
બાંગ્લાદેશ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને પાછા બોલાવવા માટે જરૂરી દસ્તાવેજો ભારત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ગુરુવારે આ વાતની પુષ્ટિ કરી. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ રફીકુલ આલમે જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના પ્રત્યાર્પણ કરાર હેઠળ હસીનાને પરત લાવવા માટે દસ્તાવેજો મોકલવાની તૈયારી ચાલી રહી છે.
બાંગ્લાદેશી અખબાર પ્રથમ આલોના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ હવે રાજદ્વારી સ્તરે ભારતના પ્રતિભાવની રાહ જોશે. વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર જુલાઈમાં જાહેર આંદોલન દરમિયાન દેશમાં થયેલી હિંસા અને હત્યાઓની તપાસ માટે હસીનાને પાછા બોલાવવા માંગે છે.