Author: Garvi Gujarat

સોવિયેત-અફઘાન યુદ્ધ વખતે પાક.ને અમેરિકાએ અબજાે ડોલરની સહાય કરી હતી ઈરાન યુદ્ધથી આર્થિક લાભ મેળવવાની પાકિસ્તાનની આશા ઠગારી નિવડી ૨૪ ડિસેમ્બર, ૧૯૭૯માં શરૂ થયેલાં સોવિયેત-અફઘાન યુદ્ધ વખતે અમેરિકાએ પાકિસ્તાનને પહેલાં ૪૦૦ મિલિયન ડોલરની ઓફર કરી હતી લાલો લાભ વગર ના લોટે..એ કહેવત પાકિસ્તાનને બરોબર બંધ બેસે છે. આજથી આશરે ચાર દાયકા અગાઉ સોવિયેત સંઘે અફઘાનિસ્તાન પર કરેલાં આક્રમણ દરમિયાન સોવિયેત સેના સામે લડવા અમેરિકાને પોતાના પ્રદેશો આપી પાકિસ્તાને અમેરિકા પાસેથી જંગી આર્થિક સહાય મેળવી હતી. હાલમાં ચાલી રહેલાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિદૂતની ભૂમિકા ભજવી રહેલા અને લગભગ નાદારીની અવસ્થામાં પહોંચેલાં પાકિસ્તાનને આ વખતે પણ આવી…

Read More

અરબી સમુદ્રમાં યુદ્ધ! ઈરાની જહાજ પર અમેરિકાના હુમલાનો લાઈવ વિડીયો વાયરલ અમેરિકાએ ઈરાની માલવાહક જહાજ પર હુમલો કરીને તેને કબજે કર્યું, હુમલાનો વિડીયો પણ શેર કર્યાે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. હોર્મુઝમાં નાકાબંધીનો ઉલ્લેખ કરીને, અમેરિકાએ ઈરાની માલવાહક જહાજ પર હુમલો કરીને તેને કબજે કરી લીધું છે. અમેરિકન સૈન્યએ આ કાર્યવાહીનો એક વિડીયો બહાર પાડ્યો છે, જેમાં હુમલા પહેલા જહાજના એન્જિન રૂમને ખાલી કરવાની ચેતવણી સંભળાય છે. ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાતચીત પહેલા થયેલા આ હુમલાથી તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા યુએસ ડિસ્ટ્રોયર પર ડ્રોન પણ છોડ્યા છે. યુએસ-ઈરાન વચ્ચે…

Read More

ખાડીયુદ્ધના લીધે યુએઈની નાણાકીય સ્થિતિ કથળી યુએઈની અમેરિકાનો ડોલર છોડીને યુઆનમાં કારોબારની ધમકી અમેરિકાની આક્રમક નીતિઓએ પ્રાદેશિક નાણાકીય સ્થિરતાને ભયમાં મૂકી હોવાનો યુએઈએ દાવો કર્યાે ઇરાન પર અમેરિકાના હુમલાની ઝાળ હવે યુએઈને પણ લાગી રહી છે. તેની ધીરજ હવે ખૂટવા આવી રહી છે. યુએઈએ આ યુદ્ધ માટે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. યુએઈએ ચતવણી આપી છે કે જાે યુદ્ધના લીધે અમેરિકન ડોલરની કમી અનુભવાઈ તો તે ઓઇલ-ગેસના વ્યવહાર ચીનના ચલણ યુઆન અને અન્ય ચલણમાં શરૂ કરી દેશે. યુએઈ અધિકારીઓએ પશ્ચિમ એશિયા (મધ્યપૂર્વ) અને ઇરાન વચ્ચે વધતા સંઘર્ષ માટે સ્પષ્ટપણે પ્રમુખ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. ધ વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ…

Read More

શિક્ષણ આપવું પવિત્ર મનાતું હવે માત્ર વ્યવસાય : હાઇકોર્ટ ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ માત્ર વેપાર બની ગયું : મદ્રાસ હાઇકોર્ટ સ્કૂલની સામે મેનેજમેન્ટની પોતાની હોસ્પિટલ છતા વિદ્યાર્થિનીને દાખલ ના કરાઇ, કેમ્પસમાં જ મોતથી હાઇકોર્ટ નારાજ દેશમાં શિક્ષણના વેપારીકરણ પર તમિલનાડુની મદ્રાસ હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી હતી, હાઇકોર્ટે કહ્યું હતું કે દેવી સરસ્વતી શિક્ષણનુ પ્રતિક માનવામાં આવે છે જાેકે આજકાલ શિક્ષણ માત્ર વેપાર બનીને રહી ગયું છે. એક સમયે આપણા દેશમાં શિક્ષણ આપવાનું કામ પવિત્ર માનવામાં આવતું હતું, પરંતુ આજકાલ હવે શિક્ષણ માત્ર લાભદાયક વ્યવસાય બનીને રહી ગયું છે. સાથે જ હાઇકોર્ટે કહ્યું હતું કે આજકાલ ગરીબ પીડિતો…

