપોટિઝમ અને આત્મશ્લાઘાને લોકશાહી વ્યવસ્થા માટે અભિશાપ સમાન ગણાવી સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો છે, જેમાં સોસાયટીની ગવર્નિંગ બોડીના એક સભ્ય અને તેમના કર્મચારીને બે ફ્લેટ ફાળવી દેવાયા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે હાઈકોર્ટના આ હુકમને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



