Author: Garvi Gujarat

શિવાલિક હાઇટ્સમાં સગીર કારચાલકનું બેફામ ડ્રાઇવિંગ ૧૫ વર્ષીય સગીરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂરપાટ ઝડપે કાર વિરમભાઈ સાથે અથડાવી હતી મેગા સિટી અમદાવાદમાં સગીર વયના બાળકોને લક્ઝરી કાર આપવાની માતા-પિતાની ઘેલછા વધુ એકવાર નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતા રહી ગઈ છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ‘શિવાલિક હાઇટ્સ‘ એપાર્ટમેન્ટમાં એક ૧૫ વર્ષીય સગીરે બેફામ ગતિએ કાર હંકારી એક યુવકને જાેરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના ત્યાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગત ૨૮ જાન્યુઆરીના રોજ વિરમ રબારી નામના યુવક શિવાલિક હાઇટ્સની મુલાકાતે આવ્યા હતા. તે સમયે સોસાયટીના કેમ્પસમાં…

Read More

વિમાન ક્રેશના ૮ મિનિટ પહેલાનો ઓડિયો વાઈરલ! અજિત પવારે કરેલી છેલ્લી ટેલિફોનિક વાતચીત સામે આવી આ વાતચીત દર્શાવે છે કે ‘દાદા’ તેમના છેલ્લા શ્વાસ સુધી સામાજિક સંતુલન અને પક્ષના કાર્યકરો માટે ચિંતિત હતા મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય હજુ પણ આઘાતમાં છે. ૨૮મી જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા વિમાન અકસ્માતના થોડા સમય પહેલા અજિત પવારે કરેલી છેલ્લી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ હવે સામે આવી છે. અકસ્માતના માત્ર ૮ મિનિટ પહેલા થયેલી આ વાતચીત દર્શાવે છે કે ‘દાદા’ તેમના છેલ્લા શ્વાસ સુધી સામાજિક સંતુલન અને પક્ષના કાર્યકરો માટે ચિંતિત હતા. દિવંગત અજિત…

Read More

સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ મુંબઈની ગલીઓમાં ેંજીછ ટીમના ખેલાડીઓએ ઝાપટી પાણીપૂરી! ખેલાડીઓએ સ્થાનિક સ્ટોલ પર ઊભા રહીને મુંબઈના તીખા-ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો આનંદ માણ્યો હતો. આગામી T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારત આવી પહોંચેલી અમેરિકન ક્રિકેટ ટીમ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારતીય છ ટીમ સામેની પ્રેક્ટિસ મેચ પૂર્ણ કર્યા બાદ, અમેરિકાના ખેલાડીઓ મુંબઈમાં ‘પાણીપુરી‘ પર તૂટી પડતા જાેવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં ખેલાડીઓ સ્થાનિક સ્ટોલ પર ઊભા રહીને મુંબઈના તીખા-ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી રહ્યા છે. અમેરિકાની વર્તમાન ટીમમાં મોટાભાગના ખેલાડીઓ ભારતીય મૂળના છે, જેમના માટે આ મુલાકાત ભાવનાત્મક…

Read More

એન્જિનમાંથી નિકળ્યા ધૂમાડા, ૨૩૬ મુસાફરો સવાર હતા કોલકાતા એરપોર્ટ પર તૂર્કીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી કોલકાતા એરપોર્ટ પર બુધવારે એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાન તુર્કીશ એરલાઇન્સનું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. તુર્કીશ એરલાઇન ફ્લાઇટ કાઠમંડુથી ઇસ્તંબુલ માટે ઉડાન ભરી હતી, પરંતુ તેના એન્જિનમાંથી ધુમાડો નીકળતો હોવાની શંકા હતી. ત્યારબાદ, વિમાને કોલકાતાના નેતાજી ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. હાલમાં બધા…

Read More

ટ્રેડ ડીલ પર બોલ્યા શિવસેના (યુટીબી) સાંસદ સંજય રાઉત અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે જે ટ્રેડ ડીલ થઈ છે, જેનાથી આપણા દેશને લગભગ અમેરિકાના ચરણોમાં સમર્પિત કરી દીધો છે : સાંસદ સંજય રાઉત ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર શિવસેના (ેંમ્) સાંસદ સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું કે, આ ડીલ હેઠળ અમેરિકાએ ભારતને ખરીદી લીધું છે. આ સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારના લોકોને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. અને સરકાર બ્લેકમેલ થઈ ગઈ. સંજય રાઉતે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને મોદી સરકાર પર…

Read More

વર્ષ ૨૦૨૫માં નક્સલવાદી હિંસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની ૨૦૧૯થી અત્યાર સુધી ૭,૪૦૦ નક્સલીઓની ધરપકડ કરાઈ ૨૦૧૦ની તુલનામાં નક્સલી હિંસામાં ૮૮%નો ઘટાડો : હાલ દેશના ફક્ત આઠ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત છે: ગૃહ રાજ્યમંત્રી કેન્દ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપીને જણાવ્યું કે ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૭,૪૦૦થી વધુ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને ૫,૮૮૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. વર્ષ ૨૦૧૦માં નક્સલવાદ સંબંધિત હિંસાની ૧,૯૩૬ ઘટનાઓ બની હતી, જેમાં ભારે ઘટાડો થયો છે અને વર્ષ ૨૦૨૫માં નક્સલવાદી હિંસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની, એટલે કે આ પ્રકારની હિંસાની ઘટનાઓમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે.એક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી…

Read More

સિવિલમાં દરરોજ મોંઢાના કેન્સરના ૫ાંચ દર્દીની એન્ટ્રી! પુરુષોમાં મોંઢાના કેન્સરના કેસ એક વર્ષમાં ૧૦% વધ્યાં સિવિલની કેન્સર હોસ્પિટલમાં પેટ-સિટી સ્કેનની સંખ્યા ૨૦૨૧માં ૧૮૧૩ હતી, તે ૨૦૨૫માં વધીને ૬૩૩૩ થઈ છે સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના ૨૩૫૨ દર્દી નોંધાયા છે. જેમાં ૧૯૩૧ પુરુષ અને ૪૨૧ મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી ૧૯ ટકા માત્ર મોંઢાના કેન્સરને લગતા હોય છે. દર વર્ષે ચોથી ફેબ્રુરઆરીની ઉજવણી ‘કેન્સર દિવસ તરીકે કરવામાં આવે છે. વર્ષ…

Read More

અદિતિએ ઇન્ટરવ્યુમાં ઇમ્તિઆઝ અલી સાથે કામ કરવાની લાલચ વિશે વાત કરી અદિતિએ ઇમ્તિઆઝ અલીની ‘ઓ સાથી રે’ને ઘણી ચેલેન્જિંગ ગણાવી ‘ઓ સાથી રે’ ફિલ્મને એક મેટ્રોપોલિટન સિટીમાં વિન્ટેજ સ્ટાઇલમાં આકાર લેતી એક લાગણીસભર લવ સ્ટોરી ગણાવાઈ અદિતિ રાવ હૈદ્રી ફરી એક વખત ઇમ્તિઆઝ અલીની ફિલ્મમાં ચમકવા જઈ રહી છે. તેણે આ પહેલાં તેમની સાથે રોકસ્ટારમાં કામ કર્યું હતું, જાેકે, તેમાં તેનો રોલ ખાસ લાંબો નહોતો. ત્યારે એક વર્ષ પહેલાં જ્યારે આ ફિલ્મની જાહેરાત થઈ તો દર્શકો ઉત્સાહમાં આવી ગયા હતા. અદિતિ ઇમ્તિઆઝ અલી સાથે ‘ઓ સાથી રે’ ફિલ્મમાં કામ કરી રહી છે. નેટફ્લિક્સ પ્રોડક્શન્સ દ્વારા આ ફિલ્મને એક મેટ્રોપોલિટન સિટીમાં…

Read More

ધનુષ સાથે લગ્ન બાબતે મૃણાલે મૌન તોડ્યું આ દુનિયામાં દરેકને પ્રેમ મળવો જાેઈએ : મૃણાલ સ્ત્રી છે કે પુરુષ, તેનાથી કોઈ ફરક પડતો નથી, તમે પ્રેમમાં હોય એ વ્યક્તિ માટે તમે બધું જ કરો છો : મૃણાલ મૃણાલ હાલ તેના નવા સિંગલ ‘ભીગી ભીગી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાથે જ છેલ્લા કેટલાંક વખતથી તેનાં ધનુષ સાથે લગ્ન થવાની ચર્ચા પણ વારંવાર વાયરલ થઈ રહી છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મૃણાલ ઠાકુરે આ અંગે ખુલાસો કર્યાે છે અને પ્રેમ માટેના તેના વિચારો વ્યક્ત કર્યાં હતાં. મૃણાલે કહ્યું હતું કે પ્રેમ એવી બાબત છે કે જે વ્યક્તિને પોતાનાં એક સારા વર્ઝનનો પરિચય કરાવે…

Read More

કોર્ટે આપ્યો આદેશ ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને આત્મસમર્પણ કરવું પડશે અગાઉ એપ્રિલ ૨૦૧૮ માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને છ મહિનાની કેદની સજા ફટકારી હતી બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કડક અવલોકન કરતાં જણાવ્યું હતું કે અભિનેતાએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તે પૈસા પરત કરશે પરંતુ ટ્રાયલ કોર્ટના આદેશોનું…

Read More