Author: garvigujrat

ખાણીપીણીજન્ય રોગચાળામાં ધરખમ વધારો : તાવનાં કેસો અંકુશમાં.શહેરમાં ૨૧ દિવસમાં ૫૯ જગ્યાએ પાણીમાં પ્રદૂષણ ભળી ગયાનો રિપોર્ટ.છેલ્લા ૨૧ દિવસમાં ૫૭૯૪ નમૂના લેવાયાં હતા, તેમાંથી ૫૯ નમૂના અનફીટ એટલે કે પાણી પીવાલાયક નથી તેવા રિપોર્ટ આવ્યા.સ્માર્ટ સિટીનાં દાવા કરતાં મ્યુનિ.તંત્રનાં શાસનમાં શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ૨૧ દિવસમાં ૫૯ જગ્યાએ પ્રદૂષિત પાણી પહોંચ્યું હોવાનાં ચોંકાવનારા રિપોર્ટ જાહેર થયાં છે.શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી કાળઝાળ ગરમી બાદ હાલ ગરમીનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં ઉકળાટ અને બાફ અનુભવતાં શહેરીજનો વધુને વધુ પાણીનો વપરાશ કરવા માટે ગેરકાયદે કનેકશન અને મોટર-પંપનો ઉપયોગ કરે છે. તદઉપરાંત શહેરી ગટર લાઇનોની સફાઇમાં ચાલતી લાલિયાવાડીનાં કારણે અને ગટર લાઇનોમાં ભંગાણ…

Read More

ખંભાતના પિપળોઇ ગામે.રૂપિયા ૬ હજારની લાંચ લેતા તલાટી અને ઓપરેટર ઝડપાયા.પેઢીનામું બનાવવા માટે ૧૦ હજારની લાંચની માંગ કરી હતી : આણંદ એસીબીના છટકામાં તલાટી વતી ઓપરેટરે લાંચની રકમ સ્વીકારી હતી.આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઇ ગ્રામ પંચાયત ખાતે આણંદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ટ્રેપ ગોઠવીને તલાટી અને VCE ઓપરેટરને રૂ.૬ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જેથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.ખંભાત તાલુકાના પિપળોઇ ગામે રહેતા એક ખેડૂતની વડીલોપાર્જિત જૂની શરતની ખેતીની જમીનમાં વારસદારોના નામ દાખલ કરવા માટે પેઢીનામાની જરૂરિયાત હતી. આ કામ માટે પીપળોઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહ દ્વારા વીસીઈ શૈલેષ રામભાઈ…

Read More

‘દેશને ડૉક્ટરોની જરૂર છે’.જીઝ્રએ મેડિકલ કોલેજાેની ઊંચી ફી વિરુદ્ધની અરજી ફગાવી.ર્સ્વનિભર સંસ્થાઓએ સરકાર સંચાલિત સંસ્થાઓ જેટલી જ ફી વસૂલવી જાેઈએ એવું કહી શકાય નહીં : એસસી.રાજસ્થાનની ખાનગી મેડિકલ કોલેજાેમાં ફી અતિશય ઊંચી હોવા અંગેની એક અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે આ દેશને ડૉક્ટરોની જરૂરિયાત છે. ર્સ્વનિભર સંસ્થાઓએ સરકાર સંચાલિત સંસ્થાઓ જેટલી જ ફી વસૂલવી જાેઈએ એવું કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ પાસે શિષ્યવૃત્તિ મેળવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ન્યાયમૂર્તિ બી વી નાગરત્ના અને જાેયમાલ્યા બાગચીની બનેલી ખંડપીઠે રાજસ્થાન હાઇકોર્ટના આદેશને પડકારી અરજીની સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટે એક મેડિકલ ઉમેદવારની અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં આરોપ…

