
- ઈરાન: મીનાબ સ્કૂલ હુમલામાં 175 મોત, અમેરિકાના બે નૌસેનાના અધિકારીઓ પર આરોપ
- ભારત-ઈરાન વેપાર: તેલ સિવાય ઓર્ગેનિક કેમિકલ, ડ્રાયફ્રૂટ, બિટુમેન, ખનિજ, કાચ-લોખંડ માટે રૂપિયામાં લેવડદેવડ
- કેન્દ્ર: દેશના પેટ્રોલ પંપ પર પુરતો ઈંધણ સ્ટોક, પશ્ચિમ એશિયા થી 94,000 ટન LPG જહાજ આવી રહ્યા
- માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે.ફૂટ ઓફિસ ભાડે લીધી, 5 વર્ષમાં 2.81 કરોડ રૂપિયા ચૂકવાશે.
- ઈરાન-US-ઈઝરાયલ યુનિવર્સિટીઓ હમલાનો લક્ષ્ય, વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી જાય તેવી ચેતવણી
- Raipurમાં 19 લાખની આંતરરાષ્ટ્રીય સ્ટાઇલની ટ્રાવેલ એજન્સી છેતરપિંડી ખુલ્લી
- Iran-Israel-United States યુદ્ધ 30મા દિવસે ભીષણ: સતત હુમલાઓ વચ્ચે અંતના કોઈ સંકેત નહીં
- Donald Trump પર ઈરાનનો આક્ષેપ: શાંતિની આડમાં ગુપ્ત સૈન્ય હુમલાની તૈયારી, તણાવ વધ્યો
Author: Garvi Gujarat
બંને વચ્ચેનો વિવાદ વધુ લંબાયો.રણવીર સિંહે ફરહાન અખ્તરને ૪૦ કરોડ પરત કરવાની ઘસીને ના પાડી દીધી.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની ઘટના બનવી સાહજિક છે, અને ઘણા પ્રોડ્યુસરો અને એક્ટરો વચ્ચે આ પ્રકારનો વિવાદ થતો રહે છે.જાવેદ અખ્તરના પુત્ર, અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીની એક્સલ એન્ટરટેઇનમેન્ટદ્વારા રણવીરને ડોન-૩છોડવાથી આશરે ૪૦ કરોડનું નુકસાન થયું હતું જેથી તેઓએ આ રણવીરસિંઘને આ રકમ પરત કરવા વિનંતી કરી હતી, પરંતુ રણવીરસિંઘે આ રકમ પાછી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો, જેના પગલે વિવાદ વધુ લંબાયો છે. ડોન-૩માંથી રણવીરના બહાર નીકળી જવાથી કંપનીને ભારે નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાે કે…
નબળો એક્ટર કાર્તિક આર્યન તો નસીબના જાેરે ચાલે છે : પ્રશાંત.પ્રશાંત નારાયણ અને કાર્તિક આર્યન વચ્ચે કોલ્ડ વોર શરુ.મર્ડર ૨ અને ઘોસ્ટ જેવી ફિલ્મોથી ખ્યાતિ મેળવનાર અભિનેતા પ્રશાંત નારાયણને કાર્તિક આર્યનને “ખૂબ જ ખરાબ” અભિનેતા ગણાવ્યો.મર્ડર ૨ અને ઘોસ્ટ જેવી ફિલ્મોથી ખ્યાતિ મેળવનાર અભિનેતા પ્રશાંત નારાયણને કાર્તિક આર્યનને “ખૂબ જ ખરાબ” અભિનેતા ગણાવ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, નારાયણને કાર્તિક આર્યનની અભિનય કુશળતાની ટીકા કરી હતી અને દાવો કર્યાે હતો કે તે ફક્ત તેના નસીબ અને તેના માતાપિતાના આશીર્વાદને કારણે બોલિવૂડમાં ટકી શક્યો છે. પ્રશાંતે કહ્યું, “મને લાગે છે કે તે અહીંના સૌથી ખરાબ અભિનેતાઓમાંનો એક છે, પરંતુ તે ખૂબ જ…
વાઈરલ વીડિયો અને લોકોએ આપી પ્રતિક્રિયા.સલમાન ખાને રાજપાલ યાદવને જેલમાંથી છોડાવ્યો?.રાજપાલ યાદવે ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ૯ કરોડના ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.રાજપાલ યાદવ અને તિહાર જેલને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ભારે સનસનાટી મચાવી છે. વાઈરલ વીડિયોમાં રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવીને સલમાન ખાનનો આભાર માનતા દેખાય છે, જેના કારણે ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું સલમાન ખાને ખરેખર રાજપાલ યાદવની મદદ કરી છે? જાેકે, સત્ય કંઈક અલગ જ છે.સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં રાજપાલ યાદવ કહી રહ્યા છે કે, “સલમાન ભાઈ મોટા ભાઈ જેવા છે, તેમની સાથે બેસીને આજે અંદરથી ઘણી…
મહાશિવરાત્રીની અનોખી ઉજવણી બેરણા ધામમાં ૫૦ ફૂટ શિવજી પ્રતિમા સામે મહાજ્યોત પ્રજ્વલિતશિવરાત્રીના પાવન પ્રસંગે અને અન્ય દિવસોમાં પણ અહીંનો ભક્તિભાવ અને મેળાનો આનંદ જાેવા મળે છે સાબરકાંઠામાં આવેલ બેરણા ધામ જ્યાં અનેક દેવમંદિરો આવેલા છે. શિવરાત્રીના પાવન દિવસે ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા-અર્ચના કરવા ઉમટે છે. શિવરાત્રીના તહેવારને લઈ આજે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જાેવા મળ્યો છે. આ દિવસે ભગવાન શિવજીની આરાધના કરીને તેમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર છે. બેરણા ધામમાં સવા મણ રૂ અને ૫૦ કિલો ઘીથી મહાજ્યોત બનાવવામાં આવે છે. આ જ્યોત વિશ્વ શાંતિ માટે પ્રજ્વલિત કરાય છે. દર વર્ષે, આ મહાજ્યોતના દર્શન…
