Author: Garvi Gujarat

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ના સમાપનમાં ગાંધીનગર ખાતે યોજાયેલ જનસભામાં હાજરી આપી હતી અને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હતો. આ જનસભામાં AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અધ્યક્ષ પ્રવીણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિઓના માધ્યમથી જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટમાં ઉભી થયેલી પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાયમાં લગભગ 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં 114 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિબ્યુશન તરફથી મળતી માહિતી મુજબ હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું બુકિંગ પણ કેટલાક સ્થળોએ બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. માત્ર રાજકોટ કે મોરબી જ નહીં, પરંતુ રાજ્યના અનેક ગેસ આધારિત ઉદ્યોગો પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. ગેસના ભાવમાં વધારો અને સપ્લાયમાં અછતને કારણે ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થવાની…

Read More

સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. મીડિયાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા સમય પહેલાં કરવામાં આવેલા કેસમાં તાજેતરમાં કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલજી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓને ક્લીનચીટ આપવામાં આવી છે. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું છે કે આ તમામ લોકો સામે ષડયંત્રના ભાગરૂપે ખોટા કેસ બનાવવામાં આવ્યા હતા અને આ કેસ હવે બંધ કરવામાં આવ્યો છે. એટલે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વિશ્વભરમાં સશસ્ત્ર સંઘર્ષો જ્યારે ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે ત્યારે પત્રકારોની હત્યાના આંકડાએ પણ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ન્યૂયોર્ક સ્થિત કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ (CPJ) ના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૫ માં કુલ ૧૨૯ પત્રકારો અને મીડિયાકર્મીઓએ જીવ ગુમાવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ કુલ મૃત્યુમાંથી બે તૃતીયાંશ એટલે કે ૮૬ પત્રકારોના મોત માટે માત્ર ઇઝરાયેલ જવાબદાર છે. છેલ્લા ત્રણ દાયકા થી રેકર્ડ રાખતી આ સંસ્થાએ પત્રકારો માટે ગત વર્ષને સૌથી ઘાતક ગણાવ્યું છે.અહેવાલ અનુસાર ઇઝરાયેલ ધ્વારા ખાસ કરીને પેલસ્ટિની પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા છે. કુલ ૮૬ મૃત્યુમાંથી ૬૦% થી વધુ પત્રકારો…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાનના બાંસવાડાના બડોદિયા ગામના મુખિયાનું કહેવું છે કે ૯૦ વર્ષ પહેલા વરસાદને કારણે આ પરંપરા નહોતી નિભાવવામાં આવી. એના લીધે એ વર્ષે ગામમાં દુષ્કાળ પડયો હતો અને ૨૦૦ થી વધુ દુધાળા પશુઓનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું. બસ એ પછી ગ્રામ વાસીઓએ કદી આ પરંપરામાં ચૂક ન થાય એનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું છે. શું છે એ જૂની પરંપરા? રાજસ્થાનના બાંસવાડામાં ૫૦૦ વર્ષ જૂની એક ખોફનાક પરંપરા આજે પણ ચાલે છે. જ્યાં અડધી રાત્રે બે માસુમ બાળકોને હોળી પહેલાંની મધરાતે પરણાવી દેવામાં આવે છે અને એના જ અનુસંધાને આ હોળીમાં પણ અડધી રાત્રે બે માસુમ બાળકોના…

Read More

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને : હુરુન રિપોર્ટ ભારતમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને ૩૦૮ થઈ ગઈ છે, જે ગયા વર્ષની સરખામણીએ ૨૪ વધુ છે હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૬માં ભારતની આર્થિક પ્રગતિની ચમક જાેવા મળી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં અબજપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને ભારત હવે વિશ્વમાં અબજપતિઓની સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને ૩૦૮ થઈ ગઈ છે, જે ગયા વર્ષની સરખામણીએ ૨૪ વધુ છે. વૈશ્વિક સ્તરે અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે છે. ભારતીય અબજપતિઓની કુલ સંપત્તિમાં ૧૦…

