Author: Garvi Gujarat

માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN)’ (જે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા માન્યતા પ્રાપ્ત NBFC – MFI માટે રાષ્ટ્રીય સ્તરે એક ‘સ્વ-નિયમનકારી સંસ્થા’ છે) દ્વારા અમદાવાદ જિલ્લાના ચાંદખેડા ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા ધિરાણ લેનારાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી અને આ પ્રસંગે શ્રી કિરણ કુમાર ચાવડા (એલડીએમ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ જિલ્લો), શ્રી અનિલ મોરથાના (નિર્દેશક, આર.ઇ.એસ.ટી.આઇ., અમદાવાદ જિલ્લો), શ્રી એમ. એન. ચાવડા (એ.સી.પી., ઇ.ઓ.ડબલ્યુ., અમદાવાદ પોલીસ), શ્રી ધૂલિયા (પી.આઈ., ઇ.ઓ.ડબલ્યુ., અમદાવાદ પોલીસ), શ્રી ઘનશ્યામ સિંહ મોરી (પી.એસ.આઇ., સાયબર સેલ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ), અને શ્રી દેવેન્દ્ર શાહપુરકર (ઉપાધ્યક્ષ, પશ્ચિમી ક્ષેત્ર, MFIN) એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું…

Read More

વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયોગઈ તા.૮મી ઓક્ટોબરે સયાજીગંજ પોલીસ દ્વારા વડોદરા એસટી ડેપો ખાતે વોચ રાખી આઠ કિલો ગાંજા સાથે ઓરિસ્સાના શંકર સરધાને ઝડપી પાડ્યો હતો. ખાનગી નોકરી કરતા ૨૧ વર્ષિય યુવકને ગાંજાની ડિલિવરી માટે તેને સારી એવી રકમની ઓફર કરીને સુબ્રતા નાગ દ્વારા સુરત મોકલવામાં આવ્યો હોવાની પોલીસને વિગતો મળી હતી. જેથી ગાંજાે મંગાવનાર સુરતના કેરિયરની પોલીસ તપાસ કરી રહી હતી. સયાજીગંજ પોલીસવાળા સુરતના મોસાલી ગામે વોચ રાખવામાં આવી હતી અને આખરે પોલીસથી બચવા ભાગી રહેલા મહંમદ અકરમ યાકુબભાઇ મલેકને ઝડપી પાડવામાં આવ્યો છે.

Read More

નજીકના જ વ્યક્તિએ હત્યા કરી હોવાની શંકાગાંધીનગરના રાયપુરમાં ગુમ થયેલી બાળકીની લાશ મળીપાડોશીએ દુષ્કર્મ આચરી ગળું દબાવી કરપીણ હત્યા કરી હોવાની આશંકા પર પોલીસ તપાસ કરી રહી છગાંધીનગરમાં બે દિવસથી ૧૦ વર્ષની ગુમ બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી આવી છે. પાડોશીએ દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા પર પોલીસ તપાસ કરી રહી છે. શંકાસ્પદ શખસના બાળકના પણ બે અલગ અલગ સ્ટેટમેન્ટ પોલીસને મળ્યા છે, જેથી પોલીસે તપાસ તેજ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા ગાંધીનગરના રાયપુર ગાના રામાપીરવાળા વાસ વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાળકી બુધવારે ગુમ થઈ હતી. બાળકીના ગુમ થવા બાબતે ડભોડા…

Read More

બે મોટા શહેરો વચ્ચે દોડશે નવી લોકલ ટ્રેનઆજથી રાજકોટ-પોરબંદરની મુસાફરી માત્ર ૪૫ રૂપિયામાંમનસુખ માંડવિયાએ નવી લોકલ ટ્રેનને લીલી ઝંડી આપીસૌરાષ્ટ્રના બે મોટા શહેરોના નાગરિકોને રેલવેએ આજે મોટી ભેટ આપી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો શરૂ કરાઈ છે. રાજકોટ-પોરબંદર લોકલ સ્પેશિયલ ટ્રેન યાત્રાનો આજથી શુભારંભ કરાયો છે. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, સાંસદ રામભાઈ મોકરિયા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાયો હતો. રાજકોટથી પોરબંદર વચ્ચે બે ટ્રેનોને લીલીઝંડી આપવામાં…

Read More

આ ઘટનામાં જાનહાનિ નહીંચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશઅકસ્માતની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવીભારતીય વાયુસેનાનું એક પીસી-૭ પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન શુક્રવારે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ચેન્નઈના તામ્બરમ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદભાગ્યે, પાયલટનો બચાવ થયો છે, તેથી કોઈ જાનહાનિના સમાચાર નથી. વાયુસેનાએ જણાવ્યું કે આ ઉડાન સામાન્ય તાલીમ મિશનનો એક ભાગ હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (તપાસ કમિટી)ની રચના કરવામાં આવી છે, જે ઘટનાની વિગતવાર તપાસ કરશે. ઘટનાસ્થળે રાહત અને સુરક્ષા ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી હતી. સ્થાનિક તંત્રએ પણ વાયુસેનાને મદદ કરી. આ અકસ્માત બાદ વાયુસેનાએ કહ્યું કે, ઉડાનોની સુરક્ષા તેમની સૌથી મોટી…

Read More

હેલ્થ ઈન્સ્યોરન્સ સસ્તા થશેસરકારે હોસ્પિટલો અને વીમા કંપનીઓને આપી સૂચનાસરકાર ઇચ્છે છે કે હોસ્પિટલો અને વીમા કંપનીઓ સસ્તી અને સુલભ આરોગ્ય સંભાળ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરેહાલમાં, દેશમાં ફક્ત થોડા લોકો પાસે જ આરોગ્ય વીમા કવરેજ છે. સરકાર વધુ લોકોને તેના કવરેજ હેઠળ લાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે હોસ્પિટલો અને વીમા કંપનીઓ સસ્તી અને સુલભ આરોગ્ય સંભાળ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરે. આ કારણે સરકારે હોસ્પિટલો અને વીમા કંપનીઓને આરોગ્ય વીમાને સસ્તું બનાવવા જણાવ્યું છે. દેશમાં આરોગ્ય વીમા કવરેજ ઓછું રહે છે. સરકાર વધુ લોકોને આરોગ્ય વીમા કવરેજ હેઠળ લાવવા…

Read More

લોકોએ અમારા વિઝનને જાેઈ અમને બહુમતી આપી : પીએમબિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની દમદાર જીતજનતાએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું : હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે : વડાપ્રધાનબિહારમાં ભાજપની પ્રચંત જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે કહ્યું, “આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાની જીત છે. બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર, જેમણે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં NDA ને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શીવાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા…

Read More

દિલ્હીનો ભેજાબાજ હજુપણ વોન્ટેડઅંકલેશ્વરમાં કોમ્પ્યુટર કલાસીસની આડમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું કાંડ ઝડપાયુંપોલીસે ડુપ્લીકેટ માર્કશીટ સહીત કોમ્પ્યુટર મળી ૪૫ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસ ની આડ માં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટ કાંડ સામે આવ્યું છે. જેમાં મુખ્ય સૂત્રધાર એવા દિલ્હીનો ભેજાબાજ વોન્ટેડ જાહેર કરાયો છે. ધોરણ ૧૦ અને ૧૨ અને આઈ.ટી.આઈ ની નકલી માર્કશીટ માત્રે ૧૦ થી ૧૫ હજાર માં બનતી હતી. દિલ્હીના ઠગ દિલ્હીથી માર્કશીટ બનાવી કુરિયર કરતા હતો.પોલીસે ડુપ્લીકેટ માર્કશીટ સહીત કોમ્પ્યુટર મળી ૪૫ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.અંકલેશ્વરમાં કાપોદ્રા પાટિયા પર આવેલ હેપ્પી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસ ની…

Read More

બોગસ સેબી સર્ટિફિકેટ મોકલી આપ્યું હતુંશેરમાં રોકાણ કરવાના બહાને વડોદરામાં વૃદ્ધ સાથે ૨૯.૯૯ લાખની ઠગાઇ.રૂ. ૫ લાખ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તેના પર દરરોજ તમને ૧૦%થી ૧૫% પ્રોફિટ મળશે એવી લાલચ આપીને રૂપિયા પડાવ્યાં.વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય નિવૃત્ત સિનિયર સિટીઝને ઓનલાઇન શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચ આપીને ૨૯.૯૯ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાવી છે. માંજલપુરના માનવધર્મ આશ્રમ પાસે આવેલી સંધ્યા પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ કાંતિલાલ જાેષીને ગત ૧૬ મે ૨૦૨૫ના રોજ તેમના વોટ્સએપ પર મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનાર કંગના શર્મા નુવામા વેલ્થ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ છે અને બ્લોક ટ્રેડિંગ તથા ક્વાર્ટર પ્રોફિટ…

Read More

કાશ્મીરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચેમાઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાતહિમાચલનાં લાહોલનાં તાબોમાં માઇનસ ૭.૪ ડિગ્રી : ઓડિશામાં પણ તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયાસમગ્ર કાશ્મીરમાં તાપમાન સતત ઘટી રહ્યું હોવાની વચ્ચે મોટા ભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન શૂન્ય કે તેથી નીચે પહોંચી ગયું છે. શ્રીનગરમાં માઇનસ ૨.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ જાેવા મળી હતી તેમ હવામાન વિભાગના અધિકારીઓએ ઐેક નિવેદનમાં જણાવ્યું હતું.શ્રીનગરમાં બુધવારે લઘુતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછું રહ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓનાં જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરનાં કોકેરનાગમાં લઘુતમ તાપમાન ૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તેના સિવાય કાશ્મીર ખીણનાં અન્ય તમામ હવામાન…

Read More