- ઈરાનનો મોટો દાવો : અમેરિકા-ઈઝરાયલના કરાર ભંગ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી
- રાજકોટના શાપર-વેરાવળમાં ફિલ્મી ઢબે 2.47 કરોડની લૂંટ, 5 બુકાનીધારીઓ ફરાર
- તાઈવાન પર ચીનની નૌસેનાની ઘેરાબંધી વધતી, દરિયાઈ તણાવ ચરમસીમાએ
- શિવસેના સ્થાપના દિવસે શિંદેનો ઉદ્ધવ પર કટાક્ષ : “કૂતરા ભસે, ટાઈગર શિકાર કરે”
- આંધ્રપ્રદેશમાં 50 ટન સોનાનો ભંડાર મળ્યો, 4 વધુ સ્થળે માઇનિંગની તૈયારી
- ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતને ઝટકો : હાર્દિક પંડ્યા બહાર, કોહલીનો નિર્ણય ફિટનેસ પર નિર્ભર
- 23 જૂનથી હવામાનમાં મોટો ફેરફાર શક્ય, ચોમાસું ફરી થશે સક્રિય : IMD આગાહી
- કેએસ ભરત દુબઈમાં નવી તક શોધવા નીકળ્યો, ભારતીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય
Author: Garvi Gujarat
શું સંજીવ ગોયનકાએ પંતને ખખડાવ્યો? લખનઉ સુપર જાયન્ટ્સે વીડિયો શેર કરી આપી સ્પષ્ટતા આ વીડિયોમાં એ જ વાતચીતને બીજા એંગલથી ગોયનકા અને પંતને હસતા અને હળવા અંદાજમાં વાતચીત કરતા જાેઈ શકાય છે IPL 2026 માં લખનઉ સુપર જાયન્ટ્સની હાર બાદ ટીમના માલિક સંજીવ ગોયનકા અને કેપ્ટન ઋષભ પંત વચ્ચેની વાતચીતને લઈને શરૂ થયેલા વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે. લખનઉની ટીમે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો શેર કરીને સમગ્ર મામલાની તસવીર સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ સામેની હાર બાદ એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થયો હતો. ક્લિપમાં ગોયનકા અને પંત…
૮ મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી B1 પુલ પર અમેરિકાના અટેક બાદ ઇરાન ભડક્યું ઈરાનમાં એક મુખ્ય પુલ પર યુએસ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા, ૯૫ લોકો ઘાયલ થયા હતા હકીકતમાં, ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી, ફાર્સે, ગલ્ફ દેશો અને જાેર્ડનમાં આઠ મહત્વપૂર્ણ પુલોની યાદી બહાર પાડી છે, જેને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હુમલા માટે સંભવિત લક્ષ્યો તરીકે ઓળખી કાઢ્યા છે. ઈરાન કયા પુલોને નિશાન બનાવી શકે છે? :- અનાદોલુના એક અહેવાલ મુજબ, ઈરાનની યાદીમાં કુવૈતનો શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ સી બ્રિજ, સંયુક્ત આરબ અમીરાત (UAE)નો શેખ ઝાયેદ બ્રિજ, અલ મક્તા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજ,…
કહ્યું- ભાઈએ મર્ડર કરી દીધું છે, હવે જેલ જઈ રહ્યો છું દિલ્હીમાં હત્યા બાદ આરોપીએ ઇન્સ્ટા પર રીલ બનાવી દીધી પોલીસે મૃતકની ઓળખ ૧૯ વર્ષીય નિક્કુ તરીકે કરી છે દિલ્હીમાં સામાન્ય બોલાચાલી બાદ યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દિલ્હીના શાલીમાર બાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું કહેવાય છે. પોલીસે મૃતકની ઓળખ ૧૯ વર્ષીય નિક્કુ તરીકે કરી છે. નવાઈની વાત એ છે કે આ હત્યાને અંજામ આપ્યા બાદ એક આરોપીએ આ મર્ડરની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર એક રીલ અપલોડ કરીને પણ આપી છે. મળતી માહિતી મુજબ, આ રીલમાં તે બોલી રહ્યો છે કે,…
