
- ઈરાન: મીનાબ સ્કૂલ હુમલામાં 175 મોત, અમેરિકાના બે નૌસેનાના અધિકારીઓ પર આરોપ
- ભારત-ઈરાન વેપાર: તેલ સિવાય ઓર્ગેનિક કેમિકલ, ડ્રાયફ્રૂટ, બિટુમેન, ખનિજ, કાચ-લોખંડ માટે રૂપિયામાં લેવડદેવડ
- કેન્દ્ર: દેશના પેટ્રોલ પંપ પર પુરતો ઈંધણ સ્ટોક, પશ્ચિમ એશિયા થી 94,000 ટન LPG જહાજ આવી રહ્યા
- માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે.ફૂટ ઓફિસ ભાડે લીધી, 5 વર્ષમાં 2.81 કરોડ રૂપિયા ચૂકવાશે.
- ઈરાન-US-ઈઝરાયલ યુનિવર્સિટીઓ હમલાનો લક્ષ્ય, વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી જાય તેવી ચેતવણી
- Raipurમાં 19 લાખની આંતરરાષ્ટ્રીય સ્ટાઇલની ટ્રાવેલ એજન્સી છેતરપિંડી ખુલ્લી
- Iran-Israel-United States યુદ્ધ 30મા દિવસે ભીષણ: સતત હુમલાઓ વચ્ચે અંતના કોઈ સંકેત નહીં
- Donald Trump પર ઈરાનનો આક્ષેપ: શાંતિની આડમાં ગુપ્ત સૈન્ય હુમલાની તૈયારી, તણાવ વધ્યો
Author: Garvi Gujarat
ખામેનાઈએ મૂકી એક શરત!.ઈરાનની મોટી જાહેરાત, અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા તૈયાર.ઈરાને શરત રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા તૈયાર હોય.ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતીનો રસ્તો હવે ખોલી દીધો છે. તહેરાનનું કહેવું છે કે તે અમેરિકા સાથે સમજૂતીની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. જાે કે તે માટે ઈરાને એક શરત પણ રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા માટે તૈયાર હોય, ખાનગી ચેનલ સાથે વાત કરતાં ઈરાનના ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ કહ્યું કે કરાર કરવા માટેની ઈચ્છા માટેની જવાબદારી અમેરિકા પર છે.…
ભારત A મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું.ભારતની દીકરીઓ સામે પાકિસ્તાન ઘૂંટણીએ, ૧૧ ઓવરમાં જીતી મેચ.પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન A ટીમ ૯૩ રનમાં ઓલઆઉટ : ભારતે ૧૧મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.ભારત છ મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું. ACC મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૬ની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. બેંગકોકના ટેર્ડથાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત છ મહિલા ટીમે ૮ વિકેટથી વિજય મેળવ્યો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન છ મહિલા ટીમ ૧૯મી ઓવરમાં ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે ૧૧મી ઓવરમાં મેચ જીતી લીધી. ભારતીય ટીમ હવે ૧૭ ફેબ્રુઆરીના રોજ તેમની અંતિમ ગ્રુપ મેચમાં નેપાળનો સામનો કરશે. રાધા યાદવની આગેવાની હેઠળની ભારત છ ટીમે…
દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ.પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! .જમ્મુ અને કાશ્મીર સરકાર ચાર દાયકાથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટને પુનર્જીવિત કરી રહી છે.ઓપરેશન સિંદૂર બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. જેને લઈને પાકિસ્તાને અનેક પ્રતિક્રિયા આપી પરંતુ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ સંધિ શાંતિ માટે હતી. આમ, જાે પાકિસ્તાન શાંતિ સ્થાપવા ઈચ્છતુ નથી તો આ સંધિ પણ નહીં રહે. આ દરમિયાન ભારત પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે. જેમાં જમ્મુ અને કાશ્મીર સરકાર ચાર દાયકાથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટને પુનર્જીવિત કરી રહી છે. તેનો હેતુ ઝેલમ નદીના…
૩૮ દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા મોદી.રાજનીતિક સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો.વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ કરવું એ સરકારની ફરજ છે : વડાપ્રધાન.કેન્દ્રીય બજેટ અને અમેરિકા તથા યુરોપિયન યુનિયન સાથેના મહત્વની ટ્રેડ ડીલ (વેપાર કરાર) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ ને એક વિશેષ ઇન્ટરવ્યુ આપ્યો છે. આ બે મોટી ઘટનાઓ પછી કોઈ મીડિયા સાથે તેમણે કરેલી પહેલી મુલાકાત છે. વડાપ્રધાન મોદીએ આ ઇન્ટરવ્યુમાં ભારતીય અર્થતંત્ર અને સંરક્ષણ ક્ષેત્ર અંગે કેટલીક પાયાની વાતો અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત કેટલીક બાબતો મામલે સ્પષ્ટતા પણ કરી હતી. વિવિધ ડીલની શરતો પર પણ પ્રકાશ પાડ્યો હતો.…
