માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી2024 (સોમવાર)ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 554 સ્ટેશનોના પુનર્વિકાસ તેમ જ 1500 રોડ ઓવર બ્રિજ/અંડર બ્રિજના શિલાન્યાસ/લોકાર્પણની 41,000 કરોડ રૂપિયાની પરિયોજના દેશને સમર્પિત કરશે. જેમાં અમદાવાદ મંડળના અમદાવાદ સહિત 09 સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ, 19 રોડ અંડરબ્રિજ-અંડરપાસનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ મંડળના 9 સ્ટેશનોમાં અમદાવાદ રેલવે સ્ટેશનના મેજર અપગ્રેડેશન તેમ જ અમૃત ભારત સ્કીમ હેઠળ 233 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચે મણિનગર, ચાંદલોડિયા, વટવા, સમાખયાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને ભીલડી સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવશે.