Author: Garvi Gujarat

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આજે મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજસ્થાન રાજ્ય સરકારે રાજસ્થાન પંચાયતી રાજ એક્ટ, 1994ની કલમ 19 તથા રાજસ્થાન મ્યુનિસિપાલટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની બે સંતાન મર્યાદા સંબંધિત અયોગ્યતા જોગવાઈ રદ્દ કરવાનો મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ નિર્ણય લીધો છે. આ હેતુસર રાજ્ય વિધાનસભામાં પંચાયતી રાજ બિલ 2026 અને રાજસ્થાન મ્યુનિસિપલ (એમેન્ડમેન્ટ) એક્ટ 2026 રજૂ કરવામાં આવશે, તેવી જાહેરાત ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણય લોકશાહીના મૂલ્યોને મજબૂત બનાવતો અને વ્યાપક જનભાગીદારીને પ્રોત્સાહન આપતો નિર્ણય છે. ગુજરાત રાજ્યમાં પણ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જામનગરમાં હનુમાનજીના દર્શન કરીને ખૂબ આધ્યાત્મિક અનુભૂતિ થઈ. આજની લડાઈ અસત્ય સામે સત્યની લડાઈ છે. અમે સામાન્ય પરિવારમાંથી ઉછરેલા યુવાનો છીએ અને ગુજરાતની તાનાશાહી સરકાર સામે બાથ ભીડીએ છીએ. અમારી ઉપર લાઠીચાર્જ થાય છે, કેસો થાય છે, લોકોને જેલમાં નાખવામાં આવે છે, છતાં અમે જનતાના હકો માટે લડવામાં કોઈ કચાશ રાખીશું નહીં. ભલે અમે કોઈ મોટા પદાધિકારીઓના દીકરા નથી અને અમારી પાસે વિશેષ સત્તા કે સંપત્તિ નથી, પરંતુ અમારું મનોબળ મજબૂત છે અને અમે તમારા હકો અને અધિકારો માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ. તેમણે ભાજપ પર…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી પર કરવામાં આવેલા ખોટા કેસ મુદ્દે ગઈકાલે કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો અને તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા. ત્યારબાદ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. આ દરમિયાન જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલજી પર ભારતીય જનતા પાર્ટીની…

Read More

આજનાં અત્યંત તનાવ ભર્યા વાતાવરણમાં જીવનને સકારાત્મક બનાવવાં માટે સદગુરુ કૃપાથી આ કલમથી કંઈ કેટલુંય લખાયું!; એટલે 2020 માર્ચ કોરોનાની મહામારી સમયથી સદગુરુ કૃપાથી ચિંતનની ક્ષણે લગભગ દરેક વિષય પર પ્રકાશ પાડી જીવનને અજવાળું પ્રદાન કરવાં મથી રહ્યું છે. આજે 1/3 2026 છે, અને આ વખતે વિમેન્સ વીક માટે આઠ મહિલા પ્રતિભા પર લખવું એવું નક્કી કર્યું! આપણે સૌ જાણીએ છીએ કે શક્તિ કહો, નારી કહો, કે મહિલા કહો એનાં વગર અસ્તિત્વ રુપે અવતરવું અને અવતર્યા બાદ જીવનને ટકાવી રાખવાં મનુષ્યને કેટલીય પ્રકારની શક્તિ જોઈએ, અને કઠિનમાં કઠિન સમયમાં સકારાત્મક શક્તિ સ્તોત્ર તરીકે મહિલાઓએ બહુ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. આમ…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી હતી. તારીખ 27ના રોજ સવારે ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીની કોર્ટમાં જીત થઈ એ મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે પ્રેસ કોન્ફરન્સ કરી, ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી. ત્યારબાદ દ્વારકાધીશ કેમ્પની મુલાકાત લીધી અને પદયાત્રા કરનાર લોકોને જમાડ્યા. ત્યારબાદ બાદલિયા સિંહણ, ધરમપુર, આહીરસિંહણમાં ખેડૂતો સાથે બેઠક કરી અને રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે બેઠક કરી. તો આ આખા દિવસની યાત્રામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન…

