Author: Garvi Gujarat

દિવ્યેન્દુએ સિક્વલ અંગે સકારાત્મક અપડેટ આપતા કહ્ય.કુનાલ ખેમુ ‘મડગાંવ એક્સપ્રેસ ૨’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.ફરી એક વાર અભિનેતા પ્રતીક ગાંધી, કુનાલ ખેમુ, અવિનાશ તિવારી અને દિવ્યેંદુ ધમાલ મચાવશે.મડગાંવ એક્સપ્રેસના ચાહકો માટે ખુશખબર છે. આ ફિલ્મ પણ ગોલમાલ અને વેલકમ કે હેરાફેરી જેવી કલ્ટ કોમેડી બની ગઈ છે. આ ફિલ્મના યાદગાર પાત્રમાંના એક દિવ્યેન્દુએ હવે કહ્યું છે કે ૨૦૨૪ની આ કોમેડી હિટની સિક્વલ હવે સત્તાવાર રીતે બની રહ્યી છે અને ડિરેક્ટર કુનાલ ખેમુ હાલમાં મડગાંવ એક્સપ્રેસ ૨ માટે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. મૂળ ફિલ્મ, જે કુનલ ખેમુની ડિરેક્ટર તરીકે ડેબ્યુ ફિલ્મ હતી, તેમાં દિવ્યેન્દુ, પ્રતિક ગાંધી અને…

Read More

૫૬ વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ આલુપુરી લેવા ગયેલી ૧૧ વર્ષની બાળકીની છેડતી પોલીસ આરોપીને તપાસ માટે ઘટના સ્થળે લાવી, ત્યારે સ્થાનિક મહિલાઓએ કાયદો હાથમાં લઈ નરાધમને બરાબરનો પાઠ ભણાવ્યો હતો માનવતાને શર્મસાર કરતી વધુ એક ઘટના સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે. આલુપુરી લેવા ગયેલી એક ૧૧ વર્ષની માસૂમ બાળકી સાથે દાદાની ઉંમરના ૫૬ વર્ષીય આધેડે શારીરિક અડપલાં કર્યા હતા. જાેકે, આજે જ્યારે પોલીસ આરોપીને તપાસ માટે ઘટના સ્થળે લાવી, ત્યારે સ્થાનિક મહિલાઓએ કાયદો હાથમાં લઈ નરાધમને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. અમરોલીના સૃષ્ટિ રો-હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં શ્રીજી લાઈવ આલુપુરી નામની દુકાન ચલાવતા દિનેશ જીવરાજભાઈ રામાણી (ઉં.વ.…

Read More

CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ રાજકોટમાં એક મોટી સફળતા મેળવી છે. સી.જી.એસ.ટી. (CGST) કચેરીના એક સુપરિન્ટેન્ડન્ટ અને તેમના વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને ૨૦ લાખ રૂપિયાની માતબર રકમ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદી સામે જી.એસ.ટી. ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે સી.જી.એસ.ટી. કચેરીમાં એક અરજી થઈ હતી. આ કેસમાં મોટી કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે ૨૫ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ ૨૦ લાખ…

Read More

ઈરાનની વધી રહી છે મુશ્કેલીઓ નહીં ખુલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ટ્રમ્પે બનાવી લાંબી અને ખતરનાક યોજના અમેરિકા કહે છે કે જ્યાં સુધી ઈરાન કોઈ કરાર પર સંમત ન થાય ત્યાં સુધી તે નાકાબંધી હટાવશે નહીં હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વભરમાં ઇંધણ પુરવઠા માટેનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. જાે કે, છેલ્લા બે મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી આ માર્ગ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. શિપિંગ બંધ કરવામાં આવ્યું છે, અને ઘણા દેશોમાં ઇંધણની અછત પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહી છે. આ દરમિયાન, એવા અહેવાલો છે કે આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહી શકે છે. આ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…

Read More

૧૫ લાખનું નુકસાન કવર કરવા જતાં બીજા ૫૧ લાખ ગયા! શેરબજારમાં રોકાણના નામે ૧૫ લાખનો થયો ફ્રોડ સારી નોકરી કરતા સમજદાર યુવકને એક નહીં બે-બે વખત શેરબજારમાં કમાણીની લાલચ આપીને લૂંટવામાં આવ્યો છે શેરબજારમાં કમાણીની લાલચ કોઈને પણ અંધ બનાવી શકે છે. તેનું જીવતું-જાગતુ ઉદાહરણ પુણેથી સામે આવ્યું છે. પુણેના યુવક સાથે જે બનાવ બન્યો તેના વિશે જાણીને તમે પણ રીતસરના ચોંકી જશો. સારામાં સારી નોકરી કરતા સમજદાર યુવકને એક નહીં બે-બે વખત શેરબજારમાં કમાણીની લાલચ આપીને લૂંટવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે એક વખત છેતરપિંડી થાય, તો કોઈ વ્યક્તિ એટલો તો અડીખમ થઈ જ જાય કે તે…

