
હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે.કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા : એમ્સ.અભ્યાસ સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે કે ભારતમાં આપવામાં આવેલી રસીઓ સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે.શું કોરોનાની રસી લીધા પછી યુવાનોમાં હાર્ટ એટેક કે અચાનક મૃત્યુનું પ્રમાણ વધ્યું છે? આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. જાેકે, નવી દિલ્હી સ્થિત દેશની સર્વોચ્ચ તબીબી સંસ્થા AIIMS દ્વારા કરવામાં આવેલા એક વર્ષના લાંબા અને સઘન અભ્યાસે આ તમામ શંકાઓ દૂર કરી દીધી છે. રવિવારે જાહેર થયેલા આ શબપરીક્ષણ-આધારિત રિપોર્ટ મુજબ, યુવાન પુખ્ત વયના લોકોમાં અચાનક થતા મૃત્યુ અને કોવિડ-૧૯ રસીકરણ વચ્ચે કોઈ જ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. અભ્યાસ સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે કે ભારતમાં આપવામાં આવેલી રસીઓ સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે.
AIIMS દ્વારા હાથ ધરવામાં આવેલા આ મહત્વપૂર્ણ સંશોધનને ‘Burden of Sudden Death in Young Adults: An Observational Study in India’ શીર્ષક હેઠળ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના મુખ્ય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંશોધકોની ટીમે આ નિષ્કર્ષ પર આવવા માટે ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના લોકોના અચાનક મૃત્યુના કેસોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ માટે તેમણે મૌખિક શબપરીક્ષણ, પોસ્ટ-મોર્ટમ ઇમેજિંગ, પરંપરાગત ઓટોપ્સી અને વિગતવાર હિસ્ટોપેથોલોજીકલ પરીક્ષણો જેવી અત્યાધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો.
અભ્યાસના તારણો મુજબ, યુવા વસ્તીમાં કોવિડ-૧૯ રસીકરણની સ્થિતિ અને અચાનક મૃત્યુ વચ્ચે આંકડાકીય રીતે કોઈ પણ પ્રકારનો નોંધપાત્ર સંબંધ જાેવા મળ્યો નથી. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે નાની અને મોટી ઉંમરના જૂથોમાં કોવિડ ચેપનો ઈતિહાસ અને રસીકરણની સ્થિતિ બંને સમાન હતી. એટલે કે, રસી લેવી કે ન લેવી તેની સીધી અસર અચાનક થતા મૃત્યુ પર જાેવા મળી નથી. સંશોધકોએ સ્પષ્ટ કર્યું કેતેમના પરિણામો વૈશ્વિક વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે સુસંગત છે, જે કોવિડ રસીની સુરક્ષાને સમર્થન આપે છે.
તો પછી યુવાનોમાં અચાનક મૃત્યુ કેમ થઈ રહ્યા છે? આ પ્રશ્નના જવાબમાં સંશોધકોને જાણવા મળ્યું કે મોટાભાગના મૃત્યુ માટે અગાઉથી અસ્તિત્વમાં હોય તેવી જાણીતી તબીબી પરિસ્થિતિઓ જવાબદાર હતી.
હૃદય રોગ: અચાનક મૃત્યુ પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ હૃદય સંબંધિત બિમારીઓ હોવાનું સામે આવ્યું છે.
અન્ય કારણો: ઘણા કિસ્સાઓમાં શ્વસન તંત્રના રોગો અને અન્ય બિન-હૃદય કારણો પણ ઓળખી કાઢવામાં આવ્યા હતા, જે દર્દીના ધ્યાનમાં ન હતા.
AIIMS નવી દિલ્હીના પ્રોફેસર ડૉ. સુધીર આરવાએ આ અભ્યાસને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર રસી અને મૃત્યુ વચ્ચેના સંબંધ અંગે અનેક ભ્રામક અને અપ્રમાણિત દાવાઓ થઈ રહ્યા છે. આ અભ્યાસ આવા દાવાઓને ખોટા સાબિત કરે છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, યુવાનોમાં થતા દુ:ખદ મૃત્યુ ઘણીવાર શરીરની અંદર છુપાયેલી (ેંહઙ્ઘૈટ્ઠખ્તર્હજીઙ્ઘ) સ્વાસ્થ્ય સમસ્યાઓનું પરિણામ હોય છે. ડૉક્ટરોએ સલાહ આપી છે કે લોકોએ ખોટી માહિતીથી ગભરાવાને બદલે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જાેઈએ, જીવનશૈલીમાં સુધારો કરવો જાેઈએ અને વૈજ્ઞાનિક તથ્યો પર વિશ્વાસ રાખવો જાેઈએ.





