- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
Author: Garvi Gujarat
જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં સાત અબજ ડોલરનો કરાર થયો જાપાન વિશ્વને ઘાતક શસ્ત્રો વેચશે: બીજા વિશ્વયુદ્ધ પછીની શાંતિની નીતિ ફગાવી દ્વિતીય વિશ્વયુદ્ધ અને હિરોશિમા-નાગાશાકી પરના પરમાણુ હુમલા બાદ જાપાને યુદ્ધથી દૂર રહેવાનો ર્નિણય કર્યાે હતો જાપાન દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પોતાની શાંતિવાદી નીતિ માટે જાણીતો દેશ હતો, પરંતુ હવે જાપાને એક ઐતિહાસિક અને મોટો ફેરફાર કર્યાે છે. વડાપ્રધાન સાને તાકાઈચીની કેબિનેટે ઘાતક હથિયારોની નિકાસ પર દાયકાઓથી લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આ ર્નિણય હેઠળ હવે જાપાન ફાઈટર જેટ, મિસાઈલ અને યુદ્ધજહાજ જેવા સંરક્ષણ ઉપકરણો અન્ય દેશોને વેચી શકશે.મંગળવારે ‘એક્સ’ પર પોસ્ટ કરતા વડાપ્રધાન તાકાઈચીએ જણાવ્યું હતું કે, હવે તમામ…
ડોનબાસમાં મોટી સફળતા યુક્રેનમાં ૧૭૦૦ ચોરસ કિમી વિસ્તાર પર કબ્જાે કર્યાનો રશિયાનો દાવો યુક્રેની કમાંડર ઓલેકસાંદ્ર સિસ્ર્કી મુજબ માર્ચ મહિનામાં અંદાજે ૫૦ વર્ગ કિમી વિસ્તાર ફરી પાછો મેળવવામાં આવ્યો છે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ મહિનાઓ પછી પણ અટકયું નથી. રશિયાએ એવો દાવો કર્યાે છે કે યુક્રેનમાં ૧૭૦૦ વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબ્જાે કર્યાે છે એટલું જ નહી ડોનબાસના મહત્વના ફ્રોટ્રેસ બેલ્ટ તરફ આગળ વધી રહયા છે. રશિયન સેનાના પ્રમુખ વલેરી ગેરાસિમોવ જણાવ્યું હતું કે વર્તમાન વર્ષની શરુઆતમાં ૮૦ વિસ્તારો અને ૧૭૦૦ વર્ગ કિલોમીટરથી વધુ વિસ્તાર રશિયન સેનાના કબ્જામાં આવી ગયો છે. રશિયાની સેના સ્લોવિયાન્સ્ક, ક્રામોતોર્સ્ક અને કોસ્ત્યાંનિવકા જેવા શહેરોની…
અમેરિકન રિપબ્લિકન સાંસદ નિક્કી હેલીનો દાવો ઇરાનના જપ્ત જહાજમાંથી ચીને મિસાઇલ માટે મોકલેલા કેમિકલ્સ મળ્યા જહાજમાંથી પકડાયેલા સાધનો ઔદ્યોગિક અને લશ્કરી બંને હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા છે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના રિપબ્લિકન પક્ષની ભારતીય મૂળની સાંસદ નિક્કી હેલીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યાે હતો કે હોર્મુઝની ખાડીમાંથી અમેરિકાએ જપ્ત કરેલા ઇરાન જતાં જહાજમાંથી ચીને મિસાઇલ માટે મોકલેલા કેમિકલ્સ મળી આવ્યા છે. અમેરિકાએ લાદેલી ઘેરાબંધીના લીધે ચીનથી ઇરાન જતું જહાજ જપ્ત કરવામાં આવ્યું હતું. નિક્કી હેલીના આ દાવાના પગલે સનસનાટી મચી ગઈ છે. નિક્કી હેલીએ જણાવ્યું હતું કે ઇરાન જતાં આ ચીનના જહાજને અમેરિકન નૌકાદળે કેટલીય ચેતવણીઓ આપી હોવા છતાં…
ઈરાનની સરકારમાં અંદરોઅંદર જ મતભેદ છે: અમેરિકાનો દાવો હારનાર પક્ષ શરતો કેવી રીતે મૂકી શકે?: અમેરિકાને ઈરાનનો જવાબ ઈરાનના આ આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે તેહરાન અત્યારે અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી અને પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર મડાગાંઠ સર્જાઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ એકતરફી રીતે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ઈરાને આ પ્રસ્તાવને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ઈરાનની સંસદના સ્પીકરના સલાહકાર મહેદી મોહમ્મદીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટ્રમ્પનું સીઝફાયર એક્સટેન્શન કોઈ અર્થ ધરાવતું નથી, કારણ કે હારનાર પક્ષ…
ઓગસ્ટમાં બે ફિલ્મોનો મુકાબલો થશે સની દેઓલ અને ઈમરાની હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે સની દેઓલની ફિલ્મનું ટાઈટલ બદલાઈને ‘બટવારા ૧૯૪૭ ‘ પણ થઈ શકે છે તેવા અહેવાલો છે આગામી ઓગસ્ટમાં સની દેઓલ અને ઈમરાન હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે. સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’ ૧૪મી ઓગસ્ટે રીલિઝ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. હવે ઈમરાન હાશ્મીની ‘આવારાપન ટુ’ પણ આ જ દિવસે રીલિઝ કરવાનું જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે સની દેઓલની ફિલ્મનું ટાઈટલ બદલાઈને ‘બટવારા ૧૯૪૭ ‘ પણ થઈ શકે છે તેવા અહેવાલો છે. બીજી તરફ ‘આવારાપન ટુ’ મૂળ આ મહિને જ રીલિઝ થવાની હતી પરંતુ કોઈ કારણોસર તે પાછી…
‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’ ૧ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે “મને ક્યારેય ફેશનમાં રસ હતો જ નહીં” : મેરિલ સ્ટ્રીપ મૂળ ફિલ્મ માત્ર બોક્સ ઑફિસ પર સફળ નહોતી રહી, પરંતુ તે તેના સમયની ફેશન બાઇબલ બની ગઈ હતી જેમ જેમ ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’ની રિલીઝ નજીક આવી રહી છે, તેમ તેમ ફિલ્મ માટે ઉત્સાહ વધતો જાય છે. વિશ્વભરના ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. રિલીઝ પહેલાના થોડા જ અઠવાડિયા બાકી છે અને ફિલ્મના પ્રમોશન તથા આંતરરાષ્ટ્રીય ટૂર પહેલાંથી જ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.તેમાં પણ સૌથી વધુ ચર્ચિત પળોમાંથી એક બોલિવૂડ અને હોલિવૂડ વચ્ચેનું એક…
આયુષ્યમાન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં રહેશે સૂરજ બરજાત્યાની ‘યે પ્રેમ મોલ લિયા’ ૨૭ નવેમ્બરે રિલીઝ થશે યે પ્રેમ મોલ લિયાને બરજાત્યાની અન્ય ફિલ્મો જેમ હોય છે, તે રીતે એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર તરીકે રજૂ કરવામાં આવી સૂરજ બરજાત્યાની ‘યે પ્રેમ મોલ લિયા’ જેમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે, તેની રિલીઝ ડેટ આખરે જાહેર થઈ ગઈ છે. સૂરજ બરજાત્યા દ્વારા ડિરેક્ટ થયેલી આ મ્યુઝિકલ ફેમિલી ડ્રામા આ વર્ષના નવેમ્બરમાં થિએટરમાં રિલીઝ થશે.યે પ્રેમ મોલ લિયાને બરજાત્યાની અન્ય ફિલ્મો જેમ હોય છે, તે રીતે એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેમાં બરજાત્યાની ફિલ્મોમાં…
કુબ્રાએ ઇન્ટરવ્યુમાં પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારની યાત્રા વિશે વાત કરી કુબ્રા સૈટે ADHD ને પોતાનું “સુપરપાવર” ગણાવ્યું પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણા લોકોને સ્પર્ષી ગઈ છે, અને માનસિક સ્વાસ્થ્ય તથા ન્યુરોડાયવર્સિટી વિશે ચર્ચા શરૂ થઈ છે કુબ્રા સૈટે અટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર સાથેના પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી છે અને આ મનોવૈજ્ઞાનિક સ્થિતિને મર્યાદા તરીકે નહીં પરંતુ પોતાની વ્યક્તિગત ઓળખનો મજબુત ભાગ ગણાવ્યો છે. તાજેતરમાં એક સોશિયલ મીડિયા વિડિયોમાં અભિનેત્રીએ વર્ષાે સુધીની થેરાપી અને સ્વ-જાગૃતિ દ્વારા પોતાના મનને સમજવાની સફર વિશે વાત કરી હતી.આ વીડિયો શેર કરતાં તેણે લખ્યું, “ગુડ મોર્નિંગ હ્યુમન્સપ હું ચોક્કસપણે એક સંપૂર્ણ કાર્યરત…
ભોજન બાદ અચાનક અફરાતફરીનો માહોલ દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ ઘટનાની જાણ થતા જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ અભલોડ દોડી આવી હતી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ એકસાથે ૪૦૦થી વધુ મહેમાનોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોમાં ઝાડા-ઊલટીની ફરિયાદ બાદ તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર, સોમવારે (૨૦મી એપ્રિલ) સાંજે ૬ વાગ્યે અભલોડ ગામે યોજાયેલા લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્ર થયા હતા. જાેકે, જમ્યાના થોડા જ સમયમાં અનેક લોકોને ગંભીર અસ્વસ્થતા…
ડિગ્રી સાથે નિયમ મુજબનો અનુભવ પણ એટલો જ અનિવાર્ય માત્ર ઉચ્ચ ડિગ્રી સરકારી નોકરી માટેની લાયકાત નથી : સુપ્રીમ કોર્ટ ભરતીના નક્કી કરેલા નિયમોને બદલીને પોતાની મરજી મુજબની લાયકાતને મહત્વ આપવું એ કાયદા વિરુદ્ધ છે સરકારી નોકરી માટે માત્ર ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી હોવી પૂરતી નથી તેવી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જાે ઉમેદવાર ભરતીના નિયમો મુજબ જરૂરી અનુભવ ના ધરાવતો હોય તો તે નોકરી માટે લાયક ગણાશે નહીં. જસ્ટિસ જે. કે. માહેશ્વરી અને જસ્ટિસ એ. એસ. ચંદુરકરની બેન્ચે હિમાચલ પ્રદેશ સ્કૂલ શિક્ષણ બોર્ડ દ્વારા કમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયરની પોસ્ટ માટે અપનાવવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં ખામીની નોંધ લેતાં સ્પષ્ટ કર્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



