Author: garvigujrat

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતના વેપાર અને નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. નીતિગત સુધારાઓ, ડિજિટલ ગવર્નન્સ, વેપાર સુગમતા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધતા એકીકરણના પરિણામે ભારતે વૈશ્વિક વેપારમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. આ પરિવર્તનશીલ યાત્રામાં વિશેષ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ના વિકાસ, રોકાણ આકર્ષણ અને નિકાસ વૃદ્ધિ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજરાતના SEZ ક્ષેત્રની છેલ્લા 12 વર્ષની સિદ્ધિઓ, પ્રગતિ અને ભાવિ દ્રષ્ટિકોણને ઉજાગર કરવા માટે આયોજિત આઉટરીચ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ શ્રી અજય ભાદુ, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)ના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર શ્રી જ્ઞાનેશ્વર બી. પાટીલ તથા ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર શ્રી…

Read More

ભારત સામે મોટું સંકટ ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું યારલુંગ ત્સાંગપો નદી તિબેટમાંથી વહીને ભારતમાં ‘સિયાંગ’ નામે પ્રવેશે છે અને આગળ જતાં તે અસમમાં વિશાળ બ્રહ્મપુત્રા નદી બને છે ચીન પોતાની નાપાક ચાલબાજીઓથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેણે સત્તાવાર રીતે તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદીના નીચલા પ્રવાહ પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ નિર્માણ સ્થળ ભારતીય સરહદથી માત્ર ૫૦ કિલોમીટરની દૂરી પર આવેલું છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે બ્રહ્મપુત્રા નદીના નીચલા પ્રવાહવાળા વિસ્તારો, ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ અને આસમના માથે ગંભીર…

Read More

અમેરિકાએ ફરી ભારતનું ટેન્શન વધાર્યું રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે ટ્રમ્પ રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત મે મહિનામાં વધીને ૬.૭ બિલિયન ડોલર થઈ ફ્રાન્સના એવિયન-લેસ-બૅન્સમાં ચાલી રહેલા G7 શિખર સંમેલનમાંથી ભારત માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ખાડી દેશોમાં ઈરાન યુદ્ધના કારણે યુક્રેનનો મુદ્દો વૈશ્વિક મંચ પર થોડો પાછળ ધકેલાઈ ગયો હતો, પરંતુ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય G7 નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધને ફરીથી પોતાના એજન્ડામાં ટોચ પર રાખ્યું છે. અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ગ્લોબલ ઓઇલ માર્કેટને સ્થિર રાખવા માટે રશિયન ઓઇલ પર આપવામાં આવેલી છૂટછાટ ટૂંક સમયમાં…

Read More

અભિનેત્રી ફરી બનશે માતા.‘દેવો કે દેવ ફેમ‘ ટીવી અભિનેત્રીએ જ્યોતિષને ખોટા પાડ્યા.ટીવી એક્ટ્રેસ તરીકે સ્ક્રિન પર આવેલી આ એક્ટ્રેસે પછી ઝલક દિખલાજા શૉ કર્યાે હતો. કૉલેજ કાળથી તેને એક્ટિંગનો શોખ હતો.દેવો કે દેવ મહાદેવ ટીવી સિરિયલમાં જાેવા મળેલી એક્ટ્રેસ પૂજા બેનર્જી ૩૯ વર્ષની વયે બીજી વખત નવા મહેમાનના સમાચાર આપવાની છે. વર્ષ ૨૦૨૦માં તેણે એક્ટર કૃણાલ વર્મા સાથે લગ્ન કરી લીધા હતા.હવે તો પોતાના બીજા બેબીને જન્મ આપવા માટે જઈ રહી છે. પૂજા માટે એક સમય એવો હતો કે, જ્યોતિષીએ કહી દીધું હતું કે, તે ક્યારેય મા બની શકશે નહીં. આવી પરિસ્થિતિ વચ્ચે તેણે પોતાની જાતને સ્થિર રાખી અને સ્વસ્થ…

Read More

વીડિયો થયો વાયરલ.અરબાઝ ખાનની કારમાં અજાણ્યો શખ્સ પરાણે બેસી ગયો.અરબાઝ ખાનના ભાઈ સલમાન ખાનને વારંવાર બિશ્નોઈ ગેન્ગની ધમકી મળતી હોવાથી આ ઘટનાએ વ્યાપક ચિંતા ફેલાવી છે.સલમાન ખાનના ભાઈ અને અભિનેતા અરબાઝ ખાન સાથે એક આંચકાજનક ઘટના બની હતી. કોલકતા ખાતે એક કાર્યક્રમ પછી અરબાઝ સ્થળમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે એક અજાણ્યો શખ્સ અચાનક તેની કારમાં બળજબરીપૂર્વક બેસી ગયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જણાય છે કે અરબાઝ ચુસ્ત સુરક્ષા વચ્ચે પોતાની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યો વ્યક્તિ કારની અંદર બેઠેલો જણાયો હતો. સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ વ્યક્તિને કારની બહાર ઘસડીને કાઢ્યો અને પરિસ્થિતિ…

