- ટ્રમ્પની નિઃશસ્ત્રીકરણ યોજના પર ઇઝરાયેલનો ઇનકાર, હમાસ નિઃશસ્ત્ર થયા બાદ જ સૈન્ય પીછેહઠ
- વિવેક ઓબેરોયની હિરોઈન અરૂણા શીલ્ડ્સે ગ્લેમર છોડી અપનાવ્યો અધ્યાત્મનો માર્ગ
- આર.ડી. બર્મનની બાયોપિકમાં અક્ષય કુમારનો કેમિયો, સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થશે
- ‘લલકાર’માં ફરહાનના સ્થાને સિદ્ધાંત ગુપ્તાની એન્ટ્રી, આમિર બનશે લાલા અમરનાથ
- જેલના કઠિન દિવસો યાદ કરતાં સલમાન ખાન: સોહેલને સપોર્ટ કરવા શોમાં કર્યો ખુલાસો
- લિવ-ઇન સંબંધો પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, ક્રૂરતા સામે મળશે કાનૂની રક્ષણ
- બિહારની બાંકીપુર હારને લઈ AAPનો ભાજપ પર પ્રહાર, મનોજ સોરઠીયાએ કહ્યું- ‘વિસાવદરવાળી થઈ’
- સગીર બાળકીના માફી વીડિયો મુદ્દે કેજરીવાલનો પ્રહાર, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ
Author: garvigujrat
લગ્નની વર્ષગાંઠની ઉજવણી પછી રેણુકા શહાણેએ જાહેરાત કરી.રેણુકા શહાણે પહેલી વખત પતિ આશુતોષ રાણાની શોર્ટફિલ્મ ડિરેક્ટ કરશે.તાજેતરમાં રેણુકા અને આશુતોષે એકબીજાને હાર પહેરાવીને લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવી હતી, જેના વીડિયો વાયરલ થયા હતા.રેણુકા શહાણે અને આશુતોષ રાણાએ તાજેતરમાં પોતાનાં લગ્નજીવનની ૨૫મી વર્ષગાંઠ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી હતી. હવે આ ખાસ વર્ષમાં તેમના માટે ઉજવણીનું વધુ એક ખાસ કારણ જાેડાયું છે, કારણ કે બંને પહેલી વાર અભિનેતા-દિગ્દર્શક તરીકે સાથે કામ કરવાના છે.રેણુકા શહાણેએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે કે તે આ વર્ષે એક શોર્ટ ફિલ્મ માટે પહેલી વાર પોતાના પતિ આશુતોષ રાણાને ડિરેક્ટ કરશે. તેમણે કહ્યું, “દિગ્દર્શન કરતી વખતે…
મેં ૨૦૧૪માં ડ્રગ્ઝ લેવાનું બંધ કરી દીધું.હું તો વીગ પહેરું છું, મારા માથે સંપુર્ણ ટાલ છે : હની સિંઘ.મારું વજન ૧૦૫ કિલો થઈ ગયું હતું, મારા માથામાં દવાઓને કારણે ટાલ પડી ગઈ હતી : હની સિંઘ.હની સિંઘ વ્યસન અને ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો અને તેના કારણે તે લાંબા સમય સુધી લાઇમલાઇટથી દુર થઈ ગયો હતો. તાજેતરમાં તેણે ઇન્ટરવ્યુમાં તેના જીવનના સૌથી ખરાબ સમયની વાત તાજી કરી છે. તેણે આ ઇન્ટરવ્યુમાં વ્યસન અને બાયપોલર ડિસઓર્ડર સાથે સંઘર્ષની વાત કરી હતી. તેણે કહ્યું કે તે કઈ રીતે કૅરિઅરની ટોચ પર હતો ત્યારે તેણે માનસિક આરોગ્ય સાથે લડવું પડ્યું અને વર્ષાે સુધી…
અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. કચ્છના એક શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેનું સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા સફળ ઓપરેશન કરીને નવજીવન આપવામાં આવ્યું છે. આમ, ગુજરાત સરકારની વિવિધ સિવિલ હોસ્પિટલો ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની છે, તેમ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ આ ભગીરથ કાર્યને બિરદાવતા કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થતી આવી અત્યંત જટિલ…
દિલ્હીના એક સાયબર ઠગની પોલીસે ધરપકડ કરી યુવતીના અશ્લીલ ફોટો બનાવીને બ્લેકમેલ કરતો દિલ્હીનો ધર્મગુરુ પકડાયો આરોપીના ફોનમાંથી ભોગ બનનાર યુવતીના નામના અલગ-અલગ ૮ થી ૧૦ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા યુવતીના ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી અને યુટ્યુબ ચેનલ બનાવી બિભત્સ ફોટા અપલોડ કરનાર આરોપી સુમિત શર્મા અમદાવાદ સાયબર ક્રાઈમના હાથે ઝડપાયો છે. ઇસ્કોન હરેકૃષ્ણ સંપ્રદાયમાં જાેડાયેલી યુવતીએ મિત્રતાની ના પાડતા આરોપીએ ઈન્ટરનેટના માધ્યમથી તેને બ્લેકમેલ કરી હતી. આરોપીએ ગુગલ પર AI Remove ClOhes સર્ચ કરી અલગ-અલગ વેબસાઇટ્સ દ્વારા યુવતીના ૧૦૦થી વધુ ન્યૂડ ફોટા-વીડિયો મોર્ફ કર્યા. દિલ્હીના ઉસ્માનપુરનો રહેવાસી આરોપી સુમિત શર્મા સોશિયલ મીડિયા પર ધાર્મિક ઉપદેશો આપવાના વીડિયો અપલોડ…
અદ્ભુત નજારો રાત્રે આકાશમાં જાેવા મળશે ૩૧મી મેના રોજ આખા ગુજરાતમાં દેખાશે ‘બ્લુ મૂન’ આ બ્લુ મૂન અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં દરેક જગ્યાએ દેખાશે અંગ્રેજીમાં એક પ્રખ્યાત રૂઢિપ્રયોગ છે –”Once in a blue moon”, જેનો અર્થ થાય છે ક્યારેક જ બનતી અતિ દુર્લભ ઘટના. આ રૂઢિપ્રયોગ જે ખગોળીય ઘટના પરથી આવ્યો છે, તે અદ્ભુત નજારો આગામી ૩૧ મેના રોજ રાત્રે આકાશમાં જાેવા મળવાનો છે. અધિક જ્યેષ્ઠ મહિનાની પૂનમના દિવસે આકાશમાં બ્લુ મૂન (Blue Moon) નો અનોખો નજારો જાેવા મળશે. ખગોળપ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે આ અદ્ભુત નજારો જાેવા માટે કોઈ ખાસ જગ્યાએ જવાની…
