
- Narendra Modi દ્વારા ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સ સાથે ખેડબ્રહ્મા-અમદાવાદ નવી ટ્રેન સેવા શરૂ
- મુંદ્રા અને મેંગલોર પોર્ટ પર સાઉદી LPG ૪૮,૦૦૦ ટન ખાલી, રાંધણ ગેસ સપ્લાય મજબૂત
- નવસારીથી સુરત ડાયમંડ બુર્સ માટે નવી બસ સેવા શરૂ, હીરા કારીગરોને રોજિંદા મુસાફરીમાં રાહત
- બહેરીનમાં ૬૦% શિયા નારાજ, અમેરિકાના ફિફ્થ ફ્લીટ મથક પર યુદ્ધ પ્રભાવથી તણાવ વધ્યો
- ગુજરાતમાં લોકડાઉનની અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી, પુરતી ગેસ-ખાતર-ઇંધણ સ્ટોકની વ્યવસ્થા – હર્ષ સંઘવી
- કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં ગાયબ – બે વાર ડોક્યુમેન્ટ સબમિટ છતાં નોંધાયો નહીં
- સોનાના ભાવમાં ૫.૭૭% વધારો, ગોલ્ડ ફ્યુચર્સ ૧,૪૪,૫૦૦ રૂ. અને સિલ્વર ૨,૨૭,૭૫૦ રૂ.
- રશિયાએ પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ લાદ્યો: સ્થાનિક પુરવઠો માટે ૧ એપ્રિલથી ચાર મહિના માટે રોકાણ
Author: Garvi Gujarat
હરિયાણા સરકાર હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો.લોકશાહી વ્યવસ્થા માટે સગાવાદ અને આત્મશ્લાઘા અભિશાપ: સુપ્રીમ કોર્ટ.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી.દેશમાં વધી રહેલા લાગવગ અને સગાવાદના પ્રભાવની સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે. નીપોટિઝમ અને આત્મશ્લાઘાને લોકશાહી વ્યવસ્થા માટે અભિશાપ સમાન ગણાવી સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો છે, જેમાં સોસાયટીની ગવર્નિંગ બોડીના એક સભ્ય અને તેમના કર્મચારીને બે ફ્લેટ ફાળવી દેવાયા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે હાઈકોર્ટના આ હુકમને…
રાજકારણમાં શોકનો માહોલ.ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત.મેઘાલયના રાજકારણ માટે આજે અમંગળ સમાચાર સામે આવ્યા છે. શિલોંગના લોકપ્રિય સાંસદ રિકી એ. જે. સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. મેદાન પર અચાનક ઢળી પડેલા સાંસદના અવસાનથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે.શિલોંગના સાંસદ અને ‘વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી’ના દિગ્ગજ નેતા રિકી એ. જે. સિંગકોન ગુરુવારે સાંજે માવલાઈ માવિયોંગ ખાતે મિત્રો સાથે ફૂટબોલની મજા માણી રહ્યા હતા. રમત દરમિયાન જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ અચાનક બેભાન થઈને મેદાન પર જ ઢળી પડ્યા હતા. આ આકસ્મિક ઘટનાને પગલે રમતનું મેદાન ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. સ્થાનિક…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો.ઈરાન પર હુમલા માટે બ્રિટને એરબેઝ આપવાનો કર્યાે ઇનકાર.બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પરના કોઈપણ હુમલામાં ભાગીદાર બનીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા માંગતા નથી.ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે.બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પરના કોઈપણ હુમલામાં ભાગીદાર બનીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટને ખાસ કરીને ગ્લોસ્ટરશાયર સ્થિત ‘રોયલ એર ફોર્સ બેઝ ફેરફોર્ડ’ અને હિંદ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગુમ થઈ રહ્યા છે અને થાય છે. જેમાં મોટાભાગે બાળકો, મહિલાઓ અને છોકરીઓ હોય છે. આ વર્ષે જાન્યુઆરીના પહેલા વીકમાં ફકત રાજધાની દિલ્હી માંથી જ ૮૦૦ થી વધુ લોકો ગુમ થયાના સમાચારોએ ફરી એકવાર આ મુદ્દાની ગંભીરતા પર ભાર મૂકયો છે. છતાં આશ્ચર્યજનક રીતે આ ગુનાહિત સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ એકીકૃત રાષ્ટ્રીય પ્રયાસો થયા નથી. ગુમ થયેલા વ્યક્તિઓનું રાજય-દર- રાજય વિશ્લેષણ પણ ભાગ્યે જ ઉપલબ્ધ છે. આજ સુધી કેટલા મળી આવ્યા છે. અને આવા કિસ્સાઓ પાછળ કોણ હતું એ અંગે કોઈ માહિતી જ મળતી નથી. વિચાર કરો કે જો…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભા ગૃહમાં મનરેગા યોજના મુદ્દે મારો સવાલ હતો કે છેલ્લા બે વર્ષમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા લોકોએ મનરેગા યોજના અંતર્ગત રોજગારીની માંગ કરી. ત્યારે જવાબમાં સરકારે કહ્યું કે નર્મદા