Author: Garvi Gujarat

આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એકદમ સજ્જ છે અને સાથે સાથે જ બીજી અન્ય પાર્ટીના ઈમાનદાર અને પ્રજાની સેવા કરવાની ભાવના સાથે રાજનીતિમાં જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે અમદાવાદ ખાતે આ કડીમાં બીજા મહત્વપૂર્ણ નામો જોડાયા છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીની આગેવાનીમાં ખૂબ જ મોટું જોઈનિંગ થયું હતું. એનસીપીના અમદાવાદ શહેર મહામંત્રી દિપક સોલંકી (દાણીલીમડા વોર્ડ), અમદાવાદ શહેર મહામંત્રી કેતન કંસારા (મણિનગર વિધાનસભા), એનસીપી અમદાવાદના ઉપપ્રમુખ નિલેશ પટેલ (ગાંધીનગર દક્ષિણ વિધાનસભા), અમદાવાદના ઉપપ્રમુખ નૈલેશ સોલંકી (ગાંધીનગર દક્ષિણ વિધાનસભા) અને અમદાવાદ શહેર ઉપપ્રમુખ કર્ણિક ઠક્કર (ઇસનપુર – વટવા AC) આજે…

Read More

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિસાવદર મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સામાન્ય જનતાને લોકશાહીના પવિત્ર મંદિરમાં પહોંચાડવાની અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાને આજે વિસાવદર મતવિસ્તારના વિવિધ ગામોના દેવીપૂજક સમાજના આગેવાનોને ગાંધીનગર આમંત્રિત કરી તેમને વિધાનસભા ગૃહની કાર્યવાહી નજીકથી જોવા અને લોકશાહી પ્રક્રિયાને સમજવાનો અવસર આપવામાં આવ્યો હતો. ગામડાના છેવાડાના વર્ગના લોકોને વિધાનસભા સુધી પહોંચાડવાની આ પહેલને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જણાવ્યા મુજબ કદાચ પહેલી વાર દેવીપૂજક સમાજના આટલા મોટા પ્રમાણમાં લોકો ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવ્યા છે. મને જણાવતા અત્યંત ખુશી થાય છે કે, મારા…

Read More

૨૩૫ કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે એપ્રિલમાં જ ઉપરના સ્ટ્રક્ચરને તોડવાનું કામ શરૂ થશે અમદાવાદના ટ્રાફિક માટે મહત્ત્વનો ગણાતો સુભાષ બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૩૫ કરોડ રૂપિયાના ખર્ચે નવો અને મોર્ડન બ્રિજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જાેખમી જાહેર કરી તોડી પાડવાનો ર્નિણય લેવાયો છે. જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં આ નવો પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય કોર્પોરેશનનું છે. મળતી માહિતી અનુસાર, આગામી પહેલી એપ્રિલથી ૧૫મી જૂન સુધીના અઢી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના ૩૦…

Read More

પુણેના વકીલે તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાવી ટી૨૦ વર્લ્ડ કપ જીત્યાની ઉજવણી હાર્દિક પંડ્યાએ ભૂલ કરી નાખી ઉજવણી દરમિયાન તિરંગો લપેટીને હાર્દિક ફરતો જાેવા મળ્યો, પોડિયમ પર ગર્લફ્રેન્ડ સાથે સૂતો જાેવા મળ્યો ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને શાનદાર જીત મેળવી અને ટ્રોફી જીતી. ખેલાડીઓએ મનમૂકીને ઉજવણી પણ કરી. પરંતુ ગુજ્જુ ખેલાડી હાર્દિક પંડ્યા ઉજવણીમાં એવી ભૂલ કરી બેઠો કે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. મહારાષ્ટ્રના પુણેના એક પોલીસ મથકમાં વકીલ વાજેદ ખાન બિડકરે આ મામલે હાર્દિક પંડ્યા વિરુદ્ધ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજના અપમાનની ફરિયાદ કરી છે…