Read More

વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો સમાજવાદી પાર્ટી વિકાસ વિરોધી તેમજ મહિલા વિરોધી પણ છે ઉત્તર પ્રદેશનાના માફિયાઓ પર ફિલ્મો બનતી હતી પરંતુ હવે યુપીની કાનૂન વ્યવસ્થાનું દેશભરમાં ઉદાહરણ આપવામાં આવે છે : વડાપ્રધાન મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવા ઉત્તર પ્રદેશના હરદોઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ગંગા એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ધાટન કર્યા બાદ એક સભાને સંબોધતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૭માં યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણી માટે લક્ષ્ય પણ નક્કી કરી દીધું. પીએમ મોદીએ કહ્યું કે, આપણું ઉત્તર પ્રદેશ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ છે,…

Read More

મે મહિનામાં કુદરતનો અલગ જ મિજાજ જાેવા મળશે.ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મે મહિનામાં હવામાનમાં મોટો પલટો આવશ.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનમાં પલટાની આગાહી કરી – કેટલાક વિસ્તારોમાં જાેરદાર પવન, તોફાન અને કરા પડવાની શક્યતા.ગુજરાતમાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આકરી ગરમી અને લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે તાપમાન, પવન અને વાવાઝોડા અંગે અત્યંત મહત્ત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ, હજી થોડા દિવસો ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, પરંતુ મે મહિનામાં કુદરતનો અલગ જ મિજાજ જાેવા મળી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતમાં ગરમીનું મોજું તીવ્ર બનશે. વડોદરા, આણંદ…

Read More

ચૂંટણીલક્ષી રાહત પૂરી, ૨૯મી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે: રાહુલ ગાંધી.ATF ના ભાવ ઘટાડો નહીં તો અમારા વિમાનો ઉડતા બંધ થઇ જશે : એરલાઈન્સ.પશ્ચિમ એશિયાની તંગદીલી અને ખનિજતેલના વધેલા ભાવોના પગલે એરલાઇન ઉદ્યોગ પર સંકટ.એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઈસજેટ જેવી દેશના મહત્વની એરલાઇન્સ કંપનીઓએ સરકારને જણાવ્યું છે કે દેશનો એરલાઇન ઉદ્યોગ ભારે દબાણ હેઠળ પસાર થઇ રહ્યો છે અને “અમે અમારા વિમાનો ઉડાડવાનું બંધ પણ કરી શકીએ તેમ છીએ કેમ કે અમારા તમામ ઓપરેશન્સ બંધ થવાના” આરે આવીને ઉભા છે. તેઓએ ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં ઘટાડો કરવાની અને આર્થિક સહાયની કરવાની માંગ કરી છે.પશ્ચિમ એશિયામાં તંગદિલી વધવાથી ખનિજતેલના ભાવ વધી…

Read More

ડિજિટલ ફ્રોડ સામેના પગલાં અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો સ્ટેટસ રીપોર્ટ.ડિજિટલ એરેસ્ટમાં સંડોવાયેલા ૯,૪૦૦ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરાયા.વોટ્સએપ આગામી સમયગાળામાં લોગો ડિટેક્શન અને યુઝર્સ એલર્ટ જેવી સિસ્ટમ અમલી બનાવી રહી છ.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ સ્કેમના વધતા જાેખમનો સામનો કરવા માટે ટેલિકોમ નિયમનકારી સંસ્થાઓ, ટેલિકોમ કંપનીઓ, આરબીઆઇ, ટેકનોલોજી કંપનીઓ અને સીબીઆઇ સાથે મળીને પગલાં લઈ રહી છે અને ચાલુ વર્ષે અત્યાર સુધી ૯,૪૦૦ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત વોટ્સએપ આગામી સમયગાળામાં લોગો ડિટેક્શન અને યુઝર્સ એલર્ટ જેવી સિસ્ટમ અમલી બનાવી રહી છે.દેશમાં ડિજિટલ એરેસ્ટના વધતા જતાં કેસોને ડામવા માટે ૯ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના આદેશને…

Read More

દરેક ધાર્મિક સંસ્થામાં નીતિ-નિયમો હોવા જરૂરી.ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ.ધાર્મિક નિયમોમાં પણ બંધારણનું પાલન થવું જરૂરી તેમાં કોઇ પણની મનમાની ના ચલાવી લેવાય : સુપ્રીમ.સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સહિતના આવા મામલા પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એવામાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું છે કે દરેક ધાર્મિક સંસ્થાના નિયમો હોવા જાેઇએ, ધાર્મિક સંસ્થાના સંચાલનનો અર્થ અરાજકતા ના થઇ શકે. સાથે જ સુપ્રીમે કહ્યું કે ધાર્મિક કાર્યાેના નામે રોડ બ્લોક ના કરી શકાય. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચ દ્વારા મહિલાઓના અધિકારો અને ધાર્મિક રીતી રીવાજાે, પ્રવેશબંધી…

Read More