Author: Garvi Gujarat

એન્જિનમાંથી નિકળ્યા ધૂમાડા, ૨૩૬ મુસાફરો સવાર હતા કોલકાતા એરપોર્ટ પર તૂર્કીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી કોલકાતા એરપોર્ટ પર બુધવારે એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાન તુર્કીશ એરલાઇન્સનું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. તુર્કીશ એરલાઇન ફ્લાઇટ કાઠમંડુથી ઇસ્તંબુલ માટે ઉડાન ભરી હતી, પરંતુ તેના એન્જિનમાંથી ધુમાડો નીકળતો હોવાની શંકા હતી. ત્યારબાદ, વિમાને કોલકાતાના નેતાજી ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. હાલમાં બધા…

Read More

ટ્રેડ ડીલ પર બોલ્યા શિવસેના (યુટીબી) સાંસદ સંજય રાઉત અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે જે ટ્રેડ ડીલ થઈ છે, જેનાથી આપણા દેશને લગભગ અમેરિકાના ચરણોમાં સમર્પિત કરી દીધો છે : સાંસદ સંજય રાઉત ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર શિવસેના (ેંમ્) સાંસદ સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું કે, આ ડીલ હેઠળ અમેરિકાએ ભારતને ખરીદી લીધું છે. આ સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારના લોકોને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. અને સરકાર બ્લેકમેલ થઈ ગઈ. સંજય રાઉતે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને મોદી સરકાર પર…

Read More

વર્ષ ૨૦૨૫માં નક્સલવાદી હિંસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની ૨૦૧૯થી અત્યાર સુધી ૭,૪૦૦ નક્સલીઓની ધરપકડ કરાઈ ૨૦૧૦ની તુલનામાં નક્સલી હિંસામાં ૮૮%નો ઘટાડો : હાલ દેશના ફક્ત આઠ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત છે: ગૃહ રાજ્યમંત્રી કેન્દ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપીને જણાવ્યું કે ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૭,૪૦૦થી વધુ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને ૫,૮૮૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. વર્ષ ૨૦૧૦માં નક્સલવાદ સંબંધિત હિંસાની ૧,૯૩૬ ઘટનાઓ બની હતી, જેમાં ભારે ઘટાડો થયો છે અને વર્ષ ૨૦૨૫માં નક્સલવાદી હિંસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની, એટલે કે આ પ્રકારની હિંસાની ઘટનાઓમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે.એક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી…

Read More

સિવિલમાં દરરોજ મોંઢાના કેન્સરના ૫ાંચ દર્દીની એન્ટ્રી! પુરુષોમાં મોંઢાના કેન્સરના કેસ એક વર્ષમાં ૧૦% વધ્યાં સિવિલની કેન્સર હોસ્પિટલમાં પેટ-સિટી સ્કેનની સંખ્યા ૨૦૨૧માં ૧૮૧૩ હતી, તે ૨૦૨૫માં વધીને ૬૩૩૩ થઈ છે સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના ૨૩૫૨ દર્દી નોંધાયા છે. જેમાં ૧૯૩૧ પુરુષ અને ૪૨૧ મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી ૧૯ ટકા માત્ર મોંઢાના કેન્સરને લગતા હોય છે. દર વર્ષે ચોથી ફેબ્રુરઆરીની ઉજવણી ‘કેન્સર દિવસ તરીકે કરવામાં આવે છે. વર્ષ…

Read More

અદિતિએ ઇન્ટરવ્યુમાં ઇમ્તિઆઝ અલી સાથે કામ કરવાની લાલચ વિશે વાત કરી અદિતિએ ઇમ્તિઆઝ અલીની ‘ઓ સાથી રે’ને ઘણી ચેલેન્જિંગ ગણાવી ‘ઓ સાથી રે’ ફિલ્મને એક મેટ્રોપોલિટન સિટીમાં વિન્ટેજ સ્ટાઇલમાં આકાર લેતી એક લાગણીસભર લવ સ્ટોરી ગણાવાઈ અદિતિ રાવ હૈદ્રી ફરી એક વખત ઇમ્તિઆઝ અલીની ફિલ્મમાં ચમકવા જઈ રહી છે. તેણે આ પહેલાં તેમની સાથે રોકસ્ટારમાં કામ કર્યું હતું, જાેકે, તેમાં તેનો રોલ ખાસ લાંબો નહોતો. ત્યારે એક વર્ષ પહેલાં જ્યારે આ ફિલ્મની જાહેરાત થઈ તો દર્શકો ઉત્સાહમાં આવી ગયા હતા. અદિતિ ઇમ્તિઆઝ અલી સાથે ‘ઓ સાથી રે’ ફિલ્મમાં કામ કરી રહી છે. નેટફ્લિક્સ પ્રોડક્શન્સ દ્વારા આ ફિલ્મને એક મેટ્રોપોલિટન સિટીમાં…

