Author: garvigujrat

​(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનો અધિકારીઓ, નિવૃત્ત અધિકારીઓ અને તેમના સગા- સંબંધીઓના ઘરે અંગત કામ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આ ગેરકાયદેસર પ્રથા સામે મોરચો માંડવામાં આવ્યો છે. ​કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે, પાલિકાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાના અંગત નિવાસસ્થાને સફાઈ, રસોઈ અને ઘરવખરીના કામો માટે પાલિકાના સફાઈ કામદારોને ફરજ પર મૂકે છે. આ પ્રકારની પ્રવૃત્તિને કારણે પાલિકાની મુખ્ય ફરજોમાં સફાઈ કામદારોની અછત વર્તાય છે અને બાકીના કર્મચારીઓ પર કામનું અતિશય ભારણ વધી રહ્યું છે. ​મહામંડળ દ્વારા કરવામાં આવેલા મુખ્ય આક્ષેપો: ​અધિકારીઓની ખુશામત: કેટલાક સેનેટરી ઇન્સ્પેક્ટરો…

Read More

હાર્ડ ડિસ્ક્સ ચોરીની જાણ ૨૧ મે, ૨૦૨૬ના થઈ હતી ઝોયા અખ્તરના પ્રોડક્શન હાઉસમાંથી ફિલ્મની હાર્ડ ડિસ્ક્સ ચોરી પોલીસે પચીસ જેટલી હાર્ડ ડિસ્ક્સ ચોરીને સસ્તી કિંમતે વેચી દેનારા કંપનીના કર્મચારી સહિત બે જણની ધરપકડ કરી હતી ફિલ્મમેકર-પ્રોડ્યુસર ઝોયા અખ્તર અને સ્ક્રીનરાઈટર રીમા કાગતીના માલિકીના પ્રોડક્શન હાઉસની બાન્દ્રામાં આવેલી ઑફિસમાંથી ફિલ્મશૂટની હાર્ડ ડિસ્ક્સ ચોરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસે પચીસ જેટલી હાર્ડ ડિસ્ક્સ ચોરીને સસ્તી કિંમતે વેચી દેનારા કંપનીના કર્મચારી સહિત બે જણની ધરપકડ કરી હતી.બાન્દ્રા પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ મોહમ્મદ શાહીદ અઝીમ ખાન અને રિતેશ શાહ (૪૪) તરીકે થઈ હતી. આરોપી ખાન ફિલ્મ પ્રોડ્યુસર ઝોયા અખ્તરની કંપનીનો કર્મચારી…

Read More

ઉત્સાહમાં ને ઉત્સાહમાં સ્ટેજ પરથી જ બે વખત જીભ લપસી અભિનેતા રામ ચરણે જસપ્રીત બુમરાહથી માફી માંગી! ભોપાલના કાર્યક્રમમાં રામ ચરણને ભારતીય ક્રિકેટરો વિશે થોડા શબ્દોમાં અભિપ્રાય આપવા માટે કહેવામાં આવ્યું હતું સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ પોતાની આગામી ફિલ્મ ‘પેદ્દી’ના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ માટે મધ્યપ્રદેશના ભોપાલ પહોંચ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન પણ હાજર રહ્યા હતા. ઇવેન્ટ દરમિયાન વાતચીત કરતી વખતે રામ ચરણે ભારતીય ક્રિકેટરોના જાેરદાર વખાણ કર્યા હતા, પરંતુ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ઉલ્લેખ કરતી વખતે તેમનાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી.રામ ચરણે જસપ્રીત…

Read More

રણવીરની મનમાનીથી ૪૫ કરોડનું નુકસાન થયાની ફરહાનની ફરિયાદ ડોન થ્રી અચાનક છોડી દેવા બદલ સિને ફેડરેશનનો રણવીર પર પ્રતિબંધ તમામ સિને સંગઠનોને પ્રતિબંધનો અમલ કરવા અપીલ : બીજી તરફ, રણવીરે કહેડાવી દીધું કે હું જવાબ આપવા બંધાયેલો નથી બોલિવુડનાં ફિલ્મ નિર્માણનાં જુદાં જુદાં પાસાંને લગતાં કામ કરનારા કલાકારો, ટેકનિશિયનો, ક્રૂ મેમ્બર્સનાં ૩૦થી વધારે સંગઠનોના બનેલાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ (એફડબલ્યૂઆઈસીઈ) દ્વારા રણવીર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. રણવીરે ‘ડોન થ્રી’ ફિલ્મ સાઈન કર્યા બાદ તેનું શૂટિંગ શરુ થવાને દસ જ દિવસ બાકી હતા ત્યારે અચાનક ફિલ્મ છોડી દેતાં પોતાને ૪૫ કરોડનું નુકસાન થયાની ફરિયાદ નિર્માતા ફરહાન અખ્તરે કર્યા…

