- ચાંદખેડામાં બેકાબૂ BRTS બસ બિલ્ડિંગમાં ઘૂસી: મોટો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
- એવિએશન ઇંધણમાં મોટો ફેરફાર: હવે વિમાનોના ફ્યુઅલમાં ઈથેનોલ મિશ્રણને મંજૂરી
- ભાજપ નેતાનું વિવાદિત નિવેદન: ભારત-પાકિસ્તાન તુલના પર રાજકીય ઘમાસાણ, કોંગ્રેસનો આક્રોશ
- પીએનજીની માંગમાં ઉછાળો: માર્ચથી 5 લાખ નવા કનેક્શન, 5.68 લાખ અરજીઓ નોંધાઈ
- વૈષ્ણોદેવીમાં ચોંકાવનારો ખુલાસો: 95% ચાંદી નકલી, ભક્તોની આસ્થાને ઝટકો
- હોર્મુઝમાં તણાવ વચ્ચે જહાજ પર હુમલો, મુદ્રા પોર્ટ તરફ આવતા વહાણોને નિશાન બનાવાયા
- ઈરાક-સીરિયાનો મોટો નિર્ણય: હોર્મુઝને બદલે નવો જમીન માર્ગથી તેલ સપ્લાય શરૂ
- અભિષેક શર્માનો ધમાકો: T20માં 130+ રનનો નવો વર્લ્ડ રેકોર્ડ, ગેલ-ફિન્ચને પાછળ છોડ્યા
Author: Garvi Gujarat
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર ભારતમાં એલપીજી ગેસનું સંકટ ગંભીર બનતું જઈ રહ્યું છે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર સહિત દેશના અનેક શહેરોમાં ઔદ્યોગિક એકમો પર પણ તેની અસર જોવા મળી રહી છે. તેના કારણે કરોડો લોકોના જીવન પર ખરાબ અસર પડી રહી છે અને રોજગાર પર પણ અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે સરકાર આગોતરા આયોજન કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે આજે દેશના અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી વધી રહી છે. આ સમગ્ર મુદ્દાને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારે ખુશી સાથે જણાવવું છે કે વિધાનસભાના ગૃહમાં સમાજના એવા વર્ગ માટે અવાજ આવ્યો જેમનો અવાજ આજ સુધી વિધાનસભા પહોંચ્યો નથી. ભારત દેશ અને ગુજરાતમાં જ્યાં જેઓ એક ફુટ જમીનના પણ માલિક નથી, એવા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો એટલે કે દેવીપુજક સમાજ, વણઝારા સમાજ, મદારી, રાવળ વગેરે સમાજના લોકો. સરકાર પોતે માને છે કે આ વિચારતી અને વિમુક્ત જાતિ છે, જેઓ ભટકતું જીવન જીવે છે. જે લોકો પાસે પોતાની જમીન નથી હોતી તે ગામના છેવાડે સરકારી જમીન પર…
આજે શનિવાર એટલે કથાનો ક્રમ, પણ ચૈત્રીનાં પડઘમ વાગી રહ્યા છે. એટલે પહેલાં શક્તિ ઉપાસનાનાં દિવસો, પછી રામ નવમી, મહાવીર જયંતિ, હાટકેશ્વર જયંતિ, અને હનુમાન જયંતિ એટલે કથાનો ક્રમ જળવાઈ રહે નહીં. ચૈત્રીમાં વસંતનાં ચંચળ યૌવનનું હવે એક ગંભીરતા તરફ પ્રયાણ થઈ રહ્યું છે! એમ કહી શકાય. યુવાનીનાં ઉન્માદને જો યોગ્ય દિશા મળે, તો એ પરિણામદાઈ કાર્ય કરે, જે સર્વ જન હિતાય હોય, અને જો યોગ્ય દિશામાં તેનું પદાર્પણ થાય નહીં તો એ પતનનાં માર્ગે જાય, અને આગળ જતાં પોતાનું તથા અન્યનું પણ પતન કરી શકે, અને અન્યનાં અહિત કે પતનનું વિચારવું એ જ પાપ છે. આવતીકાલે ફાગણ વદ અગિયારસ…
