- Donald Trumpની મધ્યસ્થતામાં Israel-Lebanon સીઝફાયર 3 અઠવાડિયા લંબાયું, શાંતિ વાટાઘાટો ચાલુ
- Tu Meri Zindagi Hai: Kartik Aaryan-Sreeleela ફિલ્મનું ફક્ત 45 દિવસ શૂટિંગ પૂર્ણ, ઘણું બાકી
- Abhay Pannu યશરાજ માટે હોરર ફિલ્મ ડિરેક્ટ કરશે, આવતા વર્ષે રિલીઝનો પ્લાન તૈયાર
- Matka King ગ્લોબલ ટોપ 10માં, Vijay Varmaની સિરીઝ ભારત-યુએઈમાં નંબર 1
- Abhay Pannu યશ રાજ ફિલ્મ્સની પહેલી હોરર ફિલ્મ ડિરેક્ટ કરશે, 2026માં શૂટિંગ શરૂ
- Deepika Padukone પ્રેગનન્સી વચ્ચે ‘રાકા’માં એક્શન સીન કરશે, સ્ક્રીન ટાઇમ ઘટાડાની અફવા ખોટી
- સુરતમાં આંગડિયા ફંડિંગ મુદ્દે રાજકારણ ગરમાયું: મનીષ સિસોદિયાએ ભાજપ પર કર્યા આકરા સવાલ
- વડોદરામાં ચોંકાવનારો કેસ: વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી, સાયબર ક્રાઈમ તપાસની માંગ
Author: Garvi Gujarat
આરોગ્ય કમિશનરે હોસ્પિટલોમાં રખડતાં શ્વાનની ગણતરી કરવાનો આદેશ આરોગ્ય વિભાગ જણાવ્યું કે, હોસ્પિટલોમાં સ્વચ્છતા અને દર્દીઓની સલામતી સર્વોપરી છે. રાજકોટના સરકારી દવાખાનાઓમાં શ્વાનોના આંટાફેરા મુદ્દે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હોસ્પિટલ-વોર્ડમાં શ્વાનો ફરતાં હોવાનો વીડિયો વાઈરલ થતાં આરોગ્ય કમિશનરે હોસ્પિટલોમાં રખડતાં શ્વાનની ગણતરી કરવાનો આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લામાં તમામ પ્રાયમરી હેલ્થ સેન્ટર(PHC), કમ્યુનિટિ હેલ્થ સેન્ટર(CHC), સબ ડિસ્ટ્રીક્ટ અને જિલ્લા હોસ્પિટલ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જેમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં રખડતાં શ્વાનોનો સર્વે કરીને આંકડા આપવા જણાવ્યું છે. રાજકોટ જિલ્લામાં ૫૫ PHC, ૧૨ CHCસહિત કુલ તમામ આરોગ્ય સંસ્થાઓમાંથી વિગતવાર માહિતી રજૂ કરવા સૂચન આપવામાં આવી છે. આરોગ્ય…
ડિવિઝન બેન્ચે આપી લીલી ઝંડી કેરળ હાઈકોર્ટેThe Kerala Story 2 પરનો સ્ટે હટાવ્યો ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ધ કેરળ સ્ટોરી ૨ના મેકર્સ માટે આજે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફિલ્મની રિલીઝ પર લગાવવામાં આવેલો વચગાળાનો સ્ટે(રોક) સંપૂર્ણપણે હટાવી દીધો છે. આ આદેશ બાદ હવે ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકશે. અગાઉ સિંગલ જજની બેન્ચે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કન્ટેન્ટ અને તેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની આશંકા વ્યક્ત કરીને ૧૫ દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેને હવે ડિવિઝન બેન્ચે પલટી નાખી છે. ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ થોમસે ફિલ્મ વિરુદ્ધ થયેલી…
સાબરમતી નદી સહિતના સ્થળોએ લાગશે સોલાર પેનલ કરોડોનું લાઈટબિલ ઘટાડવા માટે અમદાવાદ પાલિકાનો મેગા પ્લાન AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવાશે. અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર પહેલીવાર ઈકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર લાગવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ થકી અમદાવાદ મહાનગરપાલિકા લાઈટબિલનું ભારણ ઘટાડશે, અને લાઈટ બિલ ઓછું આવશે. એટલું જ નહિ, AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, AMC હવે સાબરમતી નદી પર તરતી સોલર પેનલ લગાવશે. સાબરમતી નદી સહિત શહેરમાં આવેલા વિવિધ તળાવોમાં ફ્લોટિંગ સોલર લગાવવાનું આયોજન કરાયું છે. પ્રોજેક્ટના અમલીકરણ અંગે…
કંપનીના CEO પણ ખુશ થઈ ગયા પાંચ વર્ષના બાળકે એરલાઈન પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધી બાળકે એક એરલાઈન કંપનીના પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી અને એક્સપર્ટ પણ જાેતા રહી ગયા. નાની નાની ભૂલો ઘણી વાર મોટા એક્સપર્ટ પણ નથી શોધી શકતા પરંતુ ઘણી વાર એવું બને કે એક બાળક તે ભૂલને શોધી કાઢતું હોય છે. અમેરિકામાં એક આવો જ બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે નવાઈ પામી જશો. એક પાંચ વર્ષના બાળકે એક એરલાઈન કંપનીના પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી અને મોટા મોટા એવિએશન એક્સપર્ટ પણ જાેતા રહી ગયા. આ બાળકનું નામ વિલિયમ હાઈન્સ છે. જે અમેરિકાના કોલોરાડોમાં રહે…
