- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
Author: Garvi Gujarat
CCTV ફૂટેજ બન્યું મહત્વપૂર્ણ પુરાવો દિલ્હીથી સુરતમાં હવાલા મારફતે કરોડો રૂપિયા આવ્યાની આશંકા છેલ્લા ચાર મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુની રકમ આંગડિયા નેટવર્ક મારફતે સુરતમાં પહોંચાડવામાં આવી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય ગરમાવો વધ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા હવાલા કાંડનો ભાંડાફોડ કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રાથમિક તપાસમાં દિલ્હીથી હવાલા મારફતે સુરતમાં કરોડો રૂપિયાની એન્ટ્રી થતી હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા ચાર મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુની રકમ આંગડિયા નેટવર્ક મારફતે સુરતમાં પહોંચાડવામાં આવી હતી. આ નાણાંનો ઉપયોગ શહેરમાં રાજકીય પ્રચાર, કાર્યકરોને સક્રિય કરવા…
Aadhaar App પર સરકારનો મોટો ર્નિણય સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો ભારત સરકારે દેશમાં વેચાતા તમામ સ્માર્ટફોન્સમાં આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાના પ્રસ્તાવને પડતો મૂક્યો ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ આ વર્ષની શરૂઆતમાં આઈટી મંત્રાલયને વિનંતી કરી હતી કે, તેઓ Apple, Google અને Samsung જેવી કંપનીઓ સાથે વાતચીત કરે.UIDAI નો ઉદ્દેશ્ય હતો કે, તમામ નવા સ્માર્ટફોનમાં આધાર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય. આનાથી સામાન્ય લોકો માટે બેંકિંગ અને ટેલિકોમ વેરિફિકેશન જેવી સેવાઓ સરળ બને. ડિજિટલ ઓળખની પહોંચ દરેક ભારતીય સુધી વધારી શકાય. અહેવાલ મુજબ, આઈટી મંત્રાલયે આ પ્રસ્તાવ પર સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ સાથે ગહન ચર્ચા કરી હતી. જાેકે,…
સામે આવ્યું ચોંકાવનારું કારણ ઈરાન દ્વારા ખામેનેઈની દફનવિધિ કરાઈ નથી એવું માનવામાં આવે છે કે ઈરાની અધિકારીઓ મોટા જાહેર કાર્યક્રમ સાથે જાેડાયેલા જાેખમોનું આંકલન કરી રહ્યા છે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં મોત થયું હતું, પરંતુ તેમના શરીરને ઈરાન તરફથી અત્યાર સુધી અંતિમ વિદાય આપવામાં આવી નથી. ઘણા અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ઈરાની અધિકારીઓએ તેમની અંતિમવિધિ અંગે ર્નિણય લીધો નથી. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના ઘણા અઠવાડિયા પછી પણ તેમને સુપુર્દ-એ-ખાક કરવા અંગે ર્નિણય લઈ શકાયો નથી. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ અધિકારીઓ આ માટે સુરક્ષા કારણો અને લોજિસ્ટિક પડકારોનો હવાલો આપી રહ્યા…
CSK ને મોટો ફટકો! ટીમ માટે સૌથી વધુ રન આયુષ મ્હાત્રેને ગંભીર ઈજા આયુષની મ્હાત્રેને હેમસ્ટ્રિંગ ટિયર છે : બેટિંગ કોચ હસી IPL 2026 માં ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) ટીમને મોટો ફટકો લાગ્યો છે. જેમાં સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીને ગંભીર ઈજા પહોંચી છે, જેની જાણકારી ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ આપી છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઈજાગ્રસ્ત હોવાના કારણે એકપણ મેચ રમી શક્યા નથી. જ્યારે હવે બેટર આયુષ મ્હાત્રે ઈજાગ્રસ્ત થતાં ટીમનું ટેન્શન વધ્યું છે. ચેન્નઈની છેલ્લી મેચ ગત ૧૮ એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઈ હતી. આ મેચ દરમિયાન આયુષ બેટિંગ કરતી વખતે પીડામાં હોવાનું જણાયું હતું. તેણે…
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું હતું ફાયરિંગ અંધાધૂંધ ફાયરિંગ છતાં “દેશ ગરીમા” હોર્મુઝમાંથી સુરક્ષિત થયું પસાર ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધું છે, પરંતુ અત્યાર સુધીમાં ૧૦ ભારતીય જહાજાે ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની પ્રક્રિયા દરમિયાન, એક ભારતીય ધ્વજવંદન તેલ ટેન્કર સફળતાપૂર્વક મહત્વપૂર્ણ જળમાર્ગ પાર કરી ગયું, જ્યારે ઓછામાં ઓછા ચાર અન્ય જહાજાે પાછા ફર્યા. શિપ મોનિટરિંગ ડેટા અનુસાર, “દેશ ગરીમા” નામનું તેલ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SCI) ની માલિકીનું આ ટેન્કર, માર્ચની શરૂઆતથી આ રૂટ પર પહોંચનાર ૧૦મું ભારતીય ધ્વજવંદન જહાજ છે. મરીનટ્રાફિક અનુસાર, શનિવાર સાંજ…
