- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
Author: Garvi Gujarat
૬ મહિના સુધી છૂટ મળી.મરાઠી નહીં આવડતું હોય તો પણ મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ચલાવી શકશો.સરકારનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે જે ડ્રાઈવર બહારના રાજ્યોમાંથી આવે છે, તે સ્થાનિક યાત્રીઓ સાથે સારી રીતે સંવાદ કરી શકે.મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કામ કરી રહેલા ઓટો અને ટેક્સી ડ્રાઈવરો માટે ભાષા સંબંધિત નિયમોને લઈને એક મહત્ત્વની ઘોષણા કરી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસની સરકારે તમામ ડ્રાઈવરોને મરાઠી ભાષા શીખવા માટે ૬ મહિનાનો વધારાનો સમય આપ્યો છે. નવા દિશા નિર્દેશ અનુસાર, ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધી તમામ બિન મરાઠી ડ્રાઈવરોને પાયાની મરાઠી ભાષાનું જ્ઞાન હોવું જરુરી છે. આ રાહત ગાળાની સૌથી મોટી વાત એ છે કે આગામી ૧૫…
ભાજપની રાજ્યસભામાં સંખ્યા વધીને ૧૧૩ થઈ.છછઁને ઝટકો, ૭ બળવાખોર સાંસદોના વિલયને મંજૂરી.રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશન જારી કર્યું.આમ આદમી પાર્ટી છોડનાર રાજ્યસભાના ૭ સાંસદોને ભાજપમાં વિલય કરવાને મંજૂરી મળી ગઈ છે. આ સાથે ભાજપની રાજ્યસભા સાંસદોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ આ આંકડા પર પહોંચ્યું છે. તો આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો છે અને તેના ઉપલા ગૃહમાં હવે માત્ર ત્રણ સાંસદો વધ્યા છે. રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશન જારી કર્યું છે. તેમને ભાજપના સભ્યો ગણાવવામાં આવ્યા છે. હવે સંસદના ઉપલા ગૃહમાં…
અમદાવાદના મતગણતરી કેન્દ્ર પર થ્રી લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.અમદાવાદમાં મતગણતરી માટે ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પરિપૂર્ણ.અમદાવાદ ખાતે યોજાનાર મતગણતરી સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ પણ રહેશે જેનાથી આખા કમ્પાઉન્ડની સિક્યોરિટી પર નજર રાખવામાં આવશે.રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે ૧૧ નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે ૨૬મી એપ્રિલના રોજ મતદાન થયું હતું. જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. હવે આવતીકાલે એટલે ૨૮મી એપ્રિલના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તારીખ ૨૮મીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. શહેરના ૨૧ વોર્ડના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી માટે શહેરની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં કાળઝાળ ગરમી અને ફાટફાટ થતી મોંઘવારીના મારથી પીસાઈ રહેલી પ્રજા તેલ, ગેસ, દૂધ, અનાજ સહિતની જીવનજરૂરી ચીજોની સર્જાયેલી અછત અને વધેલા ભાવોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે એવા સમયે જ આવેલી સ્વાયત સંસ્થાઓ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કોનું પલ્લું ભારે કરે છે એ સમજવું જરા અઘરું છે. કારણકે આ ચૂંટણીમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા પડે તો નવાઈ નહીં. ઉપરાંત ઘરેલુ ચીજો ના વધેલા ભાવ વધારાની સાથે જ સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સત્તાપક્ષ સામે જે રીતે ઠેર-ઠેર વિરોધ જોવા મળ્યો ખાસ કરીને જે વિસ્તારો ભાજપના ગઢ સમાન છે તેવા વિસ્તારોમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજયમાં પૂરી થયેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની નગર પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભર ગરમીમાં પણ જ્યારે મતદારો એ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી છે ત્યારે જે પ્રમાણે ચોક્કસ સમાજના વિસ્તારોમાં થયેલા ઊંચા મતદાનથી કોને ફાયદો થશે? અને કોને નુકશાન થશે? એની ગણતરી સત્તાધારી પક્ષથી લઈને આમ આદમી અને કોંગ્રેસ પાર્ટીમાં પણ શરૂ થઈ ગઈ છે. આમ જોવા જઈએતો સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીઓ મૂળતો પાયાની જરૂરિયાતો ઉપર નિર્ભર છે. જેમકે ડ્રેનેજ(ગટર), પીવાનું પાણી, રોડ, રસ્તા, લાઇટ, શૌચાલય,ગેરકાયદે બાંધકામો વિગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને લડાવી જોઈએ. પરંતુ મૂળ મુદ્દાનું તો જાણે શાસક પક્ષે કાસળ કાઢયુ…