માસ્ટર માઈન્ડની ધરપકડ મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો સમગ્ર કેસમાં મૂળ રાજસ્થાનના અને ભુજમાં રહેતા ગુનાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે કચ્છના મુન્દ્રામાં ૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બારોઇ રોડ પર આવેલા રૂદ્રાક્ષ જ્વેલર્સમાં બંદૂકધારી શખસોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. સોનાના દાગીના લૂંટ કરતાં વેપારીએ હિંમત દાખવીને એક શખસને દબોચ્યો હતો અને પોલીસને હવાલો કર્યો હતો. પોલીસે આરોપીની રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં અનેક ખુલાસા થયા હતા. સમગ્ર કેસમાં મૂળ રાજસ્થાનના અને ભુજમાં રહેતા ગુનાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસ અનુસાર, મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા આવેલા ચાર શખસોમાંથી મૂળ મધ્યપ્રદેશના પંકજ શર્મા ઉર્ફે ધોલુ પંડિતની…
૮,૦૦૦ બેંક ખાતાઓ કર્યા ફ્રીઝ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બેનામી બેંક ખાતાઓના ઉપયોગ દ્વારા મની લોન્ડરિંગ અને સાયબર છેતરપિંડી ચલાવતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ખાતાઓનો ઉપયોગ આતંકવાદી ભંડોળ માટે પણ થતો હોવાની ગંભીર શંકા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આવા લગભગ ૮,૦૦૦ બેનામી બેંક ખાતાઓ ઓળખીને ફ્રીઝ કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ બેનામી ખાતાઓ આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગ માટે મહત્વપૂર્ણ સાધન બની ગયા હતા. મુખ્યત્વે આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડથી મળેલા નાણાંને…
માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ટીપુ સુલતાનનો ફોટો હટાવાયો માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું મહારાષ્ટ્રના માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીરને લઈને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું. આ વાત બહાર આવતા જ શહેરના અનેક સંગઠનો અને નેતાઓએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. વધતા દબાણ અને તણાવને જાેતા આખરે તંત્રએ પીછેહઠ કરવી પડી હતી અને તસવીર હટાવી દેવામાં આવી હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ, શિવસેના સહિત અનેક હિન્દુત્વવાદી સંગઠનો અને…
ભાદર નદીમાં વધતા કેમિકલ પ્રદૂષણ સામે આમ આદમી પાર્ટી દ્વારા “ભાદર બચાવો” અભિયાનને આજે બીજા દિવસ વધુ તેજ કરવામાં આવ્યું છે. કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ કોટડીયા છેલ્લા 6 દિવસથી અડીખમ ઉપવાસ પર બેઠા છે. તેમના આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભાદર નદીના કાંઠા વિસ્તારના પ્રદૂષણથી અસરગ્રસ્ત ગામોમાં પક્ષના યુવા નેતા અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાની આગેવાનીમાં આજે અભિયાનના બીજા દિવસે ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન અને જનસભાઓ યોજાઈ. આજે ઉમરકોટ અને વેગડી ગામમાં “ભાદર બચાવો” સભાઓ યોજાઈ હતી, જેમાં ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા, દિલીપ ભુવા,…
બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો ગિરનાર.મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપુર.ભક્તિ, ભજન અને સેવાભાવના માહોલ વચ્ચે સાધુ-સંતોના દર્શન, ભક્તો માટે ભોજન-પાણીની વ્યવસ્થા.જ્યાં શિવ અને જીવનું અનોખું મિલન થાય છે, તે ગરવા ગઢ ગિરનારની ગોદમાં લાખો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના જયકારો કરી રહ્યા છે. ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ પાંચ દિવસીય મહામેળોમાં આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું હતું. મિની કુંભ તરીકે ઓળખાતા મહાશિવરાત્રીના આ મહામેળામાં ભક્તિ, ભજન અને ભોજનનો અદ્ભુત સમન્વય જાેવા મળી રહ્યો હતો. ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હાથમાં ત્રિશૂલ, હોઠ પર હર હર મહાદેવનો નાદ અને હૃદયમાં અખંડ શ્રદ્ધા દરેક ક્ષણ ભક્તિથી ભીંજાઈ છે,…
લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું.ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી શકે નહીંે.અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે.ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ બાદ રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે ચાલી રહેલી તમામ અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર કોઈ પ્રતિબંધ લાગ્યો નથી. જર્મનીમાં આયોજિત ‘મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સ‘ દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના એક નિવેદને વૈશ્વિક સ્તરે ધ્યાન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



