- ટ્રમ્પની કડક ચેતવણી બાદ ઈરાનનો જવાબ, અમેરિકા કાર્યવાહી બંધ કરે ત્યાં સુધી વાતચીત નહીં
- મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું; પોલીસ એલર્ટ
- સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિરોધી ખેડૂત આંદોલન નવમા દિવસે, AAPએ લેખિત બાંહેધરીની માંગ કરી
- ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળાનો ભય, 7,000 સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાની માંગ
- સુરતમાં ખાડીઓ પરના ગેરકાયદે દબાણો અને ભ્રષ્ટાચારથી પૂર સમસ્યા વકરી, કાર્યવાહી કરવાની માંગ
- કપાસ ક્રાંતિ મિશન ખેડૂતો નહીં, ભાજપના મળતિયાઓને ફાયદો પહોંચાડવાની યોજના: AAPનો આક્ષેપ
- मुंबई के वरिष्ठ साहित्यकार डॉ. दिनेश प्रताप सिंह को लखनऊ में कृष्ण प्रताप सिंह स्मृति राष्ट्रीय सम्मान
- અમિત શાહના હસ્તે અમદાવાદમાં 1.25 કરોડ વૃક્ષારોપણ, ₹405 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Author: Garvi Gujarat
બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા ર્નિણય બંગાળની સ્કૂલોમાં વંદે માતરમ ગાવું પણ ફરજિયાત બંગાળ શિક્ષણ વિભાગે ૧૩ મેના રોજ જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે, આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરાયો છે પશ્ચિમ બંગાળની વર્તમાન સરકારે રાજ્યની શૈક્ષણિક પ્રણાલીમાં દેશભક્તિના રંગો પૂરવા માટે એક મહત્ત્વનો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સવારની પ્રાર્થના સભામાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત કરી દીધું છે. બંગાળ શિક્ષણ વિભાગે ૧૩ મેના રોજ જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે, આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરાયો છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું…
Xi Jinpingની Donald Trumpને તાઈવાન મુદ્દે ચેતવણી, અમેરિકા–ચીન બેઠકમાં તણાવ અને સહમતિ બંને જોવા મળ્યા
અમેરિકા-ચીનની બેઠકમાં જિનપિંગની ટ્રમ્પને ચેતવણી તાઇવાન મુદ્દે કોઈ ભૂલ થઈ તો સીધી ટક્કર થશે બંને પક્ષો એ વાત પર પણ સહમત હતા કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો હોવા જાેઈએ નહીં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસે છે. તેમણે આજે ગુરુવારે ચીની રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ત્યારબાદ જિનપિંગે ટ્રમ્પના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં શી જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકા મહાન રાષ્ટ્રો છે. ચીનનું પુનરુત્થાન હાંસલ કરવું અને અમેરિકાને ફરીથી મહાન બનાવવું સાથે-સાથે ચાલી શકે છે. બંને દેશોએ પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર બનવું જાેઈએ. બીજી તરફ ટ્રમ્પે પોતાના ભાષણમાં શી જિનપિંગને પોતાના મિત્ર…
CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત દિલ્હીમાં હવે અઠવાડિયામાં ૨ દિવસ “વર્ક ફ્રોમ હોમ” દર સોમવારે મંત્રીઓ અને અધિકારીઓ જાહેર પરિવહનનો ઉપયોગ કરશે : અધિકારીઓના પેટ્રોલ ક્વોટામાં ૨૦ ટકાનો કાપ મુકાયો વધતા જતા ઇંધણના વપરાશને ઘટાડવા અને પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ દિલ્હીની રેખા ગુપ્તા સરકારે એક ક્રાંતિકારી ર્નિણય લીધો છે. સરકાર દ્વારા ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ (WFH) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી સ્તરે અઠવાડિયામાં બે દિવસ ૧૦૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. જાેકે, ઈમરજન્સી અને આવશ્યક સેવાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. દિલ્હી સરકારની ઓફિસો…
ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલો ભારત સરકારનો આકરો પ્રતિસાદ, વ્યાપારી જહાજાે પર હુમલો અસ્વીકાર્ય જહાજ પર સવાર ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ પર ભયાનક હુમલો થયો છે. આ ઘટનાને પગલે ભારત સરકારે સખત શબ્દોમાં નિંદા કરતાં તેને અસ્વીકાર્ય ગણાવી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વ્યાપારી જહાજાે પર જાેવા મળી રહી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો મુજબ, ગુજરાતના દેવભૂમિ દ્વારકાના રહેવાસી સુલતાન અહેમદ અંસારની માલિકીનું કાર્ગો જહાજ MSV હાજી અલી ૧૩મેના રોજ ઓમાનની…