Read More

દિકરા વરુણ ધવન સાથેની ચર્ચામાં ડેવિડે કલાકારોને બેવફા ગણાવ્યા નિવૃત્તિ જાહેર કરતા ડેવિડ ધવને કલાકારોની વફાદારી પર ટોણો માર્યાે મેં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, રાજ બબ્બર, રિશિ કપૂર, સંજય દત્ત, ગોવિંદા અને સલમાન ખાન સાથે કામ કર્યું છે : ડેવિડ ધવન ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકપ્રિય કોમેડી ફિલ્મો આપનારા ડિરેક્ટર ડેવિડ ધવને નિવૃત્તિ જાહેર કરતા પોતાના દિકરા વરુણ ધવન સાથે એક પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બોલિવૂડનાં એક્ટર્સ પર પરોક્ષ રીતે નિશાન સાધતાં કહ્યું કે તેઓ કોઈ પ્રત્યે વફાદાર રહેતા નથી. ડેવિડ ધવને ૭૪ વર્ષે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેતા, પોતાની કૅરિયર અને સ્ટાર્સ સાથેના કામના અનુભવો વિશે ખુલીને વાતચીત કરી…

Read More

રાજ્યની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૯ અને ૨૦ મે ૨૦૨૬ દરમિયાન ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ, પાયાના શિક્ષણ અને જીવન ઘડતરના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૭.૫૯ લાખથી વધુ વાલીઓ અને ૧૯.૭૦ લાખથી વધુ બાળકો સહભાગી થયા હતા. આંગણવાડી માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ બાળકના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર માટેનું એક મહત્વનું પ્લેટફોર્મ છે જેને આ કાર્યક્રમ થકી વાલીઓ સુધી પહોંચાડવામાં આવી છે. આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત…

Read More

મોંઘવારીની સીધી અસર રસોડા પર.શાકભાજી-કરિયાણું મોંઘું થતાં સામાન્ય નાગરિકોની કમર તુટી!.ઇંધણના ભાવવધારાને કારણે કરિયાણા સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો જાેવા મળ્યો.સુરત શહેરમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર એટલો મોટો બોજ નાખ્યો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય રાજનીતિના બહાને ઇંધણના ભાવમાં જે ઝીંકાયેલો સતત વધારો છે, તેણે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને આંબતા ભાવોને કારણે માલવાહક વાહનોના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સીધો અને અસહ્ય ઉછાળો આવ્યો છે. સત્તાવાર માહિતી મુજબ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સીધો ૧૦%નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે, જેની સીધી અને ઘાતક અસર કરિયાણા…

Read More

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો ર્નિણય.ખેડૂતો પેટ્રોલ પંપ પરથી એકસાથે ૨૦૦ લીટર સુધીનું ડીઝલ મેળવી શકશે.સરકારના અને પુરવઠા વિભાગના આ ર્નિણયથી ખેડૂતોનો કિંમતી સમય અને પેટ્રોલ પંપ સુધી જવા-આવવાનું ઈંધણ બંને બચશે.રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક ખૂબ જ મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી ખેડૂતો પોતાના ખેતીના કામકાજ માટે કોઈપણ પેટ્રોલ પંપ પરથી એકસાથે ૨૦૦ લીટર સુધીનું ડીઝલ સરળતાથી મેળવી શકશે. પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ખેતીકામ સરળ બનાવવાના હેતુથી આ ડીઝલ વિતરણની મર્યાદા સત્તાવાર રીતે નક્કી કરવામાં આવી છે. ખેતીની સિઝનમાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા અને પાણીના પંપસેટ માટે ડીઝલની વારંવાર અને મોટા જથ્થામાં જરૂર પડતી…

Read More

દેશની ૬૬ હસ્તીઓ પદ્મ પુરસ્કારોથી સન્માનિત.સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.ભારત સરકારે સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અભિનેતા અને ભાજપ સાંસદ હેમા માલિનીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. આજે દેઓલ પરિવાર માટે ભાવનાત્મક ક્ષણ હતી. ભારત સરકારે સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. ધર્મેન્દ્રની પુત્રી, આહના દેઓલ, સમારંભ દરમિયાન સ્પષ્ટપણે ભાવુક થઈ ગઈ.…

Read More

પેટ્રોલ પંપ પર નો સ્ટોકના પાટિયા.એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવા માંગલોકો સરકારની નીતિઓ અને ખાસ કરીને ચૂંટણી પછી તરત જ થયેલા ભાવ વધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગણતરીના દિવસોમાં ચોથી વખત વધારો ઝીંકવામાં આવતા સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જાેડાયેલા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. એક તરફ ભાવવધારાનો આકરો માર છે, તો બીજી તરફ કેટલાક પેટ્રોલ પંપો પર ઈંધણ ના હોવાના પાટિયા લાગી ગયા છે. ડીઝલના વેચાણ પર માત્ર ૧૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવતા વાહનચાલકોની હાલાકી બેવડાઈ છે. આંતરરાષ્ટ્રીય બજાર અને યુદ્ધના કારણો વચ્ચે લોકો સરકારની નીતિઓ અને…

Read More