- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
Author: Garvi Gujarat
રાજકોટમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત આકરા તાપ અને લૂ ને પગલે શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું છે શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે એપ્રિલ મહિનો ફરી ગરમ મહિનો બન્યો હોય તેમ એક દિવસની રાહત પછી ફરી સુર્યનારાયણ કાળઝાળ બન્યા છે.ગઈકાલે જુનાગઢ અને રાજકોટમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને આંબી જતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.બપોરે ગરમાગરમ લુથી જનજીવન પ્રભાવીત થયું છે.ગઈકાલે સવારે રાજકોટ, વેરાવળ, પોરબંદર, દીવ, કંડલા સહિતના શહેરોમાં ભેજનું પ્રમાણ વધતા આ વિસ્તારમાં ઠંડકનો અહેસાસ થયો હતો.જાે કે, બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ…
હાઈકોર્ટે અપીલ ફગાવી અમદાવાદમાં ૫૦૦ કરોડની જમીન પર બનેલો આસારામનો આશ્રમ ગમે ત્યારે તૂટશે વારંવાર નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટ આસારામ આશ્રમ પર લાલઘુમ થઈ અને રાહત આપવાનો ઈનકાર કર્યો અમદાવાદમાં આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો બની ગયો છે. ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા આસારામ આશ્રમની અપીલ ફગાવી દેવાઈ છે. હાઈકોર્ટના સિંગલ જજનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે. હવે ગમે તે ઘડીએ આસારામ આશ્રમ તોડી પાડવામાં આવશે. નવી નોટિસ આપી સરકાર આસારામ આશ્રમની જમીન પરત મેળવશે. તેમજ કલમ ૨૦૨ હેઠળ નોટિસ આપી આશ્રમનો કબજાે લેવાશે. અમદાવાદ સ્થિત મોઢેરામાં આવેલ આસારામ આશ્રમનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. આસારામઆશ્રમની જમીન પાછી લેવા…
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય છત્તીસગઢ હાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જાે કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીના ગેરકાયદે સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર)થી પરેશાન થઈને આત્મહત્યા કરે છે, તો માત્ર આ સંબંધોના આધારે પાર્ટનર પર આત્મહત્યા માટે ઉકસાવવાનો(દુષ્પ્રેરણ) કેસ ચલાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અતુલ ચંદુરકરની બેન્ચે આ મામલે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો(કલમ ૩૦૬) ત્યારે જ ગણાય જ્યારે આરોપીએ કોઈ એવું સક્રિય કામ કર્યું હોય જેનાથી વ્યક્તિ મરવા…
હોસ્પિટલના બેડ પર સૂતા-સૂતા કર્યો અભ્યાસ કેન્સરની સામે લડી આરવે ધો.૧૦માં ૯૬.૬% મેળવ્યા આરવે હાર ન માની, જ્યારે તે હોસ્પિટલમાં દાખલ હતો, ત્યારે પણ તે મોબાઈલ દ્વારા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરી છે દિલ્હીના આરવ વત્સે. કારણ કે જે ઉંમરમાં બાળકો મિત્રો સાથે રમવામાં મશગૂલ હોય છે, તે ઉંમરે આરવ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યો હતો. પરંતુ આ જંગની વચ્ચે પણ તેણે પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. હવે આરવનું પરિણામ જાેઈને પરિવારજનો સહિત સગા-સંબંધીઓ અને શિક્ષકો…
લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું સંસદના વિશેષ સત્રમાં સરકારે મહિલા અનામત (૧૩૧મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation) બિલ રજૂ કર્યું હતું મતદાન પહેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સંબોધન કર્યું હતું. ભાષણની શરૂઆતમાં જ જ્યારે સ્પીકરે તેમના હાથમાં લાગેલી ઈજા વિશે પૂછ્યું, ત્યારે તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો કે, સર, અંગૂઠામાં ઈજા થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં મહિલાઓ એક સેન્ટ્રલ ફોર્સ છે. આપણા સૌના જીવનમાં માતા અને બહેન તરીકે મહિલાઓનું સ્થાન અત્યંત મહત્વનું છે. પોતાની બહેન પ્રિયંકા…
