- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
વડાપ્રધાન મોદીને મળ્યું વધુ એક સન્માન સેશેલ્સે મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી નવાજ્યા આ એવોર્ડ મોદીને પર્યાવરણ બચાવવા તેમના દ્વારા નિભાવવામાં આવેલી સાહસિક વૈશ્વિક લીડરશિપ માટે આપવામાં આવ્યો આજે સમગ્ર વિશ્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૈશ્વિક કૂટનીતિ અને પર્યાવરણ સુરક્ષા નીતિઓનો સ્વીકાર કરી રહ્યું છે. હિંદ મહાસાગરના રણીતિક અને સુંદર દ્વીપ રાષ્ટ્ર સેશેલ્સે પોતાની આઝાદીની સુવર્ણ જયંતિના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીને પોતાના દેશનો સૌથી પ્રતિષ્ઠિતઅને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બીચ / બ્લુ હોરાઇઝન (Guardian of the Blue Horizon) એનાયત કર્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સેશેલ્સના રાષ્ટ્રપતિ દ્વારા પીએમ મોદીને પર્યાવરણ બચાવવા, સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ (સતત વિકાસ) અને ગ્રીન…
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા દરેક સમાજના પ્રતિનિધિઓની એક મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 2 જુલાઈના રોજ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા” આયોજન કરવામાં આવશે. આ “સામાજિક જનસમર્થન સભા”માં અંબાજીથી ઉમરગામ અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિત તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ અને લોકોને સાથે રાખીને ઉપસ્થિત રહેશે. તારીખ 2 જુલાઈના રોજ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને ધારાસભ્ય…
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડીયાપાડાના એપીએમસી માર્કેટમાં (હાટ બજાર) ખાતે આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા દરેક સમાજના પ્રતિનિધિઓની એક મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 2 જુલાઈના રોજ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા” આયોજન કરવામાં આવશે. આ “સામાજિક જનસમર્થન સભા”માં અંબાજીથી ઉમરગામ અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિત તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ અને લોકોને સાથે રાખીને ઉપસ્થિત રહેશે. તારીખ 2 જુલાઈના રોજ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમનું આયોજન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વિશ્વમાં પછાત અને ગરીબ દેશોમાં ધર્મોની બોલબાલા વધારે છે. જેવાકે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત,શ્રીલંકા, ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, નાઇજીરિયા,ઇથોપિયા વિગેરે વિગેરે દેશો કે જ્યાં શિક્ષણનો અભાવ છે.ત્યાં ધર્મની બોલબાલા છે. જ્યારે બીજીતરફ જ્યાં શિક્ષણનું સ્તર ઊંચું છે એવા વિકસિત દેશોમાં બુધ્ધિજીવી લોકો અને શિક્ષિત પ્રજાની સંખ્યા વધુ છે.કારણકે બુધ્ધિજીવી લોકો ખાસ કરીને ધર્મો ના પ્રભાવથી દૂર રહે છે. આ બાબતે વર્લ્ડ લેવલ ઉપર થયેલા અભ્યાસ મુજબ કેનેડાના ૭૩% લોકો, સ્પેનના 78% લોકો, ફ્રાન્સના 88% લોકો , નોર્વેના 81% અને ઓસ્ટ્રેલિયા ના 82% લોકો ધર્મને પોતાના જીવનમાં મહત્વપૂર્ણ નથી માનતા. પરંતુ એટલું જ નહીં જ્યારે ઇંગ્લેન્ડ, જર્મની, સ્વીડન જાપાન અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાનનો શેખાવતી વિસ્તાર અનોખી સંસ્કૃતિ તથા વીરો અને ચમત્કારી સંતોની તપોભૂમિ તરીકે જાણીતો છે. ત્યાંના સીકર જિલ્લાના દાંતા રામગઢ ના તહસીલના બાય ગામના રહેવાસી સંત શંકરદાસ મહારાજ, જેમને ભક્તો “ખડેશ્વર બાબા” તરીકે ઓળખે છે.તેઓ પોતાના અનોખા સંકલ્પ ને કારણે આ દિવસોમાં દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. બાબા તાજેતરમાં જ સંપન્ન થયેલી નિર્જળા એકાદશીના દિવસે માતા વૈષ્ણોદેવી ના દર્શન માટે આશરે એક હજાર કિલોમીટર લાંબી અત્યંત કઠિન દંડવત યાત્રા પર નીકળ્યા છે બાબા આખુ અંતર જમીન પર સૂઈને એટલે કે દંડવત પ્રણામ કરતાં કરતાં કાપશે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની પોતાની મુખ્ય…
આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત મહિલા આગેવાન જીગીશા પટેલે જણાવ્યું હતું કે આજે હું અહીં એક પક્ષના નેતા તરીકે નહીં, પરંતુ એક ખેડૂતની દીકરી તરીકે તમારી સમક્ષ ગોંડલ તાલુકાના ખેડૂતોની એક ગંભીર સમસ્યા મૂકવા આવી છું. જેતપર અને કોંઢ ગામની અંદર ખેડૂતો તેમના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનના વિરોધમાં ઉપવાસ પર બેઠા છે, અને એવી જ કપરી પરિસ્થિતિ આપણા ગોંડલ તાલુકામાં પણ ઊભી થવા જઈ રહી છે. જેટકો (JETCO) તરફથી મળેલા જાહેરપત્ર અને દસ્તાવેજો તપાસતા માલૂમ પડ્યું છે કે ગોંડલ તાલુકાના આબલી, ખડવંથલી, ભીંડાવાડ, હડમતાળા, ગરનાળા, અણિયારા, ભાલોડી, ત્રાકુડા, દડવા, વેકરી, પાટીદળ, ચોરડી, જામવાડી, ગોમટા, વોરા કોટડા, બાંદરા, દેવચરી,…
રવિવારનાં લેખ માટે શું લખવું એ વિચારતી હતી! જેઠ મહિનાનાં તહેવારો વિષે લખું! કે કોઈ ખાસ દિવસ આવે છે કે નહીં એનું સર્ચ કર્યું, અને એક વિશેષ વિષય મળી ગયો! 30 જૂન એસ્ટ્રોઈડ દિવસ! એ શું છે એ આપણે પછી જોઈએ! પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં જેને સૌથી વધુ મહત્વ અપાયું હોય તો એ ખગોળ શાસ્ત્ર છે! અને ગ્રહ નક્ષત્રનાં સ્થાન મુજબ વાર, તિથિ, અને મહિનાઓની તેમજ સૂર્ય વર્ષ, કે ચંદ્ર વર્ષ એમ ગણતરી કરવામાં આવે છે, અને જેને આપણે પંચાંગ કહીએ છીએ! નાસા અને ઈસરોની સ્થાપના પણ નહોતી થઈ, ત્યારથી આપણી સંસ્કૃતિનાં ઋષિઓના બહોળા જ્ઞાનને કારણે ખગોળિય ઘટનાઓ વિશે એટલે સૂર્ય…
ઈરાને હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પે ઈરાન પર લગાવ્યો યુદ્ધ વિરામનો ભંગ કરવાનો આરોપ અમેરિકાના રાષ્ટ્રપતિએ ૨૫ જૂનના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજ પર મિસાઈલ હુમલા બાદ આ નિવેદન આપ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૬ જૂન, ૨૦૨૬) ઈરાન પર યુદ્ધવિરામ કરારનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ૨૫ જૂનના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એક કોમર્શિયલ જહાજ પર મિસાઈલ હુમલા બાદ આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પના મતે ઈરાને હુમલો કર્યો હતો, જ્યારે અમેરિકન સેનાએ ત્રણ અન્ય ડ્રોનને રોકી દિધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથસોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ઈરાને હોર્મુઝ…
ઈરાન પર અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સે કહ્યું ઈરાનના ડ્રોન હુમલા બાદ અમેરિકાએ વળતો પ્રહાર કર્યો અમેરિકી વાયુસેનાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજના ગુપ્ત ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી તબાહ કર્યા સ્ટ્રેેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક વ્યાપારી માલવાહક જહાજ પર ઈરાન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર જવાબી સૈન્ય કાર્યવાહી કરીને ફરી એકવાર મિડલ ઈસ્ટમાં તણાવ વધારી દીધો છે. અમેરિકી સેનાના આ મોટા હુમલા બાદ યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “અમેરિકા હિંસાનો જવાબ હિંસાથી જ આપશે.” અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીકથી…
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લઈ શકે છે રૂબિયોએ કહ્યું કે, “અમે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાથી માત્ર થોડાં પગલાં જ દૂર છીએ : ચર્ચા ખૂબ જ સકારાત્મક રહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ અંગે મોટો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ટ્રમ્પની ભારત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે અને મને આશા છે કે, આગામી વર્ષની શરૂઆતમાં આ પ્રવાસ શક્ય બનશે. અહેવાલ મુજબ, વોશિંગ્ટન DC માં ભારત-અમેરિકા સંબંધો અંગે વાત કરતાં રૂબિયોએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો હાલમાં ખૂબ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


