Author: garvigujrat

૨૦૦૨માં કેસ ફાઈલ કરાયો હતો UK માં છૂટાછેડાના ૨૩ વર્ષ જૂના કેસમાં ગુજરાતી મહિલાને ૮૫ કરોડ મળશે છૂટાછેડાના કેસની કાર્યવાહી દરમિયાન પતિ ભદ્રેશ ગોહિલે પોતાની કરોડોની સંપત્તિની વિગતો છુપાવી હતી ૨૩ વર્ષ જૂના છૂટાછેડાના કેસમાં યુનાઈટેડ કિંગડમની એક અદાલતે મૂળ ગુજરાતી મહિલાની તરફેણમાં ચુકાદો આપી, મહિલાના પતિને ૬.૬ મિલિયન પાઉન્ડ (આશરે રૂ. ૮૫ કરોડ) ચૂકવવાનો આદેશ આપ્યો છે. યુકેની કોર્ટ ઓફ અપીલે, વર્ષા ગોહિલ નામની આ મહિલાની તરફેણમાં આપેલાં હાઈકોર્ટના ચુકાદાને બહાલ રાખતાં ૨૩ વર્ષથી ચાલી રહેલાં કેસનો અંત આવ્યો હતો. છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન પતિએ તેની પૂરે પૂરી સંપત્તિનો ખુલાસો નહીં કર્યાે હોવાના પુરાવા મળ્યાં બાદ ૨૦૦૨માં ફાઈલ કરાયેલાં આ…

Read More

ચિનાબ-બિયાસ નદી પર ભારતના પ્રોજેક્ટની પાકિસ્તાની કરેલી ટીકાને ફગાવી દીધી સીમાપારનો આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને સ્વિસ રાજદૂત અથવા અન્ય કોઈ પણ રાજદૂત ત્યાં મુલાકાત લઈ શકે છે ચિનાબ અને બિયાસ નદી પર બે પ્રોજેક્ટની પાકિસ્તાનને કરેલી ટીકાને ફગાવી દેતા ભારતે શુક્રવારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણપણે સીમાપારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે.ચિનાબ-બિયાસ લિંક ટનલ પ્રોજેક્ટ અને સલાલ ડેમમાંથી સિલ્ટ કાઢવાની યોજનાઓ દ્વારા ભારત પાણીનો એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું હોવાના પાકિસ્તાનના આક્ષેપ પછી ભારતના…

Read More

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવશ્રી ચંચલ કુમારે નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત પ્રવાસન કેન્દ્ર એકતાનગરની મુલાકાત લીધી હતી. તેઓશ્રીની આ મુલાકાતમાં સંયુક્ત સચિવશ્રી અજય નાગભૂષણ, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ મગદુમ પણ જોડાયા હતા. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુલાકાત દરમિયાન સચિવશ્રીએ જણાવ્યું હતું કે, એકતાનગર આજે માત્ર ગુજરાત કે ભારતનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ઓળખ પામેલું એક અનોખું પ્રવાસન ગંતવ્ય બની ગયું છે. અહીં વિકસાવવામાં આવેલી સુવિધાઓ, કુદરતી સૌંદર્ય અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, પરિવહન વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા અને મુલાકાતીઓ માટે ઉભી કરાયેલી સર્વાંગી સુવિધાઓની પ્રશંસા કરી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે વાતો સ્વદેશીની કરી વિદેશી ચીજોનો બહિષ્કાર કરવાના છાશવારે ગતકડાઓ ઊભા કરી ખોખલો દેશ પ્રેમ તો બતાવીએ છીએ પરંતુ જ્યારે સાચા અર્થમાં દેશપ્રેમની પરીક્ષાનો સમય આવે છે ત્યારે આ ઢોંગી દેશપ્રેમીઓ સદંતર નાપાસ થતા હોય છે. આ વાત એટલા માટે અહીં યાદ કરવી પડે છે કે વિદેશોમાં પણ આપણી જેમ પુલો તૂટી પડે છે, મોલમાં આગ લાગે છે અને બોટ ઊંધી વળી જતા બાળકોના મોત પણ થાય છે. પણ ત્યાંના નેતાઓ અને સત્તાધારીઓ જેવી ચારિત્ર્યની તાકાત આપણા સાહેબ લોકો દેખાડી શકતા નથી. જ્યારે ભારતમાં કરૂણ ઘટનાઓ બને ત્યારે આપણે થોડા દિવસ હાય-હાય કરી લઈને ભૂલી જઈએ…

