Author: Garvi Gujarat

લાંબા સમયથી રાજસ્થાનની જેલમાં હતાં .વિક્રમ ભટ્ટ અને તેમનાં પત્નીને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન.વિક્રમ ભટ્ટ તરફથી એવી દલીલ કરાઈ હતી કે પોતે જેલની બહાર આવશે તો જ બાકીની ફિલ્મોના પ્રોજેક્ટ આગળ વધારી શકશે.ફિલ્મ સર્જક વિક્રમ ભટ્ટ તથા તેમનાં પત્ની શ્વેતામ્બરી ભટ્ટને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અપાયા છે. ચાર ફિલ્મ બનાવવા માટે ૩૦ કરોડ રુપિયા લીધા બાદ બે જ ફિલ્મો બનાવીને છેતરપિંડી કરવાનો તેમની સામે આરોપ હતો. પતિ-પત્ની બંને આશરે બે માસથી રાજસ્થાનનાં ઉદયપુરની જેલમાં હતાં. ઉદયપુરના એક ડોક્ટરે તેમનાં સ્વર્ગસ્થ પત્નીની બાયોપિક માટે વિક્રમ ભટ્ટને પૈસા આપ્યા હતા. બાદમાં વિક્રમ ભટ્ટ તથા તેમના વચ્ચે કુલ ચાર ફિલ્મો…

Read More

કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલીવુટનું એક સ્ટાર કપલ.આલિયાએ કેટરિનાના દિકરા માટે ખાસ ગિફ્ટ મોકલી.વિહાનને એક ક્યુટ ગિફ્ટ હેમ્પર મળ્યું, કેટરિના વિકીએ દિકરા વિહાનને મળેલી ગિફ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાે.બોલિવૂડનું સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ એક સ્ટાર કપલ છે. ગયા વર્ષે નવેમ્બરમાં તઓ માતા-પિતા બન્યાં છે અને તેમને દિકરાનો જન્મ થયો છે, જેનું નામ તેમણે વિહાન પાડ્યું છે. કેટરિના હાલ તેના દિકરા સાથે દિવસો માણી રહી છે, જ્યારે વિકી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ના શૂટમાં વ્યસ્ત છે. ત્યારે હવે આલિયાએ વિકી અને કેટરિનાના દિકરા વિહાન માટે એક ખાસ ગિફ્ટ મોકલી…

Read More

‘યુવા’ ફરીથી થિયેટર્સમાં રિલીઝ.“યુવા ફિલ્મ મારા દિલની બહુ નજીક” : અભિનેત્રી ઈશા દેઓલ.ફિલ્મ તમિલમાં ‘આયુથા એઝુથુ’ નામે યુવાની સાથે જ અલગ મુખ્ય કલાકારો સાથે બનાવવામાં આવી હતી.શહેરી યુવાનોની બેચેનીને પડદા પર ઉતારનાર ફિલ્મ ‘યુવા’ હવે બે દાયકાથી વધુ સમય પછી ફરીથી મોટા પડદા પર આવી રહી છે. ૨૦૦૪ની આ પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એટલે કે આજે પીવીઆર આઇનોક્સ સિનેમામાં ફરી રિલીઝ થઈ.આ અંગે ફિલ્મની એક્ટ્રેસ ઇશા દેઓલે એક વીડિયો પોસ્ટ કરીને રી-રિલીઝની જાહેરાત કરી અને ફિલ્મને તેના દિલની અત્યંત નજીક રહેલી ફિલ્મ ગણાવી હતી. તેણે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક મણી રત્નમ અને સહ-અભિનેતાઓ અજય દેવગણ, અભિષેક બચ્ચન અને…

Read More

ક્રૂડ તેલના વાયદામાં રૂ.86ની તેજીઃ સોનાના વાયદામાં રૂ.578 અને ચાંદીના વાયદામાં રૂ.1532નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.27315.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108621.74 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20201.08 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38390 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.135939.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27315.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.108621.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38390 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2026.22 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20201.08 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155132ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.157185 અને…

