- બિહારમાં મોબાઇલ ચોર ટ્રેનની બારીમાં ઝડપાયો, 8-9 કિમી સુધી લટક્યો બાદ પોલીસે ઝડપી લીધો
- નવા મતદારો માટે ફોર્મ-6માં માતા-પિતાની SIR વિગતો આપવી ફરજિયાત
- લોર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક વિજય, ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું
- પંકજ રાણસરીયાનો આરોપ: ખેડૂતોના અવાજને દબાવવા ભાજપ તંત્રનો ઉપયોગ કરે છે
- નિરંજન વસાવાનો આરોપ: કામદારોના મુદ્દે બોલનાર આપ નેતાઓ પર ખોટા કેસ કરાયા
- ગોપાલ ઇટાલિયાનો પાટીદાર આંદોલન મુદ્દે આરોપ: ‘જનરલ ડાયર’ને સજા કરવાની માંગ
- ઈસુદાન ગઢવીનો આરોપ: ખેડૂતોના સમર્થકો પર કાર્યવાહી, ભાજપ કંપનીઓ માટે કામ કરે છે
- Report Against Ahmedabad IT Officers for Alleged Failure to Act on Tax Evasion Evidence
Author: garvigujrat
ચોંકાવનારી માહિતી સામે આવી કાળા જાદુના કારણે મોજતબા ખામેનેઈ છૂપાઈ ગયા છે? એેવો દાવો થઈ રહ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા છે અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ ભલે યુદ્ધની સ્થિતિ જાેવા નથી મળી રહી પરંતુ એક સમયે એવી ભીષણ તબાહી મચી હતી કે ઈરાનના અનેક ટોપ લીડર્સનો ખાતમો બોલાઈ ગયો. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ પણ મૃત્યુ પામ્યા. હવે એવો દાવો થઈ રહ્યો છે કે અમેરિકી હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પણ ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમનો ચહેરો મહંદઅંશે બળી ચૂક્યો છે. તેમને બોલવામાં તકલીફ પણ થઈ રહી છે…
Uttar Pradesh ATSએ Noidaમાંથી ISI જોડાયેલા 2 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપ્યા, મોટા કાવતરાનો ભાંડો ફૂટ્યો
VIP લોકોના ઘર પર ગ્રેનેડ હુમલાનું ઘડી રહ્યા હતા કાવતરું નોઈડામાં ISI સાથે જાેડાયેલા ૨ આતંકવાદીઓની ધરપકડ બંને શંકાસ્પદ આરોપીઓ સ્લીપર સેલ પણ બનાવી ચૂક્યા હતા : આતંકવાદી કૃત્યો માટે પૈસાની લાલચ અપાઈ હતી ઉત્તર પ્રદેશ એટીએસ (ATS) એ નોઈડાથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ આઈએસઆઈ (ISI) માટે કામ કરી રહ્યા હતા અને પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે જાેડાયેલા હતા. તેમની પાસેથી પિસ્તોલ, કારતૂસ અને ચપ્પુ મળી આવ્યા છે. આ બંને શંકાસ્પદ આઈએસઆઈના ઈશારે ભારત વિરુદ્ધ મોટા કાવતરાની યોજના ઘડી રહ્યા હતા. એટીએસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓની ઓળખ બાગપતના તુષાર ચૌહાણ ઉર્ફે હિઝબુલ્લા અલી ખાન તરીકે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી પાસેના સેમરીયા ગામના એક ખેતરમાં એક સાથે ૨૫ ગીધોના શબ મળી આવ્યા હતા. ગામવાળાઓએ એક કૂતરો વારંવાર બકરીઓ પર હુમલો કરતો હોવાથી એને મારવા માટે ઝેરી પેસ્ટીસાઇડસ મેળવેલા ભાત ખવડાવી દીધા હતા. ઝેરી ભાત ખાઈને કૂતરો મરી ગયો હતો. જોકે મરેલા કુતરાને ખુલ્લા ખેતરમાં પડેલો જોઈને ગીધોનું ટોળું ત્યાં આવી પડયુ. ગામવાળાઓને પણ નવાઈ લાગી અને આટલા બધા ગીધો ને આસમાનમાંથી ઉતરી પડેલા જોઈને ખુશ થઈ ગયા હતા. જો કે આ ખુશી બહુ ટકી ન હોતી. કૂતરાનું માંસ ઝેરી દવાને કારણે ઝેરી થઈ ચૂક્યું હતું અને એ માંસ જેણે ખાધું એ ગીધો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં ૮ નવેમ્બર,૨૦૧૬ ના દિવસે નોટબંધીની જાહેરાત થઈ હતી. અને અચાનક થયેલ નોટબંધીના કારણે કેટલાય લોકો સમય મર્યાદામાં રૂપિયા ૫૦૦ ની જૂની નોટો પણ બદલાવી નહીં શકેલા ત્યારે એવા જ સમય મર્યાદાના ભાગ રૂપે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ને આદેશ આપ્યો છે કે નોટબંધીની જાહેરાત પછી પોલીસે જપ્ત કરેલી બે લાખની જૂની ૫૦૦ રૂપિયાની ચલણી નોટો બદલી આપવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે ભૂલ અરજદારની નથી એની સજા તેને ન મળી શકે. જ્યારે અચાનક ૨૦૧૬ ની ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરાઈ હતી. ત્યારે અરજદાર ગિરીશ માલાણી…
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ.કંઈ શક્ય નથી જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન અંગે અલ્ટીમેટમ.કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ૧૦૦ ટકા કામ કરી શકવાના નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રયાસો જ છોડી દેવાય.સાબરમતી નદીના વધતા પ્રદૂષણ મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે જીપીસીબી (GPCB) અને સીપીસીબી(CPCB)ને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે, નદી શુદ્ધિકરણ મામલે તમારા સોગંદનામામાં જે નથિંગ ઈઝ પોસિબલ (કંઈ પણ શક્ય નથી) જેવા વાક્યો લખ્યા છે તેને તાત્કાલિક હટાવી દો. કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે…