ક્લાર્કોના મોબાઈલ ફોનની તપાસથી ખુલ્યો મામલો સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દરોડા પડ્યા તો મળ્યો કુબેરનો ખજાનો ACB સબ-રજિસ્ટ્રાર ઓફિસના બે અધિકારીઓના ઘરે પણ દરોડા પાડીને કરોડો રૂપિયાનું સોનું-ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી તેલંગાણાના વારંગલ જિલ્લામાં આવેલી સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. તેલંગાણા એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) એ ગઈકાલે એટલે કે, ૨ એપ્રિલે વારંગલ (ગ્રામીણ) સબ-રજિસ્ટ્રાર ઓફિસ પર અચાનક દરોડા પાડ્યા અને ગેરકાયદેસર વ્યવહારો, નોંધણી વગરના દસ્તાવેજાે અને અનધિકૃત એજન્ટોની ભૂમિકાનો ખુલાસો કર્યો છે. આ દરોડા વારંગલ રેન્જના ACB અધિકારીઓએ હનુમાકોંડા જિલ્લાના વારંગલ (ગ્રામીણ)માં સ્થિત સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં પાડ્યા હતા. આ દરોડામાં અનેક મહત્વના ખુલાસા થયા બાદ ACB સબ-રજિસ્ટ્રાર ઓફિસના…
ઈરાન માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મોટો ફટકો ઈઝરાયલ-અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ પર આવેલા પોર્ટ પર હુમલો કર્યો યુરોપિયન યુનિયન/કોપરનિકસ સેન્ટિનલ-૨ની સેટેલાઈટ તસવીરોમાં ગુરુવારે ઈરાનના કેશમ બંદર પરથી ધુમાડો નીકળતો જાેવા મળ્યો છે ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ પર આવેલા પોર્ટ પર હુમલો કર્યો છે. યુરોપિયન યુનિયન/કોપરનિકસ સેન્ટિનલ-૨ની સેટેલાઈટ તસવીરોમાં ગુરુવારે ઈરાનના કેશમ બંદર પરથી ધુમાડો નીકળતો જાેવા મળ્યો છે. આ હુમલો ઈરાન માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મોટો ફટકો છે. આ પોર્ટ ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ માટે અત્યંત મહત્ત્વનું છે. ઈરાન દ્વારા હોર્મુઝમાં ટોલ વસૂલવા જેવી વ્યવસ્થાઓની તૈયારી અને તેનું સંચાલન અહીંથી થતું હતું. કેશમ ફ્રી ઝોનના…
સોનાના વાયદામાં રૂ.4503 અને ચાંદીના વાયદામાં રૂ.15784નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.1011નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.41081.71 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.114547.64 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 29779.06 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35679 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.155629.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.41081.71 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.114547.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 35679 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3580.49 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 29779.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.146832ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.149699 અને નીચામાં રૂ.145601ના સ્તરને સ્પર્શી, રૂ.150104ના આગલા બંધ સામે રૂ.4503 ઘટી રૂ.145601ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.4139 ઘટી રૂ.118250 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.517 ઘટી રૂ.14809 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.5588 ઘટી રૂ.145238ના ભાવે બોલાયો…
આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતીમાં કહેવત છે કે “પડ્યા ઉપર પાટુ”, એટલે કે માણસ પોતે દુખી હોય અને એમાં વધારાનુ પાછું દુખ આવે. આવી જ સ્થિતિ ગીર સોમનાથના ખેડૂતો સાથે આજે ઊભી થઈ છે. આજે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ દયનિય છે અને એમાં પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડ્યો છે. સૌની ગામ અને આજુબાજુના ગામડાઓમાં કમોસમી વરસાદ આવ્યો છે. તેના કારણે લસણની ખેતી હોય, બાગાયતની ખેતી હોય અને અન્ય પાકોમાં પણ ભારે નુકસાન થયું છે. આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે ખેડૂતો પહેલાથી જ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મહારાષ્ટ્રના નાસિકનો ભોન્દુબાબા ઉર્ફે અશોક ખેરાત આજકાલ મહારાષ્ટ્રમાં નરપિશાચ, અઘોરી, લિંગપ્રતાપી, બળાત્કારી, રાક્ષસ, દલાલ જેવા વિશેષ્ણથી નવાજાઈ રહ્યો છે. પરંતુ એનાથી વધુ એ ભોન્દુ અર્થાત ઢોંગી,ફરેબીબાબા તરીકે ઓળખાતો થયો છે. આ ઢોંગી બાબાની વિગતો જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ મહારાષ્ટ્રના રાજકારણમાં અને સમાજમાં ધરતીકંપ સમાન આંચકા આવતા જાય છે. આ ઢોંગી બાબા એ જ્યોતિષ, પૂજા, સમસ્યાઓના નિવારણ કરવા તેમજ દોરા-ધાગાના ધતિંગો હેઠળ અને કહેવવાતી ખાનગી પુજાવિધિના નામે આ ભોન્દુએ સ્ત્રીઓના કપડાં ઉતરાવી લીધા હતા. અમુક સાથે પરાણે શરીર સંબંધો બાંધ્યા હતા. સીસીટીવીમાં કેદ થયેલી એ ઘડીઓની વિડીયો વડે ગુરુઘંટાલ ઢોંગીબાબા ઉર્ફે અશોક ખેરાત…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં ધર્મના નામે અધર્મનું આચરણ કરી ફેલાવાતી અંધશ્રધ્ધાનો ભોગ મોટા ભાગે મહિલાઓ જ બની રહી છે. એક બાજુ આપણે સનાતન ધર્મની વાત કરીએ અને બીજી બાજુ એજ ધર્મને કલંકિત કરતાં બાબાઓ જેવાકે બાગેશ્વર ધામ ના ધિરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્ચ મહારાજે મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી છે. એવા માં રામરહિમ જેવાએ તો મહિલાઓ સાથે ઐયાશીઓ કરી કેટલીય મહિલાઓના જીવન બરબાદ કરેલ છે. અને પત્રકારના મોત માટે જેલના સળિયા પણ ગણતા થઈ ગયા છે. એવા આપણા દેશમાં આવા બાબાઓ બાપુઓની દુકાનો આટલી બધી કેમ જોરમાં ચાલે છે? તો એની પાછળનું કારણ છે આપણાં ખંધા ખેલાડીઓ અને કાચંડાની માફક…
ટ્રમ્પે ભાષણમાં ખુલ્લેઆમ NATO દેશોની ટીકા પણ કરી ન હતી ટ્રમ્પે ઇરાન યુદ્ધ પૂરું કરવા અમેરિકન જનતા પાસે વધુ સમય માગ્યો વ્હાઇટ હાઉસમાં ઈસ્ટર પ્રસંગે તેમણે સ્વીકાર્યું હતું કે લોકો હવે યુદ્ધ સમાપ્ત થાય તેવું ઇચ્છે છે ઇરાન સામે યુદ્ધ ચાલુ કર્યા પછીના પોતાના પ્રથમ રાષ્ટ્રવ્યાપી ભાષણમાં અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની જનતાને આશ્વાસન આપ્યું હતું કે તમામ મિલિટરી હેતુઓ ટૂંકસમયમાં પૂરા થઈ જશે અને જનતાએ તેમને થોડો વધુ સમય આપવો જાેઇએ. મુખ્ય વ્યૂહાત્મક ઉદ્દેશ્યો પૂર્ણ થવાની નજીક છે અને ઈરાન હવે મૂળભૂત રીતે ખતરો રહ્યો નથી. જાેકે તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આગામી બેથી ત્રણ સપ્તાહ સુધી ઇરાન પર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