Read More

વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા.માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું.ભારતીય નાગરિકો માટે વિઝા વગર એન્ટ્રી આપતા દેશોની સંખ્યા વધીને ૨૭ થઈ ગઈ છે, જે વર્ષ ૨૦૧૯માં માત્ર ૧૬ હતી.જાે તમે પાસપોર્ટને ભારતની નાગરિકતાનો પાકો પુરાવો સમજતા હો, તો વિદેશ મંત્રાલયનું આ તાજું નિવેદન ખાસ વાંચવા જેવું છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પાસપોર્ટ મુખ્ય રૂપે વિદેશ પ્રવાસ કરવા માટેનું એક માધ્યમ કે દસ્તાવેજ છે, તે નાગરિકતાનો આખરી પુરાવો નથી. મંત્રાલયે આંકડા જાહેર કરતા ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૫માં ૧.૫ કરોડથી વધુ પાસપોર્ટ અને તેને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં એકલા પાસપોર્ટની સંખ્યા…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં મોટાભાગની હોટલ- રેસ્ટોરન્ટોમાં ફ્રીમાં સ્વચ્છ પાણી આપવાનું જાણે કે બંધ કરી દેવાયું હોય એમ ફરજિયાત પણે ઠંડા પાણીની બોટલો બીલમાં એડ કરીને આપવામાં આવતી હોય છે. ત્યારે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેએ બુધવારે આદેશ બહાર પાડીને હોટલ-રેસ્ટોરન્ટ તથા ખાવા પીવાની આઈટમ વેચતા બધા જ ફૂડ જોઈન્ટસને કસ્ટમર્સ ને મફતમાં પીવાનું પાણી આપવા અને એ માટે કોઈ એકસ્ટ્રા ચાર્જ ન લેવા જણાવ્યું હતું. કસ્ટમર્સ પાસેથી પીવાના પાણીના અલગથી ચાર્જ વસૂલ કરવામાં આવતા હોવાની વાત ધ્યાનમાં લઈને આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આદેશમાં જણાવ્યું હતું કે “કસ્ટમર્સ ને સ્વચ્છ પીવાનું પાણી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પોલીસ ખાતું એટલે શિસ્તની સાંકળથી બંધાયેલુ ખાતુ. જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક રૂપાળું સૂત્ર વાંચવા મળશે ” MAY I HELP YOU” એટલે કે હું તમારી શું મદદ કરી શકું છું. એવું સૂત્ર વાસ્તવમાં કેટલું સાર્થક થઈ રહ્યું છે એ તો જે પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢે એને જ ખબર પડે. કારણ કે પોલીસ ઉપર પ્રજાને હવે વિશ્વાસ જ નથી. અને આને અનુરૂપ જ બિહારના સામાજિક કાર્યકર્તાના “બનાવટી એન્કાઉન્ટર” પર ભાજપે જ પોતાની સરકાર પણ નિશાન સાધી ને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફિક્સમાં મૂકી દીધા છે. આ મામલો છે બિહાર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં 26 વર્ષીય ભારત ભૂષણ તિવારીના…

Read More

૧૭૦૦ કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી.વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની થયાની આશંકા.આંખના પલકારામાં બહુમાળી ઇમારતોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘરો અને દુકાનોમાં રાખેલો સામાન રસ્તાઓ પર વિખરાઈ ગયો હતો.દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલો વિનાશક ભૂકંપ અત્યાર સુધીની સૌથી મોટી માનવ સર્જિત અને કુદરતી આફતોમાં ફેરવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અગાઉના અહેવાલો બાદ હવે યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે ારા એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ચેતવણી જારી કરવામાં આવી છે, જે મુજબ આ ભયાનક આપત્તિમાં મરણ જનારાઓનો આંકડો ૧૦,૦૦૦ (દસ હજાર) ને પાર થઈ શકે છે. રાજધાની કરાકસ સહિત દેશના અનેક ભાગોમાં ઇમારતો ધ્વસ્ત…