Read More

ફિલ્મમાં જાહ્નવીનાં પાત્રનું કોઈ મહત્વ જ નથી પેડ્ડી ફિલ્મમાં જાહ્નવીનાં અશ્લીલ ચિત્રણથી ચાહકો નારાજ હિન્દી બેલ્ટમાં ફિલ્મ ફલોપ, રાષ્ટ્રીય હિરો બનવાનાં રામચરણનાં ખ્વાબ પર પાણી ફરી વળ્યું રામ ચરણ અને જાહ્નવી કપૂરની ‘પેડ્ડી’ ફિલ્મ રીલિઝ થયા બાદ જાહ્વવીનો લૂક જાેઈ દર્શકો બળાપો કાઢી રહ્યો છે. દર્શકોની ફરિયાદ છે કે જાહ્નવીને બહુ ભદ્દી અને અશ્લીલ રીતે દર્શાવાઈ છે. ફિલ્મમાં તેનાં પાત્રનું કોઈ ખાસ મહત્વ પણ નથી. આ ફિલ્મ દ્વારા રામચરણને પોતે રાષ્ટ્રીય સ્તરે હિરો તરીકે છવાઈ જશે તેવી અપેક્ષા હતી. પરંતુ, સમગ્ર ઉત્તર ભારતમાં ફિલ્મ પહેલા જ દિવસે ફલોપ થઈ ગઈ હતી. ટિકિટબારી પર કાગડા ઉડતા જાેવા મળ્યા હતા અને થિયેટર…

Read More

રિતિકે તેને યોગ્ય રોલ ન મળવાનું દુ:ખ વ્યક્ત કર્યું મને ‘લક બાય ચાન્સ’ના ઝફર જેવો રોલ મળશે તો કૂદી પડીશ રિતિકની પોસ્ટ ટૂંક સમયમાં જ વાયરલ થઈ ગઈ હતી અને ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક લોકોએ પણ તેમાં પોતાનાં પ્રતિભાવો આપ્યા હતા રિતિકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેર કર્યું છે કે તે ક્યા પ્રકારના રોલ કરવા માગે છે અને આ પોસ્ટથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રિતિકની પોસ્ટ ટૂંક સમયમાં જ વાયરલ થઈ ગઈ હતી અને ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક લોકોએ પણ તેમાં પોતાનાં પ્રતિભાવો આપ્યા હતા. બુધવારે રિતિકે સોશિયલ મીડિયા પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી અને તે હવે કેવા પ્રકારનાં રોલ કરવા માગે…

Read More

બાળકો પ્રકૃત્તિમાં જઈને જ પ્રકૃતિ પ્રેમ શીખી શકશે : દિયા મિર્ઝા મને લાગે છે તમે જ્યારે માતા બનો છો ત્યારે તમારામાં ઘણું મોટું પરિવર્તન આવે છે : દિયા મિર્ઝા એક્ટર અને યુએન એન્વાયર્નમેન્ટ ગૂડવિલ એમ્બેસેડર દિયા મિર્ઝાએ એક્ટર અને લેખિકા સોહા અલી ખાન સાથે એક એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે એક ખાસ પોડકાસ્ટ કરી હતી. તેમાં બાળકોના ઉછેર વ્યક્તિગત મુલ્યો અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓ વિશે પણ વાતો કરી હતી. દિયા અને સોહાએ ચર્ચા કરી હતી કે કઈ રીતે માતા બન્યાં પછી તેમનો કુદરત સાથેનો નાતો ઘડાયો અને તેમના મુલ્યો તેમના બાળકો સુધી પહોંચશે. દિયાએ કહ્યું, “મને લાગે છે તમે જ્યારે માતા બનો…