બંગાળમાં ચૂંટણી પહેલા ભાજપનો દાવ પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર ભારત અને બાંગ્લાદેશ પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે ભારત સરકારે દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં પોતાના નવા હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે અને બંને દેશો પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દિનેશ ત્રિવેદીની આ નિમણૂક રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના રાજકારણને…
દિલ્હીની તીસ હજારી કોર્ટનો ૨૬ વર્ષ બાદ ન્યાય કોર્ટે CBI ના જાેઈન્ટ ડાયરેક્ટર અને DP ના નિવૃત્ત ACP ને જાહેર કર્યા દોષિત બંને મારપીટ, ગુનાહિત અતિક્રમણ કેસમાં દોષિત દિલ્હીની તીસ હજારી કોર્ટે ૨૬ વર્ષ પછી બે મોટા અધિકારીઓને એક મામલામાં દોષિત ઠેરવ્યા છે. તેમાં સીબીઆઈના વર્તમાન જાેઈન્ટ ડિરેક્ટર અને દિલ્હી પોલીસના નિવૃત્ત એસીપી સામે છે. બંનેને હુમલો, ગુનાહિત અતિક્રમણ સહિતના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે સજા પર દલીલો સાંભળવા માટે ૨૭ એપ્રિલના રોજ કેસની સુનાવણી નક્કી કરી છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા સત્તાના દુરુપયોગ સંબંધિત એક મહત્વપૂર્ણ ર્નિણયમાં તીસ હજારી કોર્ટે શનિવારે સીબીઆઈના વર્તમાન સંયુક્ત નિર્દેશક અને દિલ્હી પોલીસના…
“થેન્ક્યુ બેટા, તેં મને ભાવુક કરી દીધો” બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન ઇમોશનલ થયા વડાપ્રધાન મોદી નાનો બાળક પોતાની સાથે વડાપ્રધાન અને તેમની માતાની તસવીર લઈને આવ્યો હતો : માતાની તસવીર જાેઈને તેઓ ભાવુક થઈ ગયા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી નજીક છે. એવામાં રાજકીય પક્ષોની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા આજે પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. તેમણે પુરુલિયામાં જનમેદનીને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી ભાવુક જાેવા મળ્યા હતા. પીએમ મોદીએ પુરુલિયામાં પોતાનું ચૂંટણી ભાષણ રોકીને એક નાના બાળક સાથે વાત કરી હતી. મીડિયાને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં બાળક અને તેની માતાએ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણામાં કહેવાય છે કે “નેકી કર દરીયા મે ડાલ” અર્થાત કોઈ પણ પશુ, પક્ષી કે ગરીબ ગુરબા માનવીને તમે મદદ કરો અને એનું કોઈ અભિમાન કે વળતર ની કોઈ અપેક્ષા ના રાખો તો એ જ સાચું દાન કહેવાય છે. અર્થાત એ નિ:સ્વાર્થ સેવા કહેવાય અને એ નિ: સ્વાર્થ સેવાથી કરેલા કર્મ ના કારણે ભલભલા પાષાણ (પથ્થર દિલ) હ્રદયના માનવી ને પણ નમ્ર બનાવી તમારી સાથે એક આત્મીતા નો નાતો બાંધવા એ મજબૂર બને છે. પછી ભલે એ ખૂંખાર જંગલી જાનવર પણ કેમ ના હોય? અહીં એક એવા જ કિસ્સાનિ વાત છે જ્યાં રોજ વાંદરાને ખાવાનું ખવડાવતી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શહેર અને એની આજુબાજુના વિસ્તારોમાં ઊભા થતાં અને થઈ ગયેલા પ્રોજેકટોમાં ધરમ-વીરૂ ની જુગલ જોડી એવી પ્રોપર્ટી-બ્રોકરોની જુગલ જોડી જેવી રીતે ધરમ-વીરૂ બુલેટ ગાડી ઉપર એમની મિત્રતાનો અહેસાસ કરાવતા હતા એવા જ અહેસાસ કરાવતી આ પ્રોપર્ટી-બ્રોકરોની જુગલ જોડી માર્કેટોના પ્રોજેકટો જે સારોલી થી લઈને ગોડાદરા, રિંગરોડ ઉપરની માર્કેટો જે બિલ્ડરો ધ્વારા બનાવવામાં આવતા પ્રોજેકટો ઘણા લાંબા સમયથી કામો પૂર્ણ થયા નથી અને ઘણી બધી માર્કેટો જે ઘણા લાંબા સમયથી ખંડેર હાલતમાં છે. એ પૂરા થવાના પણ નથી. એવા પ્રોજેકટોમાં બ્રોકરોના માધ્યમ થી બુકિંગના સમયે જરૂરિયાત મંદોને દુકાન કે ગોડાઉન માટે ૩૦%-૪૦% પેમેન્ટ આપી બુક કરાવેલા એ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