Read More

એક ઈન્ટવ્યુમાં અભિનેત્રી શ્રીયા સરને કહ્યું.બ્યુટી ટ્રેન્ડના નામે કોઈની નકલ બનવાને બદલે પોતાની ઓળખ બનાવો.સાડી માત્ર એક કપડું નથી, પરંતુ તેમાં પરંપરા, કળા અને એક કલાકારની મહેનત છુપાયેલી હોય છે. દરેક સાડી પોતાની એક અલગ કહાની કહે છે.સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં દરરોજ નવા ફેશન અને બ્યુટી ટ્રેન્ડ્સ શરૂ થાય છે અને ઝડપથી બદલાઈ જાય છે, ત્યાં શ્રીયા સરન માને છે કે વ્યક્તિએ પોતાની આગવી ઓળખ ગુમાવવી ન જાેઈએ. તેનાં મતે ફેશનનો અર્થ ટ્રેન્ડ્સને અનુસરવું નથી, પરંતુ પોતાનાં વ્યક્તિત્વને વ્યક્ત કરવાની એક રીત છે.તાજેતરમાં એક ખાસ ફોટોશૂટ દરમિયાન શ્રીયાએ પોતાની સ્ટાઇલ સેન્સ, ફેશન પ્રત્યેના અભિગમ અને ભારતીય હસ્તકલાપ્રત્યેના પ્રેમ અંગે વાત…

Read More

અક્ષયે કહ્યું, મને મારી જાતને થપ્પડ મારવાનું મન થતું હતું.એક્શન હીરોની ઇમેજમાં બંધાઈ જવું મારી સૌથી મોટી ભૂલ હતી : અક્ષય.૧૯૯૨માં આવેલી ફિલ્મ ખીલાડીની સફળતા બાદ અક્ષય કુમાર બોલિવૂડનો સૌથી લોકપ્રિય એક્શન સ્ટાર બની ગયો હતો.‘ખિલાડી’ તરીકે જાણીતા અક્ષય કુમારે પોતાની કારકિર્દીના શરૂઆતના વર્ષાે અંગે કબુલાત કરી છે કે લાંબા સમય સુધી માત્ર એક્શન ફિલ્મો કરવી તેની મોટી ભુલ હતી. અક્ષયે કહ્યું કે એક સમય એવો આવ્યો હતો જ્યારે પોતાની જ ફિલ્મો જાેઈને તેમને “પોતાને થપ્પડ મારવાનું મન થતું હતું.”હાલ અક્ષયની વેલકમ ટુ ધ જંગલ આવી રહી છે, ત્યારે પીટીઆઈ સાથેની વાતચીતમાં પોતાની કારકિર્દીનાં શરૂઆતનાં તબક્કાને યાદ કર્યાે હતો. તેણે…

Read More

સિક્વલમાં ૨૦ વર્ષ પછીની સ્ટોરી જાેવા મળશે.‘૩ ઈડિયટ્સ ૨’માં રેન્ચો, ફરહાન અને રાજુ લગ્ન પછી પિતા બની ગયા હશે.૨૦૦૯માં રિલીઝ થયેલી ૩ ઇડિયટ્સ લેખક ચેતન ભગતની નવલકથા ફાઇવ પોઇન્ટ સમવન પરથી પ્રેરિત હતી.હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક ૩ ઇડિયટ્સની સિક્વલને લઈને ચાહકોમાં લાંબા સમયથી ઉત્સુકતા હતી. હવે ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ સિક્વલ અંગે મહત્વની માહિતી આપતાં ખુલાસો કર્યાે છે કે વાર્તા ૨૦ વર્ષના ટાઈમ જમ્પ સાથે આગળ વધશે અને મૂળ ત્રણેય પાત્રો હવે લગ્નજીવન અને સંતાનો સાથે નવી જિંદગી જીવતાં જાેવા મળશે.એક ઇન્ટરવ્યુમાં રાજકુમાર હિરાનીએ જણાવ્યું કે ફિલ્મ હાલ લેખનના પ્રારંભિક તબક્કામાં છે. તેમણે કહ્યું, “હાલ હું સ્ક્રિપ્ટના શરૂઆતના…

Read More