Author: garvigujrat

ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો ર્નિણય.ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો.સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર રૂ. ૩૦૦ અથવા વાસ્તવિક ખર્ચના ૫૦ ટકા સુધી સહાય આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠકમાં ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. આ ર્નિણયથી ખેડૂતોને પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાન સામે વધુ સુરક્ષા મળશે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોને તાર ફેન્સિંગ માટે પ્રતિ રનિંગ મીટર રૂ. ૨૦૦ અથવા કુલ ખર્ચના…

Read More

વન વિભાગમાં ભડકો.ગીરના સિંહોની સારવાર કરતા ૧૨ વેટરનરી ડૉક્ટર્સના સામુહિક રાજીનામા.આ અન્યાયી વલણ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરીને ડૉક્ટર્સે અગ્ર મુખ્ય વન સંરક્ષકને પત્ર લખીને પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે.ગુજરાતના વન વિભાગમાં એક મોટો ભડકો થયો છે, જેની સીધી અસર એશિયાટિક સિંહોના આરોગ્ય અને સંરક્ષણ પર પડી શકે છે. ગીર અને અન્ય વન્યજીવ વિસ્તારોમાં સિંહો સહિતના વન્યપ્રાણીઓની દિવસ-રાત સારવાર કરતા તમામ ૧૨ કરાર આધારિત વેટરનરી ડૉક્ટર્સે એક મહિનાની નોટિસ સાથે સામુહિક રાજીનામા ધરી દેતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. આ તમામ તબીબો ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના તાબા હેઠળ સક્કરબાગ ઝૂ સહિત રાજ્યના વિવિધ રેસ્ક્યૂ…

Read More

તમામ આવન-જાવનની સેવાઓ સ્થગિત રહેશે.જૂનાગઢ ગિરનાર રોપ-વેમાં વાર્ષિક મેન્ટેનન્સ, ૯ દિવસ સેવા રહેશે સ્થગિત.ગિરનાર રોપ-વે સેવા યાત્રિકોની સુરક્ષા અને નિયમિત મેન્ટેનન્સ કામગીરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.જૂનાગઢના ગિરનાર ખાતે આવેલ ગિરનાર રોપ દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ટેકનિકલ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. સંચાલક મંડળ દ્વારા જાહેર કરાયા મુજબ રોપ-વે સેવા ૨ જૂન ૨૦૨૬ થી ૧૦ જૂન ૨૦૨૬ સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ આવન-જાવનની સેવાઓ સ્થગિત રહેશે. ગિરનાર પર્વત પર આવેલા ભગવાન દત્તાત્રેયના પવિત્ર સ્થાન, મા અંબા મંદિર તેમજ જૈન દેરાસરોના દર્શન…

Read More

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસતથ્ય પટેલને ૨ વર્ષ ૧૦ મહિના બાદ SC માંથી મળ્યા જામીન.એસજી હાઇવે ઇસ્કોન બ્રિજ પર ૨૦૨૩ના બહુચર્ચિત અકસ્માત કેસમાં ૯ના મોતના આરોપીને જામીન મળ્યા.શહેરના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર બનેલા બહુચર્ચિત અકસ્માત કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા છે. તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. આ કેસમાં તથ્યને ૨ વર્ષ ૧૦ મહિના બાદ જામીન મળ્યા છે. હાલ ટ્રાયલ કોર્ટમાં સાક્ષી તપાસવાની પ્રકિયા ચાલી રહી છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર ગત તારીખ ૨૦મી જુલાઈ ૨૦૨૩ના રાત્રીના સમયે ૧૪૨.૫ કિલોમીટરથી વધુની સ્પીડે જેગુઆર ગાડી હંકારીને તથ્ય પટેલે ૯…

Read More

કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ.૧ હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન.આ ડ્રગ્સ બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યું હતું અને કરાંચી મારફતે દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યું હતું.કચ્છમાં ફરી  નશાનો સામાન ઝડપાયો છે. ATS, કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની ટીમે મળીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બ્રાઝીલથી ભારતમાં લાવવામાં આવેલો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. કચ્છના દરિયામાં નશાના સોદાગરો સામે ATS એ મોટી સફળતા મેળવી છે. મધ દરિયે ચાલી રહેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન અંદાજે ૧ હજાર કરોડ રૂપિયાની કિંમતનું કોકેઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર્યવાહી Anti Terrorism Squad…

Read More

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ભાવમાં ભડકો.અદાણી ગેસે પ્રતિ કિલોગ્રામ ૨ રૂપિયાનો વધારો ઝીંક્યો. CNG ભાવમાં ફરી વધારો થતાં વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જાેડાયેલા લોકો પર આર્થિક ભાર વધ્યો છે.ગુજરાતમાં અદાણી ગેસે ફરી એકવાર સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૨ રૂપિયાનો વધારો ઝીંક્યો છે. મોંઘવારીના મારથી પીડાતા સામાન્ય ગ્રાહકો પર આ વધારાથી આર્થિક બોજ વધુ વધશે. આ તાજેતરના ભાવવધારા બાદ હવે અદાણી CNG કિંમત વધીને ૮૮.૨ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ નવા વધારા સાથે વર્ષ ૨૦૨૬ની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં CNG ભાવમાં પ્રતિ કિલોએ કુલ ૮.૬૦ રૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. ચાલુ મે મહિનામાં જ CNG ભાવમાં…

