- યુદ્ધ વચ્ચે મોજતબા ખામેનેઈનો સંદેશ: ઈરાનની એકતાની જીત, અમેરિકા-ઈઝરાયલને ચેતવણી
- મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ? કાળા જાદુના ડરે જાહેરથી દૂર હોવાનો દાવો ચર્ચામાં
- Uttar Pradesh ATSએ Noidaમાંથી ISI જોડાયેલા 2 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપ્યા, મોટા કાવતરાનો ભાંડો ફૂટ્યો
- Lakhimpur Kheri નજીક ઝેરી ખોરાકથી 25 Vulturesના મોત, વન વિભાગ સતર્ક
- 2016 Indian demonetization કેસમાં Bombay High Courtનો આદેશ, RBIને જૂની નોટો બદલવા સૂચના
- Sabarmati River પ્રદૂષણ મુદ્દે Gujarat High Court કડક, CETPને અલ્ટીમેટમ
- Sandeep Pathakએ AAP છોડવાની જાહેરાત કરી, પાર્ટીને મોટો ઝટકો
- Mahendra Singh Dhoni 100% ફિટ નથી, IPL 2026માં વાપસી માટે ચાહકો રાહ જુએ છે
Author: Garvi Gujarat
આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે દેશને આઝાદી મળ્યા પછી દાયકાઓ વીતી ગયા હોવા છતાં આદિવાસીઓ માટે મોટું બજેટ ફાળવવામાં આવે છે, છતાં તેમનો વિકાસ કેમ થતો નથી—એવો પ્રશ્ન સૌને થાય છે. તેમણે જણાવ્યું કે વિધાનસભામાં તેમના સિત્તોતેર નંબરના પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લોમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ફાળવાયેલ આદિજાતિ વિકાસના બજેટમાંથી ગયા વર્ષે ₹5,120 કરોડ ફાળવાયા હતા, પરંતુ માત્ર ₹2,410 કરોડ જેટલો જ ખર્ચ થયો, અંદાજે 50 ટકા જ રકમ વપરાઈ. નર્મદા જિલ્લામાં ₹.92 કરોડ 63 લાખ 49 હજારનું બજેટ ફાળવાયું હતું. તાલુકા અને જિલ્લા કક્ષાની બેઠકમાં…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર નીકળેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત 26 તારીખે સાંજે જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખંભાળિયાવાસીઓને અને દ્વારકા જિલ્લાના તમામ લોકોને હું આહવાન કરું છું કે આ સભામાં આપ સૌ પધારો. ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, જેમ કે ભાવ નથી મળતા, સારી વ્યવસ્થા નથી, પશુપાલકોના પણ અનેક મુદ્દાઓ છે, ડેરી સંઘ નથી, ઉભા પાકમાં હાઈ ટેન્શન લાઈનો નાખવામાં આવે છે, પવનચક્કીઓના મુદ્દાઓ છે, એપીએમસીઓમાં કડદા થાય છે. આવા તમામ મુદ્દાઓને લઈને હું જામખંભાળિયાના ભાણખોખરીના…
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા ખૂબ જ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે ત્યારે આ અંગે વાત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખેડૂતોનો, મહિલાઓનો, યુવાનોનો, વેપારીઓનો અવાજ બની ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે ગઇકાલે સોમનાથ મહાદેવના દર્શન કરી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રા સોમનાથથી નીકળીને ગાંધીનગર…
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ગતરોજથી સોમનાથથી આમ આદમી પાર્ટીની જે “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત કરી છે, આ યાત્રા 26 ફેબ્રુઆરીના રોજ જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે પહોંચી રહી છે અને ત્યાં એક મોટી સભાનું આયોજન યોજાશે. આ સભામાં ખાતરના મુદ્દા, બિયારણના મુદ્દા, પાકને મળતા ભાવના મુદ્દા, વીમાના પ્રશ્નો અને સાથે સાથે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલને લઈને ખેડૂતોને જે નુકસાન થવાનું છે, આ તમામ મુદ્દે આ સભામાં ચર્ચા કરવામાં આવશે અને અવાજ ઉઠાવવામાં આવશે. વધુમાં ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું…
આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદના માધ્યમથી મીડિયા સમક્ષ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને ગુજરાતના છેવાડા સુધીના લોકો આશીર્વાદ આપી રહ્યા છે અને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે .એ વાત ભાજપથી જોવાતી નથી અને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. માટે તેઓ હવે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભૂંડ અને ગાયના માંસના દૂધનો પર્દાફાશ કર્યો હતો. ભૂંડ અને ગાયનું માંસ નાંખીને, યુરિયા ખાતર નાંખીને તથા ઝેરી કેમિકલવાળું દૂધ બનાવીને ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં દૂધ ભરનારા માફિયાઓનો પર્દાફાશ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે વર્ગ-૩ ના ટેકનિકલ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, કેશ વિભાગ ના કર્મચારીઓ અને વર્ગ-૪ ના સફાઈ કામદાર, આયા, વોર્ડ બોય ની જગ્યાઓ કોન્ટ્રાક્ટ ધ્વારા ભરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટની જગ્યામાં જેટલા કામદારોની જરૂરિયાત હોય તેના કરતાં ઓછા કામદારો રોકી વોર્ડ અને અન્ય વિભાગોમાં સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી નથી અને કોન્ટ્રાકટર અને સિવિલ હોસ્પિટલ સુરત ના જવાબદાર અધિકારીઓના મેળાપીપણામાં સરકારી નાણાંની ઉપાચત થાય છે. હોસ્પિટલ માં રોજ ના કેટલા કર્મચારીઓ ને ફરજ માટે લેવા તેના કોઈ ધારા-ધોરણ નક્કી નથી. નવી સિવિલ હોસ્પિટલ સુરત ના નિવાસી તબીબી અધિકારી અને કોન્ટ્રાકટરના માણસો તેમજ નવી સિવિલ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજકાલ રાજસ્થાન સરકારની એક યોજના ખૂબ જ ચર્ચામાં છે અને એનું નામ છે ગાંવ ગ્વાલા યોજના. આ યોજનામાં ગાય ચરાવનારા ગોવાળોની ભરતી કરવામાં આવી રહી છે અને તેમને એને માટે પગાર પણ આપવામાં આવશે. રાજસ્થાનના શિક્ષણ પ્રધાન મદન દિલાવરે કોટા જિલ્લાના રામગંજ મંડીમાં ૧૪ ગામડાઓમાં ગોવાળની નિયુક્તિ કરી છે. સરકાર પ્રાચીન ગોચારણ પરંપરા ને પુનર્જીવિત કરવા માટે આ નવી યોજના લાવી છે. આ ગોવાળો રોજ ગામની ગાયોને સામૂહિક રૂપે ગોચર ભૂમિ સુધી ચરાવવા લઈ જશે અને સાંજે એમને ઘરે પાછી લાવશે. ગાયોને આખો દિવસ ચરવા માટે છુટ્ટી મૂકી દેવામાં આવશે અને સાંજે પાછી એમને ગામના ઘરો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ચીનમાં ચિકન-મટન અને જીવડાંઓ રાંધીને પીરસતી રેસ્ટોરન્ટો ઘણી છે. પરંતુ ઘણા સમયથી ચાલતી એક અજીબ રેસ્ટોરાં આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એક ટ્રાવેલ બ્લોગરે બનાવેલી રીલે લોકોમાં કુતૂહલ જણાવ્યુ છે. આ રેસ્ટોરાંના મેનૂમાં જાતજાતના સાપોની વાનગીઓ છે અને એમાં કિંગ ક્રોબાનો પણ સમાવેશ થાય છે. આ રેસ્ટોરાં એક મહિલા ચલાવે છે જેને સ્થાનિકો કોબ્રા-કવીન કહે છે. બહારથી સાવ જ સાધારણ ઢાબા જેવી દેખાતી આ રેસ્ટોરાં માં લાકડાની પેટીઓમાં સાપ સંઘરી રાખવામાં આવે છે. આ સાપ જીવતા જ હોય છે. ગ્રાહક એ લાકડાની પેટીઓમાંથી પોતાને જે સાપ ખાવો હોય એ સાપ પસંદ કરીને લઈ શકે…
નવા પિતા વિકી કૌશલે ઇન્ટરવ્યુમાં દિકરા વિહાન વિશે વાતો કરી.કેટરિના સુપર હિરો છે, હું એને બહુ પ્રેમ કરું છું : વિકી કૌશલ.વિકી કૌશલની ૨૦૧૯ની ફિલ્મ ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇકનાં વિકીના પાત્રને જાેડીને તેનાં પર ચર્ચા પણ થઈ હતી.કેટરિના કૈફ અને વિકી કૌશલ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું અને લોકપ્રિય કપલ છે. તેમણે ૨૦૨૧માં લગ્ન કર્યા હતાં અને ગયા વર્ષે ૭ નવેમ્બરે તેમને ત્યાં એક દિકરાનો જન્મ થયો હતો. પાછળથી તેમણે તેનાં નામ વિહાન કૌસલની પણ જાહેરાત કરી હતી. જેની સાથે વિકી કૌશલની ૨૦૧૯ની ફિલ્મ ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇકનાં વિકીના પાત્રને જાેડીને તેનાં પર ચર્ચા પણ થઈ હતી, જેમાં તેનું નામ મેજર વિહાન હતું. હવે…
અક્ષયે સોશિયલ મીડિયા પર બાબા અવતારમાં પોસ્ટર લોંચ કર્યું.અક્ષયના ‘ભૂતબંગલા’ અવતારે ભૂલ ભૂલૈયાની યાદ અપાવી.પ્રિયદર્શનની ભૂત બંગલાને અક્ષય પ્રોડ્યુસ કરી રહ્યો છે, તેની સાથે એકતા કપૂર અને શોભા કપૂર પણ જાેડાયા છે.અક્ષય કુમાર અને પ્રિયદર્શન ૧૬ વર્ષ પછી ‘ભૂત બંગલા’માં સાથે કામ કરી રહ્યા છે. એટલે તેમની ફિલ્મ વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, દર્શકોમાં પણ આ ફિલ્મ માટે ઘણી ઉત્સુકતા છે. ત્યારે હવે આ ફિલ્મનું અક્ષય કુમારનું મોશન પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. જાેકે, દર્શકોને આ પોસ્ટરમાં મજા આવવાની કે ઉત્સુકતાને બદલે તેમને આ પોસ્ટર જાેઇને ભુલભુલૈયાની યાદ આવી ગઈ છે. મંગળવારે અક્ષય કુમારે ભૂત બંગલાનું મોશન પોસ્ટર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



