Author: garvigujrat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત ૦૧ ,મે ગુજરાત સ્થાપના દિવસને કામદાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. અને ગુજરાત સ્થાપના દિવસથી કામદાર દિવસ તરીકે મોટી-મોટી જાહેરાતો, મોટી-મોટી મીંટિંગો, અને પોતાના પાંચ કાર્યકરોને ભેગા કરી નેતાઓ પોતાનો અહમ સંતોષતા હોય છે. કામદારોના હિત કરતા કામદારોના હિત વિરુધ્ધ કામગીરી વધુ થઈ રહેલી છે.કામદારો વિરુધ્ધ કેટલાક કાયદાઓ બહાર પાડી કામદારોને અન્યાય કરવામાં આવી રહેલ છે. કામદારોનું આર્થિક શોષણ, પાયાનો પ્રશ્ન છે. કામદારોના રહેઠાણ, સ્વચ્છ આવાસ જેવા પાયાના પ્રશ્નો અંગે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. જે લોકો અવાજ ઉઠાવે છે તેનો અવાજ સરકારના બહેરા કાન સાંભળતા નથી. કામદારોના હિતમાં રોકવામાં આવેલા અધિકારીઓ તેઓની જવાબદારી નિભાવવામાં…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતમાં ભાજપની સરકારે ૧૨ વર્ષ ઉપરાંત ના ભરચક પ્રયાસો પછી ત્રણ પ્રકારની પ્રજા ઊભી કરી હોય એમ લાગે છે. પ્રજામાં આ જે નવો અને મજબૂત વર્ગ ઊભો થયો છે તેને ભાજપના ખાસ કરીને મોદીના ટેકેદાર થવાની ફરજ પડી છે. જે પ્રથમ વર્ગ છે તે લાભાન્વિત બેનિફિશીયરી વર્ગ છે. લાભાન્વિત વર્ગ એટલે કે એવો વર્ગ કે જેને મોદી સરકારની નીતિઓને કારણે લાભ થયો છે. વડાપ્રધાને ઘણા બધા ઉત્સવો કર્યા. આ ઉત્સવોથી અનેક પ્રકારનું ઉત્પાદન થયું. મંડપવાળા,ખુરશીવાળા, કેટરર્સવાળા, લાઈટોવાળા, બાઈકવાળા,ટ્રાવેલ્સવાળા,પાથરણાવાળા વિગેરેને ખૂબ જ લાભ થયો. એ જ રીતે મોદી સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ બંધ કરી દીધું એટલે મકાનો…

Read More

ઈટાલિયાના ગઢમાં AAP નો દબદબો.જુનાગઢ જિલ્લામાં ૯ તાલુકા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો દબદબો.જુનાગઢ તાલુકાની ૧૮ બેઠક પૈકી ૯-૯ બેઠક પર ભાજપ- આપનો વિજય થતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.જુનાગઢ જિલ્લાની નવ તાલુકા પંચાયતની ૧૫૮ બેઠક પર ચૂંટણી જંગ પૂર્ણ થયો છે અને ચિત્ર પણ સ્પષ્ટ થયું છે. જેમાં ગોપાલ ઇટાલીયાનો ગઢ ગણાતા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત કબજે કરી છે. જ્યારે ભેસાણ તાલુકાની ૧૬ બેઠકમાંથી ૧૩ બેઠક પર આમ આદમી પાર્ટી અને ત્રણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે જુનાગઢ તાલુકાની ૧૮ બેઠક પૈકી ૯-૯ બેઠક પર ભાજપ- આપનો વિજય થતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો…

Read More

ડિજિટલ અરેસ્ટ પર એક્શન.WhatsApp એ ભારતમાં ૯,૪૦૦ એકાઉન્ટ્સ કર્યા બેન.વ્હોટ્સએપે જાન્યુઆરી ૨૦૨૬થી અત્યાર સુધીમાં છેતરપિંડીમાં સંડોવાયેલા લગભગ ૯૪૦૦ જેટલા શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ કરી દીધા.ભારતમાં વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ‘ના કૌભાંડોને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સરકારી એજન્સીઓ અત્યારે એક્શન મોડમાં છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સાયબર ગુનાઓને રોકવા માટે ટેલિકોમ વિભાગ, આરબીઆઈ, સીબીઆઈ અને મોટી ટેક કંપનીઓ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવી રહી છે. આ કડક કાર્યવાહીના પરિણામે, વ્હોટ્સએપે જાન્યુઆરી ૨૦૨૬થી અત્યાર સુધીમાં છેતરપિંડીમાં સંડોવાયેલા લગભગ ૯૪૦૦ જેટલા શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે, જેથી સામાન્ય નાગરિકોને આવી ઓનલાઈન ઠગાઈથી બચાવી શકાય. ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ સેન્ટર…

Read More

માત્ર ૫થી ૭ દિવસનો જ બચ્યો ક્રૂડ ઓઇલનો સ્ટોક.હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા પાકિસ્તાનની હાલત કફોડી.આ સંકટના પગલે પાકિસ્તાન એરલાઇન્સ માટે ઇંધણની અછતની ચેતવણી જારી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.પાકિસ્તાન હાલમાં અત્યંત ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો સ્ટોક માત્ર ૫થી ૭ દિવસ ચાલે તેટલો જ બચ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશ પાસે પેટ્રોલનો એક દિવસનો પણ રિઝર્વ સ્ટોક નથી, જ્યારે ડીઝલનો જથ્થો ૨૬-૨૮ દિવસ અને ન્ઁય્નો સ્ટોક માત્ર ૧૫ દિવસ ચાલે તેટલો જ છે. આ સંકટના પગલે પાકિસ્તાન એરલાઇન્સ…

