
- ઈરાન: મીનાબ સ્કૂલ હુમલામાં 175 મોત, અમેરિકાના બે નૌસેનાના અધિકારીઓ પર આરોપ
- ભારત-ઈરાન વેપાર: તેલ સિવાય ઓર્ગેનિક કેમિકલ, ડ્રાયફ્રૂટ, બિટુમેન, ખનિજ, કાચ-લોખંડ માટે રૂપિયામાં લેવડદેવડ
- કેન્દ્ર: દેશના પેટ્રોલ પંપ પર પુરતો ઈંધણ સ્ટોક, પશ્ચિમ એશિયા થી 94,000 ટન LPG જહાજ આવી રહ્યા
- માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે.ફૂટ ઓફિસ ભાડે લીધી, 5 વર્ષમાં 2.81 કરોડ રૂપિયા ચૂકવાશે.
- ઈરાન-US-ઈઝરાયલ યુનિવર્સિટીઓ હમલાનો લક્ષ્ય, વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી જાય તેવી ચેતવણી
- Raipurમાં 19 લાખની આંતરરાષ્ટ્રીય સ્ટાઇલની ટ્રાવેલ એજન્સી છેતરપિંડી ખુલ્લી
- Iran-Israel-United States યુદ્ધ 30મા દિવસે ભીષણ: સતત હુમલાઓ વચ્ચે અંતના કોઈ સંકેત નહીં
- Donald Trump પર ઈરાનનો આક્ષેપ: શાંતિની આડમાં ગુપ્ત સૈન્ય હુમલાની તૈયારી, તણાવ વધ્યો
Author: Garvi Gujarat
રાજપાલ યાદવને મોટી રાહત મળી.અભિનેતા રાજપાલ યાદવનાં જામીન મંજૂર થઈ ગયા.હાઈકોર્ટે ૧૮ માર્ચ સુધી વચગાળાના જામીન કર્યા મંજૂર.રાજપાલ યાદવ વર્ષ ૨૦૧૨ માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જાેડાયેલ ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ હતો. ચેક બાઉન્સ કેસમાં ૧૨ ફેબ્રુઆરીનાં રોજ સુનવણી થઇ હતી, જેમાં માત્ર એક પક્ષની દલીલ સાંભળવામાં આવી હતી અને નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે એટલે કે ૧૬ ફેબ્રુઆરીએ ફરીથી જામીન અરજી પર સુનવણી થઇ અને જામીન મંજૂર કર્યાં. આ દરમિયાન અદાલતે રાજપાલ યાદવને નિર્દેશ કર્યો કે એ ફરિયાદીનાં ખાતામાં ૧.૫ કરોડ રૂપિયા જમા કરાવે. આ સાથે અભિનેતાએ આદેશ માન્યો અને ૩ વાગ્યા…
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા.આ લોકો રામ મંદિર અને કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા.ઉત્તર પ્રદેશ હવે ફિયર ઝોનમાંથી ફેથ ઝોનમાં બદલાઈ ગયું છે. હવે કર્ફ્યુ કલ્ચરનો નહીં, પણ ઝીરો ટોલરન્સનું કલ્ચર છે : યોગી આદિત્યનાથ.ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં સોમવારે રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પાછલી સરકારોએ ઉત્તર પ્રદેશને અરાજકતા અને અવ્યવસ્થાનો ગઢ બનાવી દીધો હતો, પરંતુ આજે ડબલ એન્જિન સરકારની સ્પષ્ટ નીતિ અને સુશાસનના કારણે રાજ્ય બીમારુ રાજ્યની શ્રેણીમાંથી બહાર આવીને બ્રેકથ્રૂ સ્ટેટ બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘૨૦૧૭ પહેલા રાજ્યમાં ગુંડાઓ…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગાંધીનગરમાં બજેટ સત્રના પ્રથમ દિવસે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સત્રની શરૂઆત માનનીય રાજ્યપાલના અભિભાષણથી થઈ અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વિસાવદર મત વિસ્તારના તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ખેડૂતોના મતથી તેમને આ ગૌરવશાળી વિધાનસભામાં બેસીને પોતાની વાત રજૂ કરવાનો અવસર મળ્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના લોકોના હિત માટે બોલવાની તક મળવી તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે. આજે વિધાનસભામાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ધીરજલાલ ફુલાભાઈ રીબડિયા અંગે શોક પ્રસ્તાવ રજૂ થયો હતો. તેઓ વિસાવદર ગામ પંચાયતના સરપંચ અને સભાપતિ…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને ધારાસભ્ય ચૈતર વસાવા બજેટ સત્રમાં ભાગ લેવા માટે વિધાનસભા પહોંચ્યા હતા. વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મિડિયા સાથે વાત કરતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાના દબાણમાં આવી એકતરફી ટ્રેડ ડીલ કરી છે, જેનાથી અમેરિકાને ફાયદો થશે, જ્યારે ભારતના, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને નાના-મધ્યમ વેપારીઓને નુકસાન થશે. તેમણે જણાવ્યું કે અમેરિકામાં ભારતથી નિકાસ થતી કેટલીક વસ્તુઓ પર આશરે 18 ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવે છે, જ્યારે તેના બદલામાં ભારત સરકારે અમેરિકાની ખેતીલક્ષી અને અન્ય…
સંતોમાં રોષ ફાટી નીકળ્યો.ભગવા કપડામાં કિર્તી પટેલે સાધુઓ વચ્ચે મૃગીકુંડમાં લગાવી ડૂબકી.મહાશિવરાત્રિના પવિત્ર મેળામાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની.જૂનાગઢ જિલ્લામાં આવેલ પવિત્ર ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન અવસર પર યોજાતા ભવ્ય મેળાના અંતિમ દિવસે એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ભૂતકાળમાં અનેક વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલવાસ ભોગવી ચૂકેલી કીર્તિ પટેલે શાહી સ્નાન દરમિયાન મૃગીકુંડમાં પ્રવેશ કરી વિવાદ ઊભો કર્યાે હતો. ઘટનાને પગલે સાધુ-સંતોમાં તેમજ ઉપસ્થિત ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે પરંપરાગત રવેડી પૂર્ણ થયા બાદ સાધુ-સંતો મૃગીકુંડ ખાતે શાહી સ્નાન માટે એકત્રિત થયા હતા. એ સમયે કીર્તિ પટેલ ભગવા…
ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન વધ્યું પણ ભાવ ઘટ્યા.ડીસા પંથકમાં બટાકામાં ભાવ ગગડતાં ખેડૂતો ચિંતિત.ગત વર્ષે ૨૪૦થી ૨૫૦ પ્રતિ ૨૦ કિલોના ભાવે વેચાતા હતા, આ વખતે ૧૦૦થી ૧૫૦ ભાવ.બનાસકાંઠા સહિત સમગ્ર ડીસા તાલુકામાં હાલમાં ખેતરોમાંથી બટાકા કાઢવાની શરૂઆત ખેડૂતોએ કરી દીધી છે. બટાકાનું ઉત્પાદન બમ્પર પ્રમાણમાં થતાં તમામ ખેતરોમાં ઉત્સવનો માહોલ છે પરંતુ બીજી બાજુ ખેડૂત જ્યારે બટાકા લઈ બજારમાં જાય છે ત્યારે પોષણક્ષમ ભાવ પણ મળી નથી રહ્યા નથી. આમ, ખેતરોમાં ઉત્સવ પણ બજારમાં મંદી જેવી સ્થિતિ ઊભી થઈ છે જે અંગે ખેડૂતો ચિંતા કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર ગત વર્ષે ૧.૩૧ લાખ હેક્ટર સામે ચાલુ સાલે ૧.૩૯…
લોકોએ બીએનપીની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો.ભારત સાથે બાંગ્લાદેશ નવેસરથી સંબંધો ઊભા કરવા માગે છે: રહેમાનના સલાહકાર.૨૦૨૪ના ઓગસ્ટમાં થયેલા બળવા પછી ભારત ભાગી આવેલા શેખ હસીનાને આતંકવાદી ગણાવ્યા હતાં.બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ના વડા તારીક રહેમાનના સલાહકાર હુમાયુ કબીરે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમનો અવામી લીગ પક્ષ હવે સત્તામાં નથી ત્યારે બાંગ્લાદેશ ભારત સાથે નવેસરથી સંબંધો સ્થાપિત કરવા માગે છે, પરંતુ બદલાયેલી આ વાસ્તવિકતાને સ્વીકારવાની જવાબદારી નવી દિલ્હી પર છે. બંને દેશોએ પરસ્પરના લાભ માટે સાથે મળીને કામ કરવું જાેઈએ.બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી ઐતિહાસિક સંસદીય ચૂંટણીમાં રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી નો બે તૃતીયાંશથી વધુ બહુમતી સાથે શાનદાર વિજય થયો…