Read More

શૂટિંગમાં ભાગ લીધાનો વીડિયો વાયરલ.આલિયાની ‘કલ્કી ૨૮૯૮’માં એન્ટ્રીની અફવા યથાવત.૨૦૨૫માં સીક્વલમાંથી દીપિકા પાદુકોણેની છુટ્ટી કરાઈ હોવાની પુષ્ટી પછી અનિશ્ચિતતા પ્રવર્તતી રહી છે.‘કલ્કી ૨૮૯૮ એડી’ની સીક્વલમાં આલિયા ભટ્ટે ફિલ્મની કાસ્ટ સાથે જાેડાઈને હૈદરાબાદમાં કેટલાક દ્રશ્યોનું શૂટિંગ કર્યાનો દાવો સોશિયલ મીડિયામાં કરાયા પછી ફિલ્મમાં તેના કાસ્ટિંગની અફવા વધુ તીવ્ર બની હતી. કેટલીક અફવાઓમાં એવું જણાવાયું હતું કે તે સુમથી તરીકે દીપિકાનું સ્થાન લશે જ્યારે અન્ય અફવાઓ અનુસાર આલિયા માટે નવું જ પાત્ર રચાયું છે. ખાસ કરીને સાઈ પલ્લવી સાથે આલિયાને પડદા પર સાથે જાેવાની બાબતે ચાહકોએ ઓનલાઈન ઉત્સુક્ત વ્યક્ત કરી હતી. જાે કે પ્રોજેક્ટના પ્રવક્તાએ ફિલ્મમાં આલિયાએ શૂટિંગ શરૂ કર્યું હોવાના અહેવાલ…

Read More

નર્મદા જિલ્લા ચીકદા તાલુકાના પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોને ધ્યાનમાં રાખીને માધ્યમિક શાળા ઉમરાણ ખાતે “જનકલ્યાણ શિબિર” અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે સાથે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિવિધ ચૂંટાયેલા પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે. તેમણે જણાવ્યું…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના મેયરના ઇ-મેઈલ ઉપર સવારે 11 વાગ્યે અજાણ્યા દ્વારા ઈ-મેઈલ મોકલીને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેઈલ થી SMC દ્વારા તરત જ લાલગેટ પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવી SMCની તમામ ઓફિસો ખાલી કરાવીને તમામ સ્ટાફને SMC કમ્પાઉન્ડની બહાર મોકલી સમગ્ર SMC બિલ્ડીંગ પોલીસે પોતાના કબજામાં લઈ લીધુ હતું. ત્યારબાદ શહેરની પોલીસ મશીનરીની વિવિધ પાંખો જેવી કે ડી.સી.બી, પી.સી.બી, એસ.ઓ.જી ,ડોગ સ્કોવડ વિગેરે ના અધિકારીઓ SMC ખાતે આવી ઘનિષ્ટ તપાસ આદરતા ઈ-મેઈલ માત્ર ડરાવવા જ કરાયો હોવાનું જણાતા પોલીસે હાશ કારો અનુભવ્યો હતો. જેમાં તપાસ કરતાં કોઈ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં વેચાતી દવાઓની ગુણવત્તા અને દર્દીની સલામતીની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ સહિતના સીરપના વેચાણ પર પ્રતિબંધ મુકવા માટે નિયમોમાં સુધારો કર્યો છે. આ પગલાનો હેતુ કફ સીરપ સહિત સીરપ આધારિત ફોર્મ્યુલેશનને કારણે નિયમનકારી દેખરેખ હેઠળ લાવવાનો છે. આ સુધારાને સત્તાવાર ગેઝેટ માં પ્રકાશિત ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો 2026 દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે. આ સુધારો તેના પ્રકાશનની તારીખથી તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર ડ્રગ્સ રૂલ્સ,1945 ના શેડયૂલ K ના “ક્લાસ ઓફ ડ્રગ્સ” કોલમમાં આઈટમ ૭ માંથી “સીરપ” શબ્દને બાકાત રાખવામાં…

Read More

અમરેલી જિલ્લાના વડીયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ આત્મહત્યા કરી હતી અને ગતરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ’આપ’ પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયા સહિત આગેવાનોએ મૃતક મનસુખભાઈના પરિવારની મુલાકાત લીધી અને તેમને સાંત્વના પાઠવી. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના વડીયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ બે દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને વીડિયોમાં એમણે એવું કહ્યું હતું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે તેઓ આત્મહત્યા કરે છે. આ રીતની વાત કરીને તેમણે આત્મહત્યા કરી અને તેઓ આજે આપણી વચ્ચે નથી. ત્યારબાદ સમાજના અને મનસુખભાઈના પરિવારના આગેવાનો વડીયા પોલીસ સ્ટેશને…

Read More