Author: Garvi Gujarat

સરકારી શાળાઓ નવી ચાલુ થવાના બદલે બંધ થવી, શિક્ષકોની ઘટમાં સતત વધારો અને વર્ગખંડોની ગંભીર અછત સામે, આજે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા રાજકોટના કિસાનપરા ચોક ખાતે પ્રતિકાત્મક રીતે વિધ્યાર્થીઓ બની શિક્ષકો-વર્ગખંડની અછત દૂર કરવાની માંગ કરી, પ્લે કાર્ડ સાથે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેથી પોલીસ દ્વારા તમામની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. વિરોધ પ્રદર્શન દરમિયાન ASAP પ્રદેશ મહામંત્રી સુરજ બગડા દ્વારા જણાવવામાં આવ્યું કે, મળતી માહિતી મુજબ સરકારની ઉદાસીન નીતિઓને કારણે દેશમાં આશરે ૯૩,૦૦૦ જેટલી સરકારી શાળાઓને એક પછી એક બંધ કરવામાં આવી. આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત નુકસાનકારક…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભામાં પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, આજે મેં શિક્ષણ મંત્રીને કેટલાક ગંભીર સવાલો કર્યા હતા અને સરકાર તરફથી તેમના જવાબો મળ્યા હતા. નર્મદા અને દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લાઓમાંના એક જિલ્લામાંથી છે. આ જિલ્લાઓમાં શિક્ષણનું સ્તર ખરાબ હોવાથી આ જિલ્લાઓ પછાત રહી ગયા છે. તો મેં શિક્ષકો મુદ્દે સવાલ કર્યો હતો અને તેના જવાબમાં સરકાર તરફથી જોવા મળ્યો હતો કે નર્મદામાં 549 શિક્ષકોની ઘટ છે અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. ત્યારબાદ પેટા પ્રશ્નમાં અમે પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે તો જવાબ મળ્યો કે નર્મદા જિલ્લામાં 145…

Read More

AI ને ખુલ્લું આકાશ આપવું મહત્વપૂર્ણ છે : વડાપ્રધાન મોદી ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને ઝડપથી તેને અપનાવે પણ છે : મોદી “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં, પીએમ મોદીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે યુવા પેઢી ઝડપથી એઆઈ અપનાવી રહી છે, જે ગર્વની વાત છે. પીએમ મોદીએ ભારતને ટેક પ્રતિભાનું સૌથી મોટું કેન્દ્ર અને યુવા વસ્તી તરીકે વર્ણવ્યું. પીએમ મોદી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” ને સંબોધિત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ સિટીથી ઓળખાતા સુરત શહેર ઇન્ટરનેશનલ માર્કેટ છે. અને એ જ માર્કેટોમાંથી માલ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. અને ભારતના અનેક રાજયોમાં પણ વિવિધ ટેક્ષટાઇલ નો માલ વેચાણ અર્થે જતો હોય છે. જે એક એજન્સી અને આડતિયાઓ હસ્તક હોલસેલના વેપારીઓથી લઈને સેમી હોલસેલ સુધી પહોંચીને છૂટક ગ્રાહકો સુધી માર્કેટના નીતિ-નિયમો અને ધારા-ધોરણે વેચાણ થતું હોય છે. જે હોલસેલ વેપારીઓ એજ એજન્સીઓ અને આડતિયાઓ ઉપર કરોડો રૂપિયાનો માલ એમની વિશ્વસનિયતાને ધ્યાનમાં લઈ દેશના અન્ય રાજયો સહિત વિદેશોમાં જતો હતો. એ વિશ્વાસનો દૂરઉપયોગ કરીને એજન્સીઓ અને આડતિયાઓ એમના પોતાના નામે બિલો બનાવી વેચાણ લેનાર માલના વેપારીઓ…

Read More

ગુજરાતના રસોડામાં પહોંચતા સફેદ ઝેર અને પ્રાણીજ ચરબીના જીવલેણ કારોબારનો પુરાવા સાથે ખુલાસો કરવા અંગે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દૂધ જેવી પવિત્ર વસ્તુના નામે રાજ્યમાં ડબલ કૌભાંડ ચાલી રહ્યું છે. લાંબા સમયથી નકલી અને ભેળસેળયુક્ત દૂધનો કાળો બજાર ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ અને તેમની ટીમ આ સમગ્ર ઓપરેશનની પાછળ તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જૂનાગઢ નજીક આવેલ હનુમાન ખિજડિયા ગામથી લઈને અરવલ્લી જિલ્લાના બાયડ અને બાલાસિનોર સુધી દૂધના ટેન્કરો મારફતે…

