
ગુજરાતના કચ્છ જિલ્લાની એક અદાલતે રવિવારે મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીને ભડકાઉ ભાષણ આપવાના બીજા કેસમાં જામીન આપ્યા છે. લગભગ બે અઠવાડિયા પહેલા જિલ્લાના સામખિયાલી શહેરમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં કથિત રીતે ‘ભડકાઉ ભાષણ’ આપવા બદલ અઝહરી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
સામખિયાલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વિશાલ પટેલે જણાવ્યું હતું કે ભચાઉમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) વાય શર્માની કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને જામીન આપ્યા છે. વિશાલ પટેલે જણાવ્યું હતું કે જામીન મળ્યા બાદ અઝહરીને રાજકોટ સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી મોડાસા પોલીસ સ્ટેશનમાં તેની સામે નોંધાયેલા ત્રીજા ‘ઉશ્કેરણીજનક ભાષણ’ કેસમાં શુક્રવારે અરવલ્લી પોલીસ તેને કસ્ટડીમાં લેશે.