Read More

અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે.ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે.એન્જિનિયરોએ આ પ્રોજેક્ટમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક મિસાલ કાયમ કરી છે.યુપીમાં આર્થિક ક્રાંતિ લાવવા જઈ રહેલો આ એક્સપ્રેસવે એન્જિનિયરિંગની અદભૂત નમૂનો છે. જેમાં લાખો ટન કચરાનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ થયો છે, તો બીજી તરફ તે ડિજિટલ નેટવર્કથી પણ સજ્જ છે. ગંગા એક્સપ્રેસવેની સાથે ૨ મીટર પહોળો યુટિલિટી કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ કોરિડોરને કારણે ભવિષ્યમાં ઈન્ટરનેટ કેબલ કે ગેસ પાઈપલાઈન નાખવા માટે ક્યારેય રસ્તાને ખોદવો નહીં પડે. આ ઉપરાંત અહીં બિછાવવામાં આવેલા ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી ઉત્તર પ્રદેશના ૫૧૯ ગામોને હાઈસ્પીડ 5G કનેક્ટિવિટી મળશે.…

Read More

કમલમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન.ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી.રાજ્યની તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં ભાજપે ક્લીન સ્વીપ કરીને શહેરી વિસ્તારોમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી છે.આ પ્રચંડ વિજયની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કમલમ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કમલમ ખાતે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જાેવા મળ્યો હતો, જ્યાં નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષના નેતાઓ આ જીતને ટ્રિપલ એન્જિન સરકારની કામગીરી અને ગુજરાતની પ્રજાના ભારતીય જનતા પાર્ટીમાં રહેલા વિશ્વાસનું પરિણામ ગણાવી રહ્યા છે. ચૂંટણી પરિણામોનું…

Read More

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર.ઉત્તરના રાજ્યોને ગરમીથી રાહત મળશે આજે વરસાદ થશે.બાંદામાં સૌથી વધુ ૪૭.૬ ડિગ્રી તાપમાન: ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ્સ’ કાર્યરત કરવા રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ.ઉત્તર ભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મંગળવારે દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી સાથે તાપમાનમાં થોડી રાહત મળવાની શક્યતા છે. સોમવારે અનેક વિસ્તારોમાં આકરી ગરમીથી કોઈ રાહત મળી ન હતી, જેના કારણે રહેવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૫.૪ ડિગ્રી વધુ હતું.મહારાષ્ટ્રના અકોલામાં ૪૬.૯ ડિગ્રી સેલ્સિયસ…

Read More

સ્ક્રિપ્ટ તૈયાર હોવાનો સુભાષ ઘઈનો દાવો.અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાયની તાલનો બીજાે ભાગ આવશે.પોતાની પાછલી કેટલીક ફિલ્મો કાસ્ટિંગમાં ભૂલને કારણે નહિ ચાલી હોવાની ઘઈની કબૂલાત.અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાય તથા અનિલ કપૂર જેવા કલાકારો ધરાવતી અને અનેક સુપરહિટ ગીતો ધરાવતી ફિલ્મ ‘તાલ’ રજૂ થયાના ૨૭ વર્ષ બાદ હવે ‘તાલ ટુ’ બનાવવાની જાહેરાત સર્જક સુભાષ ઘઈએ કરી છે. તાજેતરમાં ઘઈએ કહ્યું હતું કે આ ફિલ્મનો બીજાે ભાગ ક્યારે આવશે તે સવાલ મને વર્ષાેથી પૂછાતો હતો. મને લાગે છે કે અત્યારે તે માટેનો સમય પાકી ગયો છે. ‘તાલ ટુ’ની સ્ક્રિપ્ટ પણ લખાઈ ચૂકી છે એમ તેમણે કહ્યું હતું. ઘઈએ કહ્યું હતું કે ‘તાલ ‘…

Read More

રિચા હવે એક ક્રાઈમ થ્રિલર સીરિઝમાં જાેવા મળશે.ગ્લેમર છોડીને જાણીતી બોલીવૂડ એક્ટ્રેસે પક્ડ્યો જાસુસીનો રસ્તો?.૨૦૦૮માં ‘ઓય લકી! લકી ઓય!’ થી કરિયરની શરૂઆત કરનાર રિચાને ૨૦૧૨માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી અસલી ઓળખ મળી હતી.ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને માનીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની લોકપ્રિય વેબ સિરીઝ ‘હીરામંડી’માં લાજ્જાેના પાત્રથી વાહવાહી મેળવ્યા બાદ બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા હવે એક સાવ અલગ અવતારમાં પડદા પર પરત ફરી રહી છે. રિચાના અભિનયમાં જે ધાર જાેવા મળે છે, તે હવે એક ક્રાઈમ થ્રિલર સીરિઝમાં જાેવા મળશે, જેણે અત્યારથી જ ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ હાલમાં મધરહૂડનો અહેસાસ માણી રહી છે અને એમાં પણ…

Read More