હાર્ડ કોપી વગર અનેક લોકો મતદાનથી વંચિત રહ્યા.ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો પર ભારે વિવાદ.મોબાઈલમાં દર્શાવેલા ડિજિટલ કાર્ડને અમાન્ય રાખતા અનેક મતદારોએ રોષ સાથે ઘરે પરત ફરવું પડ્યું હતું.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે કાળઝાળ ગરમી વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરીજનો ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચ્યા હતા, પરંતુ કેટલાક કેન્દ્રો પર ચૂંટણી કાર્ડની સોફ્ટ કોપી (ડિજિટલ કાર્ડ) ને લઈને વિવાદ સર્જાયો હતો. પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ મોબાઈલમાં દર્શાવેલા ડિજિટલ કાર્ડને અમાન્ય રાખતા અનેક મતદારોએ રોષ સાથે ઘરે પરત ફરવું પડ્યું હતું. શહેરના અનેક મતદાન મથકો પર એવા કિસ્સાઓ બન્યા જેમાં મતદારો પાસે ઓરિજિનલ મતદાન કાર્ડ કે…
વર્લ્ડ બેંકની ચેતવણી.૨૦૫૦ સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા ૭૦૦% વધશે.આજે જેટલા ગરીબો ગરમીથી પ્રભાવિત છે, તેના કરતા સાત ગણા વધુ લોકો ૨૦૫૦માં આ આગ ઓકતી ગરમીમાં શેકાશે.આજે દુનિયાના શહેરોમાં ગરમી એક સાઇલેન્ટ કિલરની જેમ ફેલાઈ રહી છે. ખાસ કરીને ગ્લોબલ સાઉથ એટલે કે ગરીબ દેશોના શહેરોમાં આ સમસ્યા ખૂબ જ ભયંકર બની ગઈ છે. ઝડપથી વધતા શહેરો, ઓછા સંસાધનો અને ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમી હવે રોજબરોજની જિંદગીને સીધી અસર કરી રહી છે, લોકો કામ કરી શકતા નથી. બાળકો શાળાએ જઈ શકતા નથી. બીમાર લોકો હોસ્પિટલ પહોંચી શકતા નથી. ગરમીથી વીજળીની માંગ એટલી વધી જાય છે કે સમગ્ર સિસ્ટમ…
સાઈ સુદર્શનના શાનદાર ૮૭ રન.ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, ચેન્નાઈને ૮ વિકેટથી હરાવ્યું.ચેન્નાઈ સુપર કિંગ્સે ૧૫૮ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાતે ૧૭મી ઓવરમાં ૧૬૨ રન બનાવી મેચ જીતી લીધી.આઈપીએલ ૨૦૨૬ની ૩૭મી મેચ આજે(૨૬ એપ્રિલ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૮ વિકેટથી હરાવી દીધું છે. ટોસ જીતીને ગુજરાતની ટીમે પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ધોની આ મેચમાં પણ રમી રહ્યો નથી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૫૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે ૧૭મી ઓવરમાં ૧૬૨ રન બનાવીને ૮…
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર.કેદારનાથ ધામમાં ૩ દિવસમાં ૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન.રાજ્ય સરકારે આ વખતે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે પહેલા કરતા વધુ વ્યાપક વ્યવસ્થાઓ કરી છે.હિમાલયનાી ગોદમાં વસેલા કેદારનાથ ધામમાં અત્યારે ભક્તિનું એવું પૂર ઉમટી રહ્યું છે જેવું કદાચ પહેલા ક્યારેય જાેવા મળ્યું નથી. કપાટ ખુલ્યાના માત્ર ૩ દિવસની અંદર આશરે ૧ લાખ ૧૦ હજાર શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. ‘ૐ નમ: શિવાય‘ ના જયઘોષથી ગુંજતું આ ધામ ફરી એકવાર આસ્થા અને આધ્યાત્મનું કેન્દ્ર બની ગયું છે. ચારધામ યાત્રાની શરૂઆત સાથે જ કેદારનાથમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. દેશના ખૂણે-ખૂણેથી અને વિદેશથી પણ…
પુત્ર જય શાહે પણ વોટિંગમાં લીધો ભાગ.અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રાજ્યભરમાં લોકશાહીના પર્વનો ઉલ્લાસ જાેવા મળી રહ્યો છે. વિવિધ શહેરો અને ગામોમાં મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચી રહ્યા છે અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વોર્ડમાં મતદાન કર્યુ છે. અમિત શાહ સાથે તેમના પત્ની અને પુત્ર અને આઈસીસી ચેરમેન જય શાહે પણ મતદાન કર્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકાર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