વાહન ચાલકો માટે મોટા સમાચાર પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ બ્લૅન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ ર્નિણય હવે માત્ર ૯૫ RON વાળું E20 પેટ્રોલ જ વેચાશે કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું (૨૦% એથેનોલ મિશ્રિત) વેચાણ ફરજિયાત કરવાનો ર્નિણય કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલ કંપનીઓએ ૨૦% એથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે. સરકારે એથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક ૨૦૩૦થી ઘટાડીને ૨૦૨૫-૨૬ કર્યો હતો. જેને હવે પૂર્ણ રીતે અમલ લાવવામાં આવશે. એન્જિનની સુરક્ષા માટે આ ઇંધણનો રિસર્ચ ઓક્ટેન નંબર (RON) ઓછામાં ઓછો ૯૫ નક્કી કરવામાં આવ્યો છે. RON એટલે ઇંધણની નોકિંગ (એન્જિનની અંદર સમય પહેલા વિસ્ફોટ થવો)…
ભૂકંપના ઝટકાથી કોલકાતાની ધરા ધ્રુજી કોલકાતામાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઘર બહાર દોડી આવ્યા લોકો પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં નોંધાયું : ભૂકંપના ઝટકા માત્ર થોડીક સેકન્ડ અનુભવાયા પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા આશરે ૫.૫ જણાવવામાં આવી રહી છે. ભૂકંપ આવતાં જ લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જાેકે, ભૂકંપને કારણે જાન-માલના કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં નોંધાયું છે. ભૂકંપના ઝટકા માત્ર થોડીક સેકન્ડ જ અનુભવાયા હતા. ભૂકંપની અસર ઊંચી ઇમારતોમાં વધુ અનુભવાઈ હતી. ઘણી…
ભારતીય અર્થતંત્રે ફરી વિશ્વ સમક્ષ તાકાત દર્શાવી ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર, ૭.૮ ટકા નોંધાયો વિકાસ દર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે GDP ડેટા જાહેર કરાયો. ભારતીય અર્થતંત્રે ફરી એકવાર વિશ્વ સમક્ષ પોતાની તાકાત દર્શાવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે GDP ડેટા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ૭.૮% નો વિકાસ દર નોંધાયો છે. નોંધપાત્ર રીતે, આ વૃદ્ધિ એક નવી શ્રેણી હેઠળ માપવામાં આવી હતી, જે નિષ્ણાતોના અંદાજાેને સચોટ રીતે માન્ય કરે છે. બ્લૂમબર્ગ અને બજાર નિષ્ણાતોએ અગાઉ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૭.૬% વૃદ્ધિની આગાહી કરી હતી. ડેટા અનુસાર, ભારતે સફળતાપૂર્વક આ…
તપાસ એજન્સી પાસે પુરાવા નથી : કોર્ટ શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જાેડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ક્લિનચીટ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો…
આત્મહત્યા વિશે સર્ચ કરતાં બાળકોના વાલીઓને એલર્ટ કરાશે ઈન્સ્ટાગ્રામના પેરેન્ટલ સુપરવિઝન પ્રોગામમાં સામેલ વાલીઓને ઈમેઈલ કે વોટ્સએપ પર જાણ કરાશે. જેન-ઝીમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયાનું વળગણ સતત વધી રહ્યું છે. આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ રચનાત્મક બાબતો માટે કરવાની સાથે સાથે જ હવે નવી પેઢી તેનો ઉપયોગ પોતાને નુકસાન પહોંચાડવા કે આત્મહત્યાની પદ્ધતિઓ શોધવા માટે પણ કરી રહી હોવાનો ચિંતાજનક ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. જેને પગલે ઈન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે, જાે કોઈ બાળક તેના પ્લેટફોર્મ પર વારેઘડીએ આત્મહત્યા કે પોતાની જાતને નુકસાન પહોંચાડે તેવી બાબતો અંગે સર્ચ કરતો જણાશે તો તે આવા બાળકોના માબાપને તેની જાણ કરતી એલર્ટ મોકલશે.…
ડિજિટલ પ્લેટફોર્મ એ શક્તિશાળી મીડિયા પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મે કન્ટેન્ટની જવાબદારી લેવી પડશે: વૈષ્ણવ સમાચાર સંસ્થાઓને આવકમાં વાજબી હિસ્સો આપવાની પણ માહિતી અને પ્રસારણ મંત્રીની તાકીદ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ્સે ઓનલાઇન સામગ્રીની જવાબદારી લેવી પડશે. બાળકો અને તમામ નાગરિકોની ઓનલાઈન સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્લેટફોર્મ છે. ડિજિટલ પ્લેટફોર્મે કન્ટેન્ટના સર્જકો અને સમાચાર સંસ્થાઓ સાથે વાજબી ધોરણે આવક વહેંચણી પણ સુનિશ્ચિત કરવી જાેઈએ. જાે તેઓ સ્વૈચ્છિત રીતે આવકમાં હિસ્સેદારી નહીં આપો તો સરકાર કાનૂની વિકલ્પોની વિચારણા કરી શકે છે. સર્જકોને યોગ્ય વળતર નકારવામાં આવે તો ઇનોવેશનને નુકસાન થાય છે.નવી દિલ્હીમાં ડિજિટલ ન્યૂઝ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