Read More

ધનુષ સાથે લગ્ન બાબતે મૃણાલે મૌન તોડ્યું આ દુનિયામાં દરેકને પ્રેમ મળવો જાેઈએ : મૃણાલ સ્ત્રી છે કે પુરુષ, તેનાથી કોઈ ફરક પડતો નથી, તમે પ્રેમમાં હોય એ વ્યક્તિ માટે તમે બધું જ કરો છો : મૃણાલ મૃણાલ હાલ તેના નવા સિંગલ ‘ભીગી ભીગી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાથે જ છેલ્લા કેટલાંક વખતથી તેનાં ધનુષ સાથે લગ્ન થવાની ચર્ચા પણ વારંવાર વાયરલ થઈ રહી છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મૃણાલ ઠાકુરે આ અંગે ખુલાસો કર્યાે છે અને પ્રેમ માટેના તેના વિચારો વ્યક્ત કર્યાં હતાં. મૃણાલે કહ્યું હતું કે પ્રેમ એવી બાબત છે કે જે વ્યક્તિને પોતાનાં એક સારા વર્ઝનનો પરિચય કરાવે…

Read More

કોર્ટે આપ્યો આદેશ ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને આત્મસમર્પણ કરવું પડશે અગાઉ એપ્રિલ ૨૦૧૮ માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને છ મહિનાની કેદની સજા ફટકારી હતી બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કડક અવલોકન કરતાં જણાવ્યું હતું કે અભિનેતાએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તે પૈસા પરત કરશે પરંતુ ટ્રાયલ કોર્ટના આદેશોનું…

Read More

પોસ્ટર બહાર આવતા જ ફેન્સે તેને વાયરલ કરી દીધું રણવીર સિંહના દમદાર લુક સાથે ‘ધુરંધર ૨’નો ફર્સ્ટ લુક આઉટ ફિલ્મ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે ર્નિદેશક આદિત્ય ધરની અપકમિંગ એક્શન ફિલ્મ ‘ધુરંધર ૨’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે. ફિલ્મના ટીઝર રિલીઝ પહેલા જ મેકર્સે ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કરતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને રણવીર સિંહનો નવો લુક ફેન્સ માટે મોટો સરપ્રાઇઝ સાબિત થયો છે. પોસ્ટર બહાર આવતા જ ફેન્સે તેને વાયરલ કરી દીધું છે.રણવીર સિંહે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનું નવું…

Read More

ધો.૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ ગંભીર વળાંક લીધો મણિનગરની દુર્ગા સ્કૂલમાં બદલાની ભાવનાથી કેમિકલ ભેળવીને જીવલેણ કૃત્ય આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા ‘દુર્ગા સ્કૂલ’માં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધોરણ ૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ બદલવાની કે સામાન્ય બાબતને લઈને થયેલા ઉગ્ર ઝઘડા બાદ એક વિદ્યાર્થીએ બદલો લેવા માટે તેના મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું હતું. આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ ઘટના લગભગ ચાર…

Read More

સ્થાનિક લોકોએ પાણી નાખીને બચાવ્યો અસારવા ચોક પાસે વૃદ્ધનો જાહેરમાં પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ સ્થાનિક લોકો અને પસાર થતા લોકોએ તાત્કાલિક તેમને ઉપાડીને નજીકના સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અમદાવાદના અસારવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અસારવા ચોક પાસે એક આધેડ વ્યક્તિએ જાહેર સ્થળે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અસારવા ચોક પાસેના વ્યસ્ત રસ્તા પર આ આધેડ વ્યક્તિએ અચાનક પેટ્રોલ કાઢી અને પોતાના શરીર પર છાંટવાનું શરૂ કરી દીધું હતું. તેને આગ લગાવવાનો પ્રયાસ કરતાં આસપાસના…

Read More