Read More

ઈઝરાયલના આક્રમક હુમલા અને તેહરાનમાં તબાહી ઈરાનમાં અનેક જગ્યાઓ પર એકસાથે હુમલા, મહેરાબાદ એરપોર્ટ પર આગ ભભૂકી ઉઠી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટના રનવે પર એક વિમાન પણ આગની લપેટમાં જાેવા મળ્યું હતું ઈરાનની રાજધાની તેહરાનમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. શહેરના મુખ્ય કોમર્શિયલ એરપોર્ટ મહેરાબાદ પર રાત્રિ દરમિયાન પ્રચંડ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે, જેના કારણે આકાશમાં આગના ગોટા અને ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટના રનવે પર એક વિમાન પણ આગની લપેટમાં જાેવા મળ્યું હતું. ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ આક્રમક હુમલા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…

Read More

MP ધ્રૂજાવીદેનારી ઘટના૯૦ વર્ષની વૃદ્ધા સાથે ૪ નરાધમોએ કર્યો ગેંગરેપવૃદ્ધાના મોઢામાં કપડું ઠાંસીને તેમની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું : ૧૨ કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લા મુખ્યાલયથી આશરે ૭૦ કિલોમીટર દૂર પુનાસા વિસ્તારમાં ચાર બુકાનીધારી બદમાશોએ એક ૯૦ વર્ષના વૃદ્ધા સાથે અમાનવીય કૃત્ય આચર્યું છે. નરાધમોએ વૃદ્ધાના મોઢામાં કપડું ઠાંસીને તેમની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિત વૃદ્ધા પોતાના ખેતરમાં બનેલી ઝૂંપડીમાં એકલા રહેતા હતા. શુક્રવારની રાત્રે ચાર બુકાનીધારી શખ્સો ત્યાં ઘૂસી આવ્યા હતા. તેમણે વૃદ્ધા સાથે એવી રીતે અત્યાચાર કર્યો કે તેમના પ્રાઇવેટ પાર્ટમાં…

Read More

હેલિકોપ્ટરમાં ચાલુ ઉડાને ધૂમાડો ઉઠતાં ઈમરજન્સી લેન્ડિંગ યુપીના નાયબ મુખ્યમંત્રી મૌર્યનો માંડ માંડ જીવ બચ્યો લખનઉથી કૌશામ્બી જઈ રહેલા તેમના હેલિકોપ્ટરમાં ટેકઓફની થોડી જ મિનિટો બાદ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય શનિવારે (સાતમી માર્ચ) એક મોટી વિમાન દુર્ઘટનામાં આબાદ બચી ગયા હતા. લખનઉથી કૌશામ્બી જઈ રહેલા તેમના હેલિકોપ્ટરમાં ટેકઓફની થોડી જ મિનિટો બાદ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને પગલે લખનઉના અમૌસી એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. અહેવાલો અનુસાર, નાયબ મુખ્યમંત્રી લખનઉના લા માર્ટ્સ મેદાનથી કૌશામ્બી જવા રવાના થયા હતા. હેલિકોપ્ટરે ઉડાન ભરી તેના થોડા સમય બાદ અચાનક પાયલટની…

Read More

શરત સ્વીકારો તો હુમલો નહીં કરીએ : ઈરાન ઈરાન હવે કોઈ પણ પડોશી રાષ્ટ્રને નિશાન બનાવશે નહીં જાે કોઈ પડોશી દેશની ધરતીનો ઉપયોગ ઈરાન સામે હુમલો કરવા માટે કરવામાં આવશે, તો ઈરાન વળતો પ્રહાર કરશે મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતાં સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે કોઈ પણ પડોશી રાષ્ટ્રને નિશાન બનાવશે નહીં, પરંતુ સાથે જ અમેરિકા અને ઈઝરાયલ સામે નમતું જાેખવાનો પણ ઇન્કાર કર્યો છે. અહેવાલો અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને યુદ્ધ વચ્ચે પડોશી દેશો પર થયેલા હુમલાઓ બદલ…

Read More