પ.બંગાળમાં ટ્રિબ્યુનલે બે દિવસ પહેલાં મંજૂર રાખેલા મતદારો પણ મત આપી શકશે: સુપ્રીમ કોર્ટ ૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે અનુક્રમે ૨૧ અને ૨૭ એપ્રિલે નામ મંજૂર થયા હોય તેવા લોકો પણ મત આપી શકશે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતાધિકાર સંદર્ભે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એપલેટ ટ્રિબ્યુનલે ચૂંટણીના બે દિવસ પહેલા પણ મતદાર યાદીમાં સમાવેશ માટે મંજૂર રાખ્યા હોય તેવા મતદારો મત આપી શકશે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે અનુક્રમે ૨૧ અને ૨૭ એપ્રિલે નામ મંજૂર થયા હોય તેવા લોકો પણ મત આપી શકશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા…
લેબેનોનના રાષ્ટ્રપતિ જાેસેફ નેતન્યાહૂ સાથે વાત કરવા નનૈયો ભણ્યો ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે ૧૦ દિવસનો યુદ્ધ વિરામ જાહેર કર્યાે ટ્રમ્પે કરેલા દાવાથી વિપરિત સ્થિતિ ઈઝરાયેલ-લેબેનોન વચ્ચે પ્રવર્તી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે ઈઝરાયેલ અને લેબેનોન ૧૦ દિવસના યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાનું યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું હતું કે, લેબેનોનના રાષ્ટ્રપતિ જાેસેફ એઓઉન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ઉત્તમ વાતચીત થઈ હતી. પોતાના દેશમાં શાંતિ સ્થાપવા બંને નેતા પરસ્પર ૧૦ દિવસના યુદ્ધ વિરામ સાથે શરૂ કરી રહ્યા છે. વિશ્વમાં શાંતિના મસિહા તરીકે પોતાની છાપ બનાવવા મથી રહેલા ટ્રમ્પે દાવો કર્યાે…
સંબંધો બગડવાની શક્યતા અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતાં ભારત-ચીન મુશ્કેલીમાં મૂકાયા બેઈજિંગે ટ્રમ્પની નાકાબંધીને ખતરનાક અને બેજવાબદાર ગણાવી છે અને તેનાથી અમેરિકા સાથે તણાવ વધવાની ચેતવણી આપી ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાએ વર્ષાેથી આકરા પ્રતિબંધોનો સામનો કરતા ઈરાનના અર્થતંત્રને તોડી પાડવા હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ઈરાનના બંદરો પરથી આવતા તમામ જહાજાેને પસાર નહીં થવા દેવાય તેવી ધમકી આપી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી ઈરાનની સાથે એશિયામાં ચીન અને ભારત પર દબાણ વધારી રહ્યું છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે આગામી મહિને બેઠક યોજાવાની છે ત્યારે અમેરિકાની નાકાબંધી ચીન સાથેની બેઠકને અસ્થિર બનાવી શકે છે.ઈરાને યુદ્ધ…
ટ્રમ્પની મોટી જાહેરાત ‘ઈરાન અમને યુરેનિયમ સોંપવા તૈયાર, ડીલ થશે તો હું ઈસ્લામાબાદ જઈશ’ તેહરાન હવે પહેલા કરતા વધુ લવચીક વલણ અપનાવી રહ્યું છે અને તેઓ ખરેખર શાંતિ સમજૂતી ઈચ્છે છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડિલ ઈસ્ટના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક મોટો દાવો કર્યાે છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન તેના સંવર્ધિત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા માટે સંમત થયું છે. આ સમજૂતી છેલ્લા છ અઠવાડિયાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કાયમી ધોરણે રોકવામાં મદદરૂપ થઈ શકે છે.ટ્રમ્પે જાહેરાત કરી હતી કે જાે ઈરાન સાથેની આગામી રાઉન્ડની વાતચીત સફળ રહેશે, તો તેઓ પોતે ઈસ્લામાબાદ જઈ…
ચિરાગ પાસવાન સાથેના સંબંધ પર કંગના રનૌતનો બેબાક અંદાજ ‘રોમાન્સ હોત, તો અત્યાર સુધી બાળકો થઈ ગયા હોત’ કંગનાની ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘મિલે ના મિલે હમ‘થી ચિરાગ પાસવાને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌતે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સાથેના પોતાના સંબંધો વિશે ખૂલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે, જાે તેની અને ચિરાગ વચ્ચે પ્રેમ હોત, તો તેમના ઘરે બાળકોનો જન્મ થઈ ગયો હોત.(ન્યૂઝ એજન્સી)ને આપેલા ઇન્ટરવ્યુમાં કંગનાને ચિરાગ પાસવાન સાથેના તેના કથિત અફેર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. આના પર હસતા કંગનાએ કહ્યું, ‘ના, ચિરાગ ફક્ત મારા એક ખૂબ સારા મિત્ર છે. જ્યારે પણ હું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



