Author: garvigujrat

ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ.રાજકોટની એઈમ્સ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી.આ વિવાદ એટલો વરવો બન્યો હતો કે ફરજ પરની મહિલા સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગા પર હાથ ઉપાડીને તેમને ઢીકાપાટુનો માર માર્યો.રાજકોટની પ્રતિષ્ઠિત એઈમ્સ હોસ્પિટલ તેના નબળા મેનેજમેન્ટ અને સિક્યુરિટી સ્ટાફના અસભ્ય વર્તનને કારણે વધુ એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલના કેમ્પસમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ખાનગી સિક્યુરિટી એજન્સીના સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વરવો બન્યો હતો કે ફરજ પરની મહિલા સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગા પર હાથ ઉપાડીને તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેના કારણે હોસ્પિટલના દર્દીઓ અને અન્ય લોકોમાં રોષ જાેવા…

Read More

જુના સરકારવાડાનું ભાગ ધરાશાયી.વડોદરાની વધુ એક ગાયકવાડી ઇમારત હવે ભયજનક બની.અપના બજાર તેમજ સરદાર સ્કૂલ આવેલા છે જે ઈમારત જર્જરીત બનતા સ્કુલ બંધ કરવામાં આવી છે.વડોદરા શહેરમાં ગાયકવાડી રાજા સમયની ઇમારતો ધીમે ધીમે ભયજનક બની રહી છે ત્યારે માંડવી નજીકની વધુ એક ઇમારતનો ભાગ ધરાશાયી થવાનું બનાવ બન્યો છે. વડોદરા શહેરમાં ગાયકવાડ પરિવારના જુના રહેઠાણ તરીકે ઓળખાતા માંડવી વિસ્તારના સરકારવાડામાં હવે દુકાનો, અપના બજાર તેમજ સરદાર સ્કૂલ આવેલા છે. જે ઈમારત જર્જરીત બનતા સ્કુલ બંધ કરવામાં આવી છે. ગાયકવાડી ઇતિહાસની સાક્ષીરૂપ ઉપરોક્ત ઈમારત આજે પણ શિલ્પ અને સ્થાપત્યના પ્રેમીઓ જાેવા માટે આવતા હોય છે. હેરિટેજ વોકમાં પણ આ ઇમારતનો સમાવેશ…

Read More

પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા.નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી ૩૧ એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો.રૂ. ૨૩.૨૫ લાખની કિંમતના વાહનોની ચોરી કરનાર ગેંગને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધી છે.અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા હોન્ડા શોરૂમના ગોડાઉનમાંથી ચાવી સાથેના ૩૧ એક્ટિવા ચોરાવાની સનસનાટીભરી ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. રૂ. ૨૩.૨૫ લાખની કિંમતના વાહનોની ચોરી કરનાર ગેંગને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. નિકોલના અક્ષર કોમ્પ્લેક્સમાં આવેલા સિંગલ ઓટો મોટીવ પ્રા. લિ. નામના હોન્ડાના શોરૂમમાં ગત ૧ જાન્યુઆરીએ ૧૨૦૦ એક્ટિવાનો સ્ટોક હતો. જાેકે, ૧ એપ્રિલના રોજ જ્યારે સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે ૩૧ એક્ટિવા ઓછા જણાયા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, ગોડાઉનમાં ગાડીઓમાં…

Read More

૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન.અમદાવાદમાં સાત દિવસ યલો એલર્ટ જાહેર કરાયું.હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર નહીં.ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. જાેકે, તે પહેલા ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કેવા હવામાનની શક્યતા છે તે અંગેની હવામાન વિભાગની આગાહી જાેઈએ. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેર માટે હિટ એક્શન પ્લાન અંતર્ગત સાત દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ દિવસોમાં અમદાવાદનું તાપમાન…