પરીક્ષા આપવાથી બચવા વિદ્યાર્થીએ મેસેજ મોકલ્યો વિદ્યાર્થીએ જ મજાકમાં સ્કૂલને મોકલ્યો ધમકીભર્યો મેસેજ વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાના કેસમાં હાલ ચોંકાવનારો ખુલાસો થયો તાજેતરમાં ગુજરાતમાં બોમ્બથી સ્કૂલ, કોર્ટ અને પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીનો સિલસિયો યથાવત જાેવા મળી રહ્યો છે. ત્યારે આની વચ્ચે અઠવાડિયા અગાઉ વડોદરમાં એક સ્કૂલને મળેલી બોમ્બની ધમકીના મામલાની તપાસમાં હાલ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં ખુલ્યું છે કે, એકાદ સપ્તાહ વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયને મળેલી બોમ્બની ધમકી સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપી હતી, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરીક્ષા ન આપવી પડે તે માટે આ વિદ્યાર્થીએ મજાકમાં આ મેસેજ કર્યો હોવાનું પ્રાથમિક…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલ શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. માં મંડળીએ પીપલ્સ કો.ઓ બેન્કના મેનેજર જતિન નાયક ના રૂપિયા ૧૫ કરોડના ફ્રોડ કર્યાની ફરિયાદ ઓલપાડ પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ મંડળીમા ખાંડ સ્ટોક ૪ હજાર ૨૨ કવીન્ટલ હોય તેમ છતાં પીપલ્સ કો.ઓ બેન્કના મેનેજર ખોટી રીતે ફિઝિકલ વેરિફિકેશન, ખાંડનો જથ્થો ૫૯૪૦૨ કવીન્ટલ નો સ્ટોક બતાવી નેશનલ કો. ઓ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન (NCDC) માંથી તા.૨૨/૧૧/૨૦૨૩ ના રોજ ૯,૩૫,૯૫૦૦૦/- પુરા ની લોન મંડળીના ખાતામા મેળવી હતી. તેમજ તા.૧૯/૦૬/૨૦૨૩ ના રોજ ૨૩૮૦૦ કવીન્ટલ ખાંડના સ્ટોક ઉપર રૂપિયા ૬,૨૯,૨૯,૦૦૦/-…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત હવે ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ થઈ રહ્યું છે. સુરતની ભૂગોળ હવે બદલાઈ રહી છે. એનું કારણ વિકસતા સુરતમાં સમાવિષ્ટ થયેલા અને થતાં રહેતા ગામડાઓ એને કારણે સુરતની કાયાપલટ થઈ રહી છે એમ કહેવું ખોટું નથી. પરંતુ શરમની વાત એ છે કે સમાવિષ્ટ થતાં ગામડાઓ અને એમાં આવેલી ગૌચરની જમીનો ગામના જ વહીવટદારો ધ્વારા મોટા માથાઓને કે રાજકીય ઓથ ધરાવતા ખંધા બિલ્ડરોને જ્યારે વેચી મારવામાં આવે છે. ત્યારે હિન્દુ રાષ્ટ્રના ગાણા ગાતા કહેવાતા આ હિન્દુત્વના ઠેકેદારો અને એમને પીઠબળ પૂરું પાડતા ભ્રષ્ટ શાસકો માટે શરમ જનક બાબતથી વધુ શું હોઈ શકે? જ્યાં ગૌચરની જમીન વેચવી અને ગૌચરની…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા. અહીં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસ બે પ્રકારથી કામ કરે છે. પોલીસ બંધારણ પ્રમાણે કામ નથી કરતી. ભાજપના દલાલ બનીને કામ કરી રહી છે. પોલીસમાં કેટલાક લોકો ભાજપના દલાલ બની ગયા છે અને અધિકારીઓ માટે માત્ર ભાજપનો ખેસ પહેરવાનો બાકી રહ્યો છે,એવું લાગે છે. તમે જુઓ તો દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. ભાજપના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને પોલીસ મલાઇ ખાઇ રહ્યા છે. જનતા પીસાઈ રહી છે, નવયુવાનો નશામાં બરબાદ થઈ રહ્યા છે. કચ્છમાં ડ્રગ્સ બેફામ વેચાઇ રહ્યું છે. દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને એમાં…