Read More

હાલ આ ટાઈટલના હક્ક ટી સીરિઝ પાસે છે અહાન-અનીતની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ મોહિત આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવી રહ્યો હોવાથી યશરાજે આ ટાઈટલ ટી સીરિઝ પાસેથી ખરીદવું પડે તેમ છે અનીત પડ્ડા તથા અહાન પાંડેની નવી ફિલ્મમાં ટાઈટલનું વિધ્ન આવ્યું છે. દિગ્દર્શક મોહિત સૂરી ફિલ્મની વાર્તા પ્રમાણે આ ફિલ્મનું ટાઈટલ ‘સતરંગા’ રાખવા માગે છે. પરંતુ, આ ટાઈટલ હાલ ટી સીરિઝ દ્વારા રજિસ્ટર્ડ કરાવાયેલું છે. મોહિત આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવી રહ્યો હોવાથી યશરાજે આ ટાઈટલ ટી સીરિઝ પાસેથી ખરીદવું પડે તેમ છે. પરંતુ, ટી સીરિઝ તે વેચવા તૈયાર થશે કે કેમ તે હાલના…

Read More

મિથિલા પાલકરે ખુલાસો કર્યાે કે “અમે ક્યારેય મળ્યા જ નથી!” કલ્યાણી પ્રિયદર્શને મને મળ્યા વગર જ ‘ભૂત બંગલા’ માટે મારું નામ સૂચવ્યું : મિથિલા અગાઉની ફિલ્મ ‘હેપી પટેલ ખતરનાક જાસૂસ’માં મિથિલાએ એવી છોકરીનું પાત્ર ભજવ્યું હતું જેને ડાન્સ આવડતો નથી મિથિલા પાલકરની કૅરિયરને મોટો બૂસ્ટ મળ્યો છે કારણ કે તેને પ્રિયદર્શનની ભવ્ય ફિલ્મ ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર, તબુ, વામિકા ગબ્બી સહિતના કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ છે. રિલીઝના એક અઠવાડિયા પહેલાં મિથિલાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ખુલાસો કર્યાે કે પ્રિયદર્શનની દીકરી કલ્યાણી પ્રિયદર્શને જ તેના નામ માટે ભલામણ કરી હતી.જ્યારે મિથિલાને પૂછવામાં આવ્યું કે…

Read More

ફિલ્મ કૉપિરાઇટ મુદ્દે કાનૂની વિવાદમાં પણ ફસાઈ ગઈ હેરા ફેરી ૩ હમણાં નહીં આવે ‘જ્યારે સમય આવશે ત્યારે’ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ ફરી એક વખત સાથે આવાના છે, પરંતુ શરૂઆતથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાતી રહી છે અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની હેરાફેરીની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ અંગે ઉત્સુકતા ચાલી રહી છે, લોકોને હૈવાન અને ભૂત બંગલા પછી આ ફિલ્મ રિલીઝ થશે એવી અપેક્ષા હતી. ત્યારે હવે આખરે અક્ષય કુમારે મૌન તોડ્યું છે, તેણે કહ્યું કે હજુ આ ફિલ્મ નજીકના ભવિષ્યમાં શરૂ થવાની નથી. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ…

Read More

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કાજલ મહેરિયાની પ્રથમ પ્રતિક્રિયા પરિવાર રાજી ન હોવાથી મેં મારી મરજીથી લગ્ન કર્યાકાજલ મહેરિયાએ વીડિયોના અંતમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે, હવે તે કોઈની વાહિયાત વાતોનો જવાબ નહીં આપે ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ તેના ગીતોના કારણે નહીં, પરંતુ તેના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા આ વિવાદ હવે પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો છે.કાજલ મહેરિયાએ ગત ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હોવાનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. આ લગ્નની જાણ થતાં…

Read More

સોનાના વાયદાના ભાવમાં રૂ.243 અને ચાંદીના વાયદામાં રૂ.1576ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.5 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.18599.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.318813.5 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12155.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37119 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.337413.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18599.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.318813.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 37119 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2446.6 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12155.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153800ના ભાવે ખૂલી, ઉપરમાં…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સર્વોચ્ચ અદાલતે ગયા અઠવાડિયે અવલોકન કર્યું કે જો મંદિરો અને “મઠ” કોઈ ધર્મમાં સંપ્રદાય અને અલગ સંપ્રદાયોના આધારે પ્રવેશ પર પ્રતિબંધ મૂકે તો હિન્દુ ધર્મ પર પ્રતિકૂળ અસર પડશે અને સમાજ વિભાજિત થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ સી.એમ. વૈધનાથનની રજૂઆતનો જવાબ આપતા આ મૌખિક અવલોકનો કર્યા હતા કે બંધારણની કલમ ૨૬ (બી) ધાર્મિક સંપ્રદાયને તેના પોતાના કામકાજનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. અને કલમ ૨૫(૨)(બી) પર પ્રાધાન્યતા ધરાવશે. જે રાજયને જાહેર પ્રકૃતિની તમામ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ખોલવાની સત્તા આપે છે. કેરળ ના ઐતિહાસિક સબરીમાલા મંદિરના ભગવાન અયપ્પાના ભક્તો…

Read More