Read More

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં મારા કુલ ત્રણ તારાંકિત પ્રશ્નો હતા. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારના મંત્રીઓ સમાજને, લોકોને અને સોશિયલ મીડિયામાં જવાબ આપતા નથી, અને હવે તો વિધાનસભામાં પણ યોગ્ય જવાબ આપવાનું બંધ કર્યું હોય એવું લાગે છે. આજે મેં પ્રશ્ન કર્યો હતો કે જુનાગઢ જિલ્લામાં આવેલી ઉબેર નદીમાં જેતપુરના ઔદ્યોગિક એકમમાંથી કેમિકલયુક્ત ઝેરી લાલ પાણી છોડવામાં આવે છે. આ લાલ પાણીના કારણે વિસાવદર મતવિસ્તારના વડાલ, ચોકી આસપાસના ગામો તથા જુનાગઢ મતવિસ્તારના મજેવડી સહિતના અનેક ગામોમાં કૂવા, બોર અને જમીનની નીચેનું પાણી લાલ અને પ્રદૂષિત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુંબઈ ના મલાડમાં ફ્રૂટ વેચનારાઓ ધ્વારા ફળોની ઉપર ઉંદર મારવાની દવા લગાડતા હોવાનો ચોંકાવી દેનારો વિડીયો સોશિયલ મીડિયા પર ગઈ કાલે વાઇરલ થયો હતો. એના આધારે મલાડ પોલીસે મનોજ કેસરવાની અને બિપિન કેસરવાની નામના બે ફ્રૂટ વેચતા ફેરિયાઓની ધરપકડ કરી હતી. બંને આરોપી સ્થાનિક બજાર ખાતે ફળ વેચવાનો વર્ષોથી ધંધો કરી રહ્યા છે. ત્યારે ત્યાંના એક સ્થાનિક રહેવાસીએ આરોપી ફળો ઉપર ઝેરી દવા રેટોલ લગાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન આરોપીઓએ સ્વીકાર્યું કે રાત્રે ઉંદરોથી થતાં નુકશાનથી બચવા માટે તેઓ સફરજન અને દાડમ જેવા ફળો પર રેટોલ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભ્રષ્ટાચાર નો અખાડો બની ગયેલી સુરત મહાનગર પાલિકામાં બિરાજમાન થતા અધિકારીઓ કે પદાધિકારીઓ જેના હાથમાં એના મોંમા નીતિ અપનાવી જ્યારે શાસન ચલાવતા હોય ત્યારે ભ્રષ્ટાચારીઓને ખુલ્લુ મેદાન મળી જતું હોય છે. અને એનો નમૂનો એટલે ૧૫ લાખ જેવી અધધ!! રકમની લાંબી લાંચ માંગીને વચેટીયા જેવા પત્રકાર ને વિપુલ ગણેશવાલા ના નામે રૂપિયા ચાર લાખ લઈને ભાગી છુટવાનો મોકો મળે છે. અહીં વાત કરવી છે તાજેતરમાં લાંચ ના છટકામાં પકડાતા પકડાતા છટકી ગયેલા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને એના વચેટીયા જેવા પત્રકાર પરવાના ની એવા લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા ગણેશવાલા ના સમયમાં જ લિંબાયત ઝોનમા અનેક માર્કેટોના…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતના રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં પધાર્યા હતા અને તેમણે ખૂબ જ સારી પ્રાકૃતિક ખેતીની વાત કરી. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા, જૈવિક ખેતીથી થતા નુકસાન, કેમિકલયુક્ત ખેતીથી થતા નુકસાન જણાવ્યા અને પોતાનો અનુભવ શેર કર્યો તેનાથી અમને ખૂબ જ ખુશી થઈ. તો રાજ્યપાલ ખેડૂતો માટે આટલું વિચારે છે પણ શું સરકાર આટલું વિચારે છે? આજે મારો ખેતી મુદ્દે સવાલ હતો કે બે વર્ષમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધનો કરવામાં આવ્યા તેના આધારે તેમણે રાજ્ય સરકારને કેટલા સૂચનો…

Read More

સોનાના વાયદામાં રૂ.502 અને ચાંદીના વાયદામાં રૂ.6581ની તેજીઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.4નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.18493.07 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.280862.55 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13869.14 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39935 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.299355.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18493.07 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.280862.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39935 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1582.03 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13869.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160050ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160719 અને…

Read More