Read More

સીઝન ૨ પ્રથમ સીઝનની ઘટનાઓ પછીની કથા આગળ વધારે છે લોકપ્રિય સિરીઝ ગ્રામ ચિકિત્સાલયની સીઝન ૨ ૨૩ જૂનથી જાેવા મળશે સીઝનમાં અમોલ પારાશર, આકાશ મખીજા, આનંદેશ્વર દ્વિવેદી, વિનય પાઠક, આકાંક્ષા રંજન કપૂર અને ગરિમા વિક્રાંત સિંહ ફરીથી પોતાનાં રોલમાં જાેવા મળશે પ્રાઇમ વીડિયોની કોમેડી-ડ્રામા સિરીઝ ગ્રામ ચિકિત્સાલયની બીજી સીઝનની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. નવી સીઝન ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં હિન્દીમાં પ્રીમિયર થશે. ધ વાયરલ ફીવર દ્વારા નિર્મિત આ સિરીઝનું ડિરેક્શન લલિતમ તિવારીએ કર્યું છે અને વૈભવ સુમન તથા શ્રેયા શ્રીવાસ્તવે લખી છે.કલ્પિત ગામ ભાથકંડી પર આધારિત આ શો ડૉ. પ્રભાતની સફરને દર્શાવે છે, જે ગ્રામ્ય ભારતમાં…

Read More

જ્યારે ભારત તેના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરે છે, ત્યારે એક નામ છોટાનાગપુરના જંગલોમાંથી અવિરત નૈતિક શક્તિ સાથે ઉભરી આવે છે – ભગવાન બિરસા મુંડા, જેઓ ધરતી આબા (ધરતીના પિતા), જમીનના રક્ષક તરીકે પૂજનીય છે. એક ઐતિહાસિક વ્યક્તિત્વ કરતાં પણ વધુ, તેઓ ગૌરવ, પ્રતિકાર અને આદિવાસી સ્વાભિમાનના જીવંત પ્રતીક તરીકે ઓળખાય છે. તેમનું વિઝન – આદિવાસી ઓળખનું સંરક્ષણ થવું જોઈએ, સમાનતા સાર્થક હોવી જોઈએ, અને વિકાસ ન્યાય સાથે સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ – વિકસિત ભારતના નિર્માણ તરફની ભારતની યાત્રાને સતત માર્ગદર્શન આપી રહ્યું છે. આજે, સર્વસમાવેશક વિકાસ પર નવેસરથી રાષ્ટ્રીય ભાર મૂકવાના બાર વર્ષ પછી, તે આદર્શો નીતિ, શાસન…

Read More

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો ભારતને અંદમાનના ઊંડા સમુદ્રમાં ગેસનો મોટો ભંડાર મળ્યો અંદમાન ટાપુમાં ઊંડા પાણીની અંદર ભારતને ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે. ભારતની નવરત્ન કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (Oil India Limited) એ આ અંગે માહિતી આપી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ ગેસ ભંડાર અંગેની સંપૂર્ણ વિગતો શેર કરી છે. એકતરફ હોર્મુઝ સંકટે ભારતને એ પાઠ ભણાવ્યો છે કે, ઊર્જા માટે આયાત પર ર્નિભર રહેવું કેટલું જાેખમી છે. ઈરાન યુદ્ધમાં ભારત તેલ અને ગેસની અછતનો સામનો કર્યા બાદ હવે, આર્ત્મનિભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે આ દિશામાં…

Read More