Read More

ભારત સરકારનો મોટો ર્નિણય.૨૦૨૦ બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ.વિઝા આપવા માટે સામાન્ય પ્રક્રિયાઓનું પાલન થશે, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત થશે.ભારત સરકારે એક મોટો ર્નિણય લીધો છે. ભારત સરકાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. પાંચ વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હવે બંને દેશો વચ્ચેના સંબંધોમાં જામેલો બરફ ધીમે-ધીમે પીગળી રહ્યો છે. આ મહત્વપૂર્ણ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે-ધીમે આવી રહેલી નરમાશના ભાગરૂપે ભરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ સેવાઓ ફરી…

Read More

અફવાઓ પર ધ્યાન ના આપો…પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા.પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભાવ વધારાના અહેવાલો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભાવ વધારાના અહેવાલો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર પાસે અત્યારે ઇંધણના ભાવ વધારવા માટેનો આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આથી, નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગભરાવાની જરૂર નથી. આ અંગે મંત્રાલયે X પર જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના અહેવાલો માત્ર…

Read More

ઈરાન સંઘર્ષ બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં રૅકોર્ડ ઘટાડો.અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ! .જીવનનિર્વાહના ખર્ચ મુદ્દે ૭૬% લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે માત્ર ૨૩% લોકો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે.અમેરિકામાં યોજાનારી આગામી મિડટર્મ ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રાફમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોઇટર્સ-ઇપ્સોસ, વેરાસાઇટ અને AP-NORC દ્વારા કરવામાં આવેલા તાજેતરના પોલ્સ દર્શાવે છે કે, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને ૩૩%થી ૩૬%ની વચ્ચે આવી ગયું છે, જે તેમના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરો પૈકીનું એક છે. AP-NORC ના સર્વે મુજબ, ૧૦માંથી ૭ અમેરિકનો માને છે કે દેશનું અર્થતંત્ર નબળું છે અને દેશ ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે. ટ્રમ્પના અર્થતંત્ર પ્રત્યેના ર્નિણયોને…

Read More

IPL આચારસંહિતાનો ભંગ બદલ ફટકારી સજા.રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર નંદ્રે બર્ગરને IPL ફટકાર્યો દંડ.બર્ગરને તેની મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યા.રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર નંદ્રે બર્ગરને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન IPL આચારસંહિતાનો ભંગ કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. પરિણામે દક્ષિણ આફ્રિકાના બોલર પર દંડ ફટકારવામાં આવ્યો છે. બર્ગરને તેની મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં બોલરને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. નંદ્રે બર્ગરને કલમ ૨.૫ હેઠળ લેવલ ૧ના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. એક નિવેદનમાં IPL કહ્યું કે નંદ્રે બર્ગરે કલમ ૨.૫ હેઠળ લેવલ ૧ના ગુનાનો સ્વીકાર કર્યો…

Read More

બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર.ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા.તેમણે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કરતા રાજ્યમાં પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કર્યો.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કરતા રાજ્યમાં પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ઝાલમુરીના કિસ્સાનો ઉલ્લેખ કરતા કટાક્ષમાં કહ્યું કે, મેં બંગાળમાં ઝાલમુરી ખાધી હતી, પરંતુ એવું લાગે છે કે તેના મરચાંનો તીખો સ્વાદ ટીએમસીના નેતાઓને લાગ્યો છે. ૪ મેના રોજ ભાજપની જીત નક્કી છે અને તે દિવસે બંગાળમાં…

Read More

મકાન માલિક સહિત બે ફરાર સરદારનગરમાંPCB દરોડા, વિદેશી દારૂ સાથે એક ઝડપાયો પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની સીલબંધ બોટલો મળી અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ સરદારનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. રહેણાંક મકાનમાં ચાલતા દારૂના વેપલા પર ત્રાટકેલી પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ ૫૯૮ બોટલો સાથે એક શખસને રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખસોને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે. મળતી માહિતી અનુસાર, પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે સરદારનગરના આંબાવાડી ચાર રસ્તા પાસે આવેલા સમરથ નગરના એક મકાનમાં મોટા પાયે વિદેશી દારૂનો સંગ્રહ…

Read More