Read More

ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધ્યા ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને ૩.૨૧% થયો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળ્યો જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર ૨.૭૫ ટકા હતો  પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય સંકટ અને વૈશ્વિક વેપારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જાેવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને ૩.૨૧ ટકા નોંધાયો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જાેખમ તોળાઈ રહ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર (CPI) ૨.૭૫ ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને ૩.૨૧ ટકા પર પહોંચ્યો છે. આ મોંઘવારી શહેરો…

Read More

ભોજનના ભાવ વધશે ગેસ સિલિન્ડરની તંગીથી ઉજ્જૈનમાં ભોજનાલય-રેસ્ટોરન્ટ માલિકો ટેન્શનમાં ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે થઈ રહેલા યુદ્ધની અસર હવે મહાકાલેશ્વરની નગરીમાં પણ દેખાવા લાગી છે વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલની નગરી જેને ધાર્મિક નગરીના નામથી પણ ઓળખવામાં આવે છે. રોજ અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જાે કે હાલમાં ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધના તણાવની અસર ઉજ્જૈનમાં પણ જાેવા મળી રહી છે. ઉજ્જૈનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય પ્રભાવિત થઈ ગઈ છે. તેની સીધી અસર મહાકાલ મંદિર વિસ્તારમાં આવેલી ૩૫૦થી વધારે રેસ્ટોરન્ટ અને ભોજનાલય પર પડી છે. આ જગ્યા પર માત્ર બે દિવસનો ગેસ બચ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક હોટલ માલિકો ભોજન…

Read More

ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો આવ્યા કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારીઓની બીજી પત્ની હોય તો તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી રાજ્ય સરકાર દ્વારા અધિકારી કર્મચારીના મેડિકલ બીલ માટે કુટુંબની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તબીબી સારવારના ખર્ચના હેતુ માટે હવેથીકુટુંબ‘ માં કોનો સમાવેશ થશે તેની સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારી કે કર્મચારી પોતે અને તેના પર ર્નિભર સભ્યોનો સમાવેશ કરાયો છે. જાે કે આ વ્યાખ્યામાં સગીર વયના જ સભ્યોનો સમાવેશ કરાયો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.…

Read More

બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો : રોહિત પવાર રોહિત પવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અજિત પવારના વિમાન દુર્ઘટના કેસ અંગે એક મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો મહારાષ્ટ્ર સરકારમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા રહેલા સ્વર્ગસ્થ અજિત પવારના પ્લેન અકસ્માતના કેસમાં ધારાસભ્ય રોહિત પવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા અને ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું કે, “હું ૨ દિવસ પછી એક મોટો ખુલાસો કરીશ.” પવારનું કહેવું છે કે રાહુલ ગાંધીએ…

Read More

તેનો હેતુ મંદિરોની પવિત્રતા જાળવવાનો છે ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓને પ્રવેશવા પર પ્રતિબંધ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા ઉત્તરાખંડના ૪૭ મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ ઉત્તરાખંડમાં તેના અધિકારક્ષેત્ર હેઠળના ૪૭ મંદિરોમાં બિન હિન્દુ કરનારાઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. આ ર્નિણય દેહરાદૂન સ્થિત મંદિર સમિતિના કાર્યાલયમાં મ્દ્ભ્ઝ્રના પ્રમુખ હેમંત દ્વિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી બજેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. અધ્યક્ષે જણાવ્યું હતું કે, સમિતિ ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ ર્નિણય ફક્ત સનાતન ધર્મનો દાવો કરનારાઓને જ ચારધામ મંદિરો…

Read More

ક્રૂડ તેલના વાયદામાં તેજીની આગેકૂચ સાથે ભાવમાં રૂ.350નો ઉછાળોઃ સોના-ચાંદીના વાયદામાં પણ વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.25132.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.130400.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12105.36 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40170 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.155534.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25132.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.130400.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40170 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5100.36 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12105.36 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.162799ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.162991 અને…

Read More