આમ આદમી પાર્ટીએ ગુમાવ્યા ‘ચાણક્ય’.એક સમયે ગુજરાતમાં AAP ના પ્રભારી રહેલા સંદીપ પાઠકે છોડી પાર્ટી.૧૦ વર્ષ પહેલા પાર્ટી સાથે હું જાેડાયો હતો અને આજે હું આમ આદમી પાર્ટીથી મારો રસ્તો અલગ કરી રહ્યો છું : સંદીપ પાઠક.આમઆદમી પાર્ટીમાં સૌથી મોટું ભંગાણ પડ્યું છે.રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે સંદીપ પાઠક એક સમયે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી હતા. આમ આદમી પાર્ટીએ વર્ષ ૨૦૨૨ ની પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા. કારણ કે, પંજાબ વિધાનસભા ચૂંટણીની જીતના ચાણક્યનું ક્રેટિડ સંદીપ પાઠકને આપવામાં આવ્યું છે. સંદીપ પાઠકની કામગીરીથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ…
બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું.પૂર્વક કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં ૧૦૦% ફિટ નથી.તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ તેને વિકેટો વચ્ચે દોડવામાં મુશ્કેલી પડી રહી છે. : કોચ માઈકલ હસી.મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં ક્યારે મેદાનમાં પરત ફરશે, તેને લઈને ચાહકોની આતુરતા સતત વધી રહી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધોની રમશે તેવી આશા હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જ્યારે પ્લેઈંગ-૧૧ની જાહેરાત કરી ત્યારે તેમાં ધોનીનું નામ નહોતું. આ બાબતે સ્પષ્ટતા કરતા બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું કે, ધોની હાલમાં ૧૦૦% ફિટ નથી. તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ તેને વિકેટો વચ્ચે…
૧૯૪૯ની કલમ ૨૨(૪) હેઠળ કાર્યવાહી કરાઈPaytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ, RBI દ્વારા મોટી કાર્યવાહી.આ ર્નિણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં.ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજ(૨૪ એપ્રિલ ૨૦૨૬) રોજ એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL)નું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવાયું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૨૨(૪) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ર્નિણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં. ઇમ્ૈં એ સ્પષ્ટ કર્યું છે કે શુક્રવાર, ૨૪ એપ્રિલના રોજ કામકાજના…
ભારતીય મુસાફરો માટે પ્રવાસ સરળ બનશે અને ખર્ચ પણ ઘટશે ફ્રાન્સમાં ભારતીયો માટે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં ૧૦ એપ્રિલ ૨૦૨૬ની અસરથી ફ્રાન્સના યુરોપિયન પ્રદેશમાંથી પસાર થતા ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવાસને હવે ફ્રેન્ચ સરકારે અમલી બનાવ્યો ફ્રાન્સે ભારતીયો માટે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત દૂર કરી છે. અત્યાર સુધી ભારતીય મુસાફરોએ બીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મેળવવા માટે ફ્રાન્સમાં એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરવું પડે તેમ હોય તો એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા લેવા પડતાં હતાં. હવે ભારતીય પાસપોર્ટ ધારકોને ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઝોનમાંથી પસાર થતી વખતે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા મેળવવાની જરૂર રહેશે નહીં. ભારતીય મુસાફરો માટે પ્રવાસ સરળ બનશે અને ખર્ચ પણ ઘટશે.…
પ્રસિદ્ધ થયેલા આરબીઆઈ બુલેટિનમાં જણાવાયું પશ્ચિમ એશિયાનો તણાવ દેશના અર્થતંત્ર માટે પડકારજનક બની શકે: રિઝર્વ બેન્ક પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ખેંચાય અને સપ્લાય ચેઈન વહેલી તકે પુન:સ્થાપિત ન થાય તો અર્થતંત્રમાં દરેક સ્તરે વિપરિત અસરની શક્યતા છે પશ્ચિમ એશાયામાં સર્જાયેલો તણાવ દેશના અર્થતંત્ર માટે પડકારજનક બની રહ્યો હોવાનું સ્વીકારતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, તેનાથી દેશની સપ્લાય ચેઈનમાં અડચણો આવી શકે છે. ઊંચા ઈંધણ ખર્ચ, વધતા ઉત્પાદન ખર્ચ, વેપારમાં ખલેલ અને ફાઈનાન્સિયલ માર્કેટમાં અફરા-તફરીનો માહોલ ઘરેલુ અર્થતંત્રને પડકારજનક સ્થિતિમાં લાવી શકે છે. ગુરુવારે પ્રસિદ્ધ થયેલા આરબીઆઈ બુલેટિનમાં જણાવાયુ હતું કે, પશ્ચિમ એશિયામાં ઘેરુ બની રહેલું સંકટ વૈશ્વિક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