ઓમાનથી ભારત સુધી ગેસ પાઈપલાઈનનો પ્રસ્તાવ LPG ગેસ સપ્લાય માટે ભારતે બનાવ્યો ૪૦,૦૦૦ કરોડનો પ્લાન ભારતની યોજના ખાડી દેશોમાંથી ગેસનો અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવા સમુદ્રની નીચે સીધી પાઈપલાઈન બિછાવવાની છે મોદી સરકારે દેશની ઉર્જા સુરક્ષા માટે રૂ.૪૦,૦૦૦ કરોડના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ તેજ કરી દીધું છે. ભારતની યોજના ખાડી દેશોમાંથી ગેસનો અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવા માટે સમુદ્રની નીચે સીધી પાઈપલાઈન બિછાવવાની છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, ઓમાનથી ભારત સુધી ગેસ પાઈપલાઈનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ઓમાનથી ભારત સુધીના સૂચિત મિડિલ ઈસ્ટ ઈન્ડિયા ડીપ વોટર પાઈપલાઈન (MEIDP) પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે રૂ.૪૦,૦૦૦ કરોડ છે. આ પાઈપલાઈનની લંબાઈ ૨૦૦૦…
જવાનોને સોંપાઈ ખાસ જવાબદારી ફિલિપાઈન્સમાં સંસદ પરિસરમાં ફાયરિંગની ઘટનાથી નાસભાગ મનીલામાં સીનેટ ભવન પાસે ફાયરિંગ થતા ૧૨થી વધારે રાઉન્ડ ફાયરના અવાડ પડઘાયા હતા ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં આવેલા સંસદભવનની બાહર ફાયરિંગ થતા નાસભાગ મચી ગઈ હતી. મનીલામાં સીનેટ ભવન પાસે ફાયરિંગ થતા ૧૨થી વધારે રાઉન્ડ ફાયરના અવાડ પડઘાયા હતા. આ ઘટનાથી સમગ્ર મનીલામાં હડકંપ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીનેટ પરિસર પાસે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગના પગલે લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા અને જે તે રૂમમાં છૂપાઈને રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. સીનેટ અધ્યક્ષ પીટર કાયતાનોએ દાવો કરતા કહ્યું હતું કે, અહીંયા હુમલો થયો છે અને રાષ્ટ્રીય તપાસ…
ભારત સાથે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો બાંગ્લાદેશે ગંગા નદી પર ડેમ પ્રોજેક્ટનું કર્યું એલાન ભારતે ૧૯૭૫માં પશ્ચિમ બંગાળમાં બનાવેલા ફરક્કા બેરેજને કારણે બાંગ્લાદેશમાં સૂકી ઋતુમાં પાણીની અછત સર્જાય છે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે. બાંગ્લાદેશે પદ્મા નદી (જે ભારતમાં ગંગા તરીકે ઓળખાય છે) પર એક વિશાળ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનો મુખ્ય હેતુ ભારતના ફરક્કા બેરેજની અસરોને ઓછી કરવાનો છે.બાંગ્લાદેશમાં વડાપ્રધાન તારિક રહેમાનની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય આર્થિક પરિષદની કારોબારી સમિતિ એ પદ્મા નદી પર એક ભવ્ય ડેમ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત ૩૪,૪૯૭.૨૫ કરોડ ટકા (બાંગ્લાદેશી ચલણ)…
આવું પહેલાં કદી નથી બન્યું: અભિષેક ટ્રાફિક સિગ્નલ પર કોઈકે મને શંભૂરાજે કહીને પોકાર કર્યાે લોકો માટે ‘શંભૂ રાજે’નું પાત્ર ખૂબ જ મહત્વપુર્ણ ‘રાજા શિવાજી’માં અભિષેકે શંભૂ રાજેની ભૂમિકા નિભાવી છે અભિષેક બચ્ચન પોતાની કારકિર્દી દરમિયાન અનેક પાત્ર નિભાવી ચુકયા છે. પરંતુ તાજેતરમાં તેમણે નિભાવેલી એક ભૂમિકાના નામે તેમને રસ્તા બચ્ચે પોકાર કરીને બોલાવવામાં આવ્યા હતા. ટ્રાફિક સિગ્નલ પર આ ઘટના બની હતી. તાજેતરમાં અભિષેકે એક મુલાકાતમાં આ જાણકારી આપી હતી. અભિષેકે કહ્યું કે, થોડા દિવસ પહેલાં હું એક ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલો ઉભો હતો. કોઈકે મને શંભૂ રાજે કહીને પોકાર કર્યાે.ભૂતકાળમાં મારી સાથે આવું કઠી બન્યું નથી. આ ઘટના…
કાલે નહીં, કોઈ ખાસ સમયે નહીં, પરંતુ તેને અત્યારે જ કરો અમિતાભ બચ્ચને પોતાની સફળતાનો ગુરૂ મંત્ર શેર કર્યાે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, મિત્રો સાથે વધુ સમય વિતાવવો તમારા ફોકસમાં અવરોધ ઊભો કરે છે અમિતાભ બચ્ચને જીવન અને કામનાં નૈતિક નિયમો પર પોતાનો એક ગુરૂ મંત્ર શેર કર્યાે છે. તેમણે પોતાનાં બ્લોગ પર લખ્યું છે કે, ’જીવન અને કામ કરવાનાં નૈતિક નિયમો પર ખૂબ જ પ્રેરણાદાયક શબ્દો. બે શબ્દો. સિગ્નલ અને શોર. સિગ્નલ એટલે કે એકાગ્રતા. જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તમને એ જ કામ કરવાની પ્રેરણા મળે છે, જે કામ અત્યારે કરવાનું છે. થોડા દિવસોમાં નહીં, કાલે…
અક્ષયની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાના આરે અજય દેવગણ અને અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર ટકરાશે અજયની રેન્જર તથા અક્ષયની અનટાઈટલ્ડ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં એક જ તારીખે રજૂ થશે આગામી ડિસેમ્બરમાં અક્ષય કુમાર અને અજય દેવગણ બોક્સ ઓફિસ પર ટકરાય તેવી સંભાવના છે. અજય દેવગણની ‘રેન્જર’ ફિલ્મ તા. ચોથી ડિસેમ્બરે રીલિઝ થવાની છે. હવે અક્ષય કુમારની નવી ફિલ્મ પણ આ જ દિવસે રીલિઝ કરવાનું નક્કી કરાયું છે. અનીસ બાઝમીએ બનાવેલી આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી પરંતુ તેનું શૂટિંગ પૂર્ણતાને આરે છે. બહુ વહેલી તકે આ ફિલ્મનુ શીષક અને અને અન્ય બાબતો સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