Read More

ગઈકાલે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થયું હતું, ત્યારે ખેડૂતોને બજેટમાં ખાસ કોઈ રાહત પેકેજની જાહેરાત ના થતા અને અન્યાયની લાગણી અનુભવતા આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આજે ટ્રેક્ટર લઈને વિરોધ દર્શાવવા વિધાનસભા પહોંચ્યા હતા. ગતરોજ સરકારે જે બજેટ રજૂ કર્યું તેમાં ગામડા અને શહેરના બજેટમાં મોટો તફાવત છે તથા બજેટમાં ખેડૂતો માટે કોઈ ખાસ જોગવાઈ કરી નથી, તે મુદ્દાને લઈને ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈ વિધાનસભા પહોંચ્યા હતા અને અનોખી રીતે સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે પોલીસ વિભાગ દ્વારા તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને ટ્રેક્ટર લઈને અંદર ન જવા દેવામાં આવ્યા અને…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટમાં આદિવાસી છાત્રોને થયેલા ગંભીર અન્યાય મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું, એ મુદ્દે અમે થોડું એનાલિસિસ કર્યું, તેના વિશે આજે હું વાત કરવા માંગુ છું. ગુજરાતમાં આદિવાસી લોકોની 15% વસ્તી છે, એટલે કે 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો ગુજરાતમાં વસે છે. 15મી નવેમ્બરે દેડીયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ પાંચ વર્ષમાં ગુજરાતના આદિવાસી સમાજ માટે બે લાખ કરોડ ખર્ચ કરશે. છતાં બજેટમાં આદિવાસી સમુદાયને 5425 કરોડની રકમ ફાળવવામાં આવી. મેં વિધાનસભાના ગૃહમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સમક્ષ મેં…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટને ખેડૂતવિરોધી બજેટ ગણાવ્યું હતું. તેમણે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો વર્ષોથી કુદરતી આફતોના કારણે પીડાઈ રહ્યા છે. વારંવાર કુદરતી આફતોના કારણે તેમનો પાક નિષ્ફળ જાય છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને સરકાર પાસેથી અપેક્ષા હતી કે આ બજેટમાં પાકના રક્ષણ અને સહાય માટે કોઈ મોટી યોજના જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પાક વીમા યોજના ઘણા વર્ષોથી ચાલી રહી છે, છતાં ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી. તેથી સરકાર નવી અને અસરકારક યોજના લાવશે તેવી આશા હતી. પરંતુ હાલના બજેટમાં ખેડૂતોના પાકના રક્ષણ કે સીધી સહાય…

Read More

મધ્યસ્થી બનેલાં અમેરિકાએ મંત્રણાને અર્થસભર ગણાવી જિનીવામાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ઘટાડવાનો પ્રયાસ નિષ્ફળ વાટાઘાટોના પ્રથમ દિવસે રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલા કર્યા હતાં, જેમાં બે બાળકના મોત થયા હતા. અમેરિકાની મધ્યસ્થીમાં જિનવા ખાતે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો યોજાઈ હતી. આગામી સપ્તાહે રશિયા-યુક્રેન યુદ્ધના ચાર વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે વાટાઘાટો બાદ બંને દેશોએ કોઈ ફળદાયી પરિણામ મળવાની શક્યતા નકારી દીધી હતી. સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં યુક્રેન-રશિયા વચ્ચે વાટાઘાટોનો ત્રીજાે રાઉન્ડ યોજાયો હતો. અગાઉ અબુ ધાબી ખાતે બંને દેશના પ્રતિનિધિ મળ્યા હતા, પરંતુ તેમાં યુદ્ધ વિરામના સંકેત નહીં મળતા અમેરિકાની મધ્યસ્થીમાં ફરી એક વખત વાટાઘાટોનું આયોજન થયુ હતું. અગાઉ અબુ…

Read More

જેલમાંથી બહાર આવતા જ રાજપાલ યાદવની ભાવુક અપીલ ‘કામ આપો, પૈસા તમારે આપવા હોય એટલા આપજાે’ બાળકોથી લઈને વડીલો સુધી તમામે મને ભારતીય સિનેમામાં મારી સફરમાં પ્રેમ આપ્યો છે: રાજપાલ રાજપાલ યાદવ ૧૨ દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળતાં તિહાર જેલમાંથી બહાર આવી ગયા છે. દિલ્હી હાઈકોર્ટે તેમને ૯ કરોડના લોન કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા. ૧૭ ફેબ્રુઆરીના રોજ જેલમાંથી મુક્ત થયા પછી, રાજપાલે તેમના મુશ્કેલ સમયમાં તેઓને ટેકો આપનારા બધા લોકોનો આભાર માન્યો હતો. આ સાથે રાજપાલે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પાસે કામને લઈને ભાવુક અપીલ કરી છે.રાજપાલ યાદવે કહ્યું કે, ‘મારા માટે પ્રેમ અને લાગણી વ્યક્ત કરનારા તમામ ફેન્સનો આભાર…

Read More