Read More

ધાર્મિક વિવાદમાં હવે સમાજવાદી પાર્ટી પણ કૂદી પડી બ્રજેશ પાઠકના હસ્તે બટુકોના સન્માનને શંકરાચાર્યે દેખાડો ગણાવ્યો અવિમુક્તેશ્વરાનંદનો પ્રહાર: પહેલા મારો છો, પછી ફૂલ ચઢાવો છો? વારાણસીમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક દ્વારા ૧૦૧ બટુકોના સન્માન કરવાના પગલા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર વિવાદ માઘ મેળામાં મૌની અમાસ દરમિયાન પોલીસકર્મીઓ દ્વારા વેદપાઠી બટુકોની શિખા (ચોટલી) ખેંચવા અને મારપીટ કરવાથી શરૂ થયો હતો. ડેપ્યુટી સીએમએ તાજેતરમાં આ ઘટનાને ‘પાપ‘ ગણાવી પોતાના નિવાસસ્થાને બટુકોનું સન્માન કર્યું હતું. જેને શંકરાચાર્યએ અપૂરતું અને વિરોધાભાસી ગણાવ્યું છે. તેમણે ન્યાય ન મળવા પર ૧૧ માર્ચે લખનઉ કૂચ કરવાની જાહેરાત કરી છે. સ્વામી…

Read More

2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરની પરિવહન વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી અનોખું જાહેર એક્ઝિબિશન ‘AmdavadNXT’ યોજવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી ત્રણ દિવસીય દરમિયાન રિવરફ્રન્ટ હાઉસ ખાતે સવારે 10.00 કલાકે યોજાશે. આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં જાહેર પરિવહનને મજબૂત બનાવી સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો-કેન્દ્રિત મોબિલિટી અંગે શહેરવ્યાપી ચર્ચા શરૂ કરવાનો છે. SHIFT Transport coalition હેઠળ AMC દ્વારા WRI India, TUL Foundation, UrbanVoices, aProCh, MYBYK તથા અન્ય સંસ્થાઓની ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 50થી વધુ સંસ્થાઓ, 35 શાળાઓ અને 18 યુનિવર્સિટીઓના સહયોગ સાથે યોજાનાર…

Read More

ફ્રાંસના મેક્રોને કરી અપીલ ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે ઈન્ડિયા AI સમિટ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વના મુદ્દે વૈશ્વિક સ્તરે ભારતનો સાથ માંગ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, ‘ફ્રાન્સ ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. ગ્રીસ, સ્પેન અને અન્ય યુરોપિયન દેશો પણ…

Read More

સ્કીઈંગ કરનારા ૯માંથી ૮ના મોત, ૧ હજુ ગુમ કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે ભયાનક હિમસ્ખલન સ્કીઅર્સનો એક સમૂહ જ્યારે પહાડ પર હતો, ત્યારે અચાનક હિમપ્રપાત થતા આખો સમૂહ તેની ઝપટેમાં ચડી ગયો હતો અમેરિકાના કેલિફોર્નિયામાં બરફીલા તોફાન અને હિમપ્રપાતે (એવલાન્ચ) ભારે તબાહી મચાવી છે. બુધવારે પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તાહો વિસ્તારના કેસલ પીક પર આવેલા ભીષણ હિમપ્રપાત બાદ લાપતા થયેલા નવ સ્કીઅર્સમાંથી આઠના મોત થયા છે. બચાવ ટુકડીઓએ તેમના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જેનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેવાડા કાઉન્ટીના શેરિફ શાનન મૂને આ દુર્ઘટનાની પુષ્ટિ…

Read More

ગુપ્ત દસ્તાવેજ એપસ્ટિનને આપ્યા હોવાનો આરોપ બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ કરાઇ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરી છે બ્રિટેનના કિંગ ચાર્લ્સo-IIIના નાના ભાઈ અને પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમનું નામ એમરીકન એપસ્ટિન ફાઈલમાં ઉછળ્યુ હતું. સાર્વજનિક પદના દુરુપયોગનો પણ આરોપ છે. જે બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુરુવારે બ્રિટિશ સ્પેશિયલ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરી છે. આજે જ એન્ડ્રૂઝનો ૬૬મો જન્મ દિવસ છે. પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ પર યૌન ઉત્પીડનના ગુનેગાર રહેલા જેફરી એપસ્ટિનને સરકારી દસ્તાવેજ આપવાનો…

Read More

તોડ્યો રોહિતનો વર્લ્ડ રેકોર્ડ T20I ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન બન્યો સૂર્યકુમાર યાદવ ૮૦.૮૫% ની જીત ટકાવારી સાથે સૂર્યા હવે T20I ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે, રોહિત શર્માને પાછળ છોડી દીધો T20I વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ T20I આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિતની નિવૃત્તિ પછી સૂર્યકુમાર યાદવને ભારતીય T20I ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સૂર્યાએ કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું, ટીમ ઈન્ડિયાને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં વિજય અપાવ્યો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા હાલમાં ૨૦૨૬ T20I વર્લ્ડ કપમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી રહી છે. ભારતે પોતાના અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં નેધરલેન્ડ્સને ૧૭ રનથી…

Read More