પરમાણુ માળખાનો નાશ થવો જાેઈએ.અમેરિકા-ઈરાન વાતચીત કરે એ પહેલાં જ ઇઝરાયલે મૂકી શરત!.નેતન્યાહુએ અમેરિકન યહૂદી સંગઠનોના સંમેલનમાં જણાવ્યું કે, ઈરાન સાથેના કોઈપણ કરારમાં માત્ર સંવર્ધન રોકવું પૂરતું નથી.ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના કોઈપણ સંભવિત પરમાણુ કરારમાં ઈરાનના પરમાણુ માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવું અનિવાર્ય હોવું જાેઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, માત્ર યુરેનિયમ સંવર્ધન પ્રક્રિયાને અટકાવવી પૂરતી નથી, પરંતુ સંવર્ધનની મંજૂરી આપતા તમામ સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જડમૂળથી ખતમ કરવા જરૂરી છે.નેતન્યાહુએ અમેરિકન યહૂદી સંગઠનોના સંમેલનમાં જણાવ્યું કે, ઈરાન સાથેના કોઈપણ કરારમાં માત્ર સંવર્ધન રોકવું પૂરતું…
ભારત સાથે અમારું જબરદસ્ત ગઠબંધન :નેતન્યાહુ.નેતન્યાહુએ પ્રધાનમંત્રી મોદીના ઈઝરાયલ પ્રવાસની કરી જાહેરાત.વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળનો આ પ્રથમ ઇઝરાયલ પ્રવાસ છે. આ અગાઉ તેઓ ૯ વર્ષ પહેલા ૨૦૧૭માં ઇઝરાયલ ગયા હતા.ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ પહેલા ભારતની ભવ્ય પ્રશંસા કરતા બંને દેશો વચ્ચે ‘મજબૂત ગઠબંધન’ હોવાનું જણાવ્યું છે. ભારતની ૧.૫ અબજની વસ્તીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઇઝરાયલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. જેરૂસલેમમાં ‘મેજર અમેરિકન જ્યુઈશ ઓર્ગેનાઈઝેશન’ની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે નેતન્યાહુએ ભારતીય વડાપ્રધાનના આગામી સપ્તાહના ઇઝરાયલ પ્રવાસનો ઉલ્લેખ કર્યાે અને મોટા સ્તરે ચર્ચાઓ થવાના સંકેત આપ્યા હતા.નેતન્યાહુએ કહ્યું, ‘તમે જાણો છો કે આવતા અઠવાડિયે અહીં…
ફિલ્મના પ્રોડ્યુસર એક મેગા ઇવેન્ટમાં ફર્સ્ટ લૂક લોંચ કરશ.‘રામાયણ પાર્ટ ૧’નાં પાત્રોને રામ નવમી પ્રસંગે જાહેર કરાશે.ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા નિભાવતા રણબીર કપૂરે વ્યક્તિગત રીતે અનેક વિશિષ્ટ મહેમાનોને આમંત્રણ પાઠવ્યા હોવાનું જાણવા મળે છે.નમિત મલ્હોત્રા નિર્મિત ફિલ્મ ‘રામાયણ’ના તમામ પાત્રો અને તેની પાછળ કાર્યરત સમગ્ર ટીમનો સત્તાવાર પરિચય ૨૬ માર્ચ, ૨૦૨૬ના રોજ રામ નવમી નિમિત્તે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવશે.આ એક એવો ભવ્ય કાર્યક્રમ બશે, જેમાં રાજકારણ, મનોરંજન અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે. હાલ આ અંગે એવી ચર્ચા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે, તે નક્કી છે. તેમજ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