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આજે આખા ભારત દેશ પર એલપીજી ગેસનું સંકટ વધુ ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. આજે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર સહિત અનેક શહેરોમાં ઔદ્યોગિક એકમો બંધ થઈ ગયા છે જેના કારણે કરોડોની સંખ્યામાં લોકોના જીવન પર ખરાબ અસર પડી રહી છે, લોકોની રોજગારી છીનવાઈ રહી છે. આવા સમયમાં દેખાઈ રહ્યું છે કે સરકાર આગોતરૂ આયોજન કરવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે આજે આખા દેશમાં ગેસ સિલિન્ડરની કાળા બજારી થઈ રહી છે. આ સમગ્ર મામલાને લઈને આજે આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર સંગઠન દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી…
એક મંત્રીએ મામુર શબ્દનો પ્રયોગ કર્યો હતો વિધાનસભામાં મોટા ભાગના ધારાસભ્યો એક શબ્દથી આશ્ચર્યમાં મુકાયા હતા ગુજરાત વિધાનસભામાં MLA શૈલેષ પરમારના પ્રશ્નમાં સરકારે જવાબ માટે મામુર એવો ઉલ્લેખ કર્યો હતો ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે એક એવો ગુજરાતી શબ્દ જાણવા મળ્યો, જે તમામ ધારાસભ્યો માટે નવો હતો, અને વિધાનસભામાં મોટા ભાગના ધારાસભ્યો એક શબ્દથી આશ્ચર્યમાં મુકાયા હતા. આજે એક મંત્રીએ મામુર શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેના બાદ કોંગ્રેસના ધારાસભ્યએ તેનો અર્થ પૂછતા મંત્રીએ તેનો જવાબ આપ્યો હતો. આમ, વિધાનસભાની કાર્યવાહી આ દરમિયાન રસપ્રદ બની રહી હતી. મામુર શબ્દનો મંત્રીના મુખે અર્થ સાંભળી સૌ આશ્ચર્યમાં મૂકાયા હતા. MLA શૈલેષ પરમારના પ્રશ્નમાં…
સવાણી બ્રધર્સના અનેક કાળા કાંડ ખૂલ્યાં અમેરિકામાં બે ગુજરાતી ભાઈઓએ કર્યું ૩૨ મિલિયન ડોલરનું હેલ્થકેર કૌભાંડ ભાસ્કર સવાણી અને અરુણ સવાણીને કરોડોના વીઝા તથા હેલ્થકેર કૌભાંડમાં દોષિત જાહેર કરાયા છે અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી ભાઈઓએ ૩૨ મિલિયન ડોલરનું હેલ્થકેર કૌભાંડ આચર્યુ હતું. જેની સામે અમરિકાની કોર્ટે તેમને દોષિત ગણીને ૪૧૫ વર્ષની જેલની લાંબામાં લાંબી સજા ફટકારવામાં આવી શકે છે. મૂળ ગુજરાતી સવાણી બ્રધર્સને મેડિકલ ફ્રોડ કરીને ડોલર કમાવવાના કેસમાં કોર્ટે આકરી સજા ફટકારી છે. અમેરિકાના પેન્સિલવેનિયામાં એક મોટા અને અનેક રાજ્યોમાં ફેલાયેલા હેલ્થકેર કૌભાંડના પર્દાફાશ થયો છે. જેમાં ભારતીય મૂળના અને ગુજરાતી સગા ભાઈઓ ૬૦ વર્ષીય ભાસ્કર સવાણી અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