મમતાને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું પૂર્વ સાંસદ ડૉ. શાંતનુ સેને ગુરુવારે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડૉ. શાંતનુ સેને ગુરુવારે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે તાજેતરમાં બનેલી આરજી કર હૉસ્પિટલની ઘટના અને પાર્ટી વિરુદ્ધ સતત લાગી રહેલા ભ્રષ્ટાચારના મોટા આરોપોથી દુ:ખી થઈને આ પગલું ઉઠાવ્યું છે. ડૉ. શાંતનુ સેને રાજીનામું આપતાં જણાવ્યું કે, આરજી કર હૉસ્પિટલના મામલા અને પાર્ટી વિરુદ્ધ લાગી રહેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોના વર્તમાન સંદર્ભમાં, તેઓ હવે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા તરીકે પોતાની ભૂમિકા ભજવવાની સ્થિતિમાં…
૨૯ થી ૩૧ મે દરમિયાન ઘણા રાજ્યોમાં તાપમાન ઘટશે ઘણા રાજ્યોમાં તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની વકી દેશના ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જાેકે, હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જાહેરાત કરી છે કે આજથી હવામાનમાં પલટો આવશે. જેમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે સાથે વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે. વરસાદને કારણે હવે તીવ્ર ગરમી ઓછી થઈ શકે છે. દેશમાં ઘણી જગ્યાએ તાપમાન ૪૫ થી ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ વખતે પણ, દિલ્હી,…
દિલ્હી બીજેપીની કમાન હર્ષ મલ્હોત્રાના હાથમાં દિલ્હી-પંજાબ સહિત ૪ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક પંજાબમાં ચૂંટણીને લગભગ એક વર્ષ જેટલો સમય બાકી હોવાથી ભારતીય જનતા પાર્ટીએ અહીં ફેરફાર કર્યો છે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાં હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંગઠનમાં મોટા પાયે ફેરફારો શરૂ કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ દેશની રાજધાની દિલ્હી સહિત ૪ રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલી નાખ્યા છે. દિલ્હીની સાથે જ પંજાબ, હરિયાણા અને પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરાને હવે નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે. દિલ્હી બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે હર્ષ મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. હર્ષ મલ્હોત્રા પૂર્વ દિલ્હીના સાંસદ…
૧૬ જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો રેલવે પોલીસે અજય નૈન સામે આર્મ્સ એક્ટની વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે હથિયારોના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલો યુવક ઉત્તર પ્રદેશના બાગપતનો રહેવાસી અજયકુમાર નૈન છે, જે ભારતીય સૈન્યની જાટ રેજિમેન્ટમાં અગ્નિવીર તરીકે ગલવાન ઘાટીમાં ફરજ બજાવે છે અને હાલમાં જ રજા પર ઉતર્યાે હતો.મળતી માહિતી અનુસાર, ગઈકાલે બરેલી-ભુજ આલા હઝરત ટ્રેન ગાંધીધામ રેલવે સ્ટેશને આવી ત્યારે અજય નૈન તેમાંથી ઉતર્યાે હતો. પ્લેટફોર્મ નંબર એક પરથી બહાર જવાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે…
મોંઘા ઈંધણ, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડાના પડકારને પહોંચી વળવા એર ઈન્ડિયા સહિતની એરલાઈન્સ સ્થાનિક ફ્લાઈટ્સમાં ૨૨ ટકા સુધી કાપ મુકશે ઈન્ડિગોએ પણ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૨-૧૫ ટકાનો કાપ મુકવાની યોજના બનાવી છે પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે હોર્મુઝની ખાડી પરથી ઓઈલના પરિવહન પર લદાયેલાં નિયંત્રણોએ ભારતીય એરલાઈન્સ ઉદ્યોગની ઉંઘ ઉડાડી દીધી છે. વૈશ્વિક બજારમાં ઓઈલના ભાવમાં થઈ રહેલાં ઉછાળા અને પ્રવાસીઓની સંખ્યામાં થયેલાં ઘટાડાને પગલે એર ઈન્ડિયા, ઈન્ડિગો તથા એર ઈન્ડિયા એક્સપ્રેસ સહિતની કેટલીક ભારતીય વિમાની કંપનીઓ આગામી મહિનાઓમાં સ્થાનિક ફ્લાઈટ્સમાં ૧૦થી ૨૨ ટકા સુધીનો કાપ મુકશે.અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયાં બાદ ભારતીય એરલાઈન્સ સામે મોંઘા ઈંધણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