ભારત-અમેરિકા ટ્રેડ ડિલ બાદ જયશંકરનું મોટું નિવેદન.ઓઈલ ક્યાંથી ખરીદવું એ અમે નક્કી કરીશું : વિદેશ મંત્રી જયશંકર.અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા બાદ દાવો કરવામાં આવતો હતો કે ભારત અમેરિકાના પ્રેશરમાં આવી ગયું છે અને હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. વિપક્ષ પણ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગી રહ્યું હતું. પણ વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલ્લીને કહી દીધું છે કે કોઈના પ્રેશરમાં અમે આવવાના નથી. મ્યૂનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં દિલ્હી ડિસાઈડ્સ વિષય પર ચર્ચા કરતા જયશંકરે સ્પષ્ટ કહી દીધું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે ઓઈલ ક્યાંથી ખરીદશે, તેનો ર્નિણય ખાલી ભારત કરશે. ભારતના નેશનલ ઇન્ટરેસ્ટમાં જે હશે, તેના આધાર પર…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમારે એક વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, ગતરાત્રે કોળી સમાજના આગેવાન અને મઢુલી ગામના કોળી સમાજના પ્રમુખ ધીરુભાઈના પરિવાર પર અમુક આવારા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી. આ હુમલાના વિડીયો પણ પરિવારને ઉતાર્યા છે. નેશનલ હાઇવે પર આવવાના તત્વો આવીને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ લઈને ખુલ્લેઆમ ધીરુભાઈ અને તેમના પરિવારની મહિલાઓને મારવાની કોશિશ કરે છે. આ પરિવાર એ હુમલાખોરોને ઓળખતા પણ નથી. માટે પરિવારનું માનવું છે કે આ હુમલાખોરોને કોઈએ સોપારી આપી હોય એવું લાગી રહ્યું છે. નેશનલ હાઈવે પર એક…
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં સુરતમાં કાર્યકર્તા સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે જ્યારથી આમ આદમી પાર્ટીએ સુરતમાં પગ મૂક્યો, ત્યારથી સુરત પર જીતની ડબલ જવાબદારી આવી ગઈ છે. આ આજની વાત નથી. સમગ્ર ગુજરાતમાં પહેલી સભા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં કરી હતી અને ત્યારથી સુરતના કાર્યકર્તાઓ સતત પોતાના અભિયાનને આગળ વધારતા રહ્યા છે. વિધાનસભા ક્ષેત્રોમાં ચહેરા બદલાયા, ઘણા લોકો સક્રિય બન્યા, કેટલાક નિષ્ક્રિય રહ્યા, છતાં સુરતે પોતાની જવાબદારી ક્યારેય છોડી નથી. તેમણે…
આમ આદમી પાર્ટીના ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ખોટી જાહેરાતો અને તાયફાઓ કરી ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર ગુજરાતની ભાજપ સરકારે ફરી એક વાર ખોટી જાહેરાત કરી ફરીથી એક નવો રેકોર્ડ બનાવવાનું કામ કર્યું. ગુજરાતમાં મોટાભાગે ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે ગુજરાતની ભાજપ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની અને 10,000 કરોડની સહાયની જાહેરાત કરી દીધી. પરંતુ વાસ્તવમાં ગુજરાતના અનેક ખેડૂતો આ સહાયથી વંચિત રહ્યા છે. વધુમાં AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, એનાથી પણ એનાથી પણ વધારે ચોંકાવનારી…
લગ્નની ખુશીઓ વચ્ચે બે પરિવારોમાં માતમ છવાયો સુરતમાં નવવધૂનું લગ્નના દિવસે રાતે ટાઇફોઇડથી મોત થયું દુલ્હન વેદી પટેલ એક અઠવાડિયાથી બીમાર હતી. તેને ટાઈફોઈડનું નિદાન થયું હતું હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી જન્મ અને મરણનો ખેલ ઉપરવાલાના હાથમાં હોય છે. મોતનો પડદો ક્યારે પડે તે કંઈ કહેવાય નહિ. ત્યારે સુરતની એક નવવધૂને લગ્નની રાતે જ મોત આવ્યું. જ્યાં સવારે લગ્નના ગીતો ગવાતા હતા, ત્યાં સાંજ ઢળતા જ માતમ છવાયું હતું. કેનેડાના યુવક સાથે સુરતની યુવતીના જે દિવસે લગ્ન હતા, તે જ દિવસે રાતે તેનું ટાઈફોઈડથી મોત નિપજ્યું હતુ. આ ઘટનાથી બે પરિવારો પર આભ તૂટી પડ્યું હતુ. વાત જાણે…
પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે બળાપો ઠાલવ્યો વડોદરા ક્રિકેટમાં સત્તાધિશોને સલામ કરનારાઓને જ કામ મળે છે ઈરફાન પઠાણે કહ્યું BCA નું સ્તર સતત નીચે જઈ રહ્યું છે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવનારી ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણે હાલની વ્યવસ્થા અને સત્તાધીશો સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નીચે જઈ રહ્યું છે અને ક્રિકેટના વિકાસ માટે તાત્કાલિક સુધારાની જરૂર છે. ઇરફાન પઠાણે કહ્યું કે BCA સાથે તેમની ઘણી યાદો જાેડાયેલી છે અને આજે તેઓ જે કંઈ છે તેમાં BCA નો મહત્વનો ફાળો છે. તેમણે કહ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