જિલ્લામાં 1,27,302 લોકોએ રોજગારીની માંગ કરી. છોટાઉદેપુરમાં 1,17,900 લોકોએ રોજગારીની માંગ કરી. તેની સામે સરકારે નર્મદા જિલ્લામાં માત્ર 46,33,817 માનવ દિવસની રોજગારી પૂરી પાડી, જે દરેક પરિવાર દીઠ બે વર્ષમાં 36 દિવસ સરેરાશ રોજગારી થાય છે, મતલબ કે વર્ષના 18 દિવસની રોજગારી. એવી જ રીતે છોટાઉદેપુરમાં 30,65,920 માનવ દિવસની રોજગારી…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા કરવા જઈ રહી છે અને તે માટે જનતા પાસેથી સૂચનો તથા વાંધાઓ મંગાવ્યા છે. તેમણે કહ્યું કે લગ્ન નોંધણી કાયદાનો દુરુપયોગ કરીને કેટલીક ઘટનાઓમાં દીકરીઓને ખોટી રીતે હેરાન, ડરાવી-ધમકાવી અથવા છેતરપીંડી કરીને તેમનું જીવન બરબાદ કરવાની ઘટનાઓ સામે આવી છે. સમાજના વિવિધ વર્ગો અને સંસ્થાઓએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ખાસ કરીને એસપીજી દ્વારા આ સમસ્યાને પ્રાથમિક સ્તરે ઉજાગર કરવામાં આવી હતી અને ઉત્તર ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા. ઇટાલિયાએ જણાવ્યું કે સમાજના દબાણ અને માંગણીને પગલે સરકાર સુધારા માટે તૈયાર થઈ…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમણે આજે વિધાનસભામાં પોતાના મતવિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને લગતા અગત્યના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં ટેકાના ભાવે ખરીદી અંગે પ્રશ્ન પૂછતા તેમણે સરકારને પૂછ્યું કે મગફળી, સોયાબીન અને ચણાને ટેકાના ભાવે વેચવા માટે કેટલા ખેડૂતોએ નોંધણી કરાવી, તેમાંથી કેટલાએ વાસ્તવમાં પાક વેચ્યો અને કેટલાના ચૂકવણાં બાકી છે. સરકાર તરફથી મળેલા જવાબ મુજબ અનેક ખેડૂતોના ચુકવણાં હજુ બાકી છે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે માત્ર જૂનાગઢ જિલ્લામાં જ અંદાજે 30થી 35 હજાર ખેડૂતોને છેલ્લા બે મહિનાથી ચૂકવણાં મળ્યાં નથી. તેમણે જણાવ્યું કે સરકાર 100 ટકા પાક ખરીદતી નથી. ખેડૂતના ખેતરમાં…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલથી ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલે 21 ફેબ્રુઆરીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી સમિતિની જાહેરાત કરી દીધી છે અને મજબૂતીથી ચૂંટણી તરફ આગળ વધી રહી છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલજી અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે અને મીડિયાને સંબોધન કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ…
વીડિયો થયો વાઈરલ.વીડિયો થયો વાઈરલ.વીડિયો થયો વાઈરલ.રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસ મામલે લગભગ ૧૧ દિવસ દિલ્હીની તિહાર જેલમાં રહ્યા. રાજપાલ યાવદ જેલમાં ગયા બાદ બોલિવૂડે તેમને ખૂબ સપોર્ટ કર્યાે. જેમાં અનેક લોકો તેમની મદદ માટે આગળ આવ્યા. દિલ્હી હાઈકોર્ટે તેમને કરોડના લોન કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. આમ, જેલથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવ મનમૂકીને નાચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ભત્રીજીના લગ્નના કારણે રાજપાલ યાદવને વચગાળાના જામીન આપ્યા છે. જેમાં ભત્રીજીના લગ્નના ફંક્શનમાં રાજપાલ ડાન્સ કરતાં હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ પોતાના પરિવાર સાથે ખુશીથી નાચી રહ્યા છે.રાજપાલ યાદવે ભત્રીજીના લગ્નમાં સલમાન…
લાંબા સમયથી રાજસ્થાનની જેલમાં હતાં .વિક્રમ ભટ્ટ અને તેમનાં પત્નીને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન.વિક્રમ ભટ્ટ તરફથી એવી દલીલ કરાઈ હતી કે પોતે જેલની બહાર આવશે તો જ બાકીની ફિલ્મોના પ્રોજેક્ટ આગળ વધારી શકશે.ફિલ્મ સર્જક વિક્રમ ભટ્ટ તથા તેમનાં પત્ની શ્વેતામ્બરી ભટ્ટને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અપાયા છે. ચાર ફિલ્મ બનાવવા માટે ૩૦ કરોડ રુપિયા લીધા બાદ બે જ ફિલ્મો બનાવીને છેતરપિંડી કરવાનો તેમની સામે આરોપ હતો. પતિ-પત્ની બંને આશરે બે માસથી રાજસ્થાનનાં ઉદયપુરની જેલમાં હતાં. ઉદયપુરના એક ડોક્ટરે તેમનાં સ્વર્ગસ્થ પત્નીની બાયોપિક માટે વિક્રમ ભટ્ટને પૈસા આપ્યા હતા. બાદમાં વિક્રમ ભટ્ટ તથા તેમના વચ્ચે કુલ ચાર ફિલ્મો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