Read More

દિગ્ગજ નેતાના દાવાથી રાજકીય ગરમાવો.તૃણમૂલના ૨૦ સાંસદ અને ૫૦ ધારાસભ્ય પક્ષપલટાની તૈયારીમાં.મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ હવે પોતાના જ નેતાઓના આંતરિક અસંતોષનો સામનો કરી રહી છે.પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (તૃણમૂલ) હવે પોતાના જ નેતાઓના આંતરિક અસંતોષનો સામનો કરી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બાંકુડાના સાંસદ સૌમિત્ર ખાને એક એવો દાવો કર્યો છે, જેનાથી બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૌમિત્ર ખાને દાવો કર્યો છે કે, તૃણમૂલના આશરે ૫૦ ધારાસભ્યો અને ૨૦ સાંસદો પોતાની પાર્ટીથી નારાજ છે અને ભાજપમાં આવવા માટે તૈયાર બેઠા છે. સૌમિત્ર ખાને…

Read More

અમૃતસરથી દિલ્હી ટેનિસ રમવા આવતા.દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાના આદેશ પર કિરણ બેદીની નારાજગી.આ ક્લબ સાથે મારી દાયકાઓ જૂની યાદો જાેડાયેલી છે.કેન્દ્રની ભાજપ સરકારે દિલ્હીના ૨૭.૩ એકરમાં ફેલાયેલા પ્રતિષ્ઠિત દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ ર્નિણય પર પૂર્વ આઇપીએસ ઑફિસર કિરણ બેદીએ ભારે નારાજગી અને દુ:ખ વ્યક્ત કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે મેં ક્લબ ખાલી કરવાનો આદેશ સાંભળ્યો ત્યારે મને એવો આઘાત લાગ્યો જાણે મને પોતાના જ ઘરમાંથી બેદખલ કરવામાં આવી રહી હોય. આ ક્લબ સાથે મારી દાયકાઓ જૂની યાદો જાેડાયેલી છે. કિરણ બેદીએ પોતાના ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું કે, જ્યારે…

Read More

૨૪ કેરેટ સોનાના ભાવમાં રૂ. ૬૦૦થી વધુનો ઘટાડો.વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે ૪૦૦૦ રૂપિયા સસ્તી.ચાંદીનો ભાવ એક તબક્કે ઉછળીને રૂ. ૨,૭૨,૬૨૮ પ્રતિ કિલો પર પહોંચ્યા બાદ ગગડીને રૂ. ૨,૬૬,૨૦૦ પર આવી ગયો.સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. મંગળવારે રેડ ઝોનમાં બંધ થયા બાદ, બુધવારે માર્કેટ ઓપનિંગની સાથે જ કિંમતી ધાતુઓના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા હતા. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ચાંદીનો ભાવ એક તબક્કે ઉછળીને રૂ. ૨,૭૨,૬૨૮ પ્રતિ કિલો પર પહોંચ્યા બાદ અચાનક ગગડીને રૂ. ૨,૬૬,૨૦૦ પર આવી ગયો હતો. આમ, એક જ ઝાટકે ચાંદીના ભાવમાં રૂ. ૪,૪૨૮ પ્રતિ કિલોનો જંગી ઘટાડો નોંધાયો છે. ચાલુ…

Read More

અમારી ફિલ્ડિંગ યોગ્ય નહોતી : શુભમન ગિલ.શુભમન ગિલે સ્પષ્ટપણે ટીમની ખરાબ ફિલ્ડિંગને તેની હારનું મુખ્ય કારણ ગણાવ્યું.ક્વોલિફાયર-૧માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પોતાની ટિકિટ સુરક્ષિત કરી લીધી.IPL 2026ની ક્વોલિફાયર-૧માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પોતાની ટિકિટ સુરક્ષિત કરી લીધી છે. મેચની શરૂઆતમાં એવું લાગતું નહોતું કે ગુજરાત આટલી ખરાબ રીતે હારશે. પહેલા બેટિંગ કરતા RCB વેંકટેશ ઐયરે ધમાકેદાર શરૂઆત અપાવી. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે ૭૨ રનની ભાગીદારી સાથે ઇનિંગ્સને મજબૂત બનાવી. એક સમયે ગુજરાત મેચમાં વાપસી કરવા માટે તૈયાર લાગતું હતું જ્યારે જેસન હોલ્ડરે કોહલી અને પડિકલ બંનેને એક જ ઓવરમાં આઉટ કર્